RSS

તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે !

09 Jun

આજે ‘મુઈ ભેંસના મોટા ડોળા’ની આપણી પુરાણી આદત મુજબ હુસેનને અંજલિઓ આપવા ઘણા મેદાને પડ્યા છે. (જે ખુદ આર્ટીસ્ટ છે, આર્ટ લવર છે.. એમની વાત નથી=પ્લીઝ કોઈએ બંધબેસતી કેપ પહેરી ના લેવી ) પણ, આમ નીતિ , ન્યાય અને સેક્યુલારિઝમ ખાતે શહાદતનો ઢોંગ કરનારા ઘણા હુસેન જીવતા હતા અને ખરી હિંમત બતાવવાની હતી, સાચું સ્ટેન્ડ લેવાનું હતું ત્યારે ડરને લીધે ખામોશ હતા. (ગુજરાતમાં રહેતી બનાવટી સેક્યુંલારીસ્ટોની આખી ટોળકી આવા અસલી મુદ્દે સદંતર ગુજરાતમાં ખામોશ રહી છે, એમને મોદીવિરોધ,રામમંદિર કે રામદેવવિરોધ સિવાય સાચા મુદ્દાઓનું કે ભારતના સમન્વયની સંસ્કૃતિનું કોઈ ઓબ્સેશન નથી !) એ વખતે મેં સામા પ્રવાહે તરીને (જાનથી મારી નાખવાની ધમકીઓ પણ વેઠીને!) હુસેન પર , એમના સમગ્ર વિવાદ પર મુદ્દાસરની છણાવટ કરતા ત્રણ લેખો ગુજરાત સમાચારની મારી કોલમમાં વિવાદો કે લોકપ્રિયતાની પરવા વિના લખ્યા હતા. સદનસીબે ગુજરાતી જાણતા હુસેને પણ એ વાંચ્યા અને પોંખ્યા..(મને એની ખબર કે અપેક્ષા પણ નહોતી, મેં તો મારી મરજીથી લખેલા અને આભાર ‘ગુજરાત સમાચારનો કે એમને મને એ માટે, મારો મત પ્રગટ કરવાની મોકળાશ પણ આપી-એ કલેજાવાળા તંત્રીનું કામ છે!)

મેં તો જિંદગીમાં મને સાચું લાગ્યું છે, એ જ પુરો અભ્યાસ કરીને લખવાની નિષ્ઠા રાખી છે. હું કોઈ વિચારધારાના ચરણોમાં આળોટતો ગુલામ નથી, અને બનવું પણ નથી. પણ તર્ક સહીત સ્ટેન્ડ લઉં છું. જયારે જે જરૂરી લાગ્યું એની મેં ઉઘાડી તરફેણ કે વિરોધ કર્યો જ છે. પણ મારા તર્ક પાછળના તથ્યો હમેશા તપ કરીને આપ્યા છે. એનો જવાબ ના આપનારા લોકો પછી અંગત આક્ષેપબાજીમાં સરી પડે છે.પરંતુ, હુસેનનું વાંચીને પોરસાવાવાળાઓએ એ યાદ રાખવું કે બીજા એમને ના ગમતા મુદ્દાઓ પર એટલી જ પ્રમાણીકતાથી હું લખું છું..ને ભ્રષ્ટાચારી કેન્દ્ર સરકારની વિરુદ્ધના / ગુજરાત અંગેના અપપ્રચાર અંગે મારા લેખો વાંચીને હરખાઈ જનારાએ યાદ રાખવું કે હુસેન જેવા લેખો એટલી જ શુદ્ધ બુદ્ધિથી લખાયેલા છે.

હવે મુદ્દાની વાત. કેટલાક વાચકો લેખને નહિ પણ પોતાની માન્યતા વાચતા હોય છે. એમને પોષે એવું વાચવા મળે, તો વાહ વાહ..નહિ તો હાય હાય. પણ લેખક કઈ મુજરાવાળી બાઈ નથી કે ફરમાઈશો મુજબ નાચે. નવું શીખવા માટેની એમની ધીરજ કે ધગશ, તત્પરતા કે તૈયારી હોતી નથી. કળા કોઈ બટાકુવાડું નથી ઝટ ગળે ઉતરી જાય. એ સમજવા પણ સાધના કરવી પડે. હુસેનની સમજ્યા વગર માત્ર ૧૦-૧૨ ચિત્રોને આગળ ધરી ટીકા કરતો સમાજ ખ્રિસ્તી-ઇસ્લામિક-જૈન અસરનું મૂળ ભારત પર આવી ગયેલું પ્રભુત્વ બતાવે છે. હુસેન સ્વયમ આ જાણતા હતા…એટલે એમણે આજીવન ક્યારેય ગમે તેટલી ઘટનાઓ બની કદી એક હરફ પણ ભારતની ટીકાનો ક્યાંય ઉચ્ચાર્યો નહોતો. ઉલટું ભારતનો બચાવ કરેલો. સમય જતા સમાજ પરિપક્વ થશે તો એમનું સર્જન (જે કેવળ મેઈલમાં ફરતા ચિત્રો જ નથી, એ કુલ સર્જન ના ૦.૦૦૦૧% પણ નથી)) સમજશે એવી આશા વ્યક્ત કરેલી. ભારતે અપવાદો બાદ કરતા એમને ગાળો નથી આપી, પણ બહુધા લાગણીભીનીસલામી અને અંજલિ આપી છે અને એમનો આ વિશ્વાસ સાર્થક ઠેરવ્યો છે.

હા, એમને જે સ્થાન અને માન મળવું જોઈતું હતું, એ અત્યારે નથી મળ્યું. એ તો સમય થી આગળ અને ઉફરા ચાલનારા દરેકના જીવનની આ દુર્ભાગ્યે ખાડે ગયેલા દેશમાં અત્યારે એ જ ગતિ છે. એમની મને હજુ ય પીડતી કરુણતા એ છે કે એમને ખુબ ઊંડાણથી જે ભારતનું દર્શન કર્યું ,, એ એના સંદર્ભો કે અનુભૂતિ ના હોઈ પરદેશને તો પૂરું સમજાય જ નહિ…અને આ દેશને એ સમજવાની તૈયારી કોઈક મારા જેવો સમજવવા બેસે તો ય ખાસ હોતી નથી! નહિ તો પિકાસોથી એમની કળા અનેક દ્રષ્ટિએ વધુ સાંસ્કૃતિક લેયર્સવાળી હતી. એમને એમનું મુસ્લિમ નામ નડી ગયું ગેરસમજ વધારવા !બાકી, હુસેનને તો પાકિસ્તાન માટે એટલો અભાવ હતો કે ત્યાં ભાગલા પછી ગયેલા સગાઓનો પત્ર પણ ખોલીને જોતા નહિ!

મેં સતત ૧૫ વરસ સુધી હુસેનનો અભ્યાસ કર્યો છે.શરૂઆતમાં મારો ય અભિપ્રાય અધૂરા ઘડા જેવો હતો. પણ મારું વેદ-ઉપનિષદ-રામાયણ-મહાભારત વગેરે સંસ્કૃત સાહિત્યનું આકર્ષણ કામ લાગ્યું એમને સમજવામાં. કલાકાર સર્જન કરે, દરેક વખતે બધું સમજાવવા ના બેસે. હુસેનના ૫૦૦૦૦થી વધુમાથી થી વિવિધ રીતે મેં હજારો ચિત્રો જોયા છે. દેશ-વિદેશના મ્યુંઝીયામ્સમાં દિવસો સુધી ભટક્યો છું. એના વિષે, ચિત્રકલા વિષે ચિક્કાર વાચ્યું છે. હુસેનના બચાવમાં નહિ, અસલી ભારતના બચાવમાં ઉભો છું.

આ પોસ્ટ ઉધાર વિચારો લઈને વિવાદ કરવાવાળા માટે નહિ, વાચકોના પ્રેમાગ્રહથી મૂકી છે. મેં જેટલો અભ્યાસ કર્યો છે,માન્યું છે, અનુભૂતિ કરી છે – એના ૧૦% પણ અહીં નથી. પણ જેટલું છે એમાં હુસેન્ વીરોધીઓની તમામ ફાલતું દલીલોનો રોકડો જવાબ એડવાન્સમાં જ આવી જાય છે! જો ખુલ્લા મન થી આ લાંબુલચ લખાણ વાચો તો. એમાંથી ઘણી દિશાઓ ખુલશે. ૯૬ વર્ષની જિંદગીને કઈ ત્રણ-ચાર લેખમાં સમાવી શકાય નહિ જ.

આપનો સમાજ ભૂલકણો અને ફાસ્ટફૂડિયો થતો જાય છે. જે કોઈ એ લેખ ને છેડે ઓર્કુટની તમામ પોસ્ટમાં મારા મુદ્દા અને લેખમાં મેં ઉઠાવેલા સવાલો ના જવાબ દેવા ના હોય , એમને મહેરબાની કરીને સમય અહીં વેડફવો જ નહિ. એક ની એક, એ ય કોઈના પ્રચારથી મનમાં ભરાઈ ગયેલી પારકી દલીલો મુક્વાની નાહક તસ્દી અહીં લેવી નહિ. આ સ્પષ્ટ અને કડક સુચના છે. ફિલ્મ જોયા વિના એના પર અભિપ્રાયો આપનારા કે રાગ-રાગિણી ના જ્ઞાન વિના સંગીતના જજ થઇ જનારા માટે મારા મનમાં કાણી કોડીનું ય માન નથી.

પણ, છેલ્લે હ્રદયથી બે પોઝીટીવ વાત. અબુધોના વિવાદો બાજુ એ મુકો તો હુસેન ભરપુર જીવ્યા, નામદામ કમાયા. ગમતું બધું કર્યું. દેશ-દુનિયા ફર્યા. સૌન્દર્યની સંગત માણી. ૯૬ વર્ષ પ્રવૃત્ત રહ્યા.માટે એમનુ મૃત્યુ ઉત્સવ ગણાય. ચાહકોએ એનો શોક ના કરવો. અફસોસ માત્ર એમની સૂઝનો ભારત માટે જે લાભ લેવાનો હતો એ રહી ગયો એટલો જ રહે.

ખાસ, આપણે ત્યાં નેગેટીવ જ જોવાની બધાની આદત છે. પણ ઓનલાઈન ને ઓફલાઈન આજના દિવસમાં અને આ લેખમાળા દરમિયાન, પછી પણ – મને ગૃહિણીઓના ,વિદ્યાર્થીઓના, વડીલોના, શિક્ષકોના, આમ આદમીના, મોટા માણસોના, બેહિસાબ ફીડબેક મળ્યા છે. કેટલાય લોકો કહેતા રહે છે, આ લેખોને લીધે અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. જે ગાળો દેવાવાળા હતા એ તો છે જ. પણ એમાના ઘણા બદલાયા, એ આ વિના ના થયું હોત. આ મારું સદભાગ્ય. છે. અને એ જ વધુ ને વધુ તપ કરવાની વધુ ને વધુ સાહસ અને સમજ થી લખવાનું બળ આપે છે. નર્યા અંધકારમાં ગુજરાત પૂરતા આ લેખો ઘણા દીવડા પ્રગટાવી શક્યા છે, એનો પારાવાર આનંદ અને સંતોષ છે. બાકી ચર્ચાઓ તો ચાલ્યા કરે.

મારા આ લેખો પારદર્શકતાથી એ વાંચનારા અને પોતાનો જડ દ્રષ્ટિકોણ બદલાવનારા સઘળા પ્રિય વાચકો ને સમર્પિત છે. હુસેનને મેં આ બધા વાચકોના વ્હાલની વાત કરેલી ત્યારે એમણે કહેલું કે જો હું ભારત આવીશ તો એમના માટે એક ચિત્ર બધાંની વચ્ચે બેસીને બનાવી દઈશ.

ચિત્ર તો બન્યું જ છે જ. કેન્વાસમાં નહિ, દિલમાં.

—————

૧.યા રબ, ના વો સમજે હૈ, ના સમજેંગે મેરી બાત…

દે ઔર દિલ ઉનકો, જો ના દે મુજકો જુબાં ઔર !

૧૯૬૪ની એ સાલ.

હોસ્પિટલમાં કોમામાં પડેલા જાણીતા કવિ મુકિતબોધનો શ્વાસ ઠપ્પ થયો. કવિની હાલત એ સમયના ભારતમાં કવિની હોય એવી. કેટલાક લોકો કવિની નનામીને કાંધ દેવા એકઠા થયા. કોઇએ કહ્યું – કવિના ઘરમાં જૂતાં પણ વેંચાઇ જાય એટલો ખરચ થઇ ગયો, પણ જીવ ન બચ્યો. જીંદગીમાં કવિને ક્યારેય ન મળી શકનાર એક એમના ભાવક પણ ખભે નનામી ઊંચકી સ્મશાને ચાલતા હતા. એમને કદાચ એક સણકો ઉઠ્યો છાતીમાં – ‘આ તે કેવી વિચિત્રતા, સર્જકને પહેરવા જોડાં પણ ન મળે અંતિમ વિદાયમાં એવી એમની સમાજે કરેલી ઉપેક્ષા ?’ પણ એમણે વિચાર્યું – કોને ખબર કયા જનાવરની ખાલ પહેરીને ફરતાં હોઇશું. આ ધરતીની સોનેરી માટી અને મખમલી ઘાસની સુંવાળપને પણ પગથી સ્પર્શવી જોઈએ ! ભારતમાં તો ભગવાન પાસે જવાનું હોય તો પગમાં જોડા પહેરવાના જ નથી હોતા. આ તો અંગ્રેજો સૂટ-બૂટનું એટિકેટવાળું કલબ કલ્ચર લઇ આવ્યા !

પોતાના દેશના કવિને અંજલિ આપવા, દેખાડાની ફાઇવ સ્ટાર સંસ્કૃતિ સામે છૂપો વિદ્રોહ કરવા એ માણસે એ જ ક્ષણે પોતાના જોડાં કાઢીને ફેંકી દીધા. પછી કદી પહેર્યા નહિ ! લોકોએ કહ્યું, ‘ઉઘાડપગો છે, હીહીહી’ … કોઇ કહે બડો નાટકબાજ છે… એક કલબે તો ડિનરમાંથી પણ જાકારો આપ્યો. પણ સમયસર મુકિતબોધને મળી મદદ ન કરી શકવાના અફસોસમાં દાયકાઓ સુધી એણે પગમાં કશું પહેર્યું નહિ.

એ આદમી એટલે મકબૂલ ફિદા હુસેન !

* * *

ઇન્દોરની એક સ્કૂલ. ચોથા-પાંચમા ધોરણના વિદ્યાર્થીઓવાળી. પુરાની યાદો તાજી કરવા હવે વિશ્વવિખ્યાત બની ચૂકેલા અઢળક એવોર્ડસથી વિભૂષિત હુસેને ત્યાં ચિત્રપ્રદર્શન રાખ્યું. મઘ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું. ૧૦ દિવસ ત્યાં ભીડ ઉમટી પડી. હુસેને જોયું કે બધા ચિત્રો નહિ, પણ એમના હસ્તાક્ષરની પ્રભાવિત થઇને જાય છે. આગેવાનો, ધનિકોએ આવી લાખ્ખોની કંિમતે ત્યાં રાખેલા બાવીસ ચિત્રોને ખરીદવાની માંગણી કરી. હુસેને કહ્યું, ‘આ તો મારી શાળાના બચપણના મિત્રોની યાદગીરી છે. વેંચવા માટે નથી.’ વાંક-અદેખાઓ વાતો કરવા લાગ્યા – વિદેશમાં જઇને મોટી કિંમતે વેંચશે. ડોસો બડો ઉસ્તાદ વેપારી છે.

૧૦ દિવસ હુસેન માત્ર એટલું જ જોતા હતા, કે પોતાના નામના પ્રભાવ સિવાય આ ચિત્રો પર કોની આંખો ટીકી-ટીકીને જુએ છે. એવા અટકીને ચિત્રો જોનારા બાવીસ નાના-નાના છોકરા-છોકરીઓને પસંદ કરીને એમણે આયોજકોને કહ્યું કે આ નાનકડાં ગરીબ બાળકો સમાપનમાં ચિત્રો દીવાલ પરથી ઉતારશે. બચ્ચાંપાર્ટી ૬ વાગે ત્યાં ઉભી રહી. ચિત્રો ઉતારીને બધાએ પૂછયું, ‘સાહેબ, ચિત્રો ક્યાં મૂકીએ ?’ હુસેને મર્માળુ સ્મિત કરીને કહ્યું – ‘તમારી ઘેર !’ બાળકો જરા વાર સ્તબ્ધ થઇ ગયા. પછી આનંદથી ઉછળી પડ્યા અને શબ્દશઃ લખેલા ચિત્રો લઇ ભાગ્યા !

હુસેનને એવું લાગ્યું કે પોતાની કળાને નવા, નાનકડાં બાવીસ દરવાજા મળી ગયા હતા !

* * *

હુસેનની મા ગુજરી ગઇ હતી, તેને દોઢ વરસનો મૂકીને. બીમાર બાળક હુસેનને કદાચ પોતાની ઉંમર મળે, તેની દુઆ કરતી કરતી. એ જમાનો ફોટોગ્રાફીનો નહોતો. ચિત્રકારી નો પંઢરપુરના એ સામાન્ય ઘરમાં દૂરની વાત હતી. હુસેનને એમની માનો ચહેરો જ યાદ ન રહે, એવી પરિસ્થિતિ ઉભી થઈ. એટલે હુસેને માઘુરી દીક્ષિતથી મધર ટેરેસા સુધીના જે ચિત્રો દોર્યા, જે કંઇ પણ નારીને ચીતરી – એમાં સ્મૃતિપટ પર હંમેશ માટે ખોવાઈ ગયેલી માને અંજલિ આપવાની કળાત્મક અંદાજમાં કદી ચહેરો ન દોર્યો ! નાક-નકશા નહિ !

* * *

ગામમાં આંબલીના ઝાડ નીચે ફાનસ અને સાડીઓના પડદાના સહારે થાળી-વેલણથી ‘રામલીલા’ થતી. ઘંટી દળવાવાળો રાવણ થતો. પાનવાળો મોં પર ઘૂળ ચોળીને હનુમાન થતો. ઢોલને વાંસળીઓ વાગતી. છોકરાઓ સ્ત્રીપાઠ ભજવતા. બાળક મકબૂલ કલ્પનામાં રામલીલાના બધા પાત્રો ભજવતો. એને રામલીલા ખૂબ ગમતી.

સ્કૂલમાં મળ્યો જીગરી દોસ્ત માનકેશ્વર. નવી મા મૂળ ગુજરાતના સિદ્ધપુરની, એટલે મકબૂલને ઇમામ નાનાજી પાસેથી કુરાનની આયાતો સાંભળવા મળતી, અને માનકેશ્વર પાસેથી રામાયણની ચોપાઈઓ ! માનકેશ્વરને લીધે રામાયણ-મહાભારતમાં હુસેનને ઉંડો રસ પડયો. માનકેશ્વર પછી બઘું જ છોડી હિમાલયમાં સાઘુ થઇ ગયો. વર્ષો સુધી હુસેન એને મળવા, એની સાથે આઘ્યાત્મિક ચર્ચાઓ કરવા હિમાલય જતા.

એવામાં નવી નવી આઝાદી મળી હતી ત્યારે હૈદ્રાબાદમાં બદરીવિશાલ પિત્તીના ‘મોતીભવન’માં હુસેનને પ્રખર સમાજવાદી નેતા, સંનિષ્ઠ અને પ્રામાણિક રાજનીતિજ્ઞ એવા રામમનોહર લોહિયા મળ્યા. દોસ્તી થઈ. પછી લોહિયાએ હુસેનને નેહરૂના એક ચિત્રમાં પોતાને જે સમજાયું, એ ગમ્મત કરીને કહ્યું. હુસેને જવાબ આપ્યો ‘મોડર્ન આર્ટ કંઇ ફોટોગ્રાફી જેવા સ્થિર ચિત્રોની નથી. એમાં જોવાવાળો પોતાની મરજી અને સ્વભાવ મુજબ રંગો અને પ્રતીકોના અનેક અર્થ કાઢી શકે છે. રેખાઓનો તનાવ અને રંગોનો ઉજાસ એમાં કલ્પના સાથે ભળે છે !’

લોહિયાજીને ‘ચિત્રોની લોકશાહી’ વાળી વાત પસંદ પડી. અને હુસેનને કહ્યું ‘આ તું બિરલા- ટાટાના ડ્રોઇંગરૂમમાં લટકતા ચિત્રોમાં ઘેરાઇ ગયો છો, તેમાંથી બહાર નીકળ. રામાયણને ચીતર. જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે. ગામે ગામ ગુંજતુ ગીત-સંગીત છે. શહેરી આર્ટગેલેરીના બંધ ઓરડાઓમાં લોકો પાટલૂનના ખિસ્સામાં હા નાખીને ઉભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા !’

હુસેનની છાતીમાં જાણે તીર ભોંકાઈ ગયું. લોહિયાજીના મૃત્યુ પછી ફરી એ વાત યાદ આવી. દસ વરસ સુધી રામાયણની થીમ પર ચિત્રો કર્યા મોતીભવનની દીવાલોમાં દોઢસો ચિત્રો સર્જી કાઢયા. એક પૈસો ન લીધો, લોહિયાજીના શબ્દોનું માન રાખવાનું હતું ! સિત્તેરના દાયકામાં જે ચિત્રો રચાયા, એનો બધા રંગોને ઝાંખો પાડતો રાજકીય રંગ નેવુંના દાયકાના અંતે એક હિન્દી મેગેઝીને ધડાકો કરીને ચોપડયો. હુસેને આપ્યા ન હોય તેવા શીર્ષકો ચિત્રોને આપી, કળાની ઊંડી સમજને બદલે સ્થૂળ નારાબાજી કરી લોકોને ભરમાવ્યા. પછી તો હોહાગોકીરો થયો. ઇમેઇલનો મારો થયો. બધા જ લોકલાગણીના ટોળામાં દોડીને જોડાઈ ગયા. કોઇએ એટલો ય વિચાર ન કર્યો કે આપણને ખબર નથી પડતી. પણ સત્યજીત રે કે રાજ કપૂરને તો ખબર છે ને ભારતીય સંસ્કૃતિ શું છે. ઇન્દિરા ગાંધી કે યશ ચોપરા તો હિન્દુ વિરોધી નથી ને- એ લોકોને કેમ આ ચિત્રો સામે વાંધો ન પડયો ? એ બધા તો આજીવન હુસેન ફેન રહ્યા !

* * *

ન્યૂયોર્કમાં એક પત્રકારે ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન’ પર હુસેનને પૂછેલું, ત્યારે હુસેને કહ્યું કે, ‘આ શબ્દ તમે ૨૦૦ વર્ષથી શીખ્યા છો. મારું ભારત તો એ હજારો વર્ષથી આચરણમાં મૂકીને બેઠું છે !’

શેક્સપિયર કરતા કાલિદાસને શ્રેષ્ઠ નાટયકાર ગણતા (ગજગામિની ફિલ્મ પર હુસેને માઘુરી પર ફિલ્માવેલા તન્વી શ્યામા શ્વ્લોકનું ફિલ્મીકરણ યુટયુબ પર જરા જોઇ લેજો) હુસેનની કરૂણતા એ છે કે એમને એમના નામનું લેબલ નડે છે. એમનો આત્મા ભારતીય છે. સંસ્કૃત સાહિત્યના એ કોઈ હિન્દુત્વવાદી પંડિત ન હોય એવા પ્રખર અભ્યાસુ છે. નગ્નતા એ ભારતીય કળામાં પવિત્રતાનું પ્રતીક છે. કામ ભારતીય સંસ્કૃતિમાં ‘દેવ’ છે, ‘દાનવ’ નથી. એટલે અહીં પચાસથી વઘુ ફીટ ઉંચી બાહુબલીની અનાવૃત પ્રતિમા શ્રવણબેલગોડામાં ટટ્ટાર ઉભી છે. ખજૂરાહો જ નહિ. હજાર વરસ જૂના કોઇ પણ પ્રાચીન મંદિરમાં દેવ-દેવીઓની મિથુન શિલ્પો છે. કાલિદાસે ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતીની રતિક્રીડાનું વર્ણન લખ્યું ત્યારે કોઈએ નહોતું પૂછયું કે ‘તમે તમારી સુહાગરાતનું વર્ણન કરો !’ નરસિંહે રાસના પદોમાં ઉન્મુક્ત શૃંગાર ગાયો ત્યારે સવાલ નહોતો થયો કે દીકરી કુંવરબાઈનો શૃંગાર રચો ને, રાધાકૃષ્ણનું જ કેમ વર્ણન કરો છો ? માઇકલ એન્જલોએ ડેવિડ (ઇસ્લામમાં દાઉદ) નું નગ્ન શિલ્પ રચ્યું, ત્યારે તેને નહોતું પૂછાયું કે તમારા બાપુજીનું નગ્ન ચિત્ર દોરો પહેલા ! શંકરાચાર્યે ‘સૌંદર્યલહરી’ માં જગદંબાના એક-એક અંગ-ઉપાંગનું વર્ણન કર્યું, ત્યારના જૂનવાણી ભારતમાં કોઈ કહેવા નહોતું નીકળ્યું કે પહેલા તમારી માતા ઉપર રચના કરો !

પણ અર્વાચીન ભારત બુદ્ધુ મિડિયાવાળાઓ, અબોધ જનતાનું છે. જે ન સમજાય તેનું કૂતૂહલ રાખી કોઇ સત્ય સમજવાનો પ્રયાસ નથી કરતું. કળામાં ઉંડા પણ નથી ઉતરતું. ન તો પોતાની જ સંસ્કૃતિનો શાસ્ત્રીય અભ્યાસ કરે છે, ન તો પિકાસો જેવાના આઘુનિક ચિત્રોમાં રજૂ થતા આર્ટના એબ્સ્ટ્રેકટ સ્વરૂપો કે ઇમ્પ્રેશનિઝમ, કયૂબિઝમ વગેરેના ઐતિહાસિક પ્રવાહોનો ! ફાયદો સોગઠાંબાજોને છે ! ભારતમાં અર્ધનારીશ્વર, લિંગપૂજા જેવા પ્રતીકાત્મક સ્વરૂપો હજારો વર્ષોથી અણનમ છે. જેને બહારનો માણસ ‘વિકૃત’ ગણે તેવા વર્ણનો અને તેવા જાતીય સંબંધોના ગૂંચવાડા અહીં સાવ જ સાહજીક રીતે ઇશ્વરીય સ્વરૂપોની વાર્તાઓમાં ગૂંથાયા છે ! (મહાભારતમાં વ્યાસજી કે પાંડવોના જન્મની કથા કોઈ બિનભારતીયને કેવી લાગે ? જરાક વિચારજો !) તેની ટ્રેજેડી એ છે કે અહીં કોઇ સંસ્કૃત વાંચતું નથી. વાલ્મીકિ રામાયણનો શૃંગારરસ કોઇ ગાતુ નથી. જેમને ખબર છે મૌન થઇ જાય છે- અથવા માત્ર ભકિતના જ અર્થઘટનો શોધે છે ! બાકી સેક્સ્યુઆલિટીનો એક પ્રચંડ ધોધ પ્રાચીન ભારતના ધાર્મિક સંસ્કૃત સાહિત્યમાં ધસમસે છે ! પણ હિન્દુત્વપ્રેમીઓ જ તેનાથી બેખબર છે. ‘જાણતા રાજા’ નાટકમાં પણ તુળજા ભવાનીની વિરાટ પ્રતિમા  જ કેવળ અભૂષણવિભૂષિત અર્ઘાંગમાં નિહાળે છે. પણ ત્યાં ઝબકારો થતો નથી કે આ તો પ્રાચીન કળાવિધાન છે ! કાલિદાસને પર્વતોમાં પણ ધરતીમાતાના સ્તન દેખાય છે. પણ એ પર્વર્ટ નથી કહેવાતા.

હુસેને આ અસલી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પરખંદા છે. ખ્રિસ્તી- ઇસ્લામિક અસરે જેની સાવ ભળતી જ વ્યાખ્યાનું અર્થઘટન લોકોના મનમાં જડબેસલાક બેસાડી દીઘું છે. બામિયાનમાં કળાત્મક બુદ્ધપ્રતિમાઓ તોડવી, એ તાલિબાની સ્વભાવ છે. કારણ કે ત્યાં બહુમતી પ્રજાની ધાર્મિક લાગણી દુભવતી હતી ! શું ભારતે એની નકલ કરવાની છે ? જડ જેહાદી મુસ્લીમો ડેન્માર્કના કાર્ટૂનિસ્ટ કે સલમાન રશદીને મારવાના ફતવા બહાર પાડે – એટલે વાદે ચડીને તોફાની છોકરાના ચાળા પાડતાં હોઇએ, એમ આપણે વર્તવાનું છે ? તાલિબાની માનસિકતાના લોકો જે કરે છે, એ કંઇ સ્ટાન્ડર્ડ છે, કે આપણે એમ વર્તીએ તો જ પોઈંટ સ્કોર થયો કહેવાય ?

સવાલ જો કે, ઘણા છે. બહુમતી સમાજની લાગણી વઘુ કીમતી કે એક બૂઢા ચિતારાની ? આવા તે ચિત્રોમાં વળી શું સમજવાનું હોય ? હુસેને કતારનું નાગરિકત્વ કેમ લીઘું, એ ભારતવિરોધી હોવાની સાબિતી નથી ? ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે આવી રીતે હિન્દુત્વને બદનામ કરવાનું ? હુસેન હિન્દુ દેવ-દેવીઓ જ ચીતર્યા કરે એમ કેમ ? અને એનો બચાવ કરવો એ દંભી બિનસાંપ્રદાયિકોનું કાવત્રું નથી ?

છેલ્લાનો જવાબ પહેલા. આ લખનાર કોઇ સ્યુડો સેક્યુલરસ્ટિ નથી, એ રીડર બિરાદરો જાણે છે. પણ અમે તસ્દી લીધી છે, સાચી વાત જાણવાની. હુસેનની સ્મરણકથા ગુજરાતીમાં જગદીપ સ્મારતે (હવે સ્વર્ગસ્થ ) અનુવાદિત કરી એ વાંચવાની. કોઇકે તો સાચું કહેવાનું સાહસ કરવું પડશે ને !

સમયથી આગળ હોવાની ક્રૂર કિંમત આવી જ રીતે રજનીશે ચૂકવી હતી ! હુસેન સાથે જે એ જ થઇ રહ્યું છે, જે રજનીશ સાથે થઈ ચૂકયું છે. આ જ રીતે રજનીશ પ્રાચીન ભારતના અસલી મિજાજ અને આઘુનિકતાને સમજતા હતા, અને બંનેનું ગ્લોબલ વિઝનથી સંગમ કરવા જતા હતા. અને દેશ આખાએ વિકૃત, બેવકૂફ, વિધર્મી સંસ્કૃતિવાળા કહી એમને તગેડી મૂકયા હતા ! ઘૂની રજનીશ પણ હતા, હુસેન પણ છે.

વ્યાસ ગયા, વાલ્મીકિ ગયા, કાલિદાસ ગયા, રજનીશ પણ ગયા. ભારતમાં વહેતી ચેતનાની ધારાના હુસેન કદાચ છેલ્લા કયા પ્રતિનિધિ બચ્યા છે. એમની પાસે પણ ઝાઝા વર્ષો નથી. અને આપણી પાસે ઝાઝા શબ્દો નથી. બાકીના સવાલોના જવાબ નેકસ્ટ સન્ડે સ્પેકટ્રોમીટરમાં !

ઝિંગ થિંગ !

રોડ મૂવી ઃ આર્ટિસ્ટિક બોરડમ આપતો મહાત્રાસ ! (શીર્ષક પંક્તિ : મિર્ઝા ગાલિબ)

(છપાયા તારીખ ૧૭/૩/૨૦૧૦)

—–

૨. માણસ દેશની બહાર જઈ શકે, પણ દેશ માણસની બહાર જાય ખરો?

(ભારતના ભવ્ય ભૂતકાળની ઓળખ ભારતીયોને જ પૂરી નથી- એ કેવી કરૂણતા!)

ચારોં તરફ… ચારોં તરફ…

નૂર ઉન અલા નૂર… નૂર ઉન અલા નૂર…

યે બર્કે તજલ્લિ અંધેરો કો ચીરતી

યહાં ભી તૂ, વહાં ભી તૂ,

યે રોશની, ક્યા રોશની

તેરે સિવા કોઈ હૈ કે પૂછું?

અંધેરો સે પૂછા-

ચૂપ હો ગયે, ચૂપ હો ગયે…

ઉજાલોં સે પૂછા-

તો શરમા ગયે, શરમા ગયે…

પરિન્દો સે પૂછા, કહાં પરવાઝ હૈ?

ખામોશી સે પૂછા, કહાં આવાઝ હૈ?

ફૂલોં સે, પત્તોં સે, રંગો સે આયી સદા…

ચારોં તરફ… ચારોં તરફ…

નૂર ઉન અલા નૂર… નૂર ઉન અલા  નૂર !

ઉઠાઈ ચિલમન તો દેખા જલવા તેરા…

બઢાયા કદમ તો મંઝિલ તેરી, મંઝિલ તેરી

ઉઠાઈ નજર તો સુરત તેરી સુરત તેરી

ભંવરે કી ગુન ગુન મેં, કંગન કી ખનખન મેં

આશિક કે તનમન મેં, બિરહન કે નૈનન મેં

તાનોં મેં સરગમ મેં બસ તૂ હી તૂ

દિલ કી દીવાનગી, મન કી આવારગી તૂ

દૂર લે કે ચલ, કુછ પૂછ ના તૂ…

જીંદગી એક રાઝ થી, એક રાઝ હૈ, રાઝ હૈ

જાન કર હોગા ક્યા, કિસને હૈ જાના?

કોઈ કહે મહોબ્બત, કોઈ ઈબાદત

દીવાનગી કહે, ચાહે જૂનૂન…

ચાહત હી તેરી અદા…

ચારો તરફ નૂર ઉન અલા નૂર…

એક તો આપણી આસપાસની આ આખી દુનિયામાં પ્રકાશ દેખાય છે. દિવસે સૂરજનો, રાતે ચંદ્રનો. મોલ અને મલ્ટીપ્લેક્સની લાઈટસનો. રસ્તા પરની પીળી સોડિયમ લાઈટ કે ફોટોગ્રાફરની હેલોજન લાઈટનો. ટયુબલાઈટ અને બલ્બનો. નિયોન સાઈન્સનો. પણ આ પ્રકાશની ઉપર એક પ્રકાશ છે. લાઈટ અપોન લાઈટ. જે દેખાતો હોવા છતાં દેખાતો નથી. ચારે તરફ એ ફેલાયેલો છે. આપણને નજરે દેખાતા પ્રકાશની પાછળ પણ આ જ પ્રકાશ છે. એ છે અરેબિકમાં ડિવાઈન લાઈટ. દિવ્ય રોશની. નૂર ઉન અલા નૂર. આ બ્રહ્માંડને ઘડતા- ચલાવતા ચૈતન્યનો પ્રકાશ. બુદ્ધને, મોહમ્મદને, જીસસને અંદરથી ઉપસીને બહાર વિસ્તર્યો હતો એ એન્લાઈટનમેન્ટનો પ્રકાશ. આપણી અંદરનો શ્વાસ ચાલે છે, એ આ પ્રકાશથી ચાલે છે. આપણે જ એ પ્રકાશનો શ્વાસ છીએ.

હિન્દી સિનેમાના અદભુત રીતે કમ્પોઝ થયેલા ગીતો પૈકીનું એક આ એ.આર. રહેમાને ફિલ્મ ‘મીનાક્ષી’ માટે રચ્યું છે. કવિ કહે છેઃ ચોમેર, દરેક જગ્યાએ મને પેલા સ્થૂળ પ્રકાશની આરપાર પેલો સૂક્ષ્મ ઉજાસ  દેખાય છે. દિવ્યજ્યોતિ નજરે પડે છે. સીનાઈના પર્વત પર મોઝેસ (મૂસા)ને ટેન કમાન્ડમેન્ડસ આપતી વખતે જે નૂર, રોશની, લાઈટ દેખાઈ હતી, તેને અરબીમાં તજલ્લી કહેવામાં આવે છે. બર્ક એટલે વીજળી. આસપાસના, મનના, વિચારના અંધકારને ચીરતી આ ડિવાઈન લાઈટ ઝળહળે- પછી ચારો તરફ તું જ તું દેખાય છે! તારા (ઈશ્વર)ના સિવાય કોણ આ સમજશે? કોને જઈને કહું? અંધાકર તો એની વાતથી જ ચૂપ થઈ જાય છે (ગાયબ બની જાય છે) રોશની તો શરમાઈ જાય છે (પોતાનાથી ચડિયાતા અજવાળાની   વાત કેમ કરે?)

પંખીઓની ઉડાન, મૌનને ચીરતા અવાજ, ફૂલો- વૃક્ષો- રંગોમાંથી ઘ્વનિ ઉઠે છે- આ તો પ્રકાશ ઉપરનો પ્રકાશ છે. એક વખત અજ્ઞાન પડદો ઉઠી ગયો, તો તારી ખૂબસુરતી મને દેખાય છે. પછી જેટલા ડગલા ચાલું, એ તું જ ચલાવે છે. ચાલુ છું હું, પણ મંઝિલ તારી (ઉપરવાળાની) સર થાય છે. પછી મને સર્વત્ર એ જ તારો ચહેરો દેખાય છે. ભમરાના ગુંજારવમાં, યુવતીની ચૂડીઓની ખનકમાં, પ્રેમઘેલાઓના શરીરમાં ઉઠતા તલસાટમાં, વિરહીઓની આંખમાં છવાતી ઉદાસી અને પ્રતીક્ષામાં, ગીતોની ઘૂન અને સરગમમાં બસ, બધે જ તું જ તું છો! પાગલ શરારતો સૂઝે એ ય તારી લીલા છે. મનમાં આવારાપન જાગે છે વાઈલ્ડ ક્રેઝી બનવાનું એ ય તારી માયા છે. બસ, હવે એમાં વહેતા જવાનું છે. નાચતા જવાનું છે. જીંદગી તો એક અકળ રહસ્ય જ હતું અને છે. એનો ફિલસૂફીના શબ્દોમાં કે શુષ્ક વૈરાગમાં તાગ શોધીને શું મળશે? અને કોણ વળી એ ભેદ ઉકેલી શક્યું છે? મહોબ્બત કહો કે ઈબાદત, બસ જે પાગલ બનાવી દેતી ચાહતની ઝનૂની ભરતી અંદર ઉઠે છે, એ પ્રેમ જ દિવ્યજ્યોતિની પહેચાન છે, અનુભૂતિ છે. આ ફક્ત ‘પામી’ ગયેલા માણસના જ મનમાંથી ઉઠે એવા નજાકત અને નફાસતથી તર-બ-તર રચનાના શાયર કોણ છે?

મકબૂલ ફિદા હુસેન!

અને પોતાની ફિલ્મ ‘મીનાક્ષી’માં દિગ્દર્શક તરીકે આ જ ગીત એમણે ‘રોમાન્સ ઈઝ ઓન્લી ચાન્સ ટુ એક્સપિરિયન્સ ડિવાઈન’ સમજી નાયકને પહેલી વખત દેખાતી નાયિકા તબ્બૂ ઉપર પિકચરાઈઝ કર્યું. અને મુલ્લાઓ હુસેન પર નારાજ થઈ ગયા. પવિત્ર કુરાનની આજ્ઞા મુજબ ફક્ત અલ્લાહ માટે જ ઉપયોગમાં લઈ શકાય એવા ‘નૂર ઉન અલા નૂર’ શબ્દનો એક ઔરત, એક અભિનેત્રી માટે પ્રયોગ કર્યો? ગીત પાછું ખેંચો, માફી માંગો. હુસેને જે કળા સાથે બાર ગાઉનું છેટું ધરાવતા હિન્દુ ફન્ડામેન્ટલીસ્ટસને કહ્યું, એ જ જડભરત મુલ્લાઓને કહ્યું ‘આ મારી અભિવ્યક્તિ, મારૂં સર્જન છે. મારો ઈરાદો તમારૂં દિલ દુભવવાનો નહોતો, એ માટે દિલગીર છું’ પણ ગીત પાછું ન ખેંચ્યું.(video : http://youtu.be/_ZqEKyZMook)

ફિલ્મો તો હુસેનની આમ પણ કોમનમેનને બાઉન્સરની માફક ઉપરથી જાય છે. ૧૯૬૦ના દાયકામાં રાજસ્થાનના ટુરિઝમ પર ફક્ત વિઝ્યુઅલ એક્સપિરિયન્સ માટે હુસેને જાણી જોઈને બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવેલી ફિલ્મમાં મોજડી, છત્રી, ફાનસ કશું ય કોઈને સમજાયું નહિ. પણ જર્મનીમાં તેને ગોલ્ડન બીઅર એવોર્ડ મળેલો!

ભારતીય સંસ્કૃતિના ભક્તો જે સંસ્કૃતિ સમજવા અભ્યાસ જ નથી કરતા, એમને ભારતીય નારીના અસ્તિત્વ રૂપે માઘુરીને રજુ કરતી ‘ગજગામિની’ મહોબોરિંગ લાગેલી. હુસેને એ ફિલ્મમાં પોતે જોયેલી દાલમંડીની નેત્રહીન સંગીતા, સતારાની નૂરબીબી,   ૨૧મી સદીની મોનિકા, ઉપરાંત ટાગોરની અભિસારિકા (જે હૈદ્રાબાદી શિલાઓથી ગીતાંજલિ અને ‘ક્ષુધિત પાષાણ’ કથાની  ટાગોરને પ્રેરણા મળેલી તેના પણ ચિત્રો હુસેને કર્યા છે), સઆદત હસન મન્ટોની સંઘુ અને પ્રેમચંદની ‘નિર્મલા’ (પ્રેમચંદની વાર્તાઓ પર હુસેનના ચિત્રોની સીરિઝ છે) – આ તમામ નાયિકાઓને પ્રાચીન ‘ગજગામિની’ સ્વરૂપ સાથે હુસેને જોડી હતી.

વેલ, હુસેને ‘મીનાક્ષી’માં ગીત બરકરાર રાખ્યું. આજેય યશરાજ ફિલ્મ્સે રિલિઝ કરેલી તેની ડીવીડીમાં એ છે. કોને લાગશે કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવારૂપે અનંત ભાસે / પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ના નરસિંહ મહેતાની ભાષા અને આ ગીતની ભાષા અલગ છે? ભકિતના માંડ પચાસેક પદ રચનારા નરસિંહે સાતસો જેટલી રચનામાં તો કઠોર ઉરોજો અને ચુસ્ત ચુંબનોથી પણ આગળની ક્રીડા વર્ણવતો શૃંગારિક રાસ જ રચ્યો છે! અને નાતે તો એમનો ય બહિષ્કાર કરીને જેલના સળિયા પણ ગણાવ્યા હતાં. સમયથી આગળ ચાલનારા કે પોતાની વાતને સરળ શબ્દોને બદલે ઇશ્વરે આપેલી બક્ષિસનો ઉપયોગ કરવા કળાત્મક રીતે કહેવાવાળા દરેક સર્જકોની આ જ નીયતિ હશે? રશિયાએ સોલેત્ઝિનને ફટકાર્યા, પાબ્લો નેરૂદા જેવા મહાકવિ દેશ નિકાલ થયા, વાનઘોઘને જીવતેજીવ એનું વતન સમજી ન શકયું, ગાલિબ પેન્શન માટે ચક્કરો કાપતા રહ્યા. ચાર્લી ચેપ્લીનથી લઇને રોબર્ટો રોઝેલીની સુધીના ફિલ્મસર્જકો વખોડાયા.

રજનીશને જીવતે જીવ વખોડનારા અને રીતસર ભારત છોડાવનારા લોકો આજે ‘મૂઇ ભેંસના મોટા ડોળા’ની માફક ઓશો જેવી પ્રબુદ્ધ વ્યકિત ભારતમાં જન્મી હોવાનો ગર્વ લેતા થાકતા નથી. આ રજનીશે શિવે પાર્વતીને કહેલા ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ ઉપરથી સંભોગથી સમાધિની વાત કરી કે એમને ભારતીય પરંપરા પરના બળાત્કારી કહેવામાં આવ્યા! કારણ કે, ‘છાંદોગ્ય ઉપનિષદ’માં પણ આવેલી મૈથુનચર્ચા કયાં કોઇએ મૂળ સ્વરૂપમાં વાંચી છે? હનુમાને સીતાને રામની નિશાન તરીકે મુદ્રિકા આપી. પણ સીતાએ હનુમાનને રામને નિશાની આપવા માટે શું આપ્યું? રામનામ જપવાવાળાઓમાંથી કેટલાએ વાલ્મીકિ રામાયણ ખોલીને આખું મૂળ સ્વરૂપે વાંચ્યુ છે?

ભારત કંઇ અફઘાનિસ્તાન નહોતું. પુરાતન ચરિત્રોને લઇને શિલ્પો બનાવવાની અહીં ભવ્ય પરંપરા હતી. ૮૦ ટકા ભારતીયો પોતાની અભિવ્યકિત લોકકળાના માઘ્યમથી કરતાં. બુદ્ધના જન્મ વખતે ઉભેલી અનાવૃત કુંવરીની અજન્તાની ઇમેજ વર્લ્ડ  ફેમસ છે. ૧૭મી સદીના કેરળના મટ્ટાનચેરીના ભીંતચિત્રોમાં દશરથની  ત્રણે રાણીઓની પ્રસૂતિના ચિત્રો છે! કલાકાર ઘણી વખત પોતાને  અભિવ્યક્ત કરવા ‘માયથોલોજીકલ આઇકોન્સ’ની મદદ લે. માટે રાધાકૃષ્ણના  કાવ્યથી પ્રેમની વાત મંડાય!

એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હુસેને રીતસર પશ્ચિમના કળાવિવેચકોનો ઉધડો લઇ નાખ્યો હતો. હુસેને કહ્યું કે આબેહૂબ દેખાતા ફોટોગ્રાફ જેવા સ્થિર ચિત્રોને બદલે ચિત્રોમાં ગતિ હોય, બહાર નીકળવા માંગતા આકારો હોય, એ ઇમ્પ્રેશનિઝમ, કયુબિઝમ બઘું યુરોપને છેલ્લી ત્રણ-ચાર સદીમાં સમજાયું છે. ભારત તો હજારો વર્ષોથી ‘નટરાજ’ની પ્રતિમા ઘડીને બેઠું છે! મોડર્ન આર્ટના સિમ્બોલિઝમથી પિકાસોએ પ્રાથબ્રેકિંગ કામ શરૂ કર્યું, એની સદીઓ પહેલાં અહીં ખાલી એક પથ્થરને સિંદૂરિયો રંગ કરી દો તો આદિવાસી પણ સમજે છે કે આ હનુમાન છે! આજે દુનિયા જેને ગ્રાફિક કળા કહે છે, એ ભારતના ગામડે ગામડે છાપકામની જૂની કળા છે. આલ્હા, ઉદલ, કાન-ગોપી, વિવાહમાં ભીંત પર હાથી-ઘોડા, પ્રવેશદ્વાર પર ગણેશ, જાનવરોના ચાકળા- ચંદરવાના ચિત્રો પર પણ વેલબૂટ્ટાની છાપ મુકવાની કળાત્મકતા!

જયપુરમાં રીક્ષામાંથી ઉતરી હોળી રમવા લાગેલા  હુસેન એટલે તો જે ૫૦,૦૦૦થી વઘુ રચનાઓ કરીને બેઠા છે- એમાં ભારતના તેજસ્વી ભડક રંગો ચીતરે છે. કેવળ ગતકડાંના જોરે ભયાનક સ્પર્ધાવાળી આંતરરાષ્ટ્રીય કળાબજારમાં સતત ૬૦ વર્ષ સુધી કોઇપણ કળાકાર ટોચ પર ન રહી શકે! બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં હુસેને કતારમાં રહ્યે પણ સ્પષ્ટપણે કહ્યું ‘મારી ભૌતિક હાજરીનું શું મહત્વ છે? અને સિટિઝનશિપ તો કાગળનો એક ટુકડો છે. મારો આટલા વર્ષોમાં કોઇ સ્ટુડિયો નથી. હું તો જયાં જાઊં ત્યાં ચીતરવા લાગુ છું. હું ગમે તે સ્થળે મરીશ, પણ કહેવાઇશ તો  ભારતીય પેઇન્ટર જ. ક્રિએટિવિટીને સરહદો નથી. હિન્દી હૈ હમ વતન હૈ  સારા જહાં હમારા. મને કોઇ માટે દુર્ભાવ નથી. મારા વ્હાલા ભારતમાં આજે ય મારા ૪૦,૦૦૦થી વઘુ ચિત્રો છે જે મારી મારા દેશને ભેટ છે. આ મેં કોઈને આપ્યું નથી. ભાષાને મર્યાદા હોય, વિઝયુઅલ એકસપિરિયન્સને ન હોય.’

હુસેનના નામે મનફાવે તેવા ગપ્પા છાપતું મિડિયા પણ પૂરી તસદી લેતું નથી. હુસેન કળાકાર છે, પણ પાક્કા વેપારી છે એમને ખબર છે કે મફત ચંદનનું લોકો તિલક લગાવીને ચાલતા થઈ જાય છે. હુસેને કહ્યું જ છે ક ેકતાર હું ‘ક્રિએટિવ ગેમ્બલ’ રૂપે આવ્યો છું. ભારત મંે છોડયુ ત્યારે મરતાં પહેલા મારે ત્રણ પ્રોજેકટ કરવા હતા. એક ભારતઃ મોહેંે જો દરોથી મનમોહનસિંહ. જેની સ્પોન્સરશિપ મને લંડનમાં મળી. બીજો જે લોકોના હૃદય પર ભારતમાં રાજ કરે છે,   આપણા વારસાની વાતો વિશે પ્રજા જાણતી નથી- પણ ફિલ્મો થકી સંસ્કૃતિને ઓળખે છે, એ ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષ અને ત્રીજો બેબિલોનથી શરૂ કરી વિશ્વભરની સંસ્કૃતિઓ. ૯૫ વર્ષે મારી પાસે હવે ઝાઝો સમય નથી.

એમાં અરબ સંસ્કૃતિની સ્પોન્સરશિપ મને કતારના શેખના પત્નીએ આપી છે. દુબઈની માફક દોહામાં પણ મોડર્ન આર્ટનું એક મ્યુઝિયમ બનાવી, ટુરિસ્ટ પ્લેસ ઉભું કરવાનું છે. એનો તગડો કોન્ટ્રાકટ કરાયો છે. ટેકસની લમણાંઝીંક ટાળવા ઘણા કોર્પોરેટ લોકો એનઆરઆઈ બની જાય છે. (ટીવી એશિયા ચેનલ વખતે અમિતાભ પણ બની ગયો હતો!) એમ હું હવે અવસ્થાને કારણે બહુ માથાફોડી ટાળીને શાંતિથી કામ થાય એ માટે અહીં રહી પડયો છું, અને નાગરિકતા લીધી છે. જો કે, કાલે હું કંઈ પણ કરી શકું. પાછો ભારત આવું, યુરોપ જઈ કોમેડી ફિલ્મ બનાવું! મારો વિરોધ કરનારા લોકોને પણ હું તો ચાહું છું. એ લોકોને આજે જે વાત નથી સમજાતી, એ આવતીકાલે સમજાઈ શકે. કળાનું  તો આવું જ હોય ને!’

આવું જ હોય .પણ ભારત એક અસહિષ્ણું દેશ બનતો જાય છે. એક બાજુથી એમ કહેવાનું કે ભારતનો પ્રાચીન વારસો તો હિન્દુ જ હોય ને, અહીં રહેનારા દરેક ધર્મના લોકોએ સ્વીકારવો જોઈએ (વંદેમાતરમ વિવાદ યાદ છે ને!) અને હુસેન જેવા જયારે એ સ્વીકારે છે, હિન્દુ સંસ્કૃતિના ચરિત્રોને પોતાનો ઈતિહાસ ગણીને ચીતરે છે, તો એમ કહેવાય છે કે, જાવ, પહેલા મોહમ્મદ પયગંબરના ચિત્રો દોરો, અમારા દેવ-દેવીઓના નહિ! આપણી પાસે બે વિકલ્પ છે. રૂઢિચુસ્ત અર્થઘટન કરીને તાલિબાની પાકિસ્તાન જેવા થતા જવાનું. બીજુ, ત્રાસવાદીઓ અને દુશ્મનો સામે લોખંડી હાથે કામ લઈને કળાકારોને પૂરતી સ્વતંત્રતા આપતા અને પોતાને જ ગાળો દેતી ખુદા કે લિયે, ન્યૂયોર્ક, માય નેઈમ ઈઝ ખાન, કુરબાન જેવી ફિલ્મો રિલિઝ થવા દેતા, ઈરાક યુઘ્ધની વિભીષિકા કહી સરકારને ઠપકારતી ‘હર્ટ’ લોકર’ને છ ઓસ્કારથી નવાજતું અમેરિકા!

માર્ટીન સ્કોર્સીસે ‘ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ’ ફિલ્મ બનાવી, જેમાં જીસસ ક્રાઈસ્ટ અને વેશ્યા મેરી મેગ્ડોલીનના રોમાન્સની ફેન્ટેસી હતી. ફિલ્મ સામે ટીકા થઈ, ચર્ચા થઈ, પણ હજુ સ્કોર્સીસ કડેધડે ફિલ્મો બનાવે છે. કોઈ ભાંગફોડ કરતું નથી. ડેન બ્રાઉનની બેસ્ટસેલર નોવેલ / ફિલ્મો ‘દા વિન્ચી કોડ’માં જીસસને મેરીથી સંતાન હતું, એ જ તો પ્લોટ છે, તો અમેરિકા ડેન બ્રાઉનને એમ કહે છે કે જાવ, પહેલા ઈસ્લામની વાત લખો પછી વેટિકનની લખજો!  કતાર સહિષ્ણુ નથી, એવું કહેતી વખતે એ ભૂલી જઈએ છીએ કે અત્યારનું ભારત વળી કયાં સહિષ્ણુ રહ્યું છે? એ ય કતાર થતું જાય છે. બુરખાવાળી સ્ત્રીઓ ચીતરો, સાડીવાળી ચીતરો- ખબરદાર જો… ધરમને…  ભારતમાતાનું હુસેનના કહેવાતા ચિત્રો સિવાય પણ વસ્ત્રાહરણ કરનાર દુશાસનોને ઓળખો છો?

આ ટ્રાયોલોજીનો છેલ્લો અંક આવતી ‘શતદલ’માં અનાવૃત થશે.

ફાસ્ટ ફોરવર્ડ

ઘઊંનો દાણો .જીવનનો આધાર. દાણાંમાં છુપાયેલી નિર્દોષ ભોળી ફાટ- બે ચમકતી ટેકરી વચ્ચેથી ફૂટતી જવાની.

તમતમાતા તડકાના ચહેરાનો રંગ, શામળા શ્રાવણના ઝૂલામાં ઝૂલતુ ઘઊંવરણું શરીર ,ધોધમાર વરસાદનો જોશ, પણ હળવા હળવા ફોરાં, ભીની ભીની સુગંધ, જાણે બે કાયાનો પ્રેમ, બે પડની વચ્ચે દળાતો ઘઊંનો દાણો મુઠ્ઠીઓથી ગુંદાતો લોટ!’
(ઘઊંમાં કલ્પનાથી કળાકાર કેવો માદક રસિક શૃંગાર નિહાળી શકે, તેના ઉદાહરણરૂપ નમૂનો- એમ એફ. હુસેનના આ શબ્દો!)

(છપાયા તારીખ : ૨૧ /૩/૨૦૧૦)
———————————


૩. ‘આર્ટિસ્ટ’ અને ‘ટેરરિસ્ટ’નો ભેદ સમજી શકે એ રાષ્ટ્ર મહાસત્તા બને છે !


‘ચિત્રને સમજવું હોય તો નૃત્યને જાણવું જોઈએ !’

આ ક્વોટ કોઈ યુરોપિયન આર્ટિસ્ટનું નથી પણ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં માર્કંડેય મુનિએ વજ્રને આ વાક્ય કહેલું છે ! ચિત્રમાં રંગ, રૂપ, રેખાઓ અને ગતિ હોય છે. ચિત્ર કંઈ ફોટોગ્રાફ નથી. એમાં કળાકારનું ભાવવિશ્વ ઝીલાતું હોય છે, અને એમાં અસંખ્ય વાતો છૂપાવીને પણ રખાતી હોય છે, જે ઉત્તમ ભાવક પોતાની ક્ષમતા મુજબ ઉકેલે ! કળા ચિત્ર કંઈ ત્રીજા ધોરણના ક્લાસમાં બ્લેકબોર્ડ પર લખાતું સુવાક્ય નથી, કે માત્ર નીતિવાન જ હોય ! આર્ટિસ્ટ અનુભવ, અભ્યાસ અને આંતરદ્રષ્ટિથી છલોછલ હોય તો ચિત્રોને આગવા લેયર્સ આપી શકે છે. સમાજે જવાબ આપવો પડે તેવા સવાલો કરી શકે તેમાંથી નર્તન ઊભું કરી શકે છે. ક્યારેક ચિત્રમાં ફક્ત વિઝ્‌યુઅલ એક્સપિરિયન્સ જ હોય છે ! મહાન કલાકારની અભિવ્યક્તિમાં કેવળ અર્થો જ નથી શોધવાના હોતા, અનુભૂતિ માણવાની ટેવ પણ પાડવાની હોય છે. રાગ અને સૂરની સમજ ન હોય તેવા લોકો પંડિત ભીમસેન જોશીનું ગાયન સાંભળીને ‘આ તો રાગડા તાણે છે’ એવી કોમેન્ટ કરી શકે. પણ તેને લીધે ગાયન અને ગાયકની કક્ષા ઉતરતી નથી થતી !

એમ. એફ. હુસૈને એક વાર કહેલું કે, ‘‘લોકોને સામાન્ય ટેવ છે કે ફાનસ જોવાને બદલે ચારે તરફ તેના હોવાપણાનું કારણ શોધે છે. એ સળગે છે, તો ચોક્કસ રાત, ઓલવાઈ ગયું છે તો દિવસ પણ કોઈ એ નથી જોતું કે ફાનસ કેવો રૂઆબ સાથે જમીન પર ઊભું છે !’’ ચિત્રોની પણ લોકશાહી છે એમાં સીધી-સરળ વાત જ કહેવાતી હોત, તો પછી કોમનમેન અને આર્ટિસ્ટમાં ફરક જ શું હોત ? આર્ટિસ્ટ એ છે, જે જૂની વાતને પણ નવી દિશા આપે છે. કવિ માટે શબ્દો તો ચિત્રકાર માટે રંગો અને આકારોે પોતાની ફિલીંગ્સ, પોતાના એક્સપ્રેશન્સને વહેતા મૂકવાનું માઘ્યમ છે. લાલ રંગ રોમાન્સનો પણ રંગ છે, અને ભયનો પણ રંગ છે. એમાં સુહાગનની બંિદી પણ છે, અને કોલગર્લની લિપસ્ટિક પણ. એ ખાટાં ટમેટાં અને તીખા મરચાંનો પણ રંગ છે. એ વહેતાં લોહીનો અને મંગલ પ્રસંગના સાથિયાનો પણ રંગ છે ! એક જ રંગ, અને એની કેટલી અર્થછાયા ! મલ્ટીપલ ઇન્ટરપ્રિટેશન્સ !

હુસેનના નામે ફરતા મેઇલ્સમાં હુસેને ન દોરેલા હોય એવા ય ચિત્રો ફક્ત ફોરવર્ડનું બટન દબાવી દેવાથી અભ્યાસ સંપૂર્ણ થયેલો માનતા આળસુ નાગરિકો ફટકાર્યા કરે છે એક સાચો બનેલો કિસ્સો છે. રાબેતા મુજબ માત્ર હુસેનનું નામ સાંભળી ભડકેલા (હુસેને ગમ્મત ખાતર પોતાના પર મકબૂલ નામનું ચિત્ર ‘મેકબૂલ’ કરીને સ્ત્રી સાથે બુલનું બનાવેલું અને લોકો એને નંદીનું માની બેઠા !) આખલા જેવા ભાંગફોડિયાઓએ એકવાર અનાવૃત ગણેશનું ચિત્ર ટાગોરની શાંતિનિકેતનના વિદ્યાર્થી જોગેન ચૌધરીનું હુસેનનું સમજીને હોબાળો કર્યો પણ જોગેનબાબુનું છે, તેવી ખબર પડ્યા પછી વિવાદ ન થયો !

આવા ચિત્રો તે કોણ દોરે ? એવું કહેનારાઓને ખબર નથી કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ જેવી સરકારી સંસ્થાના કેલેન્ડરમાં જૂન ૨૦૦૧માં બ્રાહ્મણ ચિત્રકારનું દોરેલું સીતાનુ અદ્દલ આઘુનિક (હુસેનટાઇપ) શૈલીનું ચિત્ર છપાયેલું. કોઈ ગોકીરો ન થયો ! કોલકાટ્ટામાં જઈ રોસોગુલ્લા- સંદેશ અને કુર્તાની ખાદીમાંથી નવરા પડો, તો ક્યારેક મ્યુઝિયમમાં જઈ અવનીન્દ્રનાથ ઠાકુર અને નંદલાલ બોઝના તથા અન્ય કલાકારોના કાલી અને બીજા દેવીઓના ચિત્રો જોઈ આવજો એકવાર અને ત્યાં જ બૌદ્ધ સ્તૂપોની પ્રતિમાઓ પણ નીરખજો ! મોઢેરાના સૂર્યમંદિરની દીવાલો નીરખવાની કે ભાગવતમાં રાસ અને ગોપીગીતના વર્ણનો વાંચવાની ફૂરસદ છે ? અહલ્યા- ચંદ્ર- ગૌતમથી લઈને યવક્રી- પુનર્વસુ કે કચ- યયાતિ- દેવયાની, યમ- યમીની વાર્તાઓના વર્ણનો વાંચ્યા છે ? કળાગુરુ રવિશંકર રાવળના પણ ચિત્રો ગુજરાતે ક્યાં પૂરા જોયા જાણ્યા છે? ભૂપેન ખખ્ખરના ચિત્રો પણ કેટલાએ જોયા છે ? સારું છે, બહુમતી લોકોને સંસ્કૃત આવડતું નથી. નહિ તો ‘ગીતગોવંિદ’ની પણ હોળીઓ થઈ હોત, અને યોનિપૂજા અને અલગ અલગ વ્યવસાયની સ્ત્રીઓને દેવીઓ સાથે જોડતા તંત્રના હજારો વર્ષોથી સચવાયેલા ગ્રંથો બિભત્સ માની ખતમ કરી દેવાયા હોત ! રમેશ પારેખની ‘ગધેડીના ઇશ્વર’ કહીને લખાયેલી કવિતા કે ‘રે મઠ’ના કવિઓને પણ પુરાતન મિથકો સાથે આઘુનિક કલ્પનો ભેળવવા માટે ગાળો ખાવી પડી હોત ! (ફરી સવાલ થશે – ‘રે મઠ’ શું છે ?) બૌદ્ધ સાઘુ વિદ્યાકારે ૧૧મી સદીમાં ૧૭૨૮ પ્રાચીન કાવ્યોનું સંકલન કર્યું છે, જે ‘ઇરોટિક પોએટ્રી’ તરીકે મેક્સિકન કવિ ઓક્તેવિયો પાઝે પણ અંગ્રેજીમાં લીઘું છે !

કોઈ પણ કળાને સમજવાના કેટલાક પાયાના ધારાધોરણ હોય. પોતાને ફોક પેઇન્ટર ગણાવતા હુસેને ખરેખર તો આઝાદી અગાઉના પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગુ્રપમાં જોડાઈને વિશ્વ સામે ભારતને એના અસલી (જેમ કે શાકમાર્કેટમાં જાંબુડી રીંગણ પર ગોઠવેલા પીળા લીંબુ) રંગોમાં રજૂ કરવાનો પડકાર ઝીલ્યો હતો. બીજા ચિત્રકારો વિદેશવાસી થયા, પણ વડોદરાના ગાંધીવાદી અબ્બાસજી તૈયબજીની સ્કૂલમાં ભણેલા હુસેન ભારત જ રહ્યા. ભારતને ચીતરતા રહ્યા. જૂનાના પુનરાવર્તનને બદલે જૂનાને આધાર બનાવી એમાં નવા વૈશ્વિક પ્રવાહોની રંગપૂરણી કરી.

જેમ કે, હનુમાન સીરિઝમાં એમણે ‘ઓરિજીનલ સુપરમેન’ કહી પહેલી વખત જગતને હનુમાન સુપરહીરોના (પશ્ચિમને સમજાતા) મેટાફોરમાં મૂક્યા, જેમાં સુપરમેનની માફક હનુમાનની છાતી પર ડાયમંડ શેપમાં રામસીતા મૂક્યા ! આકૃતિ નવી હતી પણ છાતી ચીરીને રામ બતાવવાવાળી વાત પ્રાચીન હતી !

પરંતુ કળાકાર હંમેશા પ્રચલિત ચરિત્રોની ભારતીય બાજુ નિહાળે એ કળાપ્રવાહ છે. દુર્યોધનને નાયક કલ્પીને આપણે ત્યાં નાટકો (ઉરૂભંગમ) રચાયા છે ! હનુમાન જેવા જાત બીજા ખાતર ઓગાળીને ઘ્યાનસ્થ થયેલા સેલ્ફલેસ ડિવોટીને પણ ક્યારેક રામ-સીતા કે અન્ય કોઈનું સંસારસુખ જોઈને શું થાય ? એ ડેવિએશન લઈને પણ ચિત્રો રચ્યા છે. ક્યાંક નગ્નતા આતતાયીના જુલ્મ સામે ‘વલ્નરેબલ’ (સોફ્‌ટ ટાર્ગેટ) બનેલી વ્યક્તિની અસહાયતા દર્શાવતી હોય. તો વળી હિટલરના ચિત્રમાં જનનેન્દ્રિયના સ્થાને ખોપરી છે. જેમાં સિગ્મન્ડ ફ્રોઇડની માનસશાસ્ત્રીય થિયરી છે કે યુદ્ધા એ જાતીયતાનું નિરૂપણ છે. એટલે જ બુલેટથી મિસાઇલ સુધીના શસ્ત્રોનો આકાર પુરુષના ગુપ્તાંગ જેવો જ રહ્યો છે ! દરેક કળા એના કોન્ટેક્સ્ટમાં સમજવાની તસ્દી લેવી પડે ! હુસેને પૂર્ણ વસ્ત્રોવાળા દેવી પણ ચીતર્યા છે (જુઓ તસ્વીર)

દ્રૌપદીના વિશ્વવિખ્યાત ચિત્રમાં (હુસૈને ભારતભરમાં ‘મહાભારત’ પર સૌથી વઘુ ૩૦૦ ચિત્રો કર્યા છે !) નારીની ગરિમાનું પતન એટલે ‘ફ્રી ફોલ’ દર્શાવાયો છે. ચોપાટના રંગીન ખાનાઓ જાણે ભૂતકાળની સ્મૃતિઓ અને જંિદગીના રંગબેરંગી અનુભવો બનીને વીંટળાય છે. ઇજીપ્શીયન મમીની માફક ફરતું એક વસ્ત્ર વીંટળાય છે. ચહેરા પર ચીસ છે કદાચ સ્વયમ્‌વરમાં મત્સ્યવેધથી ‘જીતાયા’ અને જુગટામાં ‘હોડ’માં મૂકાયા પછી વ્યક્તિ મટી, વસ્તુ બનેલી નારીની ! ૧૯૭૭માં બ્યુનેલ નામના સ્પેનિશ ડાયરેક્ટરની ફિલ્મ ‘ધ ઓબ્સક્યોર ઓબજેક્ટ ઓફ ડિઝાયર’ જોયા પછી ઉઠેલા મનોભાવોને હુસેને પછીની મહાભારત સીરિઝના કેટલાક ચિત્રોમાં ‘ફ્‌યુઝન’ કર્યા હતા, ‘મહાભારત’ પણ હુસેનના મતે ઇચ્છા અને એમાંથી જન્મતા અભાવોના સંઘર્ષની કહાની છે ! હુસેનના ૫૦,૦૦૦ જેટલા વૈવિઘ્યસભર ચિત્રોમાંથી કેવળ ૫-૧૦ લઈને જ સજ્જતા વિના આખા માણસનું જજમેન્ટ આપીશું ! હુસેનની આદત સાહિત્ય અને લોકસાંસ્કૃતિના શાસ્ત્રીય સંદર્ભો લઈ તેને મોડર્ન આર્ટના ફોર્મમાં જોડવાની છે.

એટલે જ હુસેને માઘુરી સીરિઝ કરી, મૂળ તો કાલિદાસની ‘શકુંતલા’ને રજૂ કરવાની હતી – એ પરફેક્ટ ઇન્ડિયન વુમન તરીકે ! પણ ભાતીગળ વારસો ભૂલી ગયેલા બધા એને ન ઓળખી શકે. એટલે ‘ગજગામિની’ના આઘુનિક, પોપ્યુલર મેટાફોર તરીકે માઘુરી આવી ગઈ ! હુસેને બેસૂમાર અશ્વો ચીતર્યા છે. કેમ ? લો એમના શબ્દોમાં જ વાંચો (અને વિચારો, કેટલી રેન્જ છે આ બુઝર્ગ આર્ટિસ્ટના જ્ઞાનની અને કેવી રીતે એની નજર અનેકમાં એકનું અદ્વૈત પણ જોઈ શકે છે !)

‘‘એ હણહણાટ છે, એ નાળનો ખણખણાટ છે એ સંબંધ છે ઘોડેસ્વારોનો. એ સંબંધ છે કરબલાના તરસ્યાઓ માટે મશક ઉઠાવવાવાળી દુલદુલ (માદા ખચ્ચર)નો. આ અશ્વમેઘ છે લવ અને કુશનો. એ બુર્રાક છે, સૌથી ઊંચા આકાશમાં ઉડવાનો. બચપણમાં મને ઘોડાવાળા રથમાં સવાર થઈ આકાશમાં ઉડવાના સપના આવતા, ત્યારે માટી અને લાકડાના ઘોડા સાથે રમતો. હવે ટ્રોજન હોર્સનો વિજય અને મારિયો માવિનીનો ઇટાલિયન અશ્વ મળ્યો છે. રાણા પ્રતાપને ચેતક મળ્યો છે. છોકરો ચીનની દીવાલ પરના હૂન ડાયનેસ્ટીના ટેરાકોટા ઘોડાઓ વચ્ચેથી પસાર થઈને સેન્ટ માર્કોની સફેદ પહાડીઓમાંથી કોતરેલા ઘોડાઓના ઝૂંડમાં ઘેરાયેલો, પોતાની બે-લગામ પીંછી પર સવાર વર્ષો સુધી યાત્રામાં જોડાયેલો દેખાશે ! પરંતુ આજે પણ આ છોકરાની જીભ પર એ જ નાળ ઠોકવાવાળા અચ્છનમિયાંની ચાની મઝા બાકી છે. જેની શોધમાં એ સમયના દાદાની આંગળી પકડી ભટકી રહ્યો છે. ઇન્દોરની ગલીઓના ધાબા, દિલ્હીના નિઝામુદ્દીનના ચાયખાના, લંડનની દોઢસો વર્ષ જૂની શેપર્ડ માર્કેટની કોફી શોપ, ન્યૂયોર્કના અડધી રાત સુધી ખુલ્લા રહેતા ટેક્સીવાળાના અડ્ડા, પ્રાગના, કાર્લબ્રિજના ચારે તરફના કર્વના, કલકત્તાના સરદારજીની જાડા દૂધની ચામાં બોળેલી તંદૂરી રોટી, મુંબઈના ભીંડી બજારની અડધો કપ ચા મારામારી…..’’

હુસેન ભારતની નજીક રહીને આજે ય અમદાવાદની ચા થરમોસમાં મંગાવે છે ! એક કળાવિવેચક એમને મળવા ગયા, તો એમણે છાપુ મંગાવ્યું. પેલા ભાઈએ એ લઈ જઈ પૂછ્‌યું – આનું શું કરશો ? એ તો ઓનલાઇન છે ! હુસેને છાપુ સુંધ્યું અને કહ્યું, આમાં ભારતની ખુશ્બુ છે, જે ઓનલાઇનમાં નથી !

કળાકાર તરંગી લાગે છે, કારણ કે એ તરંગોના જ રંગોમાં જીવે છે ! સામાન્ય માણસથી એની સંવેદનશીલતા અને કલ્પનાશક્તિ અલગ હોય, એટલે તો એ આર્ટિસ્ટ બને છે ! આર્ટનું એક અલાયદું યુનિવર્સ છે.

જેમ લંિગપૂજા વિકૃત નથી, એ શિવભક્ત અનુભવે પણ વિદેશી નહિ, એમ જ આ કળામાં વિકૃતિ નથી એ અંદરનો કળાપારખુ સમજી શકે, અણસમજુઓ નહિ !

* * *

સ્વામી વિવેકાનંદે કહ્યું છે ઃ આપણે દરેકને આપણા માનસિક વિશ્વની સીમામાં બાંધી આપણા સિદ્ધાંત, નૈતિકતાના બોધ આપીએ છીએ. આમ જ ધાર્મિક સંઘર્ષ પણ બીજાના મૂલ્યાંકનની સોગાત છે. બીજાને એમની નજરથી જોતા શીખો, પોતાની નહિ.

ભારતમાં સાંસ્કૃતિક પવિત્રતાના નામે નવું ‘પ્યુરિટનિઝમ’ (વિક્ટોરિયન યુગના મરજાદી ચોખલિયાવેડા) તૈયાર થતું જાય છે. જેમાં અજ્ઞાન લોકો કળા સામે ઉધામા મચાવી (યુરોપના) નવજાગરણ (રેનેસાં) યુગ અગાઉનું વાતાવરણ અહીં સર્જી રહ્યા છે.

એ કમનસીબી છે કે, કોઈ આર્ટિસ્ટના કામમાં ન્યુડિટી દેખાય કે તરત બધાના ભવા આજે ચડી જાય છે એ લોકો આર્ટિસ્ટને ડરાવે છે. એમની સર્જનશીલતાનું પ્રદર્શન કરતા રોકે છે. ગુનેગારોને જેર કરવા માટેની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો ઉપયોગ ક્રિએટીવ આર્ટ સામે ન થઈ શકે. એક કળાકારની દરેક બાબત નિહાળવાની આગવી દ્રષ્ટિ હોય છે અને કળાકાર સામે ગુનેગારની જેમ કાયદાકીય કાર્યવાહી કરવી આધારહીન, બેતૂકી વાત છે. અશ્વ્લીલતા આ ચિત્રોમાં ક્યાંય નથી. આ કળાકારનો આ બાબતને જોવાનો દ્રષ્ટિકણ છે, જેને પડકારી શકાય નહિ ! ૯૦ વર્ષના પેઇન્ટરને પોતાના ઘરમાં બેસીને કેનવાસ પર પેઇન્ટ કરવાનો હક છે ! મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો કહેતા- ‘‘આર્ટ ઇઝ નોટ ચેસ્ટ, વોટ ઇઝ ચેસ્ટ ઇઝ નોટ આર્ટ ! (કળા ડાહીડમરી ન હોય, અને હોય તો એ કળા નથી !)’’

સબૂર ! ઉતાવળિયા કન્ક્લુઝન પર ન આવતા. આ વાક્યો કોઈ સૂડો-સેક્યુલરિસ્ટ, લધુમતી વોટબેન્કવાળા નેતા કે મુગ્ધ હુસેનફેનના નથી. આ શબ્દો છે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સંજય કિશન કૌલના ! જેમણે ૭૪ પાનાનો અદ્‌ભુત ચુકાદો આપી હુસેન સામેના કેસીઝ ‘ખારિજ કરી નાખ્યા હતા !

વાદીઓ તોય સુપ્રિમ કોર્ટમાં ગયા. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ જી. બાલાકૃષ્ણન, જસ્ટિસ પી. સથાશિવમ્‌ અને જે. એમ. પંચાલ (ત્રણે નામ હિન્દુ છે !)ની બનેલી બેન્ચે સોઇઝાટકીને કહી દીઘું, ‘‘ભારતમાતા (હુસેનનું ચિત્ર) તો કળાનો નમૂનો છે એ બિભત્સ નથી. ફરિયાદીની લાગણીઓ અસંખ્ય શૃંગારિક શિલ્પો જોઈને કેમ દુભાતી નથી ? આવા અઢળક ચિત્રો, તસવીરો અને ચિત્રો ભારતમાં છે. મંદિરોમાં પણ છે. આટલા હજાર વર્ષોથી કોઈની લાગણી એનાથી દુભાઈ નથી.’’

સુપ્રિમ કોર્ટે પણ અપીલ ફગાવી દીધી !

હિન્દુત્વને ‘વે ઑફ લાઇફ’ કહેતી વખતે ગર્વભેર સુપ્રિમકોર્ટને ટાંકવી છે. રામજન્મભૂમિના તાળા તોડાવતો હાઇકોર્ટનો ચુકાદો માથે ચડાવવો છે. તો પછી ભારતની એ જ સર્વોચ્ચ સંસ્થાએ ખુલ્લેઆમ હુસેનના આર્ટવર્કને ક્લીન ચીટ આપી છે, એ કેમ સ્વીકારી શકાતી નથી ? મુઠ્ઠીભર તેજોદ્વેષી કે રાજકીય કળાકારો સિવાય કળાજગતનો મત પણ એ જ છે. લોકો સંજય દત્તો અને લાલુપ્રસાદોની બાબતમાં હથિયાર અને ભ્રષ્ટાચારના ગંભીર ગુનાઓમાં પણ કોર્ટનો ફેંસલો સ્વીકારી લે છે અને અફઝલને ફાંસીમાં કોર્ટનો હવાલો આપે છે- તો પછી હુસેનની બાબતમાં કોર્ટ ખોટી ? એ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય ! ધાર્મિક લાગણીનો આવો જડ અંધાપો ? હુસેનને ભારતના કાનૂનની મુંઝવણ નથી. પણ સતત સમજ્યા વિના હડઘૂત કરવાના હિન્સક વિરોધ વચ્ચે કામ કેવી રીતે થાય ?

કોઈ બળાત્કારી કે ખૂનીની સામે પણ માણસ જાતે ન્યાય તોળવાને બદલે ફરિયાદ કરી કોર્ટ પાસે ન્યાય માંગે છે. કબૂલ, કે હુસેનની કે કોઈ પણ જાતની કળા ગમાડવી ફરજિયાત નથી. ચોક્કસ તેને વખોડી શકાય, વિરોધ કરી શકાય. પણ અહીં તો હંિસક ભાંગફોડ અને પોલિસ ફરિયાદો થાય છે. ઠીક છે. ના ગમ્યું, તો કોર્ટમાં બી ચેલેન્જ કરી શકાય પણ બબ્બે વખત પૂરી વિદ્વતાથી અદાલતે કહ્યું તો ય સત્ય સ્વીકારવું નથી ? સુલેમાની વહોરા હુસેનની અટક મુસ્લિમ છે, એટલા માત્રથી ? મોડર્ન આર્ટ, પ્રાચીન ભારતનો અભ્યાસ નથી એટલે ? એ ખરેખર તો ભારતીય સંસ્કૃતિનો વારસો લધુમતીઓએ અપનાવવો, બિરદાવવો જોઈએ તેનું રોલમોડેલ બની શકે, તેને બદલે તેના હાથ કાપનારને ઇનામ જાહેર કરવાનું ? સ્વયમ્‌ પરમાત્માએ હજુ હુસેનને ૯૫ વર્ષે ઝડપભેર કામ કરવાનું સ્વાસ્થ્ય આપ્યું છે, સજા નહિ !

અંતે હુસેનનો ગુનો શું ? ભરણ-પોષણ કરવા આખો દિવસ ફિલ્મી પોસ્ટરો દોરીને રાતના લેમ્પપોસ્ટના અજવાળે ચિત્રો દોરવાનું ચાલું રાખી, જીંદગી આર્ટને ચરણે સમર્પિત કરી નામ- દામ કમાયા… પહેલું ચિત્ર દસ રૂપિયામાં વેચી અંતે દસ કરોડ સુધી પહોંચ્યા એ ? ધાર્મિકને બદલે સાંસ્કૃતિક અભિગમ રાખ્યો, જે કલ્ચર જોયું હતું, તેવું કેન્વાસ પર ઝીલ્યું – બુરખાધારી ઔરતોનું કલ્ચર એ રીતે, મિશનરી સાડીનું એ રીતે, અને ઝાકમઝોળ ગ્લેમર તથા જાતીયતાથી મહેકતું હિન્દુત્વ એ રીતે… એ વાંક ? સ્પિરિચ્યુઅલ માણસ તરીકે કદી ખુલાસા ન કર્યા, પણ છતાં માફી માંગી- જે કોઈએ સાંભળી નહિ, એ વાંક ?

અને આપણે રીતસરના ખૂની, બળાત્કારી, ભ્રષ્ટાચારીઓના મામલે સહિષ્ણુ છીએ, પણ આર્ટના મામલે આળી ચામડીના થઈએ ? હુસેન તો સોફ્‌ટ ટાર્ગેટ છે. એ થોડા હાફિઝ સૈયદ કે મસૂદ અઝહરની જેમ હથિયારબંધ જેહાદીઓ ભેગા કરી ફરે છે ? એક બૂઢા ચિતારાને પાંચ મુક્કા મારો તો ય બાપડો ખતમ થઈ જશે. તો ય બધા એની પાછળ પડી ગયા છે – પોતાની લુખ્ખી રાષ્ટ્રભક્તિ અને સંકુચિત ધર્મભાવના સિદ્ધ કરવા !

ભારતમાતાનું વસ્ત્રાહરણ ચિત્રો- કવિતાથી શું થાય ? જો અસહિષ્ણુ જ થવું હોય તો લોકલ કલેક્ટર ઓફિસમાં ભ્રષ્ટાચાર થતો હશે. ટોલ ટેક્સથી લઈ ખાંડ-તેલ સુધી ભેળસેળ અને ભાવવધારો ચાલે છે. ઘુતારા બાબા- મુલ્લાઓ પ્રજાને ભોળવી જમીનો ઓળવી લે છે. હત્યાઓ કરાવે છે. રસ્તા પર ખાડા છે. પાણી હોતું નથી. પ્રદૂષણ બેફામ છે. સરકારી ખર્ચે ચાલતા ફ્‌લાઇઓવરના કામ તકલાદી નીવડે છે. ગલીના ગુંડાઓ ધાકધમકીથી છોકરીઓ ઉઠાવી જાય છે. કેટલાક ફેનેટિક મદ્રેસાઓમાં બોમ્બ બનાવવાની તાલીમ આપી ભારતના ટુકડા કરાય છે. આઝમગઢમાંથી ખંડણીખોર શૂટર આવે છે. કાશ્મીર સરહદ પર ખુલ્લેઆમ આતંકવાદી કેમ્પ ચાલે છે. સ્થાનિક જનપ્રતિનિધિ, અફસર, પ્રજાના પૈસે ઘર ભરી લે છે. સરસ્વતીના ફોટાવાળી શિક્ષણ સંસ્થાઓમાં પારાવાર પોલિટિક્સ છે. પરીક્ષા-ચોરી છે પેપરોમાં ઘાલમેલ છે. ગોખણપટ્ટીની પદ્ધતિ ફરતી નથી. પાઠ્યપુસ્તકો ભૂલોવાળા અને બોરીંગ છે. શિક્ષક બનવા પૈસા ખવડાવવા પડે છે, સાચી ફાઇલ પાસ થતી નથી. હપ્તાખાઉ પોલીસવાળા છે. બ્લેકમેઇલર પત્રકારો છે. છેતરપિંડીવાળા ઉદ્યોગપતિઓ છે. જ્ઞાતિવાદી ધર્મગુરુઓ છે. સરસ્વતી કે ભારતમાતાનું આ સરેઆમ વસ્ત્રાહરણ થઈ રહ્યુ છે. થઈ ચૂક્યું છે. આપણે જ એમાં ભાગીદાર અને સાક્ષી છીએ. ત્યાં લોહી ઉકળતું નથી અને ૯૫ વરસના ચિત્રકારની ઓલરેડી કોર્ટ એપ્રુવ્ડ ક્રિએટીવીટીની પાછળ પડી જવાના પલાયનવાદમાં મસ્ત છીએ ! એકઝાટકે બુરખા પર પ્રતિબંધ મૂકી દેનાર ફ્રાન્સ શું આર્ટિસ્ટસ પર સેન્સરશિપ લાદે છે કદી ? ત્રાસવાદીઓને શૂટ કરી નાખનાર બ્રિટન પોતાની સરકારના ધર્મના કે જન્મથી બ્રિટીશ ન હોવા છતાં સલમાન રશ્દીને સાચવે જ છે ને !

જ્યાં બતાવવાની છે ત્યાં અસહિષ્ણુતા આપણે બતાવતા નથી અને શરિઅતના કાનૂનથી ચાલતા તાલિબાનોની જેહાદનો ચેપ વળગ્યો હોય એમ કળાકારોનેે પરેશાન કરવામાં બહાદુરી અનુભવીએ છીએ! જેની ટીકા કરીએ, એમની જેમ જ વર્તીએ છીએ ! જે મહાસત્તાઓ છે, તે આર્ટિસ્ટને પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર્સ બનાવે છે અને પોતાની શક્તિ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, આરોગ્ય, ટ્રાફિક જેવા પ્રશ્નો ઉકેલવામાં લગાવે છે ! અને આપણે આજે એવા અબૂધ બનીએ કે ૧૯મી ૨૦મી સદીમાં કેલેન્ડર આર્ટરૂપે દેવ-દેવીઓના ચિત્રો બન્યા, જેમાં દક્ષિણ ભારતીય કલાકારો હોઈ કાંજીવરમની સાડી હોય અને સિલાઈ મશીનમાં સીવેલા બ્લાઉઝ હોય તેને સ્ટાન્ડર્ડ માની લઈએ છીએ ! મૂળ ઇમેજીઝ ભૂલી જઈએ છીએ!

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં આપેલા અફલાતૂન પ્રવચનમાં સલમાન રશદીએ ચિન્તા પ્રગટ કરી કે, આમ જ ચાલ્યું તો મહાન પ્લુરારિસ્ટ ભારત પેલેસ્ટાઇન થતું જશે. લોકો આ કલાકારોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને સિરિયસલી લેતા નથી. તસ્લીમા કે હુસેનને સાચવતા નથી. તર્કથી વિરોધ કરવાને બદલે તલવારથી વિરોધ કરે છે. આર્ટિસ્ટ પોતાની કળાની એક સ્પેસ બનાવે છે. તમને એ ન ગમે તો તમે છોડી દો. લાગણી દુભાઈ જાય તો ચિત્ર ન જુઓ. પુસ્તક બંધ કરો. લેખ ન વાંચો. પણ આર્ટિસ્ટને તેનું કામ કરવા દો એ નકામું હશે, તો આપોઆપ ભૂલાઈ જશે ! ક્યાં ગયું એ ભારત- જેમાં ટાગોરે લખેલું વ્હેર હેડ ઇઝ હેલ્ડ હાઇ, માઇન્ડ ઇઝ ફ્રી ફ્રોમ ફ્રીડમ, વ્હેર અર્થ ઇઝ નોટ ડિવાઇડેડ ઇન્ટુ નેરો…

લોકશાહીમાં દરેકને અભિપ્રાય હોય, પણ અદાલતી ફેંસલો આખરી માનવાનું સૌજન્ય હોવું જોઈએ. લાગણી વાસ્તવિકતાથી ન દુભાય અને કળાથી દુભાય એ પલાયનવાદ છે. વિદ્વાન પ્રધાન શશી થરૂરથી લઈ હુસૈનને મળનારા સામાન્ય વાચકો એકમત છે કે એ ચિત્રો પાછળ દિવાના છે, પણ ફેનેટિક મુસ્લિમ નથી. ગલ્ફમાં તો ધંધા માટે ઘણા ગુજરાતીઓ પણરહી પડ્યા છે. જસ્ટ થીંક. એક બાજુ મેચ ફિક્સંિગ જેવા ક્રાઇમ કરીને લધુમતીના અન્યાયની ચીસાચીસ કરી અઝહરૂદ્દીન એમ.પી. થઈ જાય છે. બીજી બાજુ અસલી ભારતને પ્રેમ કરનારા હુસૈન લધુમતી કાર્ડ વાપરવાને બદલે એમ કહે છે, ‘‘જે મારી કળા સમજી નથી શકતા, એમનેય હું પ્રેમ કરું છું. એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.’’

યાદ આવે છે લાગણીશીલ બનેલા વિરોધ કરનારા ટોળા વચ્ચે આવું કોણે કહ્યું હતું ?

સોરી, માત્ર આર્થિક પ્રગતિથી મહાસત્તા નહિ બની શકાય, થોડું આર્ટ બાબતનું ટોલરન્સ વધારવું પડશે. હજુ ૯૦ ટકા સર્જન અંદર જ પડ્યું છે. એમ ન માનતા હુસેને એમના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહેલું,

તૂ કહે  તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન

એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે.

‘તમે કહો તો કથાનું શીર્ષક બદલી નાંખું, પણ આખી કથા બદલવા માટે તો નવી જિન્દગી જોઈએ !’

ક્યા બાત હૈ !

ઝિંગ થિંગ !

ક્યારેક દ્રશ્ય, વિચાર, જોશ, સંગીત બધાને કાળ જોડે છે, ક્યારેક તોડે પણ છે. કાળ હંમેશા વર્તમાનમાં હોય છે. એ આપણી આજછે કે તમામ આવતીકાલ અને ગઈકાલની ધરી છે ! (એમ.એફ. હુસેન)

(છપાયા તારીખ : ૨૪/૩/૨૦૧૦)

#બોનસ -૧ (ફેસબુક પર અગાઉ મુકાયેલો અને આડે પાટે ચડેલી  ચર્ચામાં વિખાઈ પીંખાઇ ગયેલો વિડિઓ અને એનું મેં કરેલું રસદર્શન..

હુસેન ભારતીય સંસ્કૃતિના એક એક રંગને ટાગોરની માફક કેવા ઘોળીને પી ગયા છે, એ કાવ્યાત્મક રીતે અહીં પ્રગટ થાય છે.

indian feminine form ને ટ્રિબ્યૂટ આપવા આખા ગીતમાં માધુરીની શાસ્ત્રીય નૃત્યોની વિવિધ મુદ્રા છે, પણ ચહેરો નથી, જેથી એ વ્યક્તિ મટી સમગ્ર સ્ત્રી જાતિની અભિવ્યક્તિ બની જાય છે.

ભારતીયતાના વાસંતી રંગો યાને રેડ, ઓરેન્જ,યેલોના અહીં શેડ્સ છે. સ્ત્રીના માથા પરની ગાંસડી એ નારી જાતિ પરનો પરંપરાનો બોજ છે, એટલે એ ના હોય ત્યારે નૃત્ય વધુ વેગીલું બને છે.

મંદિરમાં આદિ ઊર્જા સમાન શિવ છે, પણ એ ડમરુંના સ્વરૂપે છે. ડમરું પરસ્પર વિરોધી બે આકારના જોડાવાથી બનતું હોઈને અર્ધનારી નટેશ્વરના હાથમાં પુરુષ અને પ્રકૃતિ ઉર્ફે યિન-યંગનું યાને યુગલત્વનું પ્રતિક છે. ઉપર ચિતરાયેલો યેલો સાપ પણ છે, કામના રૂપે..

એક દિવાલ પર તલવારધારી સિંહ છે, જે દુર્ગા-આદિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. માધુરી ગજગામિની યાને હાથી જેવી મલપતી ચાલે પાણીના વહેતા પ્રવાહની જેમ ચાલે છે, કારણકે સ્ત્રી એ જલતત્વ છે. પુષ્પની સુવાસ અને જળની ભીનાશ છે એમાં..

સેટ ડીઝાઈન, સંગીત, શબ્દો , કેમેરા એન્ગલ વગેરેની કલાત્મકતા સાથે અંતે ગીત બજરંગબલીના ચિત્ર સામે નમન રૂપે સમાપ્ત થાય છે. હુસેને એક વખત હનુમાન સીરીઝના ચિત્રો વખતે લખેલું કે હનુમાન વિશ્વમાં પ્રથમ સુપરમેન/સુપરહીરો છે. એ બુદ્ધિમાન છે, શક્તિશાળી છે, વિવેકી છે, પરાક્રમી છે, સાહસિક છે, કલાકાર છે, સમર્પણ કરવામાં નિરાભિમાની છે. સ્ત્રીના ગમે એવા પ્રોટેક્ટર-રક્ષક છે. અને નિર્ણયોમાં ભૂલ, વેવલાઈ કે ઉતાવળ કરતા નથી…

આ બધું જ ક્યાંય દ્રશ્યને અવરોધ્યા વિના, તેને વધુ સમૃદ્ધ બનાવે છે.

#બોનસ-૨ ઓરકુટ પરની  ચર્ચામાં સામે ચાલીને વાચક જય વિસાનીએ (જે ફેસબુક પર પણ સક્રિય છે) લખેલો એમનો જાત-અનુભવ:

mind well I am a pakka Hindu and dont compromise on my religion and beliefs … the way you have explained is convincing …I suggest your article should be translated in English and Hindi for the benefits of our non-gujarati friends incidently I had an opportunity to meet him ( bare footed 6’ + MF Husain ) personally for 30 minutes during 1992-93 at Andheri East , at ‘Sukanya’ Bar & Restaurant where he was enjoying his Old Munk Rum … with his permission I sat in front of him ..we discussed few things including religion since it was 1992-93( riot period) i found him straight forward , simple , a non-religious but spiritual person …least bothered about anything else than his paintings and yes he is a nature lover….he then walked away after having two pegs of rum .. on enquiry the manager told me that he was a regular visitor then ( surprisingly no body recognized him ever ) … point is he is not a communal minded-man / artist and should be seen that way …he is not fanatic … he is an artist with mad passion for his art …

#બોનસ ૩- દિવસો સુધી ઓરકુટ પર ચાલેલી ચર્ચા જેમાં તમામ શંકાનું મેં તળિયા ઝાટક નિવારણ કર્યું છે. પણ મારા સવાલો ના કોઈ પાસે ગળે ઉતરે એવા જવાબો નહોતા ! :

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=26114022&tid=5446882008773109625&kw=hussain

******ડીઅર રીડરબિરાદર, યાદ રાખજો, આ આખી કસરતમાં મને શું મળવાનું છે? એવાર્ડ પણ નહિ, ને રીવોર્ડ પણ નહિ..ઉલટા થોડા વાચક ઓછા થાય ખીજાઈને !..પણ આ કોઈ તો સમજે એવી આશાથી..ભારત અને કળા પ્રત્યેના પ્રેમથી કરેલું કાર્ય છે. હું મારી જાતને રોકી નથી શકતો અને ચુમ્બકની જેમ આ કરતો જાઉં છું ખેંચાઈને..! .હું તો સાચી ભારતીયતા માટે, સતત હમણાં જ ફેસબુક પર અનેક ચર્ચા માં અળખામણો થઈને પણ દંભી સેક્યુલારિઝમની સામે સચોટ દલીલો કરતો હોઉં છું એ તાજું જ છે. છતાંય ફેસ્બૂક પર રાજ ઠાકરે જેટલી પણ ગરિમા વીણા મોતના માલજાને બદલે, મારી વાત પણ ભરોસો ના મુકનાર અને પોલીટીકલ પ્રોપેગેન્ડાથીઓ દોરવાઈ જનાર વાચકે , હજુ તાજો દિલ્હી સરકારના દમનવિરોધી લેખને ભૂલીને મારી સામે અક્કલનો એંઠવાડ પીરસતા હોય એવા બખાળા કાઢ્યા..ખોટી વિગતોથી જેમતેમ લખ્યું. આ છે સંસ્કૃતિ? જેમાં કોઈ ત્રાસવાદી હોય એમ મરેલા કલાકારને હડધૂત કરાય ? અવતારોએ અસુરો સાથે આવું કર્યું નથી ભારતમાં. જેહાદી પાકિસ્તાની તાલિબાન અને આવા અભણ લોકો ના હિદુત્વમાં ફરક શું છે? એક અંજલિ આપવા જતા જો મારી આ હાલત હોય…તો એને કેસ સ્ટડી માની, હુસેનની શું હાલત થઇ હશે નાદાન તોફનીઓથી..એ વિચારજો.

જો, વિચારવાને દેશભક્તિની પ્રક્રિયા ગણતા હો તો.

– જય વસાવડા

અપડેટ :

૪.

ચલો કુછ દિનોં કે લિયે, દુનિયા છોડ દેતે હૈ ‘ફરાઝ’

સુના હૈ લોગ બહુત યાદ કરતે હૈ, ચલે જાને કે બાદ!


લોકલાગણીથી જ બધાં સત્યો ઓળખાતાં હોત તો એક વખતે લોકલાગણી આસ્થાના નામે સતીપ્રથાની પણ તરફેણમાં હતી!

બ્રેકિંગ ન્યૂઝઃ

મહાન કલાકાર, વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની આ વાંચો છો, ત્યારે હત્યાઓ અને અસામાજીક પ્રવૃત્તિ માટે ધરપકડ કરવામાં આવી છે. એમણે છોકરીઓની વારંવાર ‘પોટ્ટી પટાના હૈ કામ અપુન કા’ ગાઈને જાહેરમાં છેડતી કરી છે. એમણે વારંવાર કીમતી ચીજોનું સ્મગલિંગ કર્યું છે, એમણે આર્થિક છેતરપિંડી , ચોરી , જાહેરમાં મારામારી, ડ્રગ ટ્રાફિકિંગ જેવા અઢળક ગુનાઓ કર્યા છે. બેંક લૂંટ પણ કરી છે.

પણ એમની ફાંસીની સજા નિશ્ચિત છે. કારણ કે, એમણે આખી મિનિસ્ટરોની કેબિનેટ ગોળીઓથી ઉડાડી દીધી છે (ઈન્કિલાબ)! ઠંડે કલેજે ખૂનો કર્યા છે (આખરી રસ્તા)… ભરી અદાલતમાં (અંધા કાનૂન), દરિયા કિનારે (અગ્નિપથ), રણમાં (ખુદાગવાહ), એન્કાઉન્ટર (ઝંઝીર), સામૂહિક હત્યાકાંડ (સરકારરાજ)… આ માણસ જાહેરમાં ગુસ્સાવાળું વર્તન વારંવાર કરે છે, દારૂ પીને દંગલ કરે છે . આ માણસ વિકૃત છે, જોખમી છે. આ તમામ અપરાધો માટે એને કડક સજા થશે.

* * *

રીડર બિરાદર, જી ના. આ લખવૈયાનું ફટકી નથી ગયું. છટકી નથી ગયું. આવા સમાચાર વાંચો તો તમને હસવું આવે. વાહિયાત લાગે. આ બધા ‘ગુના’ અમિતાભ બચ્ચને તો ફિલ્મોના પડદે કાલ્પનિક કહાનીઓમાં કર્યા છે. રિયલ લાઈફમાં એના માટે સજા કે નફરત થોડી આપવાની હોય, આવું તો સ્કૂલ ગોઈંગ કિડ પણ કહેશે.

પણ કળાસૂઝ કે ક્રિએટિવિટીની બાબતમાં ચાઈલ્ડિશ એપ્રોચ રાખનાર ભારતની જનતાનો એક અભણ પણ બોલકો વર્ગ આટલું સમજી શકતો નથી. કોઈ પણ સર્જક પોતે જે કંઈ સર્જન કરે છે એ તેની વર્ચ્યુઅલ સ્પેસ યાને કાલ્પનિક સૃષ્ટિ ઉભી કરીને કરે છે. એમાં માની લો કે કશોક અપરાધ પણ થયો હોય એવું જગતકાજીને લાગે, તો એ કંઈ વાસ્તવિક ગુનો નથી. લેખક ઓ હેનરીને આર્થિક ગુનાઓ બદલ અમેરિકા જેલમાં મોકલે છે. પણ લેખિકા આગાથા ક્રિસ્ટીને કંઈ વાર્તાઓમાં ‘મર્ડર’ પ્લાન કરવા માટે જેલમાં મોકલી શકાય નહિ. હા, વાર્તાઓ ન ગમે તો વખોડી જરૂર શકાય. પણ એ માટે અંગત જીભાજોડી કરી શકાય નહિ. સર્જકમાત્રને પોતાને ગમતા સબ્જેકટમાં કામ કરવાનો ઉછાળો આવતો હોય છે. ભાવકને એ સર્જન ન ગમે, તો એનાથી દૂર રહે. આવું સોઇ ઝાટકીને સર્વોચ્ચ અદાલત પણ કહે છે!

પણ આવો જ વિચિત્ર અને હાસ્યાસ્પદ પ્રતિભાવ કેવળ કળા અને ધર્મની અઘૂરી સમજના કાતિલ કોકટેલને લીધે ભારતમાં વિશ્વભરમાં ભારતનું નામ પેઈન્ટંિગના તખ્તા પર મૂકનારા મકબૂલ ફિદા હુસેનને આજીવન જ નહિ, મરણ પછી પણ મળતો રહ્યો છે! (આ વિધાન જેમને ગમે નહિ, એમણે અત્યારે આંખ મીંચી એક મિનિટમાં ભારતના ટોચના, જગવિખ્યાત દસ ચિત્રકારોના નામ યાદ કરવા. અબજોની વસતિમાં હુસેન સિવાય કેટલા નામ યાદ આવે છે, તે નોંધવું!) કોઈ પણ લેખક કે ચિત્રકાર કે ફિલ્મકારને એના સર્જન બદલ અપરાધી ઠેરવવો, એ જાણે અમિતાભને ફિલ્મી પડદે ભજવેલા પાત્રો બદલ વાસ્તવમાં સજાપાત્ર ઠેરવવા જેવો નકામો ટાઈમપાસ છે. જેમાં જેહાદી તાલિબાનોની જડબુઘ્ધિની નકલ જ છે.

પણ વાસ્તવમાં અમિતાભ કૂલીના સેટ પર ઘાયલ થયો ત્યારે હુસેન ે એક ચિત્ર આપ્યું, જે સંજીવનીબુટ્ટીવાળો પર્વત ઉંચકીને ઉડતા હનુમાનજીનું હતું. આ અંગત સંભારણુ પબ્લિસિટી માટે નહોતું, માત્ર ભારતીય સંસ્કૃતિનો પરખંદો જ સમજી શકે કે આમાં મૃત્યુના બિછાનેથી ફરીથી સજીવન થવાની શુભેચ્છાઓ સમાયેલી છે!

હુસેનના મૃત્યુ પછી સરપ્રાઈઝંિગલી કાકા ભત્રીજા બાળ અને રાજ ઠાકરેએ એમને શ્રઘ્ધાંજલિ આપી. બાળાસાહેબે સ્પષ્ટ કહ્યું કે ‘હુસેન મહાન ભારતીય ચિત્રકાર હતાં.’ બાળ ઠાકરે હોસ્પિટલાઇઝડ હતા, ત્યારે હુસેન ખબર કાઢવા ગયેલા. અંદર સિનિયર ઠાકરે, મુંબઇનું વાઘનું ઓપરેશન ચાલતું હતું. હુસેને તત્ક્ષણ એક કાગળ લઇ ‘ગેટ વેલ સૂન’ લખી ઉપર ગણેશ ચીતરીને ‘શુભ કલ્યાણ’ના પ્રતીકરૂપે અંદર મોકલાવ્યું. અચ્છા ચિત્રકાર ઠાકરે સમજી ગયા. ઠાકરેની નિખાલસતા એવી કે એમણે કબુલ્યું કે ‘મને મોડર્ન આર્ટ સમજાતી કે ગમતી નથી.’ ફાઇન. બધાને બઘું ન ગમે. પણ આટલી પારદર્શકતા તોછડાઇથી ગાળાગાળી સંસ્કૃતિના નામે કરતા રક્ષકોમાં ખરી? હુસેન સાથેના તમામ વિવાદોનો અંત આવી ગયો છે, એવું જાહેરમાં કહી ‘રાજ ઠાકરેએ તો એમને વતન પંઢરપુરમાં દફનાવવાની અપીલ પણ કરી. રાજે હુસેનનું કેરિકેચર દોરેલું, જે ખુદ હુસેને જ મુસ્કુરાઇને ૧૯૯૯માં ભાવથી નિહાળેલું. હુસેનને ભારતના લાજવાબ ખજાનો કહી રાજ ઠાકરેએ એમની સ્મૃતિમાં પોતે એક પેઇન્ટંિગ દોર્યાનું પણ ભાવાવેશમાં કહ્યું!

યસ, હુસેનને જે ગમતું એ આ ભારત છે! તમે કલ્પના કરો કે, ધારો કે સલમાન રશદી જન્નતનશીન થાય, તો એના પર ફતવો બહાર પાડનારા આયાતોલ્લાહ ખૌમેની આવી ખેલદિલ અંજલિ એમને આપે? (ખૌમેની હયાત નથી, અને રશદીને સવાસો વરસ જીવવા મળે એવી વિશ. પણ આ તો ફકત ધારવાનું છે!) પણ આ ૠષિઓની અખિલાઇના સંસ્કારસંિચનથી રસબસતા મલ્ટીડાયમેન્શનલ ભારતના લોહીમાં છે. એટલે જ હુસેનને ભારત બહુ વ્હાલું હતું. હુસેને અમેરિકાના અનુભવો બ્યાન કરતાં એમણે લખ્યું હતું….

‘અમેરિકન ટેવ એવી કે દરેક વાત પ્રોગ્રામથી જ કરવાની હોય. દરેક સંબંધનો કાર્યક્રમ, દરેક વિચારનો કાર્યક્રમ, પ્રેમ કરવા માટે પણ વીકએન્ડ પ્રોગ્રામ’ મહીનાઓ પહેલા બનાવાય…!.. આ ઝળહળાટમાં જરા હિન્દુસ્તાનના પરિદ્રશ્ય પર નજર નાખીએ. પાંચ હજાર વરસ જૂની સાંજ કયાંક ને કયાંક કોઇ નદીના કિનારે ન્હાતી મળશે! (વોટ એ પોએટિક વિઝયુઅલાઇઝેશન!) શું આ દ્રશ્યની વહેતી લહેરોને આ યુગના વેપારી, ભલે કોઇપણ દેશના હોય, શું બિસલેરી કે કોકોકોલાની બોટલમાં બંધ કરી શકે છે?’

વાહ, ભારતને ઓળખવું ખૂબ અઘરૂં છે. અહીં તો બીભત્સ પણ એક રસ છે ! કેવળ કુટિરમાં બેસીને ઘ્યાન કરીને આત્મકલ્યાણ થાય. પણ રંગબેરંગી ભારતનું રહસ્ય ઉકેલી ન શકાય! એ માટે તો કૃષ્ણનો આનંદ, રામનો આદર્શ, કાલિદાસનો શૃંગાર, વ્યાસનો વિચાર. આ બઘું ઘોળીને પી જવાની (અને પછી પચાવી જવાની) ત્રેવડ જોઇએ. આ દેશ ઉપદેશ પણ કળા અને કવિતામાં આપતા શીખ્યો છે. અહીં કમાન્ડમેન્ટસ નથી, શ્વ્લોકોના ગાન છે. ઉપરવાળાના હૂકમો નથી, એને પણ ઘર-ઘરમાં રમતાં પાત્રો બનાવી દેતી કથાઓ છે. યુગોથી, સદીઓથી ભારતમાં જીવનનો ધબકાર એના સાહિત્યમાં, સંગીતમાં, ચિત્રોમાં, શિલ્પોમાં મુક્તપણે ઉઘડે છે. પણ એ ઓળખવા માટે આંખ નહંિ, કળાત્મક દ્રષ્ટિ જોઇએ. સંવેદનશીલતા અને સર્જકતાનું ‘ફિફટી-ફિફટી’ કોમ્બિનેશન ધરાવતો મારામારી જયુસ ધાવણની જેમ ધૂંટડે ધૂંટડે પીવાવો જોઇએ! કોઇ ટાગોર, કોઇ રજનીશ, કોઇ હુસેન જેવા એ ‘રેર’ કોમ્બિનેશનથી સજજ હોય છે. એટલે ભરજુવાનીમાં ટાગોર અર્જુનની કથા પરથી મૌલિક સર્જન ચિત્રાંગદા લખે છે. રજનીશ તત્વ દર્શન પર વ્યાખ્યાનો આપે છે, હુસેન ભારતીય ચરિત્રો અને લોકજીવન ચીતરે છે! એમની કદર કમનસીબે ભારત કરતા પશ્ચિમ વઘુ કરે છે. એ બધા આખા વિશ્વનુ ઉત્તમ જાતે જોઇ તપાસીને માણે છે, અને છતાંય એમના હૃદયમાં ભારતનું  મેઘધનુષી મોરપીંછ ફરતું રહે છે!

હુસેનના કુલ સર્જનના ૦.૦૦૦૦૧% પણ ન કહેવાય એવા ચિત્રો ફોરવર્ડેડ ઇમેઇલમાં જોઇને ઉશ્કેરાઇ જનારા લોકોને ન તો ભારતના છલોછલ ઇરોટિક વારસાની ઓળખ છે, ન તો એની સાથે હુસેને ફયુઝન કરેલા એ મોડર્ન આર્ટના ટ્રેન્ડ વિશે એ જાણે છે. હુસેન આદિવાસી ભીંતચિત્ર શૈલી અને તંત્રના જબરા પ્રશંસક હતાં. જગતમાં હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જયાં એંશી ટકા વસતિ કોઇને કોઇ લોકકળા (ગરબા, રંગોળી, ઓળીપો, ભરતગુંથણ, ભાંગડા, મેંદી, તોરણ, ચાકળા, માટીકામ, સુથારીકામ, લુહારીકામ…) સાથે જોડાયેલી છે. એવું એમણે ગળું ખોંખારી યુરોપની છાતી પર કહેલું. હુસેન દેવાંચી શપથ બોલતાં બોલતા પંઢરપુરમાં મોટા થયા હતાં. (આ વડોદરામાં ભણેલા વહોરાજી ગુજરાતી પણ બોલતા!) હુસેનને લગતા તમામ વ્યર્થવિવાદોની તળિયાઝાટક ચર્ચા તો હુસેનની હયાતીમાં ગુજરાત સમાચારમાં લખાયેલા અને સેંકડો જીજ્ઞાસુ ગુજરાતીઓએ પોંખેલા લેખોમાં વિસ્તારપૂર્વક થઇ જ ચૂકી છે! એ લેખત્રિવેણી એકસાથે નેટ પર અહીં વાંચી શકાશે. રાૉથ//(ૅનચહીાલપર્.ુગૅિીિજજ.ર્બસ) અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પરનો હુમલો આપણી અપરિપકવ લોકશાહીમાં બહુ ગંભીરતાથી લેવાતો નથી. મર્યાદા અને પ્રતિબંધોના બોજથી ભીંજાયેલી પાંખો કદી નવા વિચારના ગગનભણી ખુલ્લી ઉડાન ભરી ન શકે!

હંમેશા માણસ જાતને પોતાનાથી અલગ અને આગળ વિચારતા માણસો બળવાખોર કે પાપી લાગ્યા છે. એટલે જ હમેશા દરેક ક્ષેત્રનો જીનિયસ કોન્ટ્રોવર્શિયલ જ રહે છે. હુસેનના ચિત્રોમાં ભારતીયતા અનુભૂતિના અભાવે પશ્ચિમને પૂરી સમજાય નહિ, અને ભારતમાં એ કોઈને મોર્ડન આર્ટના નજરિયાથી સમજવી હોય નહિ! કેવી કરૂણતા! આર્ટિસ્ટની એક જુદી મસ્ત અલગારી દુનિયા હોય છે. એ પ્રોગ્રામ્ડ લાઈફ જીવી ન શકે. એ ઘૂની, ચક્રમ, તરંગી જ લાગે! પછી કિશોર જેવો ગાયક હોય કે, આઈન્સ્ટાઈન જેવો વિજ્ઞાની!

એમાંય વળી હાઇ સોસાયટીની નકાબપોશ દુનિયા જોઇને અજંપો અનુભવતા માર્કેટંિગ ફ્રીક હુસેન તો પાછા ગતકડાંના કીમિયાગર !

* * *

પંચગિની કે દહેરાદૂનની અમીરજાદાઓની સ્કૂલોમાં નહિ, પણ ગામડાની ગરીબીમાં મોટો થઈ, ફૂટપાથો પર રહેનાર હુસેન કેવી રીતે લીજેન્ડરી આર્ટિસ્ટ બની શકે? કારણ કે, એમની તાલીમ જીંદગીની મલ્ટીવર્સિટીમાં થયેલી, થોથાઓની યુનિવર્સિટીમાં નહિ! હુસેન કહેતા કે કેન્વાસ પણ એક દીવાલ છે, સાચા કલાકારોએ એ કૂદાવીને બહાર જોવાનું છે!’ ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગુ્રપ’ બનાવી રીતસર આઝાદીની લડત (૧૯૩૦-૧૯૪૦માં) લડેલા ‘સ્વાતંત્ર્યસેનાની’ હુસેન એટલે જ નિયમબઘ્ધ જીંદગીના વિરોધી હતા. મૃત્યુના બિછાને એમણે ફાલુદા ખાવાની ઈચ્છા પ્રગટ કરીને પછી કહ્યું એ લંડનનો નહિ, મુંબઈની શેરીનો હોય તો સ્વાદ આવે, જવા દો!

મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીના ‘સમોવર’ રેસ્ટોરાંમાં કોઈની સાથે ફોન પર વાત કરતા કરતા એમણે ટેબલ પર માઘુરી ચીતરી નાખી હતી! ત્યાં ઘણી વાર હુસેન પોતાની ઘુનમાં આવતા, કિચનમાં પહોંચી જતાં. એક રોટલી ઉંચકી, ઉપર દાળના લપેડાથી ચિત્ર બનાવતા અને ચૂપચાપ એ ખાતા – ખાતા નીકળી જતા! આવો ઈન્સાન જ કહી શકે કે મારી કબર પર લખજો ‘‘એણે આકાશને હથેળીમાં પકડીને કેન્વાસ બનાવ્યું.’’ હુસેન કહેતા હથેળીમાં વિધાતાએ (હસ્ત) રેખાઓ ચીતરીને આપી છે, એને ખેંચીને રંગ પૂરવા એનું નામ જીવન!

૨૦૧૧ એક બોલીવૂડનું શતાબ્દી વર્ષ હોય, એમને અતિપ્રિય ફિલ્મોનો ઈતિહાસ ચીતરતી એમને સીરિઝ આ વર્ષે કરવાની હતી. ચીનથી ભારત રેશમ આવતું એ પ્રવાસમાર્ગ ‘સિલ્કરૂટ’ કહેવાતો, એના માનમાં એમણે અમદાવાદમાં સિલ્કસ્ક્રીન પેઈન્ટંિગ કરેલા! ઘુરંધર દિગ્દર્શક સત્યજીત રાયે હુસેનની કળા પર ઓવારી જઈ, એમનું ચિત્ર બનાવેલું, હુસેને સત્યજીત રાયના અવસાન પછી શોકસભાના ભાષણને બદલે ટાગોરની ‘ચારૂલતા’ ચીતરેલી! હુસેનનો એક પ્રોજેકટ ભારતીય સભ્યતાનો ઈતિહાસ ચીતરવાનો હતો ઃ મોહેં જો દરોથી મનમોહન! જસ્ટ થંિક, હુસેન ગાયતોંડેને પોતાનાથી આગળ માનતા અને પોતાની પછી ચિત્રભાનુ મજુમદારમાં એમને પોતાનું સ્થાન લેવાની શકયતાઓ દેખાતી. પણ ભારતને કયાં ચિત્રકાર આવડો મોટો હજારો વર્ષોની ભારતીય સંસ્કૃતિની દાસ્તાન કહેતો આર્ટ પ્રોજેકટ વિચારે પણ છે? નવો છોડ વાવવાથી જૂના વૃક્ષે ઝીલેલી મોસમ એમાં ઊતરતી નથી. પ્રતિભા હોય, પણ નવ દાયકાથી આત્મસાત કરેલો કાલખંડ ક્યાં વેચાતો મળે ? હવે આ કોણ કરી શકશે ? વિશ્વભરમાં પિકાસોની સમકક્ષ ગુણવત્તાના મહાભારતના સૌથી વઘુ ચિત્રો હુસેને બનાવ્યા છે! આટલા અબજો ભારતવાસીમાંથી કોઈ હિન્દુ ચિત્રકારે આટલા ચિત્રો આવા બુનિયાદી મહાકાવ્યના બનાવ્યા નથી! સટાસટ સ્પીડમાં ચિત્રો દોરતા હુસેને પૃથ્વી ગ્રહ છોડતાં પહેલાં જો કે, નવેસરથી રામાયણ ચીતરવાનો પ્રોજેકટ પૂરો કરેલો! આટલા વિવાદો વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ રહી, એમણે દુબઈ બેઠા રામાયણને એવી ગ્લોબલ લેવલે ચીતરી, જાણે કોઈની દુભાયેલી લાગણીનું કળાકારે કરેલું આખરી તર્પણ!

અંગત રીતે એમની મરજીથી નિહાળવા મળેલા એ ચિત્રો જોઇને ધન્ય થયેલી આંખોમાં એક જ શબ્દ અંજાયેલો છે- અદ્‌ભુત ! આ જ અનુભૂતિ એમના અફલાતૂન આત્મકથા વાંચીને થાય.

હુસેન વિવાદો માટે કહેતાઃ ‘મેં મારું કામ લવ એન્ડ કન્વિકશનથી કર્યું છે, ઘણી કળા આવતી કાલ માટે હોય છે, પણ કોઇની લાગણી દુભાય તો માફી માગું છું.’ પણ એ સ્પષ્ટતા ધરાર એમના વિરોધીઓએ સાંભળી નહિ. એ લોકોનું બ્રેઇન વોશંિગ પોલિટિકલી થયેલું છે : એમનામાં નેગેટિવેટીનું ‘ઇન્સેપ્શન’ સફળતાપૂર્વક કેસરિયા બ્રિગેડે કર્યું છે ઃ પરંતુ ગેરસમજ છતાં હુસેનમાં કોઈ કડવાશ નહોતી. બઘું ભાગ્યના હવાલે છોડી એ મસ્તીથી પોતાનો કર્મયોગ કરતા રહેતા. અને ઉપરવાળાએ એમના આ સમર્પણના બદલામાં એમને સજા નહિ, પણ મજા જ મજા કરાવી હતી! જો સરસ્વતી કોપાયમાન થયા હોત તો ૯૬ વર્ષે મકબૂલડોસાના ઘૂ્રજતા હાથ પીંછી પકડી જ ન શકતા હોત! બટ હી વોઝ હેડ એન્ડ હાર્ટી. ૧૪ કરોડની, બુગાટી વેરોન કાર દુબઈમાં ડેબિટ કાર્ડથી ખરીદી ત્યારે શોરૂમના સ્ટાફે તાળીઓ પાડેલી! કોઈ શેખ પણ આવડી મોંઘી કાર રોકડેથી ન ખરીદે! લક્ષ્મીની પણ કૃપા !

૯૫ વર્ષે એ દોસ્તોનો બાવડું પકડી ‘ઈશ્કિયાં’ કે ‘દબંગ’ જોવા થિયેટરમાં લઈ જતા! જરા કલ્પના તો કરો, નાઈન્ટી પ્લસનો કોઈ ડોસો મોક્ષને ઓસડિયાંની વાતો કરવાને બદલે બાઈકને કિક મારતો હોય, ભાઈબંધોને પકડીને ઠેકડા મારતો ફિલ્મ જોવા જતો હોય! નીચેવાળાએ નહિ, પણ ઉપરવાળાએ હુસેનની પૂરી કદર કરી.ઘરના ઘી-દૂધ, જીમ અને યોગથી પણ ના મળે એવું ફૂલગુલાબી સ્વાસ્થ્ય આપ્યું. ૯૬ વર્ષની છેક સુધી એક્ટીવ જીંદગી આપી. આખી દુનિયાનો પ્રવાસ કરાવ્યો, જગતના શ્રેષ્ઠ ઐશ્વર્ય અને સૌંદર્યની સોબત આપી! ભર્યું કુટુંબ અને દાયકાઓ સુધી ચમકતા નામદામ આપ્યા. દોલત, શૌહરત અને પોતાનાથી ચોથા ભાગની ઉંમરની ખૂબસૂરત ઔરતો પોતાને ટ્રિબ્યુટ આપે તેવી ખુશકિસ્મતી આપી…

૯૬ વર્ષની રંગીન જીંદગી, અંતે કોરો કેનવાસ થઈ ગઈ!

ફાસ્ટ ફોરવર્ડ

મરણાંતાનિ વેરાણી નિવૃત ન પ્રયોજન’

 

(ભારતમાં તો યુઘ્ધક્ષેત્રમાં જેને મરાવેલો એ કર્ણના પણ ઉમદા ગુણો ખાતર એના અંતિમ સંસ્કાર કૃષ્ણ કરે છે. વાલ્મીકિ રામાયણ યુઘ્ધ કાંડમાં ૧૦૯મા સર્ગમાં શોક-ક્રોધથી આવેશમાં મૃત રાવણને કોસતા વિભીષણને સ્વયં રામ આ ૨૫મો શ્વ્લોક કહે છે. વેરઝેર બધા મરણ સાથે પૂરા થાય ,જનાર સાથે કોઈ હિસાબકિતાબ બાકી રહેતો નથી.)

(છપાયા તારીખ ૧૯ જૂન , ૨૦૧૧ )

 ૫. લાગણી, દર્દ, મહોબ્બત અને અઘૂરી આશા

એક જગા પર જો જમા થાયે, હૃદય થઇ જાએ!



ખાખી વરદી પહેરેલો ચોકીદાર શાળાના દરવાજા પર ઉભો છે. હાથમાં વગાડવાનો ડંકો છે. શાળાના હેડમાસ્તરની બારીમાંથી દીવાલ પર લટકતી ઘડિયાળ ટીક ટીક કરતી દેખાય છે. જેવો ઘડિયાળે એક વગાડયો, ચોકીદારે ટનાટનટન ઘંટ વગાડવો શરૂ કર્યો. વર્ગમાંથી છોકરાઓ બોલની જેમ ઉછળતા-કૂદતા મેદાનમાં આવી ગયા. છોકરો દોડયો શાળાના આંગણાના ખૂણા તરફ, જ્યાં દાદા બગલમાં રોટલી-શાકનો ડબ્બો દબાવી લાડકા પૌત્રને શોધી રહ્યા છે…

દરરોજ બપોરનું ખાણું દાદા અને પૌત્ર, આમલીના ઝાડ નીચે બેસીને ખાતા. છોકરો હંમેશ દાદાની નજર ચૂકવીને ઝાડ પરથી પડેલી આમલી મોંમાં એવી રીતે દબાવતો જાણે લાડુ. (એક વાર (મા વગરના છોકરાને કોઈકે પૂછયું ‘તું ક્યાંથી આવ્યો?’ એણે જવાબ આપ્યો ‘દાદાના પેટમાંથી!’)

એક દિવસ દાદા બહારથી ઘેર આવ્યા. અંદર ધમાલ મચી ગઈ. મોટા વિદ્વાન અતહરની ઓરડીમાં કોઈ ન હતું ત્યારે છોકરાએ, ચોપડીના પાના પર બુર્શક જેવા ઉડતા ઘોડા ચીતરી માર્યા હતા. સર સૈયદની ગીચ દાઢીમાં ચકલીનો માળો બનાવી દીધો અને લોર્ડ કર્ઝનના નાકમાં જડ, મામા અતહર ઘૂંઆપૂંઆ, છોકરાને ધમકાવીને બહાર કાઢયો. દાદા વાંસની સળીનો પડદો પકડી ઉભા રહ્યા. એકદમ સ્તબ્ધતા છવાઈ ગઈ. પડદો ખેંચીને ફેંકી દીધો. ઘરમાં જેટલા હતા, બધાને હાજર કર્યા. ચોપડીઓ એક-એક કરી દરવાજાની બહાર સડક પર ફેંકવી શરૂ કરી, અને ગરજતા અવાજે કહ્યું ઃ ‘‘આ છોકરાની રેખાઓ ભારે ખરબચડી કેમ ન હોય, કળા અને તત્વજ્ઞાનના પાના પર કેમ ન હોય… આ ઘરમાં કોઈને છોકરા પર આંગળી ઉઠાવવાનો અધિકાર નથી!’’ દાદા તરત જ છોકરાની આંગળી પકડીને ઘરની બહાર નીકળી ગયા. સ્ટેશનરીની દુકાને ગયા અને ખૂબ બધાં કાગળ, પેન્સિલ, રબર ખરીદી લીધા.

* * *

જી રીડરહૂઝર, આ સત્યઘટના છે- મહાન ભારતીય ચિત્રકાર મકબૂલ ફિદા હુસેનના બાળપણની. એમના જ ચોટડૂક શબ્દોમાં ટૂંકાવીને મૂકી છે. આપણે વિશ્વભરમાં કળા-સાહિત્યનું પહેલું પારણું ઝુલાવનાર ભારત ‘એસ્થેટિક સેન્સ’ (સૌંદર્ય દ્રષ્ટિ) અને ‘આર્ટિસ્ટિક સેન્સ’ (કળાસૂઝ)માં મંદીની વેચવાલીમાં છે, દેવાળિયું થતું જાય છે. ચાંપલા ચોકલેટિયાઓને ક્લાસિક લિટરેચર બોરિંગ લાગે છે. મ્યુઝિયમોમાં સ્મશાનવત શાંતિ છે. સ્કૂલ-કોલેજોમાં ગોખણપટ્ટી છે. એમાં આર્ટને સમજવાની- ચાહવાની બારીક, મહીન વાતો ક્યાંથી આવે? જાડી આંગળીઓ કદી નમણી રંગોળી ન કરી શકે! જાડી બુદ્ધિમાં કોમળ જીવન કુંપળનું ઠૂંઠૂં થઈ જાય!

જે સંસ્કૃતિના નામે આપણે ફુલાઈને હિપોપોટેમસ થઈ જઈએ છીએ, એનો બુનિયાદી અભ્યાસ કરવાની આદત પણ આપણે કેળવી નથી. કારણ કે, એમાં કોઈ નફો નથી. પોતાની માન્યતાઓ સાચી ઠેરવવાના એલીફન્ટસાઈઝ ઈગો રાખીને જીવતા દેડકાઓનો સમાજ આપણે બનાવીને બેઠા છીએ. બેડોળ આકાર, કર્કશ ઘોંઘાટ.

પૂરી સભાનતાથી, સંતુલનથી, સમજદારીથી અઢળક કિતાબોના પાનાઓ પર ગલોટિયાં ખાઈને કહેવું પડે છે કે, અત્યાર સુધીમાં વાંચેલી દેશ-વિદેશની આત્મકથાઓમાંથી સર્વશ્રેષ્ઠ કોઈ લાગી હોય, તો તે હુસેનની છે! અહોભાવને લીધે આ આત્મકથા ગમી છે, એવું હરગીઝ નથી, ઉલટું આત્મકથાને લીધે અહોભાવ વઘ્યો છે! કારણ કે, ઉત્તમ આત્મકથાના સિક્કાની બંને બાજુ એમાં ચકચકિત છે. એક છે, પ્રામાણિકતા. આત્મકથા એ નવલકથા નથી. એમાં પાને પાને સચ્ચાઈનો રણકો ગુંજવો જોઈએ. બીજી છે કવિતા. આત્મકથા એ અહેવાલ પણ નથી. એમાં શબ્દે શબ્દે સર્જકતાનું માદક માઘુર્ય નીતરવું જોઈએ! ચિત્રકાર સ્વર્ગસ્થ જગદીપ સ્માર્તે ગુજરાતીમાં ઉતારેલી ‘દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો’માં આ મેજીક છે!

કલાકારનું ઘડતર કેમ થાય? જીનિયસ છતાં જનરસ દિમાગો જીંદગીના રસના ધૂંટ કેમ ગટગટાવતા હોય છે? વાત હુસેનની નથી. વિવાદોની પણ નથી. વાત છે, જીંદગીના સાચા વાસ્તવિક રંગોમાંથી શિશુ સહજ મસ્તીમાં પસાર થઈ જતાં એક ભેજાંબાજ આર્ટિસ્ટની. આ માણસની અંદર બહુરંગી જીવનના ધબકારની રોમેરોમ ઝીલવાની કેવી પરખ અને તરસ હતી, એ અનુભવવાની. કદી કળા અને જીવનનો સંબંધ સરખી રીતે આપણી શૂન્યમય શિક્ષણપઘ્ધતિ શીખવાડતી નથી. એટલે ધરતી ઘુ્રજાવી દે એવા કળાકારો આપણે ત્યાં પેદા થતા નથી. વાત ગરીબીની નથી. જગતના અનેક મહાન સર્જકો ગરીબી શું, યુઘ્ધના રક્તપાત વચ્ચે પેદા થયા છે. વાત છે ઓરિજીનલ ક્રિએટિવ ઈમેજીનેશન પ્રત્યેના અભિગમની. માહોલની.

લગભગ શતાબ્દી પહેલા પંઢરપુરના એક ગરીબ બુઝૂર્ગે પોતાના પૌત્રની ઈચ્છા જોઈને એને ચિત્રકામમાં ઉડવા માટે છૂટો મૂક્યો. હુસેનને એટલે જ દાદા બહુ વહાલા હતા. હુસેને દાદાનું મૃત્યુનું મર્મસ્પર્શી વર્ણન કર્યું છે. પોતે બાળક હતા, બહાર રમતા હતા. દાદા મરણપથારીએ. જાન ગળામાં અટકેલો. બહારથી પૌત્ર મકબૂલને બોલાવાયો, દાદાએ મૂઠ્ઠીમાં બંધ રાખેલી ચોળાયેલી દસની નોટ વ્હાલા પૌત્રના નાનકડા હાથમાં મૂકી (જેની એક સહીથી ચિત્રનો ભાવ કરોડોનો થતો, એ કલાકારની આ પહેલી મૂડી હતી. લકી ચાર્મ!) દાદાની બંધ આંખોના ખૂણે એક આંસુનું ટીપું નીકળ્યું, અને સરીને દાઢીના કિનારે આવી અટકી ગયું. હુસેને શબ્દો પાસેથી પીંછીનું કેવું લાજવાબ કામ લીઘું છે! ‘‘(દાદાની ખીંટીએ લટકતી) અચકનની બાંયોમાંથી નીકળતા હાથ હવે દેખાશે નહિ, જેની આંગળી પકડીને એક દૂબળો પાતળો છોકરો ચાલ્યો કરતો હતો!’’

દરેક ટેલન્ટની વિરાટ પ્રતિમા તળે કોઈ બચપણનો કોઈ ગુમનામ પાયો હોય છે, જેના પર મૂર્તિ ટટ્ટાર ઉભી શકે છે! હુસેનની અલગારી સૂફી મસ્તી હતી અને લાયબ્રેરી સમાય એવું દુનિયાનું ડહાપણ પણ હતું.જેમ કે, વિકૃત કહેવાતા આ વૃઘ્ધની સ્ત્રી અંગેની વેદનાથી ગળે બાઝતો ડૂમો! લો વાંચો (શબ્દો એમના, સંક્ષેપ આપણો).

* * *

દિલ્હીનું નિઝામુદ્દીન. એક ભિખારણ નૂરજહાં. સુંદર. પાંચ વરસની છોકરીવાળી. વર છોડીને ચાલ્યો ગયેલો. નૂરજહાં ક્યાંય વાસણ-કપડા કરવા જાય, તો તક મળતા મકાનનો માલિક એનો દુપટ્ટો પકડી લેતો. ફરી પાછો ભીખનો ખાલી વાડકો. નૂરજહાંની છોકરી નવ વરસની થઈ. ઉઘડતો વાન, નાકનકશો યુવાનીમાં ઉભી થનાર મુશ્કેલીના ઈશારા કરવા લાગ્યો. લોકોની આંખો ગંદા નાળાની જેમ ખુલીને ખુલ્લી રહેવા લાગી. નૂરજહાંએ તરત જ છોકરીનું માથું મુંડાવી દીઘું. પણ ગોદડીના હીરાને ગમે તેટલો છૂપાવીને રાખો, એ દબાયેલી ચમકતી જ્વાળાઓ અંધારાને ચીરીને બહાર આવી જ જશે.

એક સાંજે નૂરજહાં હુસેનસાહેબની મોટર પાસે આવી ધોધમાર રડી પડી. હુસેન છ વરસથી એમની ચૂપચાપ કાળજી રાખતા. હુસેનને જે બીક હતી તે બનીને રહ્યું. વસ્તીમાં દાનધરમ છે. ‘જુમેરાત’ છે. ગરીબો- ફકીરોની દુઆ છે. મોટા સામાજીક ઉઘ્ધાર/કલ્યાણ કેન્દ્રો છે. હમદર્દનું દવાખાનું છે. ગીચ બસ્તી અને બાજુમાં પોલિસ ચોકી હોવા છતાં નૂરજહાંની અગિયાર વરસની છોકરીનું અડધી રાતે મોઢા પર બુકાની બાંધેલા ત્રણ ગુંડાઓ અપહરણ કરી ગયા, આ જ સુધી એ લાપતા છે!

કટ. વર્ષો પછી રોમ શહેરના સ્પેનિશ પગથિયાં પર ફૂલ વેચવાવાળી ક્રિસ્ટીના રસ્તે ચાલતા પ્રેમમાં ડૂબેલા ડગમગતા પગલાંનો અવાજ સાંભળીને ટોપલીના ફૂલ ગણવાનું શરૂ કરી દે છે. સાંજ ઢળતાં જ ક્રિસ્ટીનાની દીકરી મારિયા વધેલા ઘટેલા ફૂલો અને માને ઘેર પહોંચાડી દે છે. (હુસેન કેવી ક્રિએટિવલી ક્રિસ્ટિના અંધ છે, એ વાત મૂકે છે!) એક રવિવારે મારિયા નાનીને મળવા માને લઈ દૂરના ગામે ગઈ. રસ્તામાં ગોથિક ચર્ચ તૂટેલુંફુટેલુ. મા ને દીકરી પોરો ખાવા આડા પડયા. થોડી વાર પછી એક ચીસ સંભળાઈ. માં ચોકી. પાસે દીકરીને ફંફોસી. કોઈ નહિ. ભાંગેલી ભીંતની પાછળથી ચીસ સંભળાતી હતી. મા દોડી, ચારે તરફ અંધારુ. બેન્ચ સાથે અથડાઈ. ચીસનો અવાજ બંધ થતાં જ સૈનિકોના જોડાંઓનો અવાજ દરવાજામાંથી બહાર જતો સંભળાયો. ચર્ચના એક ખૂણામાં મારિયાનું શરીર પડેલું મળી આવ્યું, માત્ર અંધારાથી ઢંકાયેલું! (કેવું સ્તબ્ધ કરી દેતું વર્ણન!)

આ છે માણસજાત. ટાગોરની ભાષામાં તરસ્યા પથ્થર જેવી. ચિત્રોમાં પવિત્રતા શોધતી, અને ચરિત્રમાં શિકારી કુત્તાઓને પંપાળતી! સંવેદનશીલ હુસેને આવી જ ઘટનાઓ ટીનએજની દોસ્ત જમુના, બતૂલ સાથે નિહાળી- એટલે સ્ત્રીના સૌંદર્ય સાથે માણસના મનોભાવોની કુરૂપતાનો સંગમ એમનો અભિવ્યક્તિનું એક અનુસંધાન બન્યું.

* * *

હુસેન ભારતની નાગાબાવા, મદારી, હાથીના દેશની પશ્ચિમી ઈમેજ તોડવાની વાત પણ કરે છે. અને જગતની શ્રેષ્ઠ પ્રતિમાઓ, કથાપાત્રો અને ફિલ્મોનો ચટાકેદાર રસાસ્વાદ પણ કરાવે છે! સોફિયા લોરેન માટે લખે છે- આ સ્ત્રીએ જુવાન પુરૂષોની છાતીમાં નાના નાના ટાઈમ બોમ્બ મૂક્યા! તો છ દેવીઓને કેન્વાસ પર ચીતરવાના એક લાઈવ શોની ચેલેન્જ વ્યક્ત કરવા માટે ઉપમા આપે છે- જાણે શિવજીની જટામાં ગંગાની તડપ! આ વિશ્વનાગરિક માટે આખી દુનિયા જોડાયેલી છે. બધી સંસ્કૃતિના રંગો જાણે પ્રકૃતિના પરમ ચૈતન્યના શ્વેત રંગમાંથી નીકળે છે. ભાભી એઠાં વાસણ માંજતા, એના ‘શિન શિન ક્રિચ ક્રિચ અવાજ અને પાણી ભરેલી ડોલમાં ગૂટરગૂ કરતો ડૂબતો- તરતો લોટો’ પણ એમના માટે એક સૂર રચીને જીવનસંગીત બનાવે છે! જેની સરખામણી ફ્રાન્સના જોન કેજના આવાંગર્દ કોન્સર્ટના અનુભવ સાથે કરે છે. એમની નજરમાં કાળ, સરહદ, સંસ્કૃતિના કોઈ ભેદ નથી.

આત્મકથાની શરૂઆત લોકો નેચરલી પોતાના જન્મથી કરે. આ તેજસ્વી મનસ્વી ઘૂની કલાકાર ખૂબ નજાકતભર્યા વર્ણનથી પોતાના ગર્ભાધાનની ક્ષણથી કરે છે! એ બાળપણમાં ખોવાઈ જતા નથી, પણ બાળકની આંખે દુનિયાનો તમાશો જુએ છે. નાની-નાની વિગતો ખિસ્સામાં ભરીને! આત્મકથાના ઉપાડના શબ્દચિત્રનું ડિટેઈલંિગ જુઓઃ મરદના મેલા રંગનું ભુરૂં ખમીસ અને છોકારની ખાખી ચડ્ડી. મલમલનો નારંગી દુપટ્ટો, સાયકલની તૂટેલી ચેઈન, વાંસની વાંસળી, ગુલાબી રંગના કાગળની પડીકીમાં વીંટી, મીઠાઈનો ડબ્બો – આશ્ચર્ય કે, એમાં કીડી નથી! (કયા બાત હૈ!)

હુસેન કહે છે ઃ ચાલો, માટીના ઘડાને પૂછીએ, એનું મોં તો ખુલ્લું છે, પેટમાં વાત કેવી રીતે છૂપી રહે? સદીઓની તવારિખ અને સંસ્કૃતિનો ખજાનો આ જ માટીના ઘડામાં દટાઈ જાય, તો પણ સમયની કોદાળી એને જમીનના ઘરમાંથી શોધી કાઢે છે! (કાળના પ્રવાહને જોવાની કેવી સમ્યક નજર!) એમના જ શબ્દોમાં -મા વિના ઉછરવાની કણસતી ચિનગારી અજંતાની સુંદર અપ્સરાઓને મળી, મોહેં જો દડોની જમીનમાં દટાયેલા વાસણો ફંફોસ્યા, કરબલાની તપેલી રેતીમાં આંગળીથી ‘ઈબ્નેઝેનબ’ લખ્યું, નેમરૂદ (ઇજીપ્ત)ની ‘નેફરીતી’ની પૂછયું, ડિમેલોની વીનસ, માઈકલ એન્જેલોની પિયેતા, લિયોનાર્દો દ વિન્સીની મોનાલિસા અને વિકાસોની ‘માદામોઝેલ દ વિન્સીની મોનાલિસા અને પિકાસોની ‘માદામોઝેલ દ આવિન્યો’ને મળવાથી પણ ન ગભરાઈ! (વોટ એ રેન્જ ! આ બધા સિમ્બેલ્સ કળામહર્ષિ સિવાય કોણ સમજે? માઈન્ડબ્લોઈંગ!)

નાનપણથી હુસેને જીંદગીને શ્વાસમાં ધૂંટીને એનો ઉચ્છ્‌વાસ હાથોથી બહાર કાઢવાનું ચાલુ કર્યું. એ જમાનામાં કાગળ પર એનિમેશનની અદાથી ફિલ્મોના ચિત્રો દોર્યા. પૂંઠાનું પ્રોજેકટર બનાવી એ ‘રેખાંકન’ની રીલ-એમાં ફેરવી અને ખેડૂત – બળદગાડીની ‘હાલતી ચાલતી ફિલ્મ’ વાળું બારાહ મન કી ધોબન દેખો વાળું બાયોસ્કોપ બનાવ્યું. ચાચાના ઓરડામાંથી સિગારેટની ડબ્બીઓ ભેગી કરી એમાંથી મહેલ બનાવ્યો. ઝરૂખા, રાજારાણીનું જોડું, નાના – નાના હાથી ઘોડા, લીલાં પોપટોથી ભરેલા નાના – નાના – ઝાડ – આ બઘુ શણગારીને મોહરમના તાજિયાની જેમ માથા પર ઉપાડીને સ્કૂલમાં ‘હસ્ત ઉદ્યોગ’માં પહેલું ઈનામ મેલવ્યું (બાળકોની કેટલીય આવી નેચરલ ક્રિએટિવિટીનું કબ્રસ્તાન આપણે ત્યાં હોમવર્ક અને વર્કંિગ હોમ વચ્ચે ચાલતી માર્કસની રેસમાં બને છે!) ગુજરાતમાંથી ગ્લાસપેઇન્ટિંગ શીખ્યા અને કેલિગ્રાફી કરી દોસ્તોને ભેટ આપતા. મેદાનોમાં દોડતા, અચ્છા દોડવીર દશેરા – દિવાળીએ ઢીંગલી પણ ખરીદે. મસ્કતી ખજૂરમાં અલિફના શબ્દો ઉકેલે. હૈદ્રાબાદની શિલાઓનાં ગીતાંજલિનું ગુંજન સાંભળે!

હુસેન લખે છે ઃ ‘‘થંભી જવું પડે છે, માત્ર ચમકતી દમકતી સોસાયટીઓના ઝમેલામાં. ત્યાં ખૂબસુરત પહેરવેશ અને મહેરાંની પાછળ હંમેશા છેતરાઈ જવાનો ડર લાગે છે. કહેવાય છે કે સાથે ચાલવાવાળો લૂંટારો હોઈ શકે છે. પરંતુ આજકાલ તો ભય એક અટકી ગયેલા માણસનો છે, દરેક રીતે અટકી ગયેલો, કોઈને કોઈના લાગમાં બેઠો હોય છે!’’ બચપણમાં એક શ્રીમંત સહપાઠી અન્વરે માત્ર હુસેનની ઈર્ષાથી હુેસનની આંખમાં મરચાંની ભૂકી નાખેલી એ યાદ કરી એ ચેતવણી આપે છે ઃ ‘‘આ ઈર્ષાના લાલ મરચાંના વેપારી પોતાના આનંદ માટે દરેક રંગોના મેળામાં ધૂસી જાય છે. આનંદ અને વાદ્યોના તરંગો એમના કાનોને ન્હોર ભરવા લાગે છે. હાસ્ય એમને કઠે છે. સારાં શેર શાયરી એમને મૂરઝાવી દે છે… મરચું છાટવું એ વેપારીની પ્રકૃતિ છે, એ ખુલ્લા ઘાને શોધતા ફરે છે! ખુલ્લી હવામાં એમનો શ્વાસ રૂંધાવા લાગે છે!… આ રીતિરિવાજના ઠેકેદાર, અક્કલ અને સમજના પહેરેદાર, સંસ્કૃતિ અને સભ્યતાના ચોકીદાર માન્યતાનું પૂંછડું લઈ સમાજમાં ફરી રહ્યાં છે, ંઅંધારી રાતોમાં ખુલ્લી બારીઓમાં બંધ આંખોને શોધે છે. બંધ મુઠ્ઠીમાં ઈર્ષા અને નફરતની આગથી એમની આંગળીઓ દાઝી રહી છે.’’

હુસેન માનતા પેટની ભૂખ ઠારવા બે રોટલી જોઈએ, પણ બુઘ્ધિના ખોરાકની સીમા નથી. ઓળખ અને સમજની શોધમાં દુનિયાના ખૂણેખૂણા ફરી વળો. પછી મુઠ્ઠી બંધ રહી તો લાખની, ખુલી તો ખાખની! બકૌલ હુસેન ઃ ‘‘એક કળાકારને દરેક પ્રાપ્તિ સમયે કોઈને કોઈ અભાવની તીવ્ર લાગણી અંદરથી થવી જોઈએ… આમલીના ઝાડની અગણિત પાંદડીઓ ને આકાશી છત પર જડેલા તારાઓનો હિસાબ કયારેય થઈ શકે છે? પછી કરોડો સદીઓની શોધખોળના અંતે જીવનનો હિસાબકિતાબ પૂરો થઈ શકયો છે?… આ સૃષ્ટિનો પ્રત્યેક કણ પોતાના અસ્તિત્વમાં અઘૂરો છે. સ્ત્રી અઘૂરી અર્ધનારીશ્વરની કલ્પના માણસના મગજમાં એટલા માટે જન્મી છે કે દુનિયાના કારખાનાથી હતાશ થઈને એ જીવ ન છોડે.’’

હુસેનની કથાના સમાપનમાં એમનાં જ આર્ષવાણી જેવા શબ્દો કામ લાગે છે. ‘‘માનો ખોળો બચપણમાં છીનવાઈ જવાથી કોઈ એવું પારણું પણ ન રહ્યું, જેને યશોદામા ઝૂલાવે… માનું ઉંઘને બોલાવતું હાલરડું કયાં? કાનમાં બસ અવાજ ગુંજે છે ઃ જાગતે રહો, જાગતે રહો… અને આ જાગરણ ચાલુ છે. આ મેરેથોન, માઈલોના માઈલોની યાત્રા ચાલુ છે. કેન્વાસ પર રંગોની ભરમાર, આર્ટ ગેલેરીનું ગરમ બજાર, ઈન્ટરનેશનલ ઓકશન હાઉસનો સુપરસ્ટાર, બોલીવૂડની અપ્સરાઓનો પૂજક પણ અજંતા – ઈલોરાની દેવીઓનો ચરણસ્પર્શ કર્યા પછી! આખું જીવન વીતાવ્યું સૌંદર્યમાં બજારમાં પણ તે (હુસેન) સૌંદર્યનો સોદો કરવા નથી ગયો, સૌંદર્ય ફેલાવવા ગયો છે.

આ ઈર્ષા કેમ? આજના એમ.એફ. હુસેનને જોઈને? પાછા ફરીને ગઈકાલના મકબૂલને જોયો છે, જે પ્લે હાઉસની હુસેની ખીચડીવાળાના દાબામાં પાંચ પૈસાની ખીચડી પર મફત દાળ અથવા કઢી નખાવવા ઉભો રહેતો હતો? બે આનાની સિનેમા ટિકિટ માટે બે કલાક લાઈનમાં! મહિનાઓ સુધી વીસ વીસ ફુટ લાંબા ફિલ્મી હીરોઈનોના હોર્ડિંગ સીડીઓ પર ચડીને ચીતરતો! ચાલીની એક ઘરડી વિધવાની દીકરી સાથેના લગ્નમાં રસ્તે ચાલતા પાંચ દસ જાનૈયા અને સુહાગરાત ઉજવવા એક પોસ્ટમેન દોસ્તે ખાલી કરેલી બે રૂમમાંથી એક રૂમ! આ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી. આ અસલી સીન છે. મકબૂલની જીંદગીનો એક ભાગ, જેને લોકો નથી જાણતા, લોકો તો ઓ લખે છે એમ.એફ. હુસેનને જેના પર ચમકતી લાઈમલાઈટ છે!’’

જો વિચારવું પણ રાષ્ટ્રપ્રેમની વ્યાખ્યામાં આવતું હોય તો વિચારજો: આ બેકગ્રાઉન્ડથી હુસેનની કેવી જાયન્ટ છલાંગ હતી, જગતભરની કળાઓને સાહિત્યને સમજવાની અને એની હરોળમાં ઉભી રહે તેવી કળા સર્જવાની! એ કળાના જોરે કરોડો કમાઇને ઠાઠથી ખર્ચવાની! અંતે એની રઝળપાટ થંભી. એને માના હાલરડે નીંદર આવી ગઈ. પીંછીનો કાલિદાસ ગયો, કવિ વિવેક દેસાઇ કહે છે તેમ ચપ્પલ અહીં છોડીને ! અને એ મૂકતો ગયો સર્જકતાનો ધોધ, જેમાં મરજી પડે, તે ભીનો થતા રહેશે! સવા અબજના દેશમાં આવો કોઈ બીજો કળાના ‘હાઇ બ્રો’ ભદ્ર વર્ગ વચ્ચે આમ આદમીને સમજાતો ગ્લોબલ બ્રાન્ડ ઈન્ડિયન પેઈન્ટર પેદા થાય, એના પરોઢ તણાઈન્તેઝારમાં! (શીર્ષકઃ મરીઝ)

ઝિંગ થિંગ

 ‘કલાના પ્રવરં ચિત્ર ધર્મ કામાર્થ મોક્ષદમ્‌’

બધી જ કળાઓમાં શ્રેષ્ઠ ચિત્રકળા છે, જેનાથી મનુષ્યના ધર્મ, અર્થ, કામ, મોક્ષ સિઘ્ધ થાય છે. (વિષ્ણુધર્મોત્તર પુરાણ)

(છપાયા તારીખ ૨૨ જૂન , ૨૦૧૧ )


 
112 Comments

Posted by on June 9, 2011 in art & literature, india

 

112 responses to “તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે !

  1. Anwar patel

    June 10, 2011 at 5:43 AM

    Jay bhai… Tamaro blog ane tamaru lakhaan….thnx 4 all these.

    Like

     
    • jay vasavada JV

      June 15, 2011 at 5:18 AM

      thnxxxx 🙂

      Like

       
      • bhartendu gajjar

        June 10, 2012 at 1:13 PM

        dear jay, sharam thi mathu jhuki javani ghatna ane garv thi chhati faat faat thavani ghatna ek saathe bahu ochhi vaar banti hoy chhe.. aaje, hussain sir vishe vaanchi ne aa j feeling thaay chhe.. matrubhumi bharat pahonchi ne pehlu kaam hussain sir ni atmakatha kharidi ne vaanchvanu rehshe.. !!

        Like

         
  2. Bhavik Hathi

    June 10, 2011 at 5:48 AM

    જય ભાઈ,

    ખુબ આનંદ થયો તમને બ્લોગ જગત માં આવતા જોઈ ને. વરસો થી તમારો ચાહક છું. હવે વધુ એક માધ્યમ દ્વારા મળી શકાશે.

    – ભાવિક હાથી

    Like

     
  3. KK

    June 10, 2011 at 8:21 AM

    Thank JV for fulfilling our demands.
    As always, your write-up is genuine and convincing.

    Keep writing…

    Like

     
  4. jagrat

    June 10, 2011 at 8:39 AM

    ફોલો બટન ક્યા છે ?
    સર, આપણા સમાજમાં ગમે તે વિષય પર ગમે તેવી ગમે તે વ્યક્તિ પોતાને મને ફાવે તેવો અભિપ્રાય આપે છે અને તે જ સૌથી મોટો “શોખ” રહ્યો છે. શેરબજાર થી વ્હાઈટ હાઉસ સુધી ઓસામા થી ઓબામા સુધી કોઈ પણ જાતના તર્ક વગરની ફાલતુ કોમેન્ટો કર્યા કરવી અને કરૂણતા તે છે કે આ ઠોકશાહીમાં મીડીયા પણ આવી જાય છે . જે બાબતનું પુરતું નોલેજ ના હોય તેના થી અને તેના વિષે બોલવાથી દુર રહેતા આવડતું જ નથી . બીજી બાજુ સામાન્ય જનતા પણ કોઈ પણ ખારાય કર્યા વગર મીડીયા એ મારેલા બંડલને સાચુ માની વહી જાય છે .
    વેલકમ ઇન બ્લોગજગત & keep posting.
    જાગ્રત.

    Like

     
    • jay vasavada JV

      June 10, 2011 at 12:40 PM

      hu to navo savo chhu…follow butten tamne male to mane kahejo..hu follolw karish 😛 😀

      Like

       
    • jay vasavada JV

      June 15, 2011 at 5:19 AM

      subscribe e j follow button chhe , i guess.

      Like

       
  5. Ajay Patel

    June 10, 2011 at 8:58 AM

    superb JV.

    Like

     
  6. PBS

    June 10, 2011 at 9:25 AM

    Interesting read :
    http://www.sandeepweb.com/2011/06/10/death-of-a-pervert-may-his-soul-burn-in-hell/

    Opening paragraph is almost identical. This is just a recommended read, it does not mean I endorse all of his views–neither do I endorse all of your views.

    Liked by 1 person

     
    • jay vasavada JV

      June 15, 2011 at 5:15 AM

      so do i..but many of views r not just ‘views’ r nt just views but proven facts…da vinci code example to shivling , supreme court verdict to modern art principles r not views but facts 😛

      Like

       
  7. Potato Dreams

    June 10, 2011 at 9:58 AM

    Jay,

    As a child, I have spent long hours standing outside and circling around Hussain’s Gufa in Kasturbhai Lalbhai campus in Ahmedabad. I did not know how to get in but it kept on pulling me there for many days.
    Read through above articles and I want to thank you for sharing it.

    Like

     
  8. Manan Patel

    June 10, 2011 at 9:58 AM

    ae hajaro vachako mano ek hu pan.. ke jeno jivan ma matra drashtikon j nai pan potani khoj karvama tamara adbhut articles thi maru jivan badlayu che… kadach hu khud ne atlu na jani shakyo hot… thank you JV.. RIP Shri M F HUSSAIN.. have to emnni dafanvidhi emni janmabhumi par j thavi joiye… koi padmabhushan ane padmabhushan kalakar ni dafanvidhi videsh ni bhumi par thay ae matra ae kalakar nu j nai pan aa desh na kalapremi ane sacha arth ma jagrut nagrik nu pan apman che….

    Like

     
  9. Saurabh Shah

    June 10, 2011 at 10:04 AM

    Welcome to the world of blogs, Jay!

    Like

     
  10. himmatchhayani

    June 10, 2011 at 10:53 AM

    વાહ જયભાઈ…આપે હુસેન નો પરિચય કરાવ્યો..! આમા લખેલી ઘણી વાતો મને લાગુ પડે છે..
    કદાચ એવી કે.કશી ખબર વગર.લઈ ઉપડવુ….એકદમ સમજણ ચોખ્ખી થઈ ..અમુક પુર્વગ્રહો છુટ્યા..!

    Like

     
  11. Rajni Agravat

    June 10, 2011 at 10:57 AM

    વેલકમ , હવે આમને આમ બ્લોગ પર સમય ફાળવી શકો એવી અપેક્ષા.

    Like

     
    • jay vasavada JV

      June 10, 2011 at 12:37 PM

      rajnibhai…coz of same fear of time didnt started blog uptil now 😀

      Like

       
  12. Dr. Janantik Shah.

    June 10, 2011 at 12:08 PM

    though I don’t believe in GOD, but still believe that one even he/she is a common man or celebrity, must not insult the almighty. Late M.F. Hussein was a great painter , might be a noble man with Indian Heart; but some of his paintings were ridiculous & vulgar. he just tried to insult Indian mythology. we should not forget this.

    Dr. Janantik Shah.
    janantik@rediffmail.com

    Like

     
    • jay vasavada JV

      June 10, 2011 at 12:36 PM

      sir, thnx for comments, but it seems as usual, u didnt read rhe wrte ups here in full. 😛

      Like

       
  13. hirenantani

    June 10, 2011 at 12:35 PM

    જયભાઇ,
    બ્લોગ જગતમાં તમારું ઉમળકાભેર સ્વાગત છે. ઘણા લાંબા સમયની ઇચ્છા પૂર્ણ થઇ.

    Like

     
  14. Jayant Chauhan

    June 10, 2011 at 1:23 PM

    Bahu saras. Aa blog dwara tamara gyan, vicharo ane sarjnatmakata vadhu loko sudhi pohnche evi aasha, abhilasha, mahechchha!
    Thanxxxx!!

    Like

     
  15. Hemang Patel

    June 10, 2011 at 1:24 PM

    જયભાઇ, પુરેપુરુ વાંચ્યા પછી આખી માન્યતાને બદલવાની જરુર લાગે છે. મારા અળવિતરા વિચારોને નવી દિશા આપવી પડે તેનો સમય આવી ગયો લાગે છે. ખુબ સુંદર કાર્ય કર્યું જે બ્લોગ જગતમાં આવ્યા.

    Like

     
  16. Nainesh Vaghela

    June 10, 2011 at 2:30 PM

    you have done very good effort to understand us husain but…

    “When you teach a child that a bird is named ‘bird,’ the child will never see the bird again.”
    ~ Krishnamurti

    Liked by 1 person

     
  17. પંચમ શુક્લ

    June 10, 2011 at 3:46 PM

    Brilliant tribute!
    I must say, I enjoyed this post thoroughly.
    Please do put such posts for overseas friends like us.

    Like

     
  18. parthaniumanavati

    June 10, 2011 at 4:16 PM

    Good one JV!!! Keep it up!!! 🙂

    Like

     
  19. KK

    June 10, 2011 at 5:26 PM

    JV, there is another blog in circulation by your name. Is it yours too?

    http://jayvasavada.wordpress.com/

    Like

     
  20. Ravi Mistry

    June 10, 2011 at 5:46 PM

    Sirji….change the name of blog to “universejv.wordpress.com”….:) 🙂 :)….Superb writing again..aamaara maate ek navi website vadhi gayee surf karva maate…….

    Like

     
  21. parthaniumanavati

    June 10, 2011 at 6:14 PM

    JV Good one!! keep it up

    Like

     
  22. Urvin B Shah

    June 10, 2011 at 7:28 PM

    કોણે કહ્યું દિલ થી જોવાયેલું સપનું સાચું નથી પડતું! આનંદો, આવકાર. અને બાપુ શું એન્ટ્રી છે! તમે લોકશિક્ષણમાં સફળ થાઓ એવું દિલ થી ઇચ્છીએ.

    Like

     
    • Ravi Vyas

      June 11, 2011 at 11:22 PM

      kwikgunnn murrrugannnn!!

      24 hrs of insanity in explaining frnds and families about my stand for M.F.H. was simplified by 24minutes of reading this articles and still they are all in awe….!

      Like

       
      • Ravi Vyas

        June 11, 2011 at 11:25 PM

        kwikgunnn murrrugannnn!!

        24 hrs of insanity in explaining frnds and families about my stand for M.F.H. was simplified by 24minutes of reading these articles and still they are all in awe….!

        Like

         
      • Ravi Vyas

        June 11, 2011 at 11:44 PM

        well…thanks jaybhai…aa articles ma credibility e mate bandhay 6 lokoni karan k they can go to kolkata and see the pictures themselves, they can read valmiki ramayana and analyse it…they can endure the process of “bhaj govindam moodh-mate (that ultimately at least 1 hater however obsessive s/he may be….s/he should forgive the man in the question after his death and pray god for the betterment of his soul)” but…..aana mate sajjata joie k pote dimag k dil thi PAIDAL hata ane badalva mange 6….ena karta dikkaravu vadhu sahelu 6, ane jagat ma vandho e j 6 k most of badhi vastu/vyakti “path of least resistance” pasand kare 6!

        sarve bhavantu sukhina: ……!

        Like

         
      • jay vasavada JV

        June 15, 2011 at 5:10 AM

        આભાર દોસ્ત 🙂

        Like

         
    • jay vasavada JV

      June 15, 2011 at 5:16 AM

      thnxxxxxxxx

      Like

       
  23. Yashpal Jadeja

    June 11, 2011 at 12:18 AM

    Good one Jay saaheb…. Keep posting regularly…

    Like

     
  24. Bhupendrasinh Raol

    June 11, 2011 at 5:28 AM

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત,હુસેનને મૂળ સ્વરૂપે ઓળખાવવા બદલ ધન્યવાદ.તળિયા સુધી પહોચે ના તો જય વસાવડા શેના?કાબીલે તારીફ.
    હું અગિયારમાં ધોરણમાં ૧૯૭૨મા હતો ત્યારે બીજા મિત્રો ફિલ્મો જોવા જતા ને હું વડોદરામાં આવેલાં સ્વરૂપમ રજનીશ ધ્યાન કેન્દ્રમાં એમના ટેપ રેકોર્ડર દ્વારા મુકાતા લેક્ચર સાંભળવા જતો.સમય કરતા ખૂબ આગળ ચલાનારોએ સમાજની ગાળો ખાધી છે,અને હસતે મોએ ખાધી છે.હવે પછીના દિવસો ઓશોના છે.
    તટસ્થતાથી લખવું ખૂબ અઘરું છે જે આપ કરી શકો છો.
    ભાઈ હજુ ઘણા લોકોને ખબર નથી હોતી કે શિવના મંદિરમાં શેની પૂજા કરીએ છીએ.શિવ અને પાર્વતીના જનીન અંગોની પૂજા કરીએ છીએ તેવું ઘણા જાણતા નથી.એક મિત્રને મેં માહિતી આવી આપી તો કહે આવું ભગવાનને ના કહેવાય.ખૂબ હસવું આવેલું.એ માનવા જ તૈયાર નહોતો.
    ફેસબુક ઉપર તો મિત્રો બન્યા છીએ,અહીં પણ.ધન્યવાદ,અભિનંદન.

    Like

     
    • jay vasavada JV

      June 15, 2011 at 4:59 AM

      બહુ જ સાચી વાત છે, સાહેબ. હૃદયપૂર્વક આભાર..આપણે પણ વાચવાની મજા પડે છે.

      Like

       
  25. Khushbu Gani

    June 11, 2011 at 6:02 AM

    હુસેને દોરેલા હિન્દુ દેવદેવીના નગ્ન અને બીભત્સ ચિત્રો કે જેની સામે કહેવાતા હિન્દુ ઉગ્રવાદીઓએ વિરોધ કર્યો છે તે ચીત્રો બતાવીને તે ચિત્રો વિષે ચર્ચા કરી હોત તો ગેરસમજુતી દૂર કરી શકાત. એક ચિત્ર એવું છે કે એક વાંદરો જે હનુમાન છે અને તેની પૂંછડી ઉપર એક નગ્ન સ્ત્રી સીતા બેઠેલી છે. આ ચિત્ર માં શું કળા છે? શો સંદેશો છે? શું તત્વ જ્ઞાન છે? અને કયું સૌંદર્ય છે? આ વાતનો જવાબ હુસૈન આપી શકેલ નહીં. જો આપ્યો હોત તો સારું થાત. પણ તેના બની બેઠેલા પ્રવક્તાઓ પણ આપી શક્યા ન હતા.
    તર્ક કોને કહેવાય તેની નતો તેના પ્રવક્તાઓને ખબર હતી કે છે કે ન તો રજનીશને.

    Like

     
    • Bhupendrasinh Raol

      June 11, 2011 at 3:35 PM

      રજનીશ તર્ક અને અતર્ક બંનેના બાદશાહ,બ્રેઈન અને હૃદય બંને ઉપર વિચારવાનું એમનું પ્રભુત્વ અદ્ભુત હતું.હવે રજનીશને તર્કની ખબર નહોતી તેવું કહેવું એમાં કોઈ તર્ક જણાતો નથી.રહી ચિત્રકારીની વાત,એ આપણો વિષય નથી,એને માટે જયભાઈ જણાવશે.

      Like

       
    • jay vasavada JV

      June 15, 2011 at 5:09 AM

      ધારો કે એ ચિત્રો ણો કોઈ ખુલાસો કોઈ સર્જક ના કરે એટલે શું વિરોધ કરવાનો પરવાનો મળી જાય છે? લેખ ધ્યાન થી વાંચો. એમાં મોડર્ન અર્તને કેમ માનવી એ દ્રષ્ટિકોણની પ્રાથમિક સમજુતી છે જ. દરેક ચિત્ર સંદેશ અને તાવ્જ્ઞાન માટે જ હોય એવી ગાંધીવાદી માનસિકતા મનમાંથી કાઢી નાખો. આ ભારતની વિચિત્ર નબળાઈ છે. તમે જે ચિત્ર અંગે જાણવા માંગો છો એના વ્યક્તિ અને પરિસ્થિતિ મુજબ અલગ અર્થઘટન નીકળે..એક તો એ કે નગ્ન સ્ત્રી અસહાય છે, અને વાનરવેડા કરનાર પર પરાણે આધારિત છે…બીજું એ કે તોડફોડ કરનારના પૂછડે કોઈ કાળી આસક્તિ વળગેલી હોય છે…ત્રીજું અને રામાયણના સંદર્ભે જોઈએ તો સીતાની પુરુષોના હાથે ‘વલ્નરેબલ’ સ્થિતિ (રામ સાથેના વિવાદમાં રાવણ ઉપાડી આવ્યો-રામ ની મિલકત સમજી કબજો કરવા-એમાં સ્ત્રી નું સ્વતંત્ર અસ્તિત્વ નથી-પતિ ની ઓળખ છે) જોઈને માત્ર સેવાક્કૃત્ય કરવા આવેલા હનુમાન મનોમન ક્રોધિત થયા હોઈ શકે અને એમને એમનો રોષ પુરુષ ને બદલે લંકાદહન કરી સમાજ પર ઉતાર્યો હોઈ શકે..પ્રાચીન પત્રો આમ પણ વિચારે એવા અર્વાચીન અર્થઘટન ને મેજીક રીયાલીઝ્મ કહેવાય છે. જેમ કે હોલીવુડની હમણાં આવેલી ફિલ્મ થોરમાં જુનો પ્રાચીન દંતકથાનો નાયક નવા મનોભાવ સાથે રજુ થયો છે..અને આ તો કલામીમ્ન્સની માત્ર શરૂઆત કરાવી દીધી..હવે ઊંડા ઉતરો જાતે જ.

      Liked by 1 person

       
      • Envy

        June 25, 2011 at 9:14 AM

        🙂

        Like

         
  26. jjkishor

    June 11, 2011 at 7:56 AM

    સાવ પારદર્શક વાતો લખીને આપે શ્રી હુસૈનજીને અંજલિ આપી છે.

    આટલું બધું જાણવાની તક મળી (કે લીધી ) નહોતી. આજે સાચ્ચે જ એક કલાકારને, માંદી માન્યતાઓને, રાષ્ટ્રભક્તિના નામે ચાલી આવેલી વેવલી ધાર્મિકતાને જાણવાની તક મળી.

    ગુ, સમા.માં મારી ઉનાળા અંગેની શીર્ષક પંક્તિ માટે આપનો આભાર માનવા મેં આપનો ઈમેઈલ શોધવા પ્રયત્ન કરેલો ( હું આ નેટની તકનીકી આવડતોથી બહુ દૂર છું ! ) આજે અચાનક અહીં તક મળતાં પંક્તિઓ બદલ આભાર માની લઉં છું.

    આપે નેટાગમન કર્યું તે માટે અત્યંત રાજીપોય વ્યક્ત કરી લઉં છું. એ રીતે હવે નેટજગતને આપની કલમનો પ્રસાદ – ‘પ્રસાદ’નો ગુણ આપની કલમનીય વિશેષતા છે – મળતો થશે.

    ઉપરોક્ત ત્રણેય લેખો માટે આપનો, અને તે બતાવવા માટે ભૂપેન્દ્રસિંહનો ખૂબ આભાર.

    Like

     
  27. યશવંત ઠક્કર

    June 11, 2011 at 9:14 AM

    જ્ય ભાઈ .. હવે અમારે તમારું લખાણ વારંવાર વાંચવા માટે ફાંફા નહીં મારવા પડે. હમણાની જ વાત છે. એક લેખ માટે છાપાંનો થપ્પો ફરીથી ફેંદવો પડ્યો હતો! 😀

    Like

     
  28. Paras Shah

    June 11, 2011 at 10:07 AM

    Welcome to the blogging world.

    Like

     
  29. Rashmin Rathod

    June 11, 2011 at 10:35 AM

    last night one of my younger brother in law asked me about M F Hussain. He told me that MF was Badman and Paint the vulgare painting of Hindu Goddess. I explained that MF sir is not a Bad but all the politicians and some unsocial persons misunderstood him.

    I could explained only due to your article. keep writing. Wednesday and Sunday sun doesn’t rise for me without your article.

    Like

     
  30. readsetu

    June 11, 2011 at 11:28 AM

    જયભાઇને સલામ !!

    લતા હિરાણી

    Like

     
  31. Aarti Mandaliya

    June 11, 2011 at 11:50 AM

    vachvama evi tallin thai k 3 var doorbel vagi toye khbar napadi….realy apna ava lekho vanchi ne ritsar nu dhyansth thai javay che great… hetsoff to u

    Like

     
  32. Meghal Shah

    June 11, 2011 at 12:17 PM

    Jay Bhai,

    This is good that you have enterted in blog world. I am eagarly waiting for your columns every sunday and Wednesday. I hope you will continue blogging.

    With best wishes,
    Meghal.

    Like

     
  33. VISHAL JETHAVA

    June 11, 2011 at 2:10 PM

    ઓતારીન્ની…!!!
    અધભુત…
    અદ્રિતીય…
    અવિસ્મરણીય…!!!
    ડૂબકી લગાવા જાવ તો પણ આખો દરિયો તરી જાવ…એવી કળા તમારા લખાણ માં છે…!
    GREAT

    Like

     
  34. vishal rathod

    June 11, 2011 at 2:36 PM

    ise kahete hain phata poster nikala hero !!! welcome to the blog !! ab koi to rok lo 😉

    Like

     
  35. Dipak Dholakia

    June 11, 2011 at 4:34 PM

    શ્રી જયભાઈ.
    શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના બ્લૉગ ‘કુરુક્ષેત્ર’ પરથી અહીં પહોંચ્યો.
    શબ્દેશબ્દ વાંચીને એક જ શબ્દ મનમાં આવે છેઃ કૅથાર્સિસ.

    Like

     
  36. Bhupendrasinh Raol

    June 11, 2011 at 5:54 PM

    નકલમાં અક્કલ નહિ.શ્રી જય વસાવડાનો નકલી બ્લોગ.વિનયભાઈ ક્યા છો તમે?
    http://jayvasavada.wordpress.com/

    Like

     
  37. Ashok Patel

    June 11, 2011 at 8:04 PM

    ahhaaaaaa..samay no pan bhan na rahyu..aa vanchwa ma..lakahn evu saras chey ke jane samadhi thai gai…Guru govind do noh khade kisko lagu pai…bali hari Sir Jaybhai ki jis ne Hussain dio batai…Pranam.

    Like

     
  38. chirag

    June 11, 2011 at 10:01 PM

    હવે, તમારી સાથે પણ “મુક્કાલાત” કરવી પડશે.

    Like

     
    • jay vasavada JV

      June 15, 2011 at 4:57 AM

      હી હી હી ..એમાં ય આપડે પોંચી વળીએ એવા લોંઠકા કહાર, ભેરું..:)

      Like

       
  39. Daxesh Contractor

    June 11, 2011 at 10:38 PM

    well researched, informative and impressive article.
    કેટલાક વાચકો લેખને નહિ પણ પોતાની માન્યતા વાચતા હોય છે. … લેખક કઈ મુજરાવાળી બાઈ નથી કે ફરમાઈશો મુજબ નાચે. …. કળા કોઈ બટાકુવાડું નથી ઝટ ગળે ઉતરી જાય. એ સમજવા પણ સાધના કરવી પડે.
    very well said.

    Like

     
  40. Kalpesh

    June 12, 2011 at 12:59 AM

    જયભાઈ,

    ભુપેન્દ્ર રાઓલજીના બ્લોગ પરથી અહી આવ્યો.
    હુસેન પર તમે સરસ લેખ અને હકીકતો દર્શાવી.

    થોડા દિવસ પહેલા મેં ભુપેન્દ્ર રાઓલજીના બ્લોગ પર કોમેન્ટ કરી હતી કે આવું કતાર કે અરેબિયામાં કરે તો શું થાય?
    હું એમ જ કહીશ કે હું આર્ટ બાબતે સમાજ ધરાવતો નથી પણ કોઈ એવું કઈ ચિત્ર બનાવે જે લોકોને અને એક કમ્યુનિટીની લાગણી દુભાય (અને એમાં પણ મારા/તમારા જેવા સહિષ્ણુ લોકો હોય) તો શું કરવુ?

    આ ચિત્રને રાજકીય રંગ આપી શકાય અને બે કમ્યુનિટીને લડાવી શકાય.
    હુસેનનાં દેશ છોડી જવા પાછળનાં કારણ કાયદાકીય છે (વીકીપીડીયા)

    એટલે, મારા મત મુજબ ચિત્રકારે મુક્ત મનના હોવા ઉપરાંત જવાબદાર હોવું.
    જો એમ ન હોય તો ફિલ્મ સેન્સર બોર્ડની જરૂર શું કામ? મારા માતા મુજબ સેન્સર બોર્ડનું પણ કઈ કામ નથી.

    એક વાત સાચી: ભારતમાતાને નગ્ન ચિતરવામાં આવે તો હોબાળો થાય અને એના જ લોકોનો પૈસો કેવાતી લોક્શાહીમાં લૂટવામાં આવે તો શાંતિ.

    પ્રજા તરીકે આપણે પછાત છીએ, કલાને અને રાજનીતિ (જો જે ચાલી રહ્યું છે એને રાજનીતિ કહેવાય તો) સમજવામાં.
    તમારો અભિપ્રાય વાંચવો ગમશે.

    છેલ્લે, પ્રજા તરીકે બધા (અને હું પણ) આર્ટ સમજી શકતા નથી એટલે આને મારી ઓછી સમજ પણ કહી શકાય.
    બ્લોગ પર ગુજરાતીમાં કોમેન્ટ લખી શકાય એવી સગવડ કરી શકો?

    Like

     
    • jay vasavada JV

      June 15, 2011 at 4:55 AM

      તમે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ ઉપર છે જ, કલ્પેશભાઈ અને ગુજરાતીમાં કોમેન્ટ તો તમે લખી જ છે દોસ્ત.

      Like

       
  41. Kunal

    June 12, 2011 at 9:36 AM

    JV,

    tamara facebook/orkut par na discussion ne hussain-vilay na divase vanchi ne ghanu feel thai gayu.

    emne emni j ada ma avjo kehva na ashay thi doryu chhe :

    Mohan

    Like

     
    • jay vasavada JV

      June 15, 2011 at 4:54 AM

      હ્મ્મ્મ્મ્મ્મ્મ…સારો પ્રયાસ.

      Like

       
  42. surya

    June 12, 2011 at 10:01 AM

    જયભાઈ , ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. બ્લોગની શરુઆત પણ આપના બેસ્ટ લેખોમાંની સરસ શ્રેણીથી ને ખુબ પ્રાસંગિક રીતે કર્યો હોય તેમાટે ખુબ ખુબ અભિનંદન ! આ સાઈબર જગમાં આપની સાથે સંવાદ સાધવાનું એક વધુ નવું પ્લેટફોર્મ મળ્યું તે માટે આનંદ થાય છે ! આપના બ્લોગ લેખન ને સમય નો અભાવ ના નડે ને વાંચકોને અપના આવા અભ્યાસુ લેખો નો લાભ મળતો રહે તેવી સુભેછાસહ !

    Like

     
  43. sujata

    June 12, 2011 at 6:30 PM

    ભલે પધાર્યા …….

    Like

     
  44. SALIL DALAL (Toronto)

    June 14, 2011 at 4:52 PM

    Welcome to the world of Blog, Jay….. and what a start with a hat-trick of articles on M F Hussain!
    The lay out and color scheme used is very attractive.

    Internet and its allied facilities have made the interaction so easy and quick that a writer of your popularity will just love it. As it is you have been so active on almost all the platforms of Internet and this was due and expected long back.

    For me it is the best thing that could have happened. Because this will help me read your views straight here instead of searching for them on your wall of FB.

    Once again CONGRATULATIONS and All the Best, dear.
    Warm wishes as always,
    -Salil

    Like

     
    • jay vasavada JV

      June 15, 2011 at 4:51 AM

      ખૂબ ખૂબ આભાર સલિલભાઈ..શેર લોહી ચડ્યું 🙂

      Like

       
    • godandme

      June 24, 2011 at 7:08 PM

      Rightly said, I have failed in adding Jaybhai to the FB’s friend list due to his long (and everlasting/ever growing) pending queue of friend request. WP is a nice place to get the new articles from him.

      Like

       
  45. Hari

    June 16, 2011 at 5:27 AM

    જયભાઈ,
    હું સાચું કહું તો જ્યાં સુધી તમારો બ્લોગ નહોતો વાચ્યો ત્યાં સુધી હું પણ “હુસ્સૈન સાહેબ” ને ધિક્કારતો હતો….
    પણ હું તમારો બ્લોગ વાંચતો ગયો અને તેમાં લખેલી માહિતી પર ગૂગલ જેવી વેબ દ્વારા રીસર્ચ કરતો રહ્યો….
    નેટ પર ઉપલબ્ધ હુસ્સૈન સાહેબ ની પેઈન્ટીંગસ જોઈ, જેમાં વિવાદિત પેઇન્ટિંગ પણ જોઈ……
    પછી મનમાં નગ્નતા ની કલ્પના પણ ખુબ કરી અને મન માં દલીલબાજી પણ ખુબ કરી કે જયભાઈ સાચા કે નહિ !!!
    છેવટે વિચાર આવ્યો કે વસ્ત્ર તો માનવસર્જિત છે જયારે શરીર તો માતા સર્જિત છે, માટે શરીર પવિત્ર…
    અને નગ્નતા એટલે શરીર ની પવિત્રતા ને expose કરવી…………..
    thanks to your blog
    હજી પણ હું ધિક્કારું છું, હુસ્સૈન સાહેબ ને નહિ, મારા સંકુચિત માંનસ ને………………

    Like

     
  46. pramath

    June 19, 2011 at 1:11 PM

    જયભાઈ,
    આપને પહેલી વાર વાંચું છું. ગુજરાત બહાર રહેવાનું આ નુક્સાન હવે આપને બ્લૉગ પર જોવાથી ભરપાઈ થઈ ગયું.
    શ્રી હુસૈનનો વિરોધ કરનારા વેલેન્ટાઇન ડેનો પણ વિરોધ કરે છે. આપની વાત સાચી છે. વિક્ટોરિયન અને અરબ નૈતિકતાનો ભારતીય નૈતિકતા પર આ ભવ્ય વિજય છે. મને એ વાતનું દુઃખ પણ છે અને એનો આનંદ પણ છે. હિન્દુ નૈતિકતા કંઈ સર્વોપરી નહોતી – અને વિક્ટોરિયન કે અરબ નૈતિકતા પણ સર્વોપરી નહોતી.

    છેલ્લા બસો વરસથી મારા-તમારા જેવા હિન્દુ થઈને ઉગ્ર/રૂઢિચુસ્ત હિન્દુવાદનો હિન્દુ માળખામાં વિરોધ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપની આટલી પોસ્ટમાં આપે બહુ સાચી રીતે હિન્દુ ધર્મના આડતિયાઓને ઠમઠોર્યા છે.
    શ્રી હુસૈને – અને એમના જેવા અનેક પ્રતિભાશાળી લોકોએ પોતાના ધર્મમાં આ કરવાની જરૂર છે. ૯૬ વરસમાં એકલદોકલ પ્રસંગથી ઇસ્લામ પર રૂઢિચુસ્તતાની પકડ ઢીલી પડશે તે માનવું તે ભોળપણ છે. તો પછી આવું લોકોને મનાવવું તે વધુ ભોળપણ નથી?

    શ્રી હુસૈનના વિશે મારો અભિપ્રાય કંઈક જુદો છે: http://rachanaa.wordpress.com/2011/06/09/%E0%AA%AE%E0%AA%95%E0%AA%BC%E0%AA%AC%E0%AB%82%E0%AA%B2-%E0%AA%AB%E0%AA%BC%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%81%E0%AA%B8%E0%AB%88%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%B5/

    આમ તો બ્લૉગની કોમેન્ટ પર પોતાના બ્લૉગની લિંક આપવી તે અશિષ્ટતા છે પણ મારી આ અશિષ્ટતા ક્ષમા કરજો – અને મારા અભિપ્રાયની ભિન્નતા પણ!

    Like

     
  47. Siddarth Chauhan

    June 20, 2011 at 5:20 PM

    Nice One.keep it up

    Like

     
  48. Krinal

    June 24, 2011 at 11:53 PM

    If not seen already, I highly recommend this video for every readers. It explains many things. And most importantly, it demonstrates how practical , yet passionate, the painter is/was : http://www.youtube.com/watch?v=ieWEKJrgMH4

    Like

     
  49. Kartik M Mehta

    June 25, 2011 at 5:46 PM

    ભવ્ય શરુઆત , જયભાઇ..

    Like

     
  50. Krutarth Amish

    June 27, 2011 at 2:18 PM

    આમ તો કોઈ સીધું કનેક્શન નથી. પણ હુસૈન વાંકદેખા ઓ માંટે આ કલાગુરુ રવિશંકર રાવલ ની આ વેબ સાઈટ : http://ravishankarmraval.org/
    Mythological Paintings section જોશો.

    Like

     
  51. Parth K shah

    July 7, 2011 at 3:13 PM

    me aa trilogy 1st time wanchi ti tyare pn bhu j maja ayi ti ..! aje pn maja ayi .. 🙂
    actually it helped me to enjoy d gr8 artists’s work ! and also made me realize dat he is a gr8est gr8 human also ! a true Indian , who tried his level best to tak Indian culture on global level 🙂 Long Live MF Husain 🙂

    Like

     
  52. zeena rey

    July 15, 2011 at 9:46 PM

    jv…

    its nice to rerereread ur pen abt M F H Sahaab……….

    see its overwhelming to see some of his g8 work……..ur article is like cherry on cake…..

    though his personality had crossed all lines of prides and prejudices………

    but i wish ke ek baar whe aapka article padte…. yakeenan unhe koi bhi………. koi bhi shikwa ya ranj nahin rahta……….

    u wrote likewise he used to paint…………………

    Like

     
  53. Sanjaykumar Kakkad

    July 16, 2011 at 11:16 PM

    superb ! !

    Like

     
  54. dipikaaqua

    June 10, 2012 at 4:44 PM

    ઓર્કૂટની કોમેન્ટ્સ અત્યારે પેહલી વાર (સારુ થયુ)વાચી. હદ થાય છે. કલાકાર ન હોવ અરે ક્ળાના ચાહનાર/સમજનાર ના હોવ્ પણ વખોડ્નાર ના હોઉ જોઇએ અને આવૉ મૂર્ખ વર્ગ ભારત મા બહોળૉ છે એ દુખ ની વાત છે. હુસેન હોય કે કોઇ એના જેવા જ કલાકાર ને માટે શુ લખાય છે અને શુ લખાવુ જોઇએ, અરેરે આ જ છે કલચર!!;) તમારા પર જ્યારે પણ્ આવી બકવાસ fb પર વાચી છે તો આવો જ ગુસ્સો આવે છે. તમે જ એક વાર લેખ મા લખ્યુ હતુ ગુડ પિપલ ગો ટુ હેવન બિકોઝ ધે ઓલ્રેરેડી લિવ હેલ ઓન ધ પ્લેનેટ અર્થ.. 😛
    આન્દ્રે મલરો એ સાચુ જ કીધુ છે દરેક કળા એ મણસના કિસ્મત સામેની બગાવત છે!! બીજા દેશો મા કિસ્મત જે તે કલાકારની પોતાની હશે આપણે ત્યા વત્તામા ઘણુ બધુ જોડાય્… હુસેન જીવતો દ્ષ્ટાન્ત્.. અસ્તુ.;)

    Like

     
  55. jitu48

    June 11, 2012 at 11:52 PM

    ઘણા સમયથી તમને સંપર્ક કરવાની ઇચ્છા હતી. આજે ફરતાં ફરતાં તમારા બ્લોગ પર આવી ચડ્યો. ઉપરના પ્રતિભાવોમાં તમારી પોસ્ટની કોમેન્ટ કરતાં તમને આવકાર વધારે છે. હું આર્ટીસ્ટ નથી તેથી હુસેનના ચિત્રો પર કોમેન્ટ કરવાનો મને અધિકાર નથી. પણ કોઈ તમારી લાગણીઓને આઘાત પહોંચાડે તેનો વિરોધ કરવો એ સૌનો અધિકાર છે. અને એ મુજબ શ્રી હુસેન કોઈ પણ ચિત્ર દોરે તેની સામે વાંધો ન હોય શકે પણ ચિત્રને કારણે લોક્લાગણીને ઠેસ પહોંચે તેવું નામ આપવું જરુરી છે ? વાનર અને નગ્ન સ્ત્રીનું ચિત્ર કળાની દ્રષ્ટીએ અતિ સુંદર હોય શકે પણ નીચે સીતા એવું ટાઈટલ આપવું જરુરી છે ? શું રામાયણની સીતા જ અસહાય સ્ત્રી હતી ? (તમે કહેશો પણ ખરા કે આ ચિત્ર સીતા નામની અન્ય સ્ત્રીનું પણ હોય શકે, તમે તમારી ધારણાથી જીવ શા માટે બાળૉ છો ?) ચર્ચાનો કોઈ મતલબ નથી. પણ મેં એક વાત નોંધી છે કે કોલમ રાઈટર્સનું એવું માનવું છે કે (અને મીડીયાનું પણ – કારણ કે તેમને સમાજની નથી પડી પણ આવકની ચિંતા છે) લોકોની ધારણાથી વિરુધ્ધ લખવાથી રીડરશીપ મેળવી શકાય. એક બીજો પણ દાખલો છે -શ્રી કાન્તિ ભટ્ટ્નો, આસપાસ વાંચીએ તો ખ્યાલ આવે. એક લેખનું ટાઈટલ હતું – કવિતા માટે પેશન હોવો જોઈએ, તેઓશ્રીએ લગભગ પોણૂં લખાણ જુનાગઢના ડોક્ટરોની આવક, તેમનું શેરબજારમાં રોકાણ વિશે લખ્યું અને એવું પણ લખ્યું કે નરસિંહ મહેતા અત્યારે પરભાતિયા ગાવાને બદલે શેરબજારમાં ઝંપલાવત. આ ઉલ્લેખ જરુરી લાગે છે ? કોઈ વિષે સારુ ન લખી શકીએ તો કંઈ નહીં પણ તેમના વિશે આવી મનઘડંત કહાની તો ન જ લખવી જોઈએ. (મારી વાતની પૃષ્ટી કરવા માટે આ દાખલો લખ્યો છે.) તમે ક્યાંક રામદેવજી વિષે આવો જ ઉલ્લેખ કર્યો છે. તે શ્વાસની ફક્ત કસરત કરાવતા નથી પણ જ્યારે પ્રાણાયમ કરો ત્યારે મનને એની સાથે જોડવાની વાત પણ કરે છે પણ ટીકાકાર, પોતાના પૂર્વગ્રહને લીધે આ વાત સાંભળી શકતો નથી. રામદેવજીના કારણે જો થોડાક માણસો પણ કુદરત તરફ વળે તો શું ખોટું છે ? હું કોઈનો ફોલોઅર નથી પણ એટલું તો જરુર માનૂં છૂ કે જાહેરમાં કામ કરતી વ્યક્તિની સમાજ પ્રતિ જવાબદારી છે અને એ નિભાવવા મુજરાવાળી બાઈ બનવું પડે તો બનવું જોઈએ. આશા રાખું છું કે કંઈ વધારે પડતું નહી લખાયું હોય.
    અસ્તુ !

    Like

     
  56. Pratik Mehta

    June 13, 2012 at 12:56 PM

    Thank you for sharing all 5 articles. I am a CEPT Student. Whenever we go in “Amdavad ni Gufa” or whenever i sit in canteen, i always get a feeling that once M.F.Hussain used to sit here.
    Thank you again.

    Like

     
  57. Arpit Pandit

    July 3, 2012 at 3:11 PM

    બહુ ઉમદા પરિચય કરાવ્યો છે તમે ચિત્રકલા નો આ લેખ શ્રેણી થી……મારા જેવા ઘણા લોકો કે જેમને ચિત્રકળા ગમે તો બહુ છે પણ સુઝ ઓછી છે તેમના માટે ઘણી જાણકારી થી ભરપુર લખાણ છે……..વચ્ચે જે હિટલર ના ચિત્ર ની અને રવીન્દ્રનાથ ની કવિતા minds without fear વાળી વાત સોના મા સુગંધ જેટલી જ્ સરસ લાગે છે…….વાહ વાહ….એવું માનું છુ ક શબ્દો ખૂટી પડે ત્યારે સલામ આપવી જે તમને આપવી પડે એમ જ્ છે…….

    ખુબ જીઓ…..ખુબ લખો…..
    પ્રચંડ લડો …..પ્રચંડ જીતો…..

    આમેન…….

    Like

     
  58. ALKESH PATEL

    July 21, 2012 at 4:02 PM

    @ JAY BHAI KHUB SUNDAR LEKH….DHANYAWAD…..!!!

    Like

     
  59. vishal jethava

    September 3, 2012 at 11:03 PM

    જયભાઇ, એક ચપટીક પ્રશ્ન છે.
    તેમણે લગ્ન કરેલા? કોઈ પુત્ર/પુત્રી ખરા કે ?

    Like

     
  60. jitesh

    September 3, 2012 at 11:53 PM

    I do not have Words here….loved this.

    Like

     
  61. DINESH

    October 21, 2012 at 7:44 PM

    આ લેખોને લીધે અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. જે ગાળો દેવાવાળા હતા એ તો છે જ. પણ એમાના ઘણા બદલાયા, એ આ વિના ના થયું હોત.

    Like

     
  62. Arvind patel

    December 4, 2012 at 5:06 PM

    જયભાઇ, પુરેપુરુ વાંચ્યા પછી આખી માન્યતાને બદલવાની જરુર લાગે છે. ખુબ સુંદર કાર્ય કર્યું જે બ્લોગ જગતમાં આવ્યા.

    Like

     
  63. kuldip

    December 30, 2012 at 11:23 PM

    hiiii,
    hu mara vichar mujab e layk(abl) j nathi k tamne “hi” k v pn man thayu etle kahi didhu..
    meny time i try to find matirial from m.f.husen sir bt i alwys getting nagetiv report
    first time u open my eyes ……………..
    really thank u from d botm of my hart……

    Like

     
  64. Shiroya Dharmendra

    May 26, 2013 at 3:45 PM

    maja avi gai

    Like

     
  65. Taksh

    June 13, 2013 at 1:05 AM

    આપના લેખની સામે વધુ ન લખતા આ વિડિયો દ્વારા શ્રી શ્રી રવિશંકર વડે કેહવાયેલી વાત પર આપનો પ્રતિભાવ ઇચ્છું છું.

    Like

     
    • jay vasavada JV

      June 13, 2013 at 3:51 AM

      સોરી, બાર હજાર શબ્દોનો લેખ છે, એ આખો શાંતિથી સ્વસ્થ ચિત્તે વાંચી લો એમાં બધા જવાબો છે જ.

      Like

       
  66. desairakesh87@gmail.com

    June 13, 2013 at 11:17 PM

    Whenever I went through this page i never able to let out my self without reading this all articles despite of the fact tht i already read it 3-4 times. I don no what about this articles that makes me so crazy after it, Is it Jaysir’s powerful writing or hussainsaab’s extra ordinary life and story? Whatever is that but i feel like i owe to both of them for broaden my thoughts. Thank you sir.

    Like

     
  67. VASANT SHAH................ATLANTA.

    October 12, 2013 at 7:38 AM

    Thanks JV.
    I ENJOYED THE POST THOROUGHLY AND COME TO KNOW SO DEEP DETAILS ABOUT M. HUSEN. HE WAS GENIUS AND GREAT ARTIST.
    .

    Like

     
  68. AArsi Mehra

    December 13, 2013 at 11:36 PM

    we love u Jay Bhai

    Like

     
  69. pravin solanki

    January 9, 2014 at 6:22 PM

    jai bhai tame avaj tamara vanchan na dhodh ma amne nadavta rahejo!!!

    Like

     
  70. KOMAL

    September 19, 2017 at 3:38 PM

    વાહ જયભાઈ તમને સલામ છે , કે તમે મકબુલ ફિદા હુસેનની કલાસૃષ્ટિના દર્શન કરાવ્યા
    સલામ છે આ લેખકને.

    Like

     

Leave a comment