“પણ હું મારી આંખોમાં આજે આંસુ નહિ, મારા જે નિર્દોષ દેશવાસીઓના (આતંકવાદીહુમલામાં રેડાયેલા) લોહીની રતાશ ભરવા માંગુ છું, ભભૂકતા ગુસ્સા સાથે !
આપણે સગવડતાપૂર્વક આવી બિરદાવલિઓનો રજાઇ તરીકે ઉપયોગ કરી માથે ઓઢીને સૂઈ જઇએ છીએ. દરેક વખતે કઈને કોઈ આફત આવે છે, અને આપણે કહીએ છીએ, ઓહ ઇટ્સ મુંબઇ, વી વિલ ફાઇટ બેક ફાઈન. વી. વિલ. પણ એની કોણ ખાત્રી આપશે કે આફત ફરી નહિ આવે ?’
મિડિયામાંથી મને વિનંતીઓ આવી રહી છે કશુંક કહેવાની. ટીવી પર આવી મજબૂતાઈ, બંઘુત્વ અને શાંતિ દર્શાવતા સંદેશ આપવાની. હું ઘસીને ના પાડી દઉં છું. કારણ કે, મને એ ચીકણું, ચવાઇ ગયેલું, વારંવાર કહેવાતું ‘ટીઆરપી’ ગેઇનિંગ સ્ટેટમેન્ટ લાગે છે વઘુ કશું જ નહિ !એને બદલે આ દેશના લાખ્ખો લોકો જ્યારે એકઠાં થઇને, સાથે મળીને દુશ્મનનો મુકાબલો કરવા નીકળશે, ત્યારે મને બોલાવો તો હું ગોળીઓની રમઝટ વચ્ચે પણ પહેલો ચાલીશ !
મેં જે રિવોલ્વર બહાર કાઢવાની વાત કહી, તે પ્રતીકાત્મક છે. મારે દર્શાવવું હતું કે આ સીસ્ટમ અને આ શાસનમાંથી મેં સંપૂર્ણપણે શ્રદ્ધા ગુમાવી દીધી છે. ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે, મને મારી ભૂમિમાં ગૌરવથી કોઇ જ ડર વિના રહેવાનો અધિકાર છે અને આ દેશનું તંત્ર મને એ સલામતીની, સુરક્ષાની ખાતરી આપી શક્તું નથી. તો પછી મારે દર્શાવવું પડે કે મારી, મારા કુટુંબની સુરક્ષાની જવાબદારી મારે પ્રશાસન પર આધાર રાખવાને બદલે જાતે લેવી પડશે.
મને દોસ્તોના ફોન આવે છે. આપણા દેશની તાકાત અને ત્રાસવાદ સામેનો વિરોધ બતાવવા ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ પાસે જઇનેએક બનીને મીણબત્તી પેટાવવાના.
નહીં ! મને માફ કરો ! હું એ નહીં કરું !
બહુ થયું. ઢગલે ઢગલા કાગળોના અને સાઇબરસ્પેસના વપરાય છે. શું કરવું જોઇએ તેની ચર્ચાઓ થાય છે. દરેક પાસે કંઇક ને કંઇક ઉકેલ છે. બધા કોઇને કોઇ તર્ક લડાવી સવાલો પૂછે છે. પાણી ડેમને તોડીને જાણે ધસમસી રહ્યું છે. બધા જ પોતપોતાની થિયરી લઇને બેઠા છે, શું ખોટું છે, શું થવું જોઇએ. કોઈ ફિલોસોફિઇકલ કવિતા રચી નાખે છે. કોઈ શબ્દોની સામગ્રી લઇ તૂટી પડે છે. કોઈ દીવો પ્રગટાવે છે. કોઈ રેલી કાઢે છે. કોઈ કાર્યક્રમ કરે છે, કોઈ ફિલ્મ કે ચિત્રના દ્રશ્યો રચે છે. કોઈ પોતે ગુમાવ્યું એ માટે રડે છે, કોઈ સહાનુભૂતિમાં રડે છે. કોઈ હિંમતથી નવનિર્માણ કરે છે. કોઈ વ્યુહાત્મક બને છે. કોઈ સાવચેત થઇ જાય છે.
અને ક્યાંક દૂર… કે આપણી અંદર આ બધા પર કોઈ હસી રહ્યું છે !
આ કોઈ આવા (વિવેક-સૌજન્યભર્યા) ‘જેશ્ચર્સ’ (હાવભાવ, પ્રતિક્રિયા) દર્શાવવાનો સમય નથી. આ સમય છે કોઈ એવા નેતૃત્વને સાંભળવાનો જે મજબૂતાઈથી, ખાતરીબઘ્ધ રીતે કશુંક કરી બતાવે ! આ સમય છે કે દેશનો એકે એક નાગરિક કશુંક કરી બતાવવા સાથે મળે અને એક નિર્દેશાયેલી શિસ્ત મુજબ વર્તન કરતો થાય. આપણે બધાએ એક એવી આચારસંહિતા ઘડીને તેનું પાલન કરવાનું છે, જેથી આપણી એક સામુહિક શક્તિ (કલેક્ટિવ સ્ટ્રેન્થ) બને. જો ધૂસણખોર (પાકિસ્તાની ત્રાસવાદી) બ્રેઇનવોશ થઇ શક્તો હોય કે એ જે કંઇ એ તો દૈવી આદેશ છે તો ભલે એને પણ એક થઇને, સંઘબળથી વર્તતા ૧.૨ અબજ બ્રેઇન્સનો મુકાબલો કરવા મળે જે એને શીખવી શકે એ કેટલો ખોટો અને નબળો છે !
તમને ખબર છે ? શા માટે ભારતીય ક્રિકેટ ટીમને હમણા હમણા જબરદસ્ત સફળતા મળી છે ? ઇટ્સ બિકોઝ ઇટ હેઝ શોન કેરકેટર એન્ડ એટિટ્યૂડ. હા, ટેલન્ટ તો છે જ. પણ પિચ ઉપર બોડી લેંગ્વેજ અને વર્તનથી હરીફને મહાત કરી શકાય છે.
આ કદાચ અસંબઘ્ધ અને નાનકડા દ્રષ્ટાંતો છે. પણ એમાંથી જ મહાન અને મોટા ઉદાહરણો (સર્જવા)ની સમજ મળે છે. બહુ લાંબા સમય સુધી આપણે ગુલામીની માનસિકતા ધરાવતા ઢીલા રાષ્ટ્ર તરીકે રહ્યા. આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યને વર્ણવવા માટેનું ધરખમ વિશેષણ આપણી પાસે નથી.
દ્રઢ નિર્ણયથી વળતો પ્રહાર – આ જ ભારતની નાભિમાંથી જરાય માફીની મુદ્રામાં ઝૂક્યા વિના-ઉઠતો ઉંડો ઘેધૂર અવાજ છે !”
***
રીડરબિરાદર, આ શબ્દો છે એંગ્રી ઓલ્ડ મેન અમિતાભ બચ્ચનના ! એમના બ્લોગમાં ૨૬/૧૧ના ‘ટેરર હોરર’ પછી કેટલાક નમૂનેદાર વિચારો સફાઈદાર ભાષામાં એમણે મૂક્યા હતા..
હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ. સ્કૂલોના પ્રાર્થનાખંડોથી લઈને થિયટરોના અંધકાર સુધી, ૧૫ ઑગસ્ટ- ૨૬ જાન્યુઆરીના તિરંગા વિશેષાંકોથી લઈને ધાર્મિક મેળાવડાઓ સુધી જે મહાન દેશને આપણે સિંહ જેવો સમજીએ છીએ, એ બકરી જેવો છે. ઉફ્ફ ! આ તો બકરીનું ય અપમાન છે. બકરી ખિજાય તો ય શીંગડા ભરાવે, ધમપછાડા કરે.
પણ ઉંદરડી જેવો જ અવાજ જેમના સ્વભાવની ચાડી ફૂંકે છે એવા વડાપ્રધાન મનમોહન ચૂંચૂંચૂં (એમના નામ પાછળ સિંહ લખવા અમારી માયૂસ કલમ ઉપડતી નથી !) એ તરડાઈ ગયેલી ઘિસિપિટી રેકોર્ડ વગાડશે : અમે સખત પગલા લઈશું!
પગલા લેવાના હોય, એનું એનાઉન્સમેન્ટ ન કરવાનું હોય ! ત્રાસવાદીઓ જે ધમકી આપે છે, તેનો અમલ કરી બતાવે છે. અને ભારત સરકાર ? એવું નિવેદન કેમ નથી આવતું (જેવું નાઇન ઇલેવન પછી અમેરિકાનું હતું) કે, ‘ધે વિલ હેવ ટુ પે ફોર ધીસ’ ‘ઉન હેવાનો, હરામખોરો કો ઇન કી કિંમતચૂકાની પડેગી ઉન્હોંને હમારી હોટલ પે દો દિન કબ્જા કિયા, હમ વો જીસ (પાકિસ્તાની) શહર સે આયે હૈ વો શહર ઉજાડ કે રખ દેંગે. ઇસ ધિનૌની હરકત કા ઐસા બદલા લિયા જાયેગા કિ સાત પુશ્તે દુશ્મન કી ઉસકી દાસ્તાન યાદ કર કે રોયેગી, અગર સાત પીઢી ચલને તક વો જીન્દા રહે તો !’
પણ ક્ષુબ્ધ બનેલા બહુમતીઓ (જે અન્યાયના મામલે કોઈ પણ દેશની ગુલામ લધુમતી કરતા વઘુ લાચાર, બેસહારા છે !)ને ખબર છે કે એમને તો ટેરરિસ્ટો અને સેક્યુલરિસ્ટો બેયના ડફણા ખાવાના છે. ત્રાસવાદીઓને મારવાના મુદ્દે અહીં પોલિસ અફસરો જેલમાં બંધ થઈ જાય છે ! જગતના માનવ અધિકારની માળા જપતા વિકસીત દેશોમાં જે કડક એન્ટીટેરરિસ્ટ કાયદાઓ છે, તેવો કાયદો અહીં લઈ આવવાની વાત કરો, તો પોતાના બાપદાદાનો ગરાસ લૂંટાઈ ગયો હોય એવા લબાડ લુચ્ચા બૌદ્ધિકો ભૂંડના ટોળા જેવી કિકિયારીઓ કરી મૂકે છે. કહે છે કે, આવા કાયદા હતા ત્યારે ક્યાં આ પ્રવૃત્તિ બંધ થઈ હતી. (બંધ તો તમારી વાયડી વાણી પણ નથી થતી સાહેબો, પણ કંટ્રોલ કરવાની, ખૌફનો જવાબ ખૌફથી આપવાની અને માત્રા ઘટાડવાની વાત છે. ૩૦૨ની કલમ છતાં રોજ ખૂન થાય જ છે, એટલે શું એ કલમ કાઢી નાખવાની ?)
જસ્ટ ઇમેજીન, તમારા જ ઘરમાં કોઈ વગર વાંકે જોરજબરદસ્તીથી ધૂસીને તમારા નિર્દોષ ભૂલકાઓને ફડાકા મારી જાય, અને તમે એ નાલાયકને પહોંચી વળો તેમ હો, તો પણ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ત્યારે તો ઠીક, પણ પછી રોકકળ કરતા બેઠા રહો, તો શુદ્ધ ગુજરાતીમાં તમને શું કહેવાય ? બાયલા, નામર્દ !
નવરા પંચાતિયા નિસબતિયાઓ યુદ્ધ, બુદ્ધ, ઇતિહાસ, ભૂગોળ એવા એનાલિસીસ કર્યા કરશે. અસરો અને આડઅસરોના ચશ્મીસ્ટ વિદ્વતાથી છલોછલ ફીફાં ખાંડશે. પ્રોટોકોલ અને પોલિસીના ઉપદેશો આપશે. એમને એમના જ ઘરમા ધૂસીને ધોકે ધોકે ધીબેડી નાખો, તો ‘પોલિસ પોલિસ બચાવો, બચાવો’ની બૂમરાણ કરશે ! (ખાતરી નથી થતી, અજમાવી જુઓ – ગુજરાતમાં આવા ઘણા ય દોઢડાહ્યા નમૂનાઓ છે,!) એ લોકો ભલે કવિતાઓ અને ક્વોટેશન્સ ટાંક્યા કરતા. હકીકત એ છે કે ફૂટનીતિ કપટ વિના થતી નથી. અને સામે મામા શકુનિ હોય ત્યારે યુધિષ્ઠિરવેડાંની કાણી કોડી પણ ઉપજતી નથી. સદી અગિયારમી હોય, એકવીસમી હોય કે એકત્રીસમી હોય ત્યારે અફર, અખંડ, અમોઘ, અજોડ, સત્ય ધ્રુવતારક જેવું અવિચળ છે, હતું અને રહેશે : સો વિદ્વાન, બરાબર એક પહેલવાન ! (આ પણ એક વિદ્વતાપૂર્ણ સંશોધન પછીનું જ વિદ્વાનોનું તારણ છે !)
ભારતે બિલ્લી મારવાની હતી ૧૯૪૭માં, ૧૯૬૫માં, ૧૯૭૧માં ત્યારે મારી નહિ, અને ૨૬ નવેમ્બર ૨૦૦૮ પછી પણ મારી નહિ- પછી બિલાડી વાઘ બનીને ફાડી ન ખાય તો શું ઓલિયા બનીને ગઝલસંઘ્યા ગાય ? દુનિયા આખીની ચોવટ અને (એજ યુઝઅલ) ભારતની ચીસાચીસને ઘોળીને પી જઈ શ્રીલંકાએ એલટીટીઇનો ખાત્મો જ બોલાવી દીધો ને ! આ જ પ્રભાકરને એક ભૂતપૂર્વ વડાપ્રધાનની હત્યા કરી હોવા છતાં આપણે શું કર્યુંહતું ? તાબોટા પાડ્યા, બીજું શું ?
આજે એક ટી.વી. ચેનલ પર દેશના હોમ મિનિસ્ટરઆવીને ઉઠમણામાં બેઠા હોય એવું મોં લટકાવીને એવો જવાબ આપે છે કે, ‘‘મારી જગ્યાએ હોત, તો તમે શું કર્યું હોત ?’’ (બીજું તો આપણે રોવા સિવાય અને ફરિયાદો કરવા સિવાય શું કરીએ હેં ? ઇશ્વરને ગમ્યું તે ખરું !) ‘અરે ચીફ ઓફ આર્મી સ્ટાફ ઓન રેકોર્ડ કહે છે કે, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં ૪૩ ત્રાસવાદી કેમ્પ ચાલે છે. ચાલે છે તો શું એ કંઈ જોગર્સ પાર્કના મોર્નિંગ વોકર્સ છે કે ચાલવા દેવાના ? તૂટી પડો અને ખત્મ કરો ! આમાં નિર્દોષોને હણવાની પણ વાત નથી.’ મુશર્રફ કહે છે કે, અમે અમેરિકન ગ્રાન્ટ ભારત વિરોધી યુદ્ધક્ષમતા વધારવામાં ચોરીછૂપીથી વાપરી કાઢી.
***
વોટ ટુ ડુ ? સિમ્પલ. પહેલા તો એ જુઓ કે શું નથી ચાલતું. જો અમન, મુહોબ્બત, સદ્ભાવની વાતોથી પરિસ્થિતિ સુધરતી હોત તો આ માટેના શ્રેષ્ઠતમ કર્મશીલ એવા ગાંધીજીની હયાતીમાં ભારતના ભાગલા અને રમખાણો પછી કાશ્મીરની મડાગાંઠ ન થઈ હોત. ગાંધીજી કક્ષાનો શાંતિદૂત તો આજે છે પણ નહિ, એ નાપાસ તો કોઈ પાસ ન થઈ શકે. જો માંગણીઓ સ્વીકારવાથી, શિક્ષણ અને સગવડો આપવાથી, ધન આપી થાબડભાણા કરવાથી બદલાવ થતો હોત તો આ બઘું જ કર્યા પછી કાશ્મીરમાંથી ધર્મના નામે પંડિતોને વિસ્થાપિત ન કરવામાં આવ્યા હોત. અમરનાથ યાત્રાનો વિવાદ ભડક્યો ન હોત. આ દાખલો આ રીતે નથી ગણાતો, એ દેખીતું છે.
તો કઈ રીતે ગણાય છે ? જેમ અમેરિકાએ ગણ્યો તેમ. બે ટાવરના બદલામાં બે દેશ. તમે આરડીએક્સ લઈને આવશો, તો અમે ક્લસ્ટર બોમ્બ ઝીંકીશું. પછી જે થાય તે. દસ વરસ તો અમેરિકામાં શાંતિ રહી એ નજર સામે છે. આપણી તો પાડોશમાં જ પાકિસ્તાન- બાંગ્લાદેશ છે. સલામત રહેવું હોય તો ચીનવાળી કરવી પડે. જરાકેય અકોણા ચાલ્યા કે ફાઇટ ટુ ફિનિશ. અને આનો મતલબ હરગીઝ આપણા જ દેશના નિર્દોષ ભારતીય મુસલમાન પર અત્યાચાર કરવાનો (કે ફોર ધેટ મેટર હિન્દુઓની આળપંપાળ કરવાનો) એવો નથી. દેશમાં ને દેશમાં લડીઝગડીને શું મળશે ? ઝૂંપડાવાળાને ખતમ કરવાથી ત્રાસવાદ ખતમ નહિ થાય કારણ કે એ તો મુલ્લા માનસિકતામાંથી આવે છે. તેના એપિસેન્ટર સુધી પહોંચવું પડશે. જગત જમાદારો મંદીમાં છે એમને ય મુંબઈમાં લપડાક લાગી છે. ટાઇમ ટુ વોર. પાકિસ્તાનના ટુકડા કરી નાંખો, ટેરરિસ્ટ કેમ્પ તબાહ કરી નાખો. અરે, ચૂંટણીમાં ય વોટ મળશે, બસ ?
આપણે ઇઝરાયેલી સૈનિકોની પરાક્રમકથાઓ વાંચવી છે, પણ એ પ્રજા જેવું લડાયક અને પ્રામાણિક ખમીર કેળવવું નથી. બઘું નોર્મલ થશે, નવી ‘એબ્નોર્માંલિટી’ના ઇન્તેજારમાં ! ફરી ગુટકા ચાવતો કોઈ પોલિસવાળો હપ્તો ખાઈને ગમે તે પોટલાંને ધૂસી જવા દેશે. ફરી દાનવ અધિકાર (સોરી, માનવઅધિકાર)ના સમર્થકો ‘રાખના રમકડાં’ બનાવી, ચર્ચાનું ચ્યવનપ્રાશ ચાટ્યા કરશે. ફરી ભ્રષ્ટ તંત્ર, દિશાહીન નેતાગીરી અને નિર્માલ્ય જનતાનો ત્રિવેણી સંગમ એમાં ડૂબકી મારનારા પુણ્યશાળીને પાપી બનાવતો રહેશે.આવી નપુંસક આઝાદી કરતા તો વીરત્વભર્યા વિદેશની ગુલામી સારી !
મનમોહનસિંહ જેવા છ નંબરની જર્સી પહેરનારા માસ્તરિયા લીડરોના ગળામાંથી ઉંદરિયો અવાજ જ નીકળવાનો છે. આ કંઈ વાટાઘાટ, વિશ્વ્લેષણ કે માનવાધિકારનો ઈસ્યૂ જ નથી. ‘એક ઘા ને બે કટકા’ સિવાય ખૌફનું મારણ થવાનું નથી. જગતના ચીકણા ચોવટિયાઓને જે કહેવું હોય તે કહે જ્યોર્જ બુશની ધોકાવાળી જ ઈસ્લામિક ત્રાસવાદને ભરી પીવાનો ધ બેસ્ટ ઓપ્શન છે. ઓપ્શનનો પણ પ્રશ્ન રહ્યો નથી. ઈટસ ઓન્લી ચોઈસ! બુશ ફાટી પડયા હોત, તો કઈ ગેરેન્ટી હતી કે વઘુ ત્રાસવાદી હુમલા ન થાત? પણ ભારતના વિમાનો અપહરણ કરનારા તાલિબાનોને પાડોશમાં આપણે નહોતા ગબડાવી શક્યા, એ અફઘાનિસ્તાન અમેરિકાએ ધમરોળી નાખ્યું. ડિટ્ટો ઈરાક. સદ્દામના સાચા-ખોટાનો સવાલ નથી. આજે ઈસ્લામિક વિશ્વની છાતી ઉપર અમેરિકન લશ્કરનું એક થાણુ છે. સૈનિકોના લોહી રેડાયા છે. અબુ ગરીબની જેલમાં થતાં અત્યાચારો જોઈને પીલુડાં પાડનારાઓએ મુંબઇેના ફુરચા યાદ રાખવા જોઈએ.
ત્રાસવાદીઓ નથી યોદ્ધા, નથી ક્રાંતિકારી એ બાયલા, નિવીર્ય, કાયરો છે. પોતાની કહેવાતી ધાર્મિક – સાંસ્કૃતિક – રાજકીય માંગણી માટે એ કોઈનામાં સામી છાતીએ લડવાની ત્રેવડ નથી. જે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિરોધ કરે છે, એણે જ શોધેલા વિસ્ફોટકો અને કોમ્યુનિકેશનનો આ નપાવટો ઉપયોગ કરીને મોટો ફાંકો રાખે છે. વીરતાથી પડકાર કરવાને બદલે છછૂંદરની જેમ છૂપાઈને કરડનારાઓ કંઈ પરાક્રમીઓ નથી. એમને કોઈ રાજકીય નેતા, ધર્મગુરૂ કે ચોક્કસ સંસ્થા ખટકતી હોય અને એની સામે મેદાને પડે એ તો હજુ ય સમજી શકાય. પણ આ તો મૂળ વાત સાથે કશું ય લાગતુ વળગતું ન હોય એવા તદ્દન નિર્દોષ નાગરિકોને રંજાડવાની ગુસ્તાખી છે. આ જ ફર્ક છે જંગ અને ત્રાસવાદ વચ્ચેનો!
હજુ પણ આપણે ત્યાં માત્ર રાજકારણીઓની ટીકા કરતા એવા બુદ્ધુ બૌદ્ધિકો છે, જેમને કાશ્મીરથી શરૂ થયેલી આ સમસ્યાનું મૂળિયું જોવામાં મોતિયો આવી જાય છે. આતંકવાદ સામાન્ય અપરાધ નથી કે જેની અસર મર્યાદિત હોય. એ યુદ્ધ પણ નથી કે જેમાં નૈતિકતાના, સામી છાતીએ લડવાના કોઈ નિયમો હોય. એની સામે ઝઝૂમવા માટે જુદી તૈયારી, જુદો અભિગમ જોઈએ. અત્યાર સુધી આપણે વાંચતા- સાંભળતા આવ્યા છીએ, ‘સો ગુનેગાર ભલે છટકી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ’. ત્રાસવાદ સામે લડવામાં કમનસીબે, કમને (રિપિટ કમનસીબે, કમને) ‘સો નિર્દોષ ભલે પરેશાન થાય, પણ એક ગુનેગાર છટકવો ન જોઈએ’ની સાયકોલોજી અપનાવવી પડે તેમ છે.
રાતોરાત કોઈ કાયમી ઉકેલ મળવાનો નથી. પણ કાયમી અભિગમ જરૂર હાજર છે. ‘માર બૂઘૂં અને કર સીઘું’! પંજાબમાં ત્રાસવાદ જોઈને આંસુ સારતી કંઈક ફિલ્મો અને સિરિયલો બની ગઈ. એ જોઈને શું કોઈનું દિલ દરિયા થઈ ગયું? ના, એ તો કે.પી.એસ. ગિલની અમાનુષી ગણાતી કડકાઈથી થયું. ઓફ ધ રેકોર્ડ મળેલી માહિતી પ્રમાણે ગિલસાહેબે એક સાદો નુસખો અજમાવેલો. જે શખ્સ રાતના શંકાસ્પદ ફરતો દેખાય એને ‘માર કર જેલમ મેં ડાલો’… બિનવારસી લાશના પંચનામાના કેસ ન ચાલે. એવો સપાટો બોલ્યો કે પંજાબમાં ત્રાસવાદ હતો, એ પણ યાદ કરાવવું પડે છે! આમાં કોમવાદ કે લધુમતીના અન્યાયની વાત નથી. જે ત્રાસવાદી, વિભાજનવાદી, રાષ્ટ્રદ્રોહી અને હિન્સક સંકુચિત દિમાગના છે- એમને ઠેકાણે કરવાની વાત છે. બંધબેસતી પાઘડી કોઈએ પહેરવાની જરૂર નથી. જો તમે એવા નથી, તો એ તમને લાગુ ન પડે. ખોંખારો ખાઈને તમે પણ આ જ વાત જાહેરમાં કરો જ!
***
વાજપેયી હોય કે મનમોહન – એ લોકો ત્રાસવાદીઓને ‘ચીમકીઓ’ આપે છે. આરપારની લડાઈનો ડારો આપે છે. પોતડીદાસ માસ્તર તોફાની છોકરાઓ સામે શાંતિ જાળવવા ઘાંટા પાડે અને ઘડીબેઘડી પછી છોકરાઓ પાછા કોલાહલ કરી મૂકે એવો ઘાટ સર્જાય છે.
પણ એક દસકામાં અમેરિકાના સત્તાધીશોએ પ્રજાને આપેલું વચન પાળી બતાવ્યું. જસ્ટિસ ડિલિવર્ડ. ગ્રાઉન્ડ ઝીરોનું તર્પણ થયું. મુજે ગબ્બર ચાહિયેના ઠાકુર ફિલ્મી પડદે જ હોતા નથી, એ પુરવાર થઈ ગયું છે. ત્રાસવાદ એમ ખતમ નથી થવાનો. અમેરિકા એમ સલામત પણ નથી થઈ જવાનું. પણ, નાઈન-ઈલેવન પછી લાદેને ટેપ બનાવી બનાવીને ધમકીઓ આપ્યા કરી, પણ અમેરિકામાં હજુ સુધી એક ફટાકડો પણ ફોડી શક્યો નહોતો. (ધારો કે, ભવિષ્યમાં કશુંક અઘિટત બને પણ ખરું, પણ દસ વરસ લગી તમામ પ્રકારના ત્રાસવાદીઓની ફિદાયીનવૃત્તિ અને ઝનૂન છતાં, એક પણ આતંકવાદી ઘટના બને નહિ, એ ઘટના બિલકુલ નાનીસૂની નથી.) એકવાર ઉંઘતા ઝડપાયા પછી અમેરિકાએ એક દસકા સુધી જેહાદી જૂથો અને એમના સંરક્ષક દેશોને લોહીપાણી એક કરીને જાગતા રાખ્યા છે. ઉભા પગે દોડતા રાખ્યા છે. કોઈ પક્ષાપક્ષી વિના બુશે આદરેલું અધૂરું કાર્ય બરાક હુસૈન ઓબામાએ પૂરું કર્યું છે.
સવાલ ત્રાસવાદનો છે જ નહિ. સવાલ દેશની ઈજ્જતનો છે. ન્યાયનો, ગૌરવનો છે. ધર્મયુધ્ધો લડવા અને જીતવા માટે અધર્મ પણ આચરવો પડે, એ ભારતને સમજાવવાની જરૃર નથી. (અહીં ધર્મનો અર્થ ન્યાય અને નીતિ સમજવો.) ગેંગસ્ટરોના શાર્પશૂટરો પાસેની મશીનગનનો મુકાબલો ભજન ગાવાથી ન થાય, એ માટે પોલિસના હાથમાં પણ બંદૂક જોઈએ. અમેરિકાએ વધુ એક વખત સાબિત કરી બતાવ્યું કે અમેરિકન નાગરિકોનું લોહી સસ્તું નથી. અમારી ઉપર આંગળી ઉઠાવશો તો ખભા સહિતનો હાથ જ ઉખેડી નાખીશું. આને કહેવાય ધાક. એક માણસની ‘આણ’થી હજારો ડરે, તો જ જાહેર શિસ્ત અને શાંતિ જળવાય. આપણી જનતા ભૂલકણી છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારાઓને આપણે સજા ફરમાવી શકતા નથી. અમેરિકાએ બોલેલું પાળી બતાવ્યું. ગરદન ઉંચી, છાતી ટટ્ટાર રાખીને! મરદની માફક.
વિચાર તો કરો કે પોતાનાથી સાવ અલગ વાતાવરણ, ભાષા, ખાનપાન, ધર્મ, રીતભાત, સંસ્કૃતિ ધરાવતા દેશોમાં પણ અમેરિકનોએ ખુફિયા બાતમીનું નેટવર્ક કેવી રીતે સ્થાપ્યું હશે? કેવી રીતે ત્યાં અલાયદી લાઈફસ્ટાઈલમાં જીવતા અમેરિકન સૈનિકો રહ્યા હશે? કોઈ અંગત ફાયદા વિના માત્ર રાષ્ટ્રના સન્માન અને શાંતિ ખાતર કેવા ‘કલ્ચર શોક’માંથી પસાર થઈ જાનની આહૂતિ આપી હશે? શક્તિ શબ્દોમાં નથી હોતી, એના અસરકારક અમલમાં હોય છે. ભવિષ્યમાં અમેરિકા કોઈ દેશના દુશ્મન સામે આકરી ભાષામાં વાત કરશે, તો એની વાતમાં વજન પડશે. બાકી ત્રાસવાદ ખતમ જ કરવાનો મક્કમ ઈરાદો હોય તો હાઈટેક તમિલ ટાઈગર્સને શ્રીલંકા જેવો ટચૂકડો દેશ પણ ધૂળચાટતા કરી શકે છે. અમેરિકા જે રીતે ત્રાસવાદીઓ સામે ગુપ્તચરતંત્ર ગોઠવીને ઓપરેશન્સ કરે છે, એના પુરાવા તો વિકિલિક્સે ક્યારનાય આપી દીધા છે! આ મહાસત્તા પોતાના દેશ ખાતર આખી દુનિયા પર ચાંપતી નજર હરહમેંશ રાખે છે. ગ્વાન્તેનામો જેવી કાનૂની પ્રક્રિયાનું ચવાણુ કરી નાખતી જેલ અમેરિકાએ ન બનાવી હોત, તો લાદેનના સગડ ન મળ્યા હોત!
દેશદાઝના કંઈ સીરપ નથી આવતા. કૂટનીતિની કોઈ કેપ્સ્યુલ નથી વેંચાતી. તમે શાકાહારી હો, એટલે જંગલી દીપડો શાકાહારી નથી થઈ જતો. તમારા શાંતિપ્રિય હોવા માત્રથી જ અશાંતિના આરાધકો ચૂપ નથી થઈ જતા (ઉલટું વધુ શોરબકોર કરે છે!) ‘વેન્સ્ડે’ ફિલ્મની માફક આપણા ઘરમાં વંદાઓ અને ગરોળીઓ ઘૂસી આવે, તો એને પંપાળીને પાળવાના ન હોય, બાળવાના હોય.
અમેરિકા પોતાની લડાઈ લડે છે, ભારતની નહિ. પોતાના નાગરિકો માટે, પોતાના હિતમાં જે કંઈ જરૃરી લાગે છે – એટલું એ કરે. શ્રીલંકા હોય કે ઈઝરાયેલ – દરેકે પોતપોતાની લડાઈ જાતે લડવી પડે. પારકી આશા, સદા નિરાશ. આપણો પ્રશ્ન આપણે જાતે જ ઝઝૂમીને ઉકેલવાનો હોય. બહારના શુભચિંતકો ટેકો આપે, – સહાનુભૂતિના બે શબ્દો કહે. ક્યારેક થોડી મદદ પણ કરે. પણ કંઈ આપણા વતી હમેશાં થોડું લડી આપે? જણનારીમાં જ જોર ન હોય, તો સુયાણી શું કરે? આપણે પાણીપોચાં, મિથ્યાભિમાની અને લબાડલુચ્ચા છીએ. શબ્દોના ઢોંગમાં અવ્વલ અને આચરણમાં નાપાસ છીએ. આપણી મહાન સહનશીલતાથી તો બિચારા ત્રાસવાદીઓ પણ થાકી અને કંટાળીને આપણા પર વધુ હુમલા નથી કરતા!
અમેરિકા જગતને માનવઅધિકાર શીખવાડે છે. સત્તાવાર રીતે આપણા કરતાં અનેકગણી શુધ્ધ અને મુક્ત લોકશાહી નાગરિકોના ‘ડી.એન.એ.’માં ઈન્જેક્ટ કરે છે. શાંતિ અને સૌહાર્દ માટે કરોડો-અબજો ખર્ચે છે. પણ ભેંસ આગળ ભાગવત વાંચવામાં સમય બરબાદ કરતું નથી. રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ આવે, તો દાંત કચકચાવીને તુટી પડે છે. લાદેનના મોતના ઓર્ડર પર સહી કરતી વખતે ઓબામા કંઈ દેશની સામે બંધારણીય મુકદ્દમો પેશ કરતા નથી. અને શાસક પક્ષ-વિપક્ષ-બૌદ્ધિકો એક બનીને આ નિર્ણય વધાવી લે છે.
આપણે વરસોના વરસો ટ્રાયલ ચલાવ્યા કરીએ છીએ. દેશહિતમાં પણ રાજકારણ રમ્યા કરીએ છીએ. દેશ’ના’ દુશ્મનોની વાત કરવાને બદલે દેશ ‘માં’ દુશ્મનો પેદા થાય એવું કોમવાદી ઝેર ઓક્યા કરીએ છીએ. પણ આપણામાં ત્રેવડ નથી કે એકઝાટકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાલતા ટેરરિસ્ટ કેમ્પ્સ પર હુમલો કરી, એને સફાચટ કરી દઈએ. (ગુમ થયેલા મુખ્યમંત્રીઓ આપણને દિવસો સુધી જડતા નથી!) આપણી ગુપ્તચર સંસ્થાઓ અંદરોઅંદરની શતરંજમાંથી ઉંચી આવે, તો રાષ્ટ્રચિંતન કરે ને?
આપણે પગાર વધારા માટે બંધારણ ફેરવી શકીએ છીએ. પણ અદાલતી ન્યાય છતાં અફઝલ-અજમલને વટભેર જાહેરમાં ફાંસી સુદ્ધાં આપી નથી શકતા! દાઉદ ઈબ્રાહિમ કે ટાઈગર મેમણને પાકિસ્તાનમાં જઈને ફુંકી મારવાની હિંમત છે આપણી? સત્તાવાર લશ્કર ન જાય, તો પાકિસ્તાનની જ અદામાં સામાન્ય માણસના વેશમાં ટ્રેઈન્ડ કમાન્ડો ૨૬/૧૧ના વળતા જવાબની અદામાં મોકલી શકાય! પણ એ માટે મજબૂત શરીર નહિ, મજબૂત ઈરાદો જોઈએ!
જુઓ, બરાબર સમજો. અર્થનો અનર્થ કરવાની વાત નથી. પાકિસ્તાન કે સાઉદી અરેબિયા પ્રેરિત આતંકવાદી સામે લડવાનો જુસ્સો શેરીમાં રેંકડી ફેરવતા ભારતીય મુસ્લીમ શ્રમજીવી પર ઉતારવામાં નથી બહાદૂરી, નથી બુદ્ધિ, નથી કોઈ નક્કર પરિણામ. એ જ રીતે રાષ્ટ્રવિરોધી, માનવતા વિરોધી ત્રાસવાદી હિન્સાની સામે વિરોધ કરવા કરતાં ઈસ્લામની વ્યાખ્યાની વઘુ ફિકર કરતા મુસ્લીમો પણ લક્ષ્ય ચૂકે છે. ‘ઈસ્લામિક જેહાદ’ના નામે જગતભરમાં ઘૃણાસ્પદ કૃત્યો કરનારા ત્રાસવાદીઓ જ નિર્દોષ મુસલમાનની બદનામી માટે સૌથી વઘુ જવાબદાર છે. કોઈ અન્ય ધર્મી આગેવાનો કે માઘ્યમો નહિ! બસ, આ સાદું સત્ય સમજાય તો ભારતના શાણા હિન્દુ – મુસ્લીમ- ખ્રીસ્તી- શીખ તમામ માટે દુશ્મન કોણ એની વ્યાખ્યા સ્વયંસ્પષ્ટ હોવી જોઈએ, અને એનું નિવારણ પણ!
જીતેલા પ્રદેશો પાકિસ્તાનને તાસક પર આપી દો, અને ૧૯૪૭માં ગુમાવેલા ‘આઝાદ’ (?) કાશ્મીર અંગે પણ ૬૪ વર્ષથી સમતા રાખો, ત્યાં જમ ઘર ન ભાળી જાય તો જ નવાઈ! આયુર્વેદિક નુસખાઓથી રોગ મટે જ નહિ, તો સર્જરી કરાવવી પડે. રોગથી મરી ન જવાય!
૧૯૮૪માં પાકિસ્તાને ઓપરેશન ટોપાઝથી કાશ્મીરમાં ધર્મના નામે જેહાદી ત્રાસવાદીઓને ભડકાવી ૧૯૭૧ની હારનો બદલો લેવા લુચ્ચાઈથી છદ્મયુદ્ધ શરુ કર્યું છે. પાકિસ્તાન સાથે રાતોરાત સીઘું યુદ્ધ કરાય તેમ નથી. શ્વાનને ઠાર મારતા પહેલા હડકાયો સાબિત કરવો જોઈએ. અમેરિકાએ નાઈન-ઈલેવનની સાંજે જ ‘ટેરરિઝમ’ને ‘વોર અગેઈન્સ્ટ અમેરિકા’નું નામ આપ્યું. આપણે ‘ક્રોસ બોર્ડર ટેરરિઝમ’ની મોંમાંથા વગરની કાખલી કૂટવાને બદલે ‘પ્રોક્સી વોર ઓફ પાકિસ્તાન’નો રાગ તારસ્વરે વગાડવો જોઈએ. અણુબોમ્બવાળા મામલે ડરવાની એટલે જરૂર નથી કે પાકિસ્તાન એ વાપરે, તો આપણુ યુદ્ધ પછી બીજા દેશો જ લડી આપે અને વાપરે તો પણ ભારત પાસે જેટલું ભૌગોલિક ઉંડાણ છે, એટલું પાકિસ્તાન પાસે નથી. માટે એ ખમી લીધા પછી ભારતનો વળતો ફટકો ‘ઈતિ સ્વાહા’ જ બને!
કેવળ ત્રાસવાદી કેમ્પ પર હૂમલા કરો તો ફરી પાછી બીજી છાવણી બને. માટે મૂળ અંતિમવાદી માનસિકતા અને એ ખીલવતા ધર્મનો અંચળો ઓઢેલા કેન્દ્રો પર ઘા મારવા જોઈએ. અને આખું પાકિસ્તાન યુદ્ધમાં જીતી લેવાથી પાયમાલ અર્થતંત્રનો હારડો ગળામાં આવે. શ્રેષ્ઠ માર્ગ સુંદરજીચીંઘ્યો છે. પાકિસ્તાનના નામમાં જ પંજાબ (પી), કાશ્મીર (કે), સિંધ (એસ), બલૂચિસ્તાન (સ્તાન) છે. માટે ઈસ્લામ નહિ, કાશ્મીર એને જોડી રાખતો ગુંદર છે. (ઈસ્લામ હોત તો તો બાંગ્લાદેશ છૂટ્ટું પડયું જ ન હોત.) ફૂલ એન્ડ ફાઈનલ ફેંસલો એ કરવાનો કે યુદ્ધ કરી પાકિસ્તાનના સિંધ, પંજાબ, બલૂચીસ્તાન જેવા ટૂકડા કરી નાખવાના! ન વધે સંયુક્ત લશ્કર, ન ઠોસ અર્થતંત્ર! લેકિન, મગર, કિન્તુ, પરંતુ… શસ્ત્રોથી કામ થાય એ શબ્દોથી થતા નથી!
***
જગતને જરૂર છે યુઘ્ધની કે બુઘ્ધની?
યુવકમહોત્સવો કે શાળા – કોલેજોની ડિબેટ કોન્ટેસ્ટસનો વર્ષોથી આ ફેવરિટ સબ્જેકટ રહ્યો છે. અલબત્ત, નિર્ણાયકો અને સ્પર્ધકો બંને માટે આમાં સમાપન ‘વન-સાઈડેડ’ જ હોય છે. સુખ, શાંતિ, અમન, ચૈન માટે બુઘ્ધના વૈરાગ અને સંયમ વિના બીજો કોઈ આરો – ઓવારો નથી. સિકંદર, નેપોલિયન કે હનિબાલની સમકક્ષ વિજયવાવટો ફરકાવવા સક્ષમ એવા સમ્રાટ અશોકે બૌઘ્ધ બનીને જ યુઘ્ધમાં તલવાર ત્યાગી, ત્યારે જગત પર ભારતની આણ ફરકાવવાની આશા પણ મ્યાન થઈ ગઈ હતી. તલવાર વિનાના અશોકનો બૌઘ્ધ ધર્મ શ્રીલંકા, ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, ચીન, જાપાન, જાવા, સુમાત્રા, બાલિથી છેક ઈરાનની સરહદે પહોંચ્યો, તો તલવારવાળો અશોક (અને એ નિમિત્તે ભારતીય અસર) કયાં પહોંચી હોત એ સવાલનો જવાબ સ્વપ્નલોકમાં જ મળી શકે તેમ છે.
પણ યુઘ્ધ – બુઘ્ધની શાબ્દિક રમત રમતા ચેમ્પીયન્સ એક સાદી વાત ભૂલી જાય છે. તર્કને મૂકીને માત્ર તથ્ય પકડો તો પણ રીતસર બૌઘ્ધ ધર્મના વાવટા જયાં ફરકે છે અને બુઘ્ધ જયા પૂજાતા આવ્યા છે- એવા ચીન કે જાપાને વળી મહાસત્તાનું બિરૂદ લડીને મેળવ્યું છે! શાઓલીન, કુંગ – ફૂ, તાઈ – ચી, કરાટે, સમુરાઈ, શોગન જેવી યુઘ્ધકળા અને યોઘ્ધાઓથી જ ‘‘બૌધ’ ચીન જાપાનનો ઈતિહાસ જયા – પાર્વતીના જવારાની જેમ ઉભરાઈ રહ્યો છે!
મતલબ, બુઘ્ધની પૂજા થઈ શકે છે, વ્યવહાર થઈ શકતો નથી! આપણા મુલાયમ માખણહૃદયના જીવો ઘણી વાર ઈન્સાનિયત, અને અમનચૈનને ખાતર યુઘ્ધને વખોડીને શાંતિની હિમાયત કરતા રહે છે. મુદો યુઘ્ધની તરફેણ કે, વિરૂઘ્ધનો નથી. મુદો છે યુઘ્ધના લક્ષ્યનો, હેતુનો! ગાંધીવાદી વિચારધારા ગમે તેટલી સાહિત્યિક લાગે, વાસ્તવિક હકીકત એ છે કે, જો ખરેખર ઈન્સાનિયત અને અમનચૈનનો કાયમી દૌર જોઈતો હોય તો ૧૦૦માંથી ૯૯ કિસ્સામાં ધાક અને ધીંગાણા વિના એ શકય બનતો નથી!
આ માનવસ્વભાવ છે. પ્રેમ, સેકસ, અનુકંપા, આનંદ વગેરેની જેમ જ પ્રાકૃતિક રીતે ‘ભય’ એ બેઝિક ઇન્સ્ટિન્ક્ટ છે. મૂળભૂત મનોવૃત્તિ છે. સંપૂર્ણ ભયમુકત કોઈ થઈ શકતું નથી. સાધકને પણ ઈશ્વર કે સાધનામાં વિક્ષેપનો ભય તો હોય છે. ભય બીન પ્રીતિ નાહીં! અસલામતીની ભાવના, એકલતાનો ખૌફ કે ભાવિ આનંદ છીનવાઈ જવાના ડરથી તો પુરૂષ અને સ્ત્રીને પણ એક – બીજા પ્રત્યે લાલસા જાગે છે. યુઘ્ધ માત્ર હિન્સાખોરી, કનડગત, શોષણ કે શયતાનિયત માટે હોય તો અવશ્ય ત્યાગ કરવાલાયક છે, પણ કયારેક આ બધા અપલક્ષણોને નાથવા પણ યુઘ્ધ જ કરવું પડે છે. કૃષ્ણ અર્જુનને ગીતાની ફિલસૂફી સંભળાવી શકે, દુર્યોધનને નહિ. રામ અયોઘ્યાનું સિંહાસન ત્યાગી શકે, પણ પત્ની પાછી મેળવવા રાવણ સામે રણસંગ્રામ ખેલવો પડે. મોહમ્મદ પયગંબરે પણ સુલેહ શાંતિ માટે જંગ લડવો પડેલો. ‘વાર્યા ન વળે, એ હાર્યા વળે’ ભારોભાર ડહાપણવાળી કાઠિયાવાડી કહેવત છે. ન્યાય જ નહિ, ધર્મનો અમલ પણ સમાજમાં સજા કે પાપના ભયથી જ પ્રવર્તે છે – કેવળ ચિન્તન કે વાટાઘાટોની સમજાવટોના શબ્દોથી નહિ!
ચિન્તનની ચતુરાઈ બે ઘડી બાજુ પર રાખી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ. ઈતિહાસ, વિજ્ઞાન, રાજકારણ અને અર્થતંત્રના તજજ્ઞ અભ્યાસુઓ વર્ષોથી કેટલીક સ્પષ્ટ હકીકતો પર સચોટ ફલેશલાઈટ મારતા રહ્યા છે. પણ આપણા અક્કલમાં આળસુ દેશની સુવાળી પ્રજાનું અંધારૂ એનાથી દૂર થયું નથી. વિગતવાર ઈતિહાસ લખવા માટે તો લેખમાળા પણ ટૂંકી પડે, પણ કિવક એકશન રિપ્લે પર નજર નાખવા જેવી છે.
આજે આઘુનિક અને સભ્યતાનો આદર્શ ગણાતા યુરોપનો આખો ઈતિહાસ જ ટચૂકડા દેશોના કજીયાકંકાસથી ખદબદે છે. બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડસ, પોર્ટુગલ, સ્વીડન, નોર્વે, ડેન્માર્ક, સ્પેન, બેલ્જીયમ બધા જ અંદરોઅંદર કૂતરા – બિલાડાની જેમ લડયા કરતા હતા. કોઈ દેશમાં મજબૂત શાસક કે સેનાપતિ આવે કે ગરોળી ફૂદાંને પકડે એમ એ નજીકના બે ત્રણ દેશોનો કોળિયો કરી જાય. વળી ગુલામ દેશ કે એનો મિત્ર દેશ રણસંગ્રામમાં ઝૂકાવે. છેલ્લા પાંચસો વર્ષમાં અંદરોઅંદર યુરોપે ૧૬૦ જેટલી નોંધપાત્ર લડાઈઓ જોઈ!
આજે યુરોપ પ્રગતિશીલ અને શાંત છે. માહોંમાંહ બાખડતા રાષ્ટ્રોની સરહદો એવી એકબીજા માટે ખૂલી છે કે વિઝાની પણ જરૂર ન રહે! એક જ ચલણ અપનાવ્યા પછી એક જ રાજકીય – આર્થિક ધરી સુધી બધા સુમેળ અને ચર્ચાથી લોહીનું ટીપું રેડયા વિના પહોંચ્યા છે. ખરેખર? જી ના. આ બઘું બીજા વિશ્વયુઘ્ધના પ્રતાપે છે. એકાદ કરોડ માનવજીવો અને ૬૦,૦૦૦ કરોડ ડોલર જેટલા નાણા હોમી દીધા પછી બીજા વિશ્વયુઘ્ધમાં જીતેલા અને હારેલા દરેક દેશોની કેડ ભાંગી ગઈ હતી.‘યુઘ્ધસ્વ’ માંથી ‘બુઘ્ધત્વ’ એવું પ્રગટયું કે આંતરિક ઝગડાખોરી બંધ કરી બધા ડાહ્યા નિશાળિયાની જેમ સુખશાંતિનું લેસન ગણવા બેસી ગયા અને ફૂટબોલના મેદાન સિવાય એકબીજાની સામે ધૂરકિયાં કરવાનું સદંતર છોડી દીઘું!
એક બીજા વિશ્વયુઘ્ધના બીજા કેવા પોઝિટિવ આફટરશોકસ આવ્યા, એની પર પણ નજર નાખવા જેવી છે. ચંદ્રયાત્રા સુધીનું સ્પેસસાયન્સ કે ખિસ્સા સુધીની મોર્ડન મેનેજમેન્ટ થિયરીઝ એના પ્રતાપે આવી જ. પણ રકતપાત વિના મેળવાયા હોવાની અઘૂરી સચ્ચાઈ તરીકે બહુ ગવાયેલી ભારત જેવા દેશોની આઝાદી પણ ધાર્યા કરતા વહેલી એના પ્રતાપે જ આવી. એટલું જ નહિ, મારકણા આખલા જેવું હિન્સાખોર જાપાન પણ ગરીબડી ગાય જેવું શાંતિપ્રિય કોઈ કવિતા સાંભળીને નહિ, પણ અણુબોમ્બના ભડાકે જ થયું છે!
મુગ્ધ વિવેચકો જાપાનની ટૂંકા ગાળાની ટેકનોલોજીકલ પ્રગતિ જોઈને ભારતને એમાંથી પ્રેરણા લેવાની શિખામણ આપતા રહે છે. આ બાળાભોળાઓને એ ખબર નથી કે ભારત જયારે ગુલામ હતું, ત્યારે છેલ્લી ત્રણ – ચાર સદીથી જાપાન એશિયન સુપરપાવર હતું. ફરક એટલો કે વૈજ્ઞાનિક સંશોધનોમાં ભેજુ લડાવવાને બદલે જાપાનીઓને હાથથી રીતસરની લડાઈ લડવામાં વઘુ રસ પડતો. દાદાગીરી પણ કેવી? હજુ માંડ ૧૧૨ વર્ષ પહેલા એણે કોરિયા પર આક્રમણ કરેલું. પછી ચીન પર ચડાઈ કરી તેને હરાવી તાઈવાન કબજે કરેલું. પછી રશિયાના નૌકાકાફલાનો વારો કાઢી નાખ્યો. પછી મંચુરિયા અને વચ્ચે અમેરિકાના જહાજો પણ ઉડાડી દીધા. બીજા વિશ્વયુઘ્ધમાં હિટલરના જર્મની સાથે મળીને એ લડયું. માત્ર માથાભારેપણાને લીધે દૂર સૂતેલા અમેરિકાના પર્લહાર્બર પર હૂમલો કર્યો. એ વખતે જાપાનના ક્ષેત્રફળ કરતાં એણે જીતેલા પ્રદેશોનું ક્ષેત્રફળ ૯૩ ગણું હતું, અને ટચૂકડા- એશિયન દેશોને વિસ્તારવાદી જાપાનના નામથી ભયનુ લખલખું આવતું!
આ જાપાનની સાન ઠેકાણે આવી હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બની લપડાક પછી! નિર્દોષ પ્રજાજનોના મૃત્યુ થયા એ સાચું, પણ તો વર્ષોથી જાપાનીઓએ પણ બીજા દેશોમાં શું કરેલું? એટમબોમ્બના એટેક પછી હિન્સાની નિરર્થકતા જાપાનને એવી પચી ગઈ કે બદલા ખાતર પણ અમેરિકા પ્રત્યે વેરભાવ રાખવાને બદલે એ અમેરિકાનું ટેકનોલોજીકલ પાર્ટનર બન્યું!
ઈઝરાયેલથી વિએતનામ સુધીના આવા બીજા સેંકડો દાખલા અને દલીલો દીવા જેવી સ્વયંસ્પષ્ટ છે. લેટેસ્ટ એક્ઝામ્પલ અલકાયદા વિરૂદ્ધ અમેરિકા કા કાયદાનું છે. શાંતિમંત્રની માળા જપતા અને પ્રત્યેક જંગના અંતે શરણાગતિ જેવું સમાધાન કરતા ભારતમાં કાશ્મીર, દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં જ કેટલી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદની સાબિતીરૂપ ઘટનાઓ બની? બેહિસાબ! ભૂલાય નહિ તેવી મોટી ઘટનાઓની યાદી બનાવો તો પણ ડઝનેક દુર્ઘટનાઓ ગણવી પડે. જ્યારે સપ્ટેમ્બર ૨૦૦૧માં લાદેને અમેરિકાના ટ્વીન ટાવર તોડયા પછી અમેરિકાની ધરતી પર (લાદેનની પારાવાર ધમકી અને વિડિયો ટેપ છતાં પણ) કેટલા આતંકવાદી હુમલા થયા? એક પણ નહિ! ધારો કે, કાલ ઉઠીને કોઈ છમકલું થાય તો પણ ભારતની સરખામણીએ ઈંટકા જવાબ પથ્થરથી દેનારા અમેરિકાએ વઘુ શાંતિ મેળવી કે નહિ?
ધેટસ ધ પોઈન્ટ. જ્યાં લાગણી, સંવેદના અને સમજદારીની ભાષા સમજાતી હોય ત્યાં બેશક થોડું સહન કરીને કે જતું કરીને પણ એ જ માનવમૂલ્યોને વળગી રહેવું જોઈએ. પણ હડકાયા શ્વાનની સામે જૈન ધર્મની જીવદયાનો મંત્રોચ્ચાર કરો તો કૂતરું પીંડીએ કરડીને પછી બાવડે બચકાં ભરે. આ જ સત્ય ભારતભરના હિન્દુ-મુસ્લીમોએ પાકિસ્તાન અને ત્રાસવાદના સંદર્ભે સમજવાનું છે. શાંતિ હમેશા શક્તિશાળી જ સ્થાપી શકે.
ભારત પર સંસાર અસારવાળી, સેક્સ વિરોધી બ્રહ્મચર્યના ગુણગાન ગાઈ પ્રજાની ખસી કરી નપુંસક બનાવી દેતી માયામિથ્યાવાદી સંસ્કૃતિની અસર એવી જડબેસલાક છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે રામ અને કૃષ્ણનો દેશ છીએ. દુઃશાસનના લોહીથી ચોટલો બાંધીશ, એવી પ્રતિજ્ઞા લઈને પૂરી કરનારી દ્રૌપદીનો દેશ છીએ. પોતાની પત્નીને ખાતર લંકામાં ઘૂસી જઈને રાવણની નાભિમાં તીર મારનારા રામનો દેશ છીએ. મહિષાસુરને કાકડીની માફક કાપી નાખનારી દુર્ગા અને રક્તબીજ રાક્ષસનું લોહી ખપ્પરમાં પીનારી મહાકાળીનો દેશ છીએ. એક તીરમાં હવામાં અધ્ધર લટકતા ત્રણ નગર ‘ત્રિપુર’ને ઉડાડી દેતા અગ્નિનેત્રવાળા મહાકાળ રૂદ્રનો દેશ છીએ. કંસથી લઈને નરકાસુરના ઘરમાં ઘૂસીને એમને પૂરા કરનાર કૃષ્ણનો દેશ છીએ. ભારતનો વારસો યુદ્ધથી પીઠ ફેરવીને ભાગવાનો નથી. અહીં પ્રખર બુદ્ધિમાન અને આનંદપ્રેમી આદર્શવાદી ચરિત્રોએ ખૂંખાર લડાઈઓ લડી અને જીતી બતાવી છે.
કિશનને કહા અર્જુન સે – તુ ન પ્યાર જતા દુશ્મન સે… યુદ્ધ કર! યુદ્ધસ્વ!
(ત્રાસવાદ પર મેં અગાઉ લખેલા અસંખ્ય લેખો પરથી સાંપ્રત સંદર્ભે કેવળ થોડા ફકરાઓ સંકલિત – કરુણતા એ છે કે ૩-૫-૭ વર્ષે એના તમામ વિચારો તાજા લાગે છે! આ લેખક તરીકે ગૌરવની વાત ગણાય, તો યે નાગરિક તરીકે શરમની વાત છે! )
Bhupendrasinh Raol
July 14, 2011 at 7:26 AM
યુદ્ધમ શરણં ગચ્છામિ.હવે તો યુદ્ધ એજ કલ્યાણ.લેખ વાંચીને ખમીર ના જાગે તો પછી કોઈ ઉપાય નથી.ભારતમાં સૈનિકોનું કોઈ મુલ્ય નથી.અહીં સૈનિકોનું બહુમાન છે.આપણે ત્રાસવાદીઓને સાચવીએ છીએ દેશના નાગરિકોની સલામતીના જોખમે.અહીં સરકાર કાયદો તોડે છે દેશના નાગરિકોની સલામતી ખાતર.જબરદસ્ત લેખ.
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:11 PM
thanks sir…we share the same attitude in this matter. but india is ful of fearful n wicked intlectualls..they wil see dat pressure dont build up on govt.
LikeLike
Vishwajit Chauhan
July 14, 2011 at 11:16 PM
Mr. Vasavada, none of us would support what the terrorists sponsored by Pakistan are doing. Just like 1971 in Bangladesh, majority of Pakistan would also support us for giving them freedom from these terrorists, but bigger threat to India is within us. From Assam to Kerala, one can’t do business without paying “Gunda Tax” or go to the job without donating casual leaves to the strikes held by communist parties. Since a few people involved in such terrorism or politics have been supporting tribal and rural people against our corrupted industrialization, they have got a strong public support. Please share your views on this issue too.
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:46 AM
u r right..i wrote on that in my columns.
LikeLike
Envy Em
July 14, 2011 at 7:54 AM
When will India (read, politicians) learn from its own past? We are attacked and ruled by foreigners due only to our upbringing or doctrine – to accept whatever comes, as punishment of our own past deeds,which is fautly at base itself.
I remember here Baxi, who wrote fitting article on war/fighting as only tool to survive before people, who understand the language of hitting back.
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:14 PM
foregners had ruled us coz v r coward nation. lets face it.
LikeLike
kumar
July 16, 2011 at 12:38 PM
I would say not coward…but nation full of traitors
LikeLike
Yash Dalal
July 14, 2011 at 8:12 AM
આક્રમણ…………હલ્લા બોલ……….દુશ્મનને ખલાસ કરી નાખો………..જય હિંદ……..
જયભાઈ ગુસ્સો આવે અને ખૂનમાં અચાનક દેશભક્તિ જાગી જાય અને આતંકવાદીઓ અને ખાસ કરીને પાકિસ્તાનીઓ પ્રત્યે કારેલાના સરબતના સ્વાદ જેવો વ્યવહાર કરવાની ઈચ્છા થઇ જાય….બોર્ડર અને રંગ દે બસંતી જેવી ફિલ્મો જોવાનો મૂડ બની જાય….અને થોડા સમયમાં બધું ભૂલાઈ જાય……ફરીથી બોમ-ધડાકા થાય ત્યાં સુધીની શાંતિ………..સાઉન્ડ-પ્રૂફ રૂમ જેવી શાંતિ…..
થોડાક સવાલોના જવાબ તો આપણે શોધવાના જ રહ્યા…….
મુંબઈમાં બોમ-ધડાકા થયા અને ખાસ કરીને ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં….કેમ??????
જુલાઈ મહિનામાં જ કેમ બોમ-ધડાકા થયા??? કે હંમેશા થાય છે?????
આપણા નેતાઓ ચુપ કેમ છે???બાયલા છે કે કોઈ રાજનીતિની ચાલ?????
૯/૧૧ વખતે અમેરિકામાં જે જાહો-જલાલી હતી એના કરતાં અત્યારે પરિસ્થિતિ રેગિસ્તાનના મૃગજળ જેવી થઇ ગઈ છે,કેમ એવું થયું?????
પાકિસ્તાન પાસે પરમાણું બોંબ છે,અને એનું ટ્રીગર આતંકવાદીઓના હાથમાં છે,એ આપણે ના ભૂલવું જોઈએ!!!!!
યુદ્ધથી જ શાંતિ થતી હોત તો પરમાણું બોંબ બનાવવાની હરીફાઈ ના ચાલતી હોત……
યુદ્ધથી જ પ્રગતિ થતી હોત તો બીજા વિશ્વ યુદ્ધ પછી બ્રિટન બરબાદ ના થાત અને જાપાન આબાદ ના થાત….
ચાણક્યનીતિ કહે છે,જયારે દુશ્મન પર સામી છાતીએ હુમલો ના કરી શકીએ તો દુશ્મનનું જીવવું બદ્તર બનાવી દેવું જોઈએ….એટલે કે, જીવન-જરૂરિયાતની વસ્તુઓ એને મળતી બંધ કરી દેવી જોઈએ….” ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી.”
કેટલીક વાર એવું થાય છે કે, આ ધડાકા જાણી જોઈને કરાવવામાં આવે છે…..કોણ કરાવે છે એતો રામ જાણે…..પણ આપણી ઇન્ટેલીજન્ટ-ખુફિયા સર્વિસના માણસોને આ ધડાકાની માહિતી ના હોય,એવું બની જ ના શકે…..આં વિષે થોડું વિચારી જોજો…..
કસાબની બર્થડે પાર્ટી આતંકવાદીઓએ ઉજવી કે આપણા નેતાઓએ????????
ભ્રષ્ટાચારના મુદ્દાને દૂર કરવા માટે આતંકવાદનો મુદ્દો પ્રજા સમક્ષ મુક્યો એટલે બોબ-ધડાકા?????
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:15 PM
jetlo aakrosh tamne chhe etlo j mane chhe.
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:39 PM
આભાર…પણ ધ્યાનથી વાંચો દોસ્ત …પાકિસ્તાન સાથે રાતોરાત સીઘું યુદ્ધ કરાય તેમ નથી. શ્વાનને ઠાર મારતા પહેલા હડકાયો સાબિત કરવો જોઈએ. અમેરિકાએ નાઈન-ઈલેવનની સાંજે જ ‘ટેરરિઝમ’ને ‘વોર અગેઈન્સ્ટ અમેરિકા’નું નામ આપ્યું. આપણે ‘ક્રોસ બોર્ડર ટેરરિઝમ’ની મોંમાંથા વગરની કાખલી કૂટવાને બદલે ‘પ્રોક્સી વોર ઓફ પાકિસ્તાન’નો રાગ તારસ્વરે વગાડવો જોઈએ. અણુબોમ્બવાળા મામલે ડરવાની એટલે જરૂર નથી કે પાકિસ્તાન એ વાપરે, તો આપણુ યુદ્ધ પછી બીજા દેશો જ લડી આપે અને વાપરે તો પણ ભારત પાસે જેટલું ભૌગોલિક ઉંડાણ છે, એટલું પાકિસ્તાન પાસે નથી. માટે એ ખમી લીધા પછી ભારતનો વળતો ફટકો ‘ઈતિ સ્વાહા’ જ બને!…ને યુદ્ધ થી શું પ્રગતિ થાય એનું ઘણું લખ્યું છે. ફરી વાર વાંચજો .
LikeLiked by 1 person
parth
July 14, 2011 at 8:17 AM
@jv love it……quite practical article and suggestions(as usual)…..but the bottom line is when the runners of this country will understand this?
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:16 PM
when ppl force dem
LikeLike
HD
July 14, 2011 at 8:31 AM
And see this irony…Gujaratis, who are labelled as “Shu sha paisa char” and who produced Gandhi, have also produced Sardar & Modi…and writers of such thoughts like Jay V..and yet, rest of India seems to think…Gujaratis are aberration bcoz they think like this…!!! Wonderful piece Jay, congrats!!
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:17 PM
thnxxx bt gujarat is a state where gujarati speaks againt gujarat’s safty. sad.
LikeLike
Shyam j Desai
July 14, 2011 at 8:41 AM
“કહી દયો દુશ્મનો ને દરિયા જેમ હું જરૂર પાછો આવીશ
એ મારી ઓંટ જોઈ ને કિનારે ઘર બનાવે છે “
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:18 PM
aavu koi di keedhu bharat sarkare? 😛
LikeLike
ગીત અને ગુંજન
July 14, 2011 at 8:46 AM
શ્રી જયભાઈ…બધી વાત સાથે સંમત…પરંતુ આપ જે બીજી વાતને આની સાથે જોડી દો છો કે આતંકવાદીઓને મારનાર પોલીસ અફસરોને જેલ થાય છે – એ વાત કંઇક વધુ પડતી ન.મો. તરફી લાગી…માફ કરજો, હું એવું માનું છું કે કદાચ આપ જે પ્રતિભાવની અપેક્ષા રાખતા હશો તે કદાચ હું નથી આપી રહ્યો…કેમકે ઉશ્કેરાટમાં આવીને તાબોટા પાડવા એ કદાચ મારા સ્વભાવમાં નથી…માફ કરશો.
હું પહેલા તો એ જણાવી દઉં કે મને નથી કોઈ લાગણી કોંગ્રેસ માટે કે નથી ભાજપ માટે, નથી માયાવતી માટે કે નથી મમતા માટે; કદાચ જયલલિતા અને કરૂણાનીધી માટે તો નેગેટીવ લાગણી છે … ધિક્કાર … અને બીજા ઘણા રાજકીય નેતાઓ જેવા કે દિગ્વિજય કે રાજા કે વાજા કે વાંદરા માટે પણ ધિક્કાર છે…એટલે ન.મો. માટે નથી લખતો પરંતુ ભારતીય બંધારણની અંદર જે Right To Life છે તેના સાપેક્ષમાં લખું છું આ જવાબ કે પ્રતિભાવ એટલે ન.મો.ના કે અન્ય કોઈના અગણિત ચમચાઓએ બંધબેસતી પાઘડી પહેરી ના લેવી અને ગાળાગાળીના કરવી.
તમે એમ કહો છો કે આપણે બધાએ, પ્રજાએ, યુદ્ધમ્ શરણં ગચ્છામી થવું જોઈએ. Agreed whole-heartedly. I will be the one of the first ones to take the bullet on my chest, if push comes to shove. Those, who have failed to reign in their local terrorists and export terrorism throughout the world, shall be punished. એમાં કદાચ સુકા સાથે લીલું પણ બળશે … બળે જ … પણ એમાં કંઈ ના થઇ શકે કેમકે પાકિસ્તાન એક રાષ્ટ્ર તરીકે ભાગલા પડ્યા ત્યારથી આજ કરતુ આવ્યું છે ને એવું નથી લાગતું કે એ પોતાની મથરાવટી ક્યારેય સુધારી શકે. વાતો મોટી મોટી કએમાં રે, મુશર્રફ પણ કરતા હતા (and he was bloody better in talking then these Indian fools – who claim the leadership)…આજે તો હવે એ પણ પાકિસ્તાનની ધરતી પર જઈ શકે તેવું નથી રહ્યું. જો યુદ્ધજ આ સમસ્યાનો ઉકેલ હોય તો એજ થવું જોઈએ. સાર્વભોમત્વ ધરાવતા આપણા દેશની ધરતી પર વારે-તહેવારે નિર્દોષ પ્રજાનું રક્ત રેડાતું રહે તો આપણે આક્રમક પગલાં લઈને સીમા પાર આવેલા અને આપણા પોતાના દેશમાં રહેલા – Indian Mujahideens કે LET કે અન્ય ત્રાસવાદીઓની પ્રશિક્ષણ શિબિરો અને ઘરોમાં ઘૂસીને પકડી-પકડીને મારવા જોઈએ. Agreed wholeheartedly. એમાં પછી આપણને કોઈ સાથ આપે કે ના આપે – ઇઝરાયલની જેમ…ઈંટનો કે કાંકરીચાળાનો જવાબ જોરદાર પથ્થરથીજ આપવો જોઈએ…એમાં બેમત નથી.
હવે, આપ કહો છો એમ વણઝારા પ્રકારના ડાકુઓ કે જેમની પોલીસ ખાતામાં ભરતી અને બઢતીઓજ એવા આશયથી થઇ છે કે રાજકીય દાવપેચ રમતાં નેતાઓને જેને પતાવી દેવામાં રસ હોય તેને પતાવી દે…એને સોપારી કહેવાય સાહેબ….જેને મારી નાંખ્યો એ આતંકવાદી હતો કે નહિ એ નક્કી કોને કર્યું? એની પત્નીને મારી નાંખવા પાછળ શું કારણ? એમની સાથે એક સામાન્ય ચોર હતો – તુલસીરામ પ્રજાપતિ – એ આતંકવાદી હતો એવું કોણ નક્કી કરે? વાન્ઝારસાહેબ? કે નરેન્દ્ર મોદી સાહેબ? કે અશોક ભટ્ટસાહેબ? કે ચૂંટાયેલો કોઈ ગુંડો? કે પછી ન્યાયતંત્ર? કે પછી આપના જેવો કોઈ પ્રખ્યાત કોલમિસ્ટો? કોણ નક્કી કરે સાહેબ? કાલે આપણે મારો આ અભિપ્રાય ના ગમે અને આપણે રાજકીય ઓળખાણ હોય અને આપણે હું “નડતો” હોવ એવું લાગે – તો મને “પતાવી” દેવા માટે તમે સોપારી આપો, તમારી જેની સાથે રાજકીય લાગવગ હોય કે ઉઠબેસ હોય તેવા કહેવાતા નેતાને અને પછી એવું જાહેર કરો – કેમકે લોકો તો તમને વાંચે છે – કે “અરે…હિમાંશુ ત્રિવેદી તો બદચલન ગુનેગાર છે – ત્રાસવાદી છે – કે હતા – અને એમણે તો અરે અરે … આ બધું કરેલું” … એ નક્કી કોણ કરે સાહેબ? અને જો ત્રાસવાદીને પકડી લીધો અને એને ન્યાયાલય સમક્ષ હાજર કરીને ન્યાયિક પ્રક્રિયા બંધારણની જોગવાઈઓ મુજબ અને દેશ કે રાજ્યના કાયદાઓ પ્રમાણે કાર્યવાહી કરતા કોણ રોકતું હતું? કોણ રોકે છે?
પ્રતિભાવને પેલા સંજીવ ભટ્ટ કરીને પોલીસ અધિકારી છે … જેમણે એક આર. આર. જૈન નામના હાઇકોર્ટના ન્યાયધીશના કહેવાથી અને એમને વ્હાલા થવાના આશયથી રાજસ્થાનના એક વકીલને સાવ ખોટા આરોપોમાં ફસાવેલા…એ ન્યાયધીશ તો પછી ઘરે બેઠા અને ભટ્ટ અને એમના સાગરીતોને પણ સહન કરવું પડ્યું … સાહેબ, જે દિવસે વાડ ચીભડાં ગળે ત્યારે એ સમતોલપણે વિચારવુંજ રહ્યું કે આપણે ક્યાં જઈએ છીએ! મારા કહેવાનો આશય એવો નથીજ કે કોઈ ખોટું કરે, દેશહિત કે લોકહિત વિરુધ્ધ પ્રવૃત્તિ કરે તેને થાબડભાણાં કરવા…કડક હાથે કામ લો … જયારે કોઈ ગોળી છોડે અને જરૂર જણાય તો તેનો જવાબ બોમ્બથી આપો!!! પરંતુ જયભાઈ, આપણે આવેગ અને આવેશમાં આવી જઈને એ ના ભૂલી જી શકીએ કે આપણામાં અને પાકિસ્તાન જેવા દેશોમાં આજ મોટો તફાવત છે કે આપણે ન્યાયિક પ્રક્રિયાને હજી સુધી સંપૂર્ણપણે અભરાઈ પર નથી ચડાવી દીધી….ક્યારેક તમને વણઝારા જેવા ગુંડાતત્વો સામે બાથ ભીડવી પડે અને આપ લેખ લખો અને કોઈ આપને સમાજવિરોધી તત્વ કહીને ફૂંકી મારે અને આપને ન્યાયિક પ્રક્રિયાથી દૂર કરીને Brand કરીને મારી નાખવાનો પ્રયત્ન થાય ત્યારે મને કદાચ યાદ કરજો સાહેબ!
અને હા…આ પ્રતિભાવને moderate કરવાનો હક્ક આપને છે – એટલે હું કદાચ એકલોજ એ જોઈ શકીશ કે આપને હું ત્રાસવાદી લાગું છું કે સામાન્ય નાગરિક એ પણ મારી અને તમારી વચ્ચેજ રહેશે સાહેબ…એટલે કાપકૂપ વગર છાપો છો કે કાપકૂપ કરો છો કે નથી પ્રગટ થવા દેવા જેવું, એ સત્તા અને discretion આપનું જ છે.
LikeLike
Krutarth Amish
July 14, 2011 at 8:53 AM
This sentences are contradictory :
“આપણે ન્યાયિક પ્રક્રિયાને હજી સુધી સંપૂર્ણપણે અભરાઈ પર નથી ચડાવી દીધી… ”
“…સમાજવિરોધી તત્વ કહીને ફૂંકી મારે અને આપને ન્યાયિક પ્રક્રિયાથી દૂર કરીને Brand કરીને મારી નાખવાનો પ્રયત્ન થાય”
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:36 PM
ભાઈ
મેં તો અહીં ક્યાંય વણઝારાના કેસની વાત નથી કરી. તમે આ બધી અસમ્ન્દ્ધ વાતો ક્યાંથી જોડી દ્દેધી પાકિસ્તાન સામે ના યુધ્ધની વાતમાં? મુંબઈમાં એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ એ.ટી.એસ. પણ વિખેરાઈ ગઈ હતી. સંપૂર્ણ શુદ્ધ હીરો ફિલ્મો મા ય રહ્યા નથી. એટલે પંજાબ ના ત્રાસવાદને નાથનારા ગીલ રૂપા દેઓલની છેડતી પણ કરે-એ ચલાવવું પડે (ને ચલાવી લેવાયું ) કારણ કે જે કામ માટે એમની જરૂર હતી એમાં એમને પરફોર્મ કર્યું. જગત આખામાં આવું થતું હોય છે. સાવ રામ જેવા આદર્શ યોદ્ધ ક્યા મળશે? ને રામે પણ રાવણ ને હરાવવા નિર્દોષ વાલીનો વધ કર્યો હતો ને. કોઈ ગુનેગાર પોલીસ અફસરનો બચાવ નથી, પણ પોલીસનું મોરલ ડાઉન થાય છે ત્રાસવાદ સામેની લડતમાં એ હકીકત છે.
તમારે તો કોમેન્ટ લખવી છે, હું તો આ બધું જાહેરમાં લખી ચુક્યો છું. ડર લાગતો હોત તો આવા વિષયો પર લખતો બોલતો ના હોત..મને તો હાલતા ને ચાલતા ધમકીઓ મળે છે. એટલે મારી ચિંતા મુકો..મુદ્દો એ છે કે ઘણા સાચા અર્થમાં જાંબાઝ ઓફિસરો ન્યાયિક પ્રક્રિયા થી નિરાશ છે. ને ત્રાસવાદી ન્યાયિક પ્રક્રિયામા માનતા નથી. એટલે આ વાતો જરાક એમના કોઈ કેમ્પમાં જઈ ને તેમને તો કહો..
ત્તામારા મનમાં કૈક વિચિત્ર છાપ લાગે છે..ત્રાસવાદમાં થી ત્તામે વળી વાચક ના ગમે તો સોપારી આપો એવા સીધા અંગત અને રાજકીય આક્ષેપ પર ક્યા ચડી ગયા? આ જ તો તમારો ફોબિયા બતાવે છે. હું ભાગ્યે જ કોઈ કોમેન્ટ મોડરેટ કરું છું…આ બ્લોગના ટેકનીકલ સેટિંગમાં મોડરેશન છે એટલે, બાકી આ ય ઓપન હોત.તમરી જેમ ની તેમ મૂકી છે..સાવ જ વિચિત્ર હોવા છતાં. તમારા મગજ મા કૈક જુદા જ ખયાલો ભરેલ્યા લાગે છે. ચિકિત્સા કરવો એની. આ નવલકથા નથી. કલ્પનાના ઘોડા ઓછા દોડાવો.
LikeLiked by 1 person
Krutarth Amish
July 14, 2011 at 10:57 PM
Jay Ho!
LikeLike
Nikunj Patel
July 15, 2011 at 7:42 AM
I totally agree with you Jaybhai.
LikeLike
R. Bhavesh
July 14, 2011 at 6:49 PM
ફટ! હાક થું!
“ચોખલિયા” શબ્દ કદી સંભાળ્યો છે? એ તમને લાગુ પડે છે. તમે એનું મૂર્તિમાન સ્વરૂપ છો.
આ આપનું અપમાન કરવા નથી લખ્યું પણ સાચા પોઈન્ટ ને તદ્દન ખોટી દિશા માં લઇ જઈને મૂળ મુદ્દા ની પત્તર રગડી નાખવા વાળા પંચાતીયાઓ પ્રત્યે ની ધ્રુણા ને કારણે લખ્યું છે. રાહુલ ગાંધી ની ભાષા માં કહું તો “આતંકવાદ વિરુદ્ધ ના યુદ્ધ માં આવા અન્યાયો તો થયા કરે!!”. બાકી આમ પણ મુંબઈ માં વાર તહેવારે સેંકડો માણસો મરે છે. આતંકવાદ વિરુદ્ધ કડક કાયદા હશે અને એના દુરુપયોગ ના પરિણામે કદાચ મરીશું તો પણ, Atleast ખુદ ના દેશ બંધુ ના હાથે તો મરીશું. એની સામે, આંતકવાદીઓ થર થર ધ્રુજશે એ તમને નાનો સુનો ફાયદો લાગે છે?
LikeLike
Ashwin
July 19, 2011 at 10:00 PM
“એ નક્કી કોણ કરે સાહેબ? અને જો ત્રાસવાદીને પકડી લીધો અને એને ન્યાયાલય સમક્ષ હાજર કરીને ન્યાયિક પ્રક્રિયા બંધારણની જોગવાઈઓ મુજબ અને દેશ કે રાજ્યના કાયદાઓ પ્રમાણે કાર્યવાહી કરતા કોણ રોકતું હતું? કોણ રોકે છે?”
શું કોણ નક્કી કરે…કોણ નક્કી કરે…કોણ નક્કી કરે…
ત્રાસવાદીને પકડી ને ન્યાયાલય સમક્ષ હાજર કરવાનો? હા હા હા…
કસાબ ત્રાસવાદી છે કે નહિ એ નક્કી કર્યું તમે? આખી દુનિયા એ લાઈવ જોયેલું અને નક્કી કરવા જેવું કંઈ બાકી જ ના હતું.
ન્યાયાલય સમક્ષ હાજર કરવાથી પણ શું પરિણામ આવ્યું? ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણપણે અભરાઈ પર ક્યારનીય ચડી ગઈ છે મિત્ર. આંખ ખુલ્લી રાખી ને ફરવાનું રાખો થોડુક.
LikeLike
dinesh3164
July 31, 2011 at 12:25 PM
હિમાંશુ ત્રિવેદી
tane avu nahi lagtu ke ahi jay matr vanjarani vaat nathi karta,vanjara tara kaheva pramane khoto hache pan je marnar che tenathi deshe chu khou ?
ane ek ghakdar polish ne jel ma javathi chu khou ?te mumbai na humlapra thi khabar pade che. ahi matr vanjarani vaat nahi a polish ni vaat che?
aje aj vishar dhara apna namala rajneta ma che /
LikeLike
Krutarth Amish
July 14, 2011 at 8:49 AM
After cabinet reshuffle Dr. MMS, along with other leaders, was busy. So print ./ electronic media could not access him for the comment on yesterday’s Mumbai blast.
TV channels resolved this issue – By showing his comments that he issued last 4-5 times !
“નપુંસક આઝાદી કરતા તો વીરત્વભર્યા વિદેશની ગુલામી સારી !” – Vaah Vaah Vaah.
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:37 PM
આભાર…
LikeLike
Rajendra Zala
July 14, 2011 at 9:24 AM
>>રાતોરાત કોઈ કાયમી ઉકેલ મળવાનો નથી. પણ કાયમી અભિગમ જરૂર હાજર છે.
>>ઇટ્સ બિકોઝ ઇટ હેઝ શોન કેરકેટર એન્ડ એટિટ્યૂડ. હા, ટેલન્ટ તો છે જ. પણ પિચ ઉપર બોડી લેંગ્વેજ અને વર્તનથી હરીફને મહાત કરી શકાય છે.
>>પગલા લેવાના હોય, એનું એનાઉન્સમેન્ટ ન કરવાનું હોય !
>> સો વિદ્વાન, બરાબર એક પહેલવાન ! (આ પણ એક વિદ્વતાપૂર્ણ સંશોધન પછીનું જ વિદ્વાનોનું તારણ છે !)
>>અમેરિકા એમ સલામત પણ નથી થઈ જવાનું. પણ, નાઈન-ઈલેવન પછી લાદેને ટેપ બનાવી બનાવીને ધમકીઓ આપ્યા કરી, પણ અમેરિકામાં હજુ સુધી એક ફટાકડો પણ ફોડી શક્યો નહોતો.
thumbs up JV
an aggressive article….
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:40 PM
આભાર મિત્ર..
LikeLike
હાર્દિક સોલંકી
July 14, 2011 at 9:43 AM
આપણા બાયલા મનમોહન ચૂં ચૂં ચૂં (સિંહ કહેતા તો મારો પણ જીવ નથી ચાલતો)ને વંચાવવા જેવો લેખ…
કદાચ આ વાંચી ને એમના માં રહેલું બચ્યું-કુચ્યું પુરુષત્વ જાગી ઊઠે…
LikeLike
Hardik Solanki
July 14, 2011 at 9:46 AM
આપણા બાયલા મનમોહન ચૂં ચૂં ચૂં (સિંહ કહેતા તો મારો પણ જીવ નથી ચાલતો)ને વંચાવવા જેવો લેખ…
કદાચ આ વાંચી ને એમના માં રહેલું બચ્યું-કુચ્યું પુરુષત્વ જાગી ઊઠે…
LikeLike
Kartik
July 14, 2011 at 10:54 AM
Super article. JV Sir, can you use post slug, so it is easy to share with others?
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:41 PM
આભાર દોસ્ત..પણ હું આમાં બહુ ટેકનીકલ જાણતો નથી..તમારીઓ પાસેથી શીખવું ગમશે..
LikeLike
Parth Patel
July 14, 2011 at 7:34 PM
sir really a great artical ….we would like to do all thing u told..bt we have no power except -voting power .bt nw a days thts also nt important ..bcz we voted out n thn the same thing ..so do u have idea wht we can do in this matter except writin something intresting so someone (hope) could rebirth n do something grt for us ..n one thing also abut nucluer bomb ..dont u think if pakistan use it thn our country might go back to 10-15 years ..bcz i think so …also in pakistan nw a days on stack bcz there internal collisen is on the edge so .its good thing if they fight internally n finish (hope fully)
thnks sir ..its jst my view
LikeLike
Gujarati
July 14, 2011 at 11:22 AM
@Geet ane Gunjan,
In your list of who ‘could not decide’ if the killed person is terrorist, you are the least qualified person to decide that!!! All I know is that at least you don’t have any knowledge whatsoever to be able to decide if the killed persons were terrorists, compared to the police officers or the home ministers or the investigative journalists !
David Hedley has told the American court that Isharat Jahaan was a fidayeen. And people like you are still defending her for some ‘unknown’ reasons! May be you are a ‘chamachaa’ or ‘bhakta’ of terrorists.
When Osama bin Laden was killed, the navy seals also killed a woman (see point 3 in this BBC article: http://www.bbc.co.uk/news/world-south-asia-13257330). Do you get the point here?!
When in such times a person is willing to spend time to defend the terrorists’ killings, I don’t believe he is going to be ahead of all of us to take a bullet on his chest!!! On the contrary, I think you can be a Jai Chand of our times, and so better to keep you away from the beginning.
Not only you, but there are a few other people like you around. So just go away and do your own job now, i.e., collecting money from the central govt. and/or the international funding agencies. Ok?
As Jay says, ‘Vaahiyaat abhiprayo ne entertain naa karaay’. So we don’t want to spend time on discussing with you.
Bye,
Gujarati
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:40 PM
આભાર દોસ્ત..
LikeLike
Dr. Janantik Shah.
July 14, 2011 at 11:24 AM
good article as usual, sir. but the point is that our Indian govt. or politicians have sold out the country. they don’t feel any pain, sympathy for the incident nor feel shame for the situation.
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:41 PM
સાચી વાત..
LikeLike
Sunita
July 14, 2011 at 11:46 AM
gud article…aa article ne jetlo felavi sakta ho mitro felavo……..Apdi sarkar kyarek to jagse..
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:42 PM
હા એ જ તો આશા છે..
LikeLike
ashvin mehta
July 14, 2011 at 1:01 PM
very very good article…send i ( in English) to soniya myno gandhi after all she has a real power to do something!
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:42 PM
IF SHE WANNA USE..
LikeLike
bansi rajput
July 14, 2011 at 1:42 PM
lato l bhoot bato se nahi mante…. pan pela to aapde aapda j desh mathi aeni saruaat karvi padse…..dimak ni jem desh ne khai gya 6….. same….
LikeLike
bansi rajput
July 14, 2011 at 1:56 PM
lato k bhoot bato se nahi mante…. pan pela to aapde aapda j desh mathi aeni saruaat karvi padse…..dimak ni jem desh ne khai gya 6….. same…. same… ane jarur padye pan kai karya vagar chup chap besi tamaso jonar aapde loko pan aetlaj javabdar 6iye…..
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:43 PM
bansi…top level par nirmaly loko isis ne javab aapi shake..comman man vigilant raheva sivay shu kari shake?
LikeLike
vishalboricha
July 14, 2011 at 2:44 PM
@જયભાઈ તમે જેમને આ લાખો છો, તેમના સુધી આ પોગતું હશે કે નઈ?
LikeLike
vishalboricha
July 14, 2011 at 2:50 PM
કેહતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવું કંઈક તો નથી થાતુ ને ??
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:44 PM
કેમ તમારા સુધી તો પહોંચ્યું ને..તમે દિવાના છો? 😉
LikeLike
parth s thakar
July 14, 2011 at 2:52 PM
tamaro aa blog article, ekdum jaruri , effective ane (buddhi thi andh mate pan) eye opener 6. ane mara khyal thi aa des na harek nagrike vachvo ane samjvo joie, ane desh ni harek news channnel ma harek language ma vanchavo joie !
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:47 PM
આભાર મિત્ર
LikeLike
sunil
July 14, 2011 at 3:40 PM
bahar na dushmano karta andarna dushmano j emne sath ane sahkar ape chhe emne pehla khatam karo emnu namo nishan mitavi do eva jaychando ne karne j aa lokoni himmat vadhi chhe. hindustan ame uthnari ankh fodi nakho. have to yuddh e j kalyan namala netaone ek vadhu moko madyo pakne gado bhandvano e loko ana sivay kai j nai kari sake
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:47 PM
હ્મ્મ્મ્મ્મ્મ્મ
LikeLike
dineshtilva
July 14, 2011 at 4:01 PM
….યુઘ્ધમ્ શરણમ્ ગચ્છામિ? jain mrutyuni sankhya ne dhyanma lay ne ke? aa lekh nu taital?
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:46 PM
સમજાયું નહિ સાહેબ…
LikeLike
Arvind Adalja
July 14, 2011 at 4:11 PM
ખૂબજ સુંદર લેખ આજના પરિપ્રેક્ષ્યમાં ! આ તબકકે મને એક દહેશત જણાય છે કે તાજેતરમાં જ આ સરકારે ગેસ-પેટ્રોલ અને ડીઝ્લના ભાવો વધાર્યા છે જેની સામે જન આક્રોશ વધ્યો છે. મોંઘવારી કુદકે અને ભુસકે વધી રહી છે અને જે નિરંકુશ બની ચૂકી છે ત્યારે આ મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કોઈ ગંદી રાજનીતિ તો નથી ને ? એક વાત તો સ્પષ્ટ છે કે આવા હુમલાઓને આતંક્વાદી ગણાવી શકાય તો સાથો સાથ આમ જનતાનું ધ્યાન મોંઘવારીના મુદ્દા ઉપરથી બોમ્બ બ્લાસ્ટ ઉપર ફેરવી આતંકવાદીઓ ઉપર દોરી શકાય !
આજે થોડા સમય પહેલાં જ રાહુલ ગાંધી અને દેશના વિદેશ પ્રધાનના આ વિષે બેજવાબદાર નિવેદનો મીડીયામાં વાંચ્યા. આ તમામ થઈ પડેલા આગેવાનોની એક ઝાટકે સીકયોરીટી પાછી ખેંચી લેવામાં આવે પછી આ તમામની મર્દાનગીની સાચી કસોટિ થાય ! આ તમામ મનમોહનસિંઘ સહિત ( હું તો ક્યારે ય સિંહ કહી શકતો નથી અને વળી મારા મતે તો તે મૂળભુત રીતે સરદારની પ્રકૃતિ ધરાવનાર સરદારજી જ છે ) ખરા અર્થમાં તાણી કાઢેલાઓ છે તે દેશની કે જનતાની રક્ષા કરી શકશે તેમ માનવું હિમાલય જેવડી ભૂલ ગણાય !
LikeLike
jay vasavada JV
July 14, 2011 at 4:45 PM
સાહેબ , એમને સરદારજી કહીએ તો દેશ માટે મારી ફિટનારા અનેક શીખ સૈન્કો ના આત્મા નું અપમાન થાય.
LikeLike
vividspice
July 14, 2011 at 5:00 PM
હવે તો યુધ્ધ જ અંતિમ વિકલ્પ છે!
LikeLike
સુદેવ ગાંધી
July 14, 2011 at 6:52 PM
એ સમય ગયો કે જયારે આપણે “અહિંસા પરમો ધર્મ” ના નારા લગાવ્યે …
યુદ્ધ હવે “અંતિમ” નહિ … “પ્રથમ” વિકલ્પ હોવું જોઈએ.
આપણી સહનશક્તિ ને કાયરતા ગણવાવાળા સામે “હિંસા જ મારો ધર્મ” કહેવું પડે.
LikeLike
hardik
July 14, 2011 at 5:53 PM
nice article!
LikeLike
Maulik Joshi
July 14, 2011 at 6:40 PM
ખુબ સરસ જયભાઈ,,,,પણ આપની પ્રજા, એમાં પણ હિંદુ પ્રજા એ બીમાર વિચારો ની શિકાર થયેલી છે, જેનાથી એક નામાંલ્યું જીવનદર્શન વિકસ્યું છે. આપના અહિંસાવાદ ની તો ચરમસીમા આવી ગઈ છે. સ્વામી સચ્ચિદાનંદ જી એ આ બાબત માં ઘણું કહ્યું છે. ગાંધીજી જીવતા ત્યારે અમુક ઘટના એવી બની કે તેઓ એ ખુબ સ્વીકારવું પડે કે આ સમસ્યા નો ઉકેલ અહિંસા નથી. કાશ્મીર માં પાકિસ્તાની સેના જયારે આગળ વધી રહી હતી ત્યારે, શ્રીનગર નું પતન નજીક દેખાતું હતું, સૌ ગભરાય ગયા હતા, બાપુ એ તરતજ શ્રીનગર માં સેના ઉતારવાનું કહ્યું હતું. સેના ઉતારી ને શ્રીનગર બચી ગયું. જોકે હવે તો લોકસભા કે વિધાનસભા માં પણ ઉત્તમ માણસો ચૂંટાય જવાની શક્યતાઓ નહીવત છે, chuntanij જ્યાં જ્ઞાતિવાદ ના આધારે જીતતી હોય ત્યાં જીતાયેલો માનસ પોતાની જ્ઞાતિ નોજ પક્ષ લેવા નોચે, આવા સંજો ગો માં એક સ્વચ્છ રાષ્ટ્ર નિર્માણ કઈ રીતે સંભવ બને.
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:44 AM
satyvachan
LikeLike
Aakash Upadhyay
July 14, 2011 at 6:46 PM
જયભાઈ, હમેંશની જેમ આ વખતે પણ Firebrand લખ્યું છે.
પણ તમને હવે નથી લાગતું કે આવા નિર્માલ્ય નેતાઓ કરતા લશ્કરી શાસન હોય તો પરિસ્થિતિ સુધરે.
કેમ કે બંને પક્ષે સારા નેતાઓ ની ઉણપ છે.
પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની જરૂર નથી કેમ કે એના લીધે જે માનસિક અને આર્થીક અસરો ઉભી થાય તે આપણા એક દાયકાનો વિકાસ અટકાવી શકે.
જરૂર તો કાશ્મીરના ત્રાસવાદી કેમ્પો નો સફાયો કરવાની છે.
ગુજરાત ના લોકો તો politics શું છે એ સમજી ગયા છે. આખા ભારત ના લોકો ક્યારે સમજશે?
શું કહેવું છે આપનું ?
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:43 AM
sachi vat chhe.
LikeLike
R. Bhavesh
July 14, 2011 at 6:57 PM
જય ભાઈ,
આપને પ્રણામ કરવાનું મન થાય છે અને મનોમન પ્રણામ તો કરી જ ચુક્યો છું. આપે એક લેખક તરીકે નું કર્તવ્ય પાલન કર્યું છે. મારા વંદન, સલામ!
મારી-આપની જેમ જ, દરેક દેશ બંધુ નું લોહી ઉકલી જાય છે, થોડી ગરમાગરમ ચર્ચાઓ પણ થાય છે. પણ પછી બધું “સ્વાહા”. એજ રોજીંદી જીવન શૈલી.
એક ગોલ, ધ્યેય, રસ્તા ની જરૂર છે જેમાં દેશ ની અત્યાર ની પરિસ્થિતિ થી ત્રસ્ત, કૈક સુધારા માટે ઈચ્છુક નાગરિક કૈક સહકાર આપી શકે. આ ધડાકા પછી મોટા ભાગ ના દેશ વાસીઓ કૈક કરવા, યોગદાન દેવા તૈયાર છે. પણ એ શું? ક્યાં, કઈ રીતે પ્રયાસ કરી શકાય? નેતાઓ તો.. ભાઈ એની વાત જ જવાદો. એક સામાન્ય નાગરિક શું કરી શકે? કૈક કરવું છે. પણ શું?
“એક “સામાન્ય” નાગરિક તરીકે, આ દેશ ની પરિસ્થિતિ સુધારવામાં, હું શું ફાળો આપી શકું?” હવે પછી ના આપના બ્લોગ પોસ્ટ માં આવું કઈ guidance મળશે તો આભારી થઈશ.
જય હિન્દ.
LikeLike
Chirag
July 14, 2011 at 7:17 PM
http://rutmandal.info/guj/2011/06/uttishthat/
ક્યા છે એ આત્મા?
ઓ મૂર્છિત, સંતપ્ત, તરફડતા ભારત.
ક્યારે ઉભો થઇ મચાવીશ હાહાકાર ચારેકોર?
શું ખોઈ બેઠો તું જીજીવિષા?
સુવર્ણ ઝળહળતી સંસ્કૃતિનું ઘરેણું ઘસાયુ,
થયું સંપદારૂપ વસ્ત્રોનું હરણ વર્ષોથી એટલે?
उत्तिष्ठत उत्तिष्ठत उत्तिष्ठत ||
ઉભો થઇ દોડ ઓ મૂઢ,
ક્યા ગઈ એ શક્તિ?
જગાવીને પેલો આત્મવિશ્વાસ,
દોડ, ઊડ, આખું આકાશ તારું છે.
વૃક્ષને નવા પાન ઉગે, પ્રાણીને બાળ;
તું પણ નહિ રહે ખખડતો!
जाग्रत जाग्रत जाग्रत ||
આંખ ખોલીશ ‘ને અખિલ બ્રહ્માંડ હૈયામાં.
કાન ઉઘાડીશ ‘ને બધો જ્ઞાન ખજાનો મનઝરુખે.
મુઠ્ઠી ખોલીશ ‘ને બધું ચરણોમાં.
છે તારું જ બધું, નવા કલેવર ચઢાવી
વળી સુસંસ્કૃત કરી સમજાવ જગતને.
લે ઊંડો શ્વાસ ‘ને જગાવી મનોબળ,
प्राप्य प्राप्य प्राप्य ||
LikeLike
bimla negi
July 14, 2011 at 7:53 PM
jv ……..
after 9/11………. i seen many TV interviews where so called celebrities of all field came and presented their aggressive speeches and views……….
but i liked only Ratan Tata and his staff……..
R. Tata said ……… Taj will stand again…..
his words were simple,glamorless but strengthening,dignified and full of determination…….
within some time Taj was there…….. a symbol of courage and attitude……..
well…today……. i recollect R.TATA…..
today….no adjectives i wish to relate u for the reasons of the done event……….
its pity and disgusting that we cant share anything courageous or brave events……..
LikeLike
Mita Bhojak
July 14, 2011 at 8:28 PM
excellent article.
LikeLike
zeena rey
July 14, 2011 at 9:04 PM
jay…….
tere ghar ke darwaje khule the…….
meri niyat kyunkar aabaad rahti………
fikr tujhe nahin kuch bhi…….
leeeeeee loot chala main teri duniya…
kar jo tu kar sahkata hai…
LikeLike
ketan katariya
July 15, 2011 at 12:13 AM
tari kalam A K 47 Jevi chale chhe..
kash Aa Aakrosh sarkar sudhi pahoche..
LikeLike
Darshan Sarkhedi
July 15, 2011 at 1:33 AM
speechless………………………
LikeLike
Umang Bhatt
July 15, 2011 at 8:05 AM
first blogger jou chu je badha questions na ans aape che !!!
amazing ….
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:43 AM
thnxxx dear…when i find time its my duty.
LikeLike
Abhishek
July 15, 2011 at 9:10 AM
8-9 std. ma hindi ma ek kavita aavti, jema “kalam” ane “talvar” e bay vachhe ni choice aapde karvani hoy chhe, ketlake talvar lidhi , to ketlake kalam, pachhi teacher e samjavyu, ke koi pan war na to khali kalam thi jiti sakay chhe, na to khali talvar thi, talvar upadva mate ni yogyata duniya ne dekhadva mate kalam joie, ne duniya ne dekhadya pachhi jo talvar j upde, to pachhi duniya tamne j doshi thervse…….ane,have India ne badlavva mate koike to politics ramvu j padse, pan situation evi chhe, ke jya sau thi vadhare intelligent ne educated loko ni jaroor chhe, tya j……..ane, jetla educated ane intelligent loko chhe, e badha ka to politics thi dare chhe, ne ka to hamesha mate India ne chhodi ne chalya gaya chhe….
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:42 AM
politics educated loko thi darii ne emne khatam kari nakhe chhe.
LikeLike
રાકેશ પટેલ
July 15, 2011 at 11:40 AM
JV આજે તમને- તમને નહિ “તને” કહેવાનું મન થાય છે – કેમ ખબર છે ? એક સારો મિત્ર જ મિત્રના મનોભાવોને આટલી જોરદાર રીતે વાચા આપી શકે ! આ દરેક ભારતીય ના અવાજને શબ્દોથી પ્રસ્તુત કરવા બદલ આભાર !
મારા ગઈકાલના કેટલાક Tweet -http://twitter.com/gitansh2007 જોડું છું !
૧. PM said “Will do evrything do stop these types of attacks !”
PLZ do only 1 thing -Quit and find a Strong will powred PM !
૨. Ab CCTV footage ki janch ho rahi hai !
Aree Kasab ke bhi cctv footage mile hai ! Bade nahi bharose ke lie 6ote lekin thosh kadam chahie.
૩. Every politition should listen the stories-Problems of the victims of #MUMBAIblast ! They can get the reasons to be harsh on criminals.
૪. #BLAST se dukhi kyo ho ? Khush ho jaao kuki – Diggi sahab says “Hum Pakistan se bahetar hai !”
૫. DDLJ:
Bade Bade desh me aisi 6oti 6oti bate hoti rahti hai – SRK
now “Itane bade desh me ek do dhamake to ho hi shakte hai !”
-Rahul
૬. Worried – feeling of little anger- think – then stop thinking – who is responsible ?
They’ll blast and V’ll make them2smell our UNunity.
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:41 AM
thats nice…
LikeLike
zeena rey
July 15, 2011 at 9:13 PM
jay…
from ur article and replies,its evident that ur concerns are dead serious about the blast,,,,,,,,
that u think and wish so much about our country…….
i m not sure of today but days will come when things will change…
anyways …….. wish u a simple guru purnima………
LikeLike
jay vasavada JV
July 16, 2011 at 3:41 AM
thanxxxx….lets hope for d best..
LikeLike
kavi jalrup
July 16, 2011 at 11:12 AM
JAGAT HE VO PAVAT HE
SOVAT HE VO KHOVAT HE.
YUDH VINA SANTI NAHI.
ANE
SANTI VINA KRANTI NAHI.
LikeLike
sumitbenarji
July 16, 2011 at 12:20 PM
Thank you for Sharing Jaybhai! You exceed the expectation,thank you for collecting and putting your thoughts from different articles! Now in our matrubhasha:
આતંકવાદી હુમલા પછી આપણા નેતાઓ બયાનબાજી કરતા હોય છે આ વખતે તો એમાંથી પણ ગયા અને રાહુલબાબા એમનો લુલો બચાવ કરવા લાગ્યા.દેશને દુશ્મનો થી જેટલું નુકસાન નથી થતું એટલું આપણા જ દેશના “વધાર પડતા” બુદ્ધિશાળી લોકોથી થાય છે જે બધી સગવડો વચ્ચે બેસીને માનવાધિકાર ની માળા જપે રાખે છે.નાગરિક તરીકે હવે કેવળ આતંકવાદ કે આતંકવાદીઓનો જ નહિ આવા બૌદ્ધિક લોકો નો પણ વિરોધ કરવો પડશે એવું લાગે છે.
એક એક વાત આપે ઉદાહરણ અને સંદર્ભ સહીત મુકીને વિસ્તારપૂર્વક છણાવટ કરી છે એ માટે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
જય હિન્દ.વંદેમાતરમ
સુમિત
LikeLike
Ashish Tilak
July 16, 2011 at 5:40 PM
Read this ( http://www.dnaindia.com/analysis/analysis_how-to-wipe-out-islamic-terror_1566203-all ) article in DNA by Subramanian Swamy (president of the Janata Party, a former Union minister, and a professor of economics)
LikeLike
Bansal
July 17, 2011 at 9:02 AM
જયભાઈ ..26/11 પરની તમારી article-series ની યાદ આવી ગઈ …
છેલ્લા 4 દિવસથી દિમાગ ચકરાવે ચડી ગયું છે …! સતત લોહી -ઉકાળા થયા કરે છે જાણે.. કૈંક વિચિત્ર લાગણી થાય છે …શું ભારત એક સાર્વજનિક બગીચો છે કે કોઈ પણ ,ગમે ત્યારે આવીને કંઇક ખેદાન -મેદાન કરી જાય ? (છેલ્લી 10 શતાબ્દીઓ થી માર ખાવાની આદત પડી છે ને ,જલ્દી કેમ છૂટશે ..?!) આ દેશના નાગરિકોએ ભાજી-મૂળા ની જેમ ક્યાં સુધી કપાતા રહેવાનું છે ?આટલું ઓછું હોય તેમ રાબેતા મુજબ આપણા બેજવાબદાર નેતાઓના નફફટ નિવેદનો સાંભળ્યા ..!રાહુલ ગાંધી નામનું કોઈક એવું બોલ્યું કે આવું તો ચાલ્યા કરે..…બધી જગ્યાએ કેવી રીતે પહોંચી શકાય ? એમ ? ભાઈ ,આ વાત ભારત નો બચ્ચે-બચ્ચો જાણતો હશે કે કાશ્મીર થી કન્યાકુમારી સુધી અને ગુજરાત થી આસામ સુધી દરેક સ્કૂલ ,કોલેજ ,હોસ્પિટલ ,ધર્મસ્થાન ,બાઝાર પર સિક્યોરીટી ના ગોઠવી શકાય ..પણ શું તેથી આતંકવાદીઓ પર ધાક પણ બેસાડી ના શકાય ?!
હજી તો આટલું ઓછું હોય એમ ગઈકાલે ફરીથી એવું કંઇક સાંભળ્યું કે બળતામાં ઘી હોમાયું ….આપણા શાસક્પક્ષના મહા(મુર્ખ)મંત્રીપડે બિરાજમાન એવા
દિગ્વિજયસિંહ ને RSS નો હાથ લાગ્યો……!!!!!!!!
(કોઈ વ્યક્તિનું thinking level આટલું પછાત કેવી રીતે હોઈ શકે તેનો આ આદર્શ નમુનો છે .!એમની બુદ્ધિ ને આ એવો રોગ લાગુ પડી ગયેલો છે જેની સારવાર કદાચ શક્ય નથી .incurable…!medical terminology માં ‘severe intellect disorder syndrom’ એવું કૈક હોય છે? જો હોય તો તે આ જ હશે .)
જે નિર્લજ્જ ઠંડક થી કેન્દ્ર સરકાર કામ કરે છે તેની હદ થાય છે..!
એવી તે કઈ મજબૂરી છે જે સખત પગલા લેતાં કેન્દ્ર સરકાર ને રોકે છે? આ દેશ ની સૌથી મોટી કરુણતા એ છે કે આતંકવાદ સામેની લડાઈ માં પણ votebank નું રાજકારણ ઘુસી જાય છે.! UPA સરકાર અને કોંગ્રેસ કદાચ દાયકાઓથી એવી ગેરસમજ માં છે કે ભારત માં મુસ્લિમો માં વતનપરસ્ત મુસ્લિમ અને આતંકવાદી મુસ્લિમ વચ્ચેનો ભેદ પારખવાની સમાજ નથી એટલે કેન્દ્ર સરકારને કસબ અને અફઝલ ને ફાંસી આપવાના વિચારમાત્રથી votebank લુંટાઈ જવાનો ભય લાગતો હશે !Superpower બનવાના શમણા જોતા દેશની આ હાલત છે .!(કદાચ ચાણક્ય, મહારાણા પ્રતાપ, શિવાજી અને સરદાર પટેલ ઉપર બેઠા બેઠા આ જોતા હશે તો એમના મોમાંથી પણ એક ચીસ ઉઠી ગઈ હશે !)
ખરાબ વહિવટ કેવો ઉત્તમ રીતે થઇ શકે એના તમામ ઉદાહરણ આ સરકારે પુરા પાડી દીધા છે અંધેરી નગરી ના ગંડુરાજા જેવો ઘાટ છે દરેકે દરેક મુદ્દે આતંકવાદ થી લઈન કાળા નાણાં સુધી .,કૌભાંડો થી લઈને મોંઘવારી સુધી .!
જેમની mechanical body language,speech જોયા સાંભળ્યા પછી રોબોટ ની યાદ આવે એવા આપણા PM અને synthetic ભારતીય લગતા સોનિયા, રાહુલ પાસેથી કોઈક નક્કર કામની આશા રાખવી દીવાલ સાથે માથું અફાળવા જેવું છે..
‘A Wednesday’ movie નો સંવાદ થોડા ફેરફાર સાથે કેહવો હોય તો જ્યાં સુધી ‘આ’ લોકોનું કોઈક પોતાનું નહિ જાય ત્યાં સુધી કદાચ નક્કર પગલા લેવાની તીવ્રતા નહિ આવે??… (સોનિયા,રાહુલ અપવાદ ગણવા !!)સંસદ પરના હુમલાનો દિવસ ખરેખર એક ‘black day’ હતો જયારે ફક્ત પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા !!
થોડા સમય પછી સ્વતંત્ર દિવસ આવશે.. બસ એ જ સભાઓ અને stereotype ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે’ ના કામ ફાડી નાખ એવા અવાજો માં ફરી એકવાર બધું ભૂલી જશે . 65 મો આઝાદી દિન આપણે ડરતા ડરતા ફફડતા ઉજવીશું .એવું વિચારતા વિચારતા કે રાખે ને કોઈ ધડાકા કરી જાય !
This is climax of weakness…બીજું તો શું કહીએ ?
કેન્દ્ર સરકાર ની રીતભાત અને attitude જોઇને murder-2 movie ના ખલનાયક ની
યાદ આવી ગઈ .! Having transgender attributes..!!?????
LikeLike
Taksh
July 18, 2011 at 2:52 AM
Sir,
The blog takes too much time in loading in slow internet connection due to the images.
So my request is you should divide your each post page-vise Or do some indexing mechanism.
Thanks.
Taksh
LikeLike
sanket
July 18, 2011 at 4:49 PM
jaybhai u r giving attention to each replier..hats off
LikeLike
Padariya Nitin
July 18, 2011 at 8:26 PM
Tamara lekh vache ne j hu jivu chu aa desh ma em manjo….
Aabhar J.V. Sir….
LikeLike
vpj100
July 18, 2011 at 9:04 PM
@Sanket: mere muh ki baat chhinli tune…dost….!!! Also Hats off by me…!!! 🙂
LikeLike
Nisarg
July 19, 2011 at 2:15 AM
Fantastic Jaybhai!!!
I want to put another point here. There are two so-called writers, the Kothari brothers, who also have their blogs. They don’t miss any opportunity to thrash the Gujarat government and specifically the chief minister. Always negative, pseudo-secularists pseudo-intellectuals (though they can lick toes of the authority to get an award from the Gujarati Sahitya Academy), and as Kinnarbhai says, ‘koothlikhors’. They jump up whenever Baba Ramdev or Anna Hazare try to actively oppose the current central government’s terrible corruption. Don’t even wait for a single day to put an entry to criticize them.
But it has been a week now and still none of them have written anything about the terrorist attacks in Mumbai! I know they will ultimately write about it defending the minority community basically (note that they didn’t like ‘A Wednesday’ movie because they think that this movie will spread hatred towards the minority community ‘further’ !!!).
I don’t have any personal problem with these Kothari brothers. But I am trying to give an example what a good writer like you would think in such situation and what these pseudo-secularists do !!! It is a high time to recognize such people, same as ‘Geet ane Gunjan’ and distant from them.
LikeLike
KK
July 21, 2011 at 9:17 AM
આપણે કદાચ આતંકવાદીઓ ને વિનંતી કરવી જોયે કે આમ આદમી ને ટાર્ગેટ બનાવવા કરતા કોઈ ટોપ શોટ જેમ કે મનમોહનજી, સોનિયા, રાહુલ, દિગ્વિજય વિગેરે ને ટાર્ગેટ બનાવો. કદાચ એમના પર વીતશે તો કઈ પગલા લેવાશે.
LikeLike
pixiescorp
July 21, 2011 at 11:41 AM
ભારતની વર્તમાન સ્થિતિ જોઇને Christopher Nolan નું Gotham City યાદ આવી જાય છે. ફિલ્મનું મુખ્ય પાત્ર એક વાત કહે છે: “People Need Dramatic Examples to Shake them Out of Apathy”
આશા રાખુ છું ભારતના લોકો હવે તો જાગશે.
LikeLike
બગીચાનો માળી
July 22, 2011 at 6:22 PM
મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટના ન્યુઝ સાંભળ્યા પછી બહુ બેચેની છે. કેટલા લોકોએ પોતાની છત્ર-છાંયા ગુમાવી હશે ત્યાં. ફરી નેતાઓ ચીર નિંદ્રામાંથી જાગશે ને નકામા ભાષણો અને વાતોના ભડાકા કરશે. અહી તહીંની વાતો થશે.. થોડા વાયદાઓ અને નમાલી હોંશિયારી બતાવશે… પછી જે હશે તે માત્ર અને માત્ર રાજકારણ !!!
કોઇને નથી પડી દેશની કે નથી કોઇના માં દેશપ્રેમ. દેશ દાઝ તો શોધતા જડે તો જડે. હે ભગવાન, હે ઇશ્વર, હે અલ્લાહ, હે જીસસ… તુ આટલો ક્રુર તો નહોતો… તુ તો લાગણીનો ધોધ હતો… તો પછી તને માનનારાની માનસિકતામાં આટલો ફરક કેમ….??? મને તો સમજાવ…
વાતો તો ઘણી થાય છે પણ હવે નક્કર પગલા વિના કંઇ ન થાય.. દેશ ચલાવનારા નેતાઓ શાનમાં સમજે તો સારું.. રાજકારણની રમત-રમતમાં આખા દેશને આતંકવાદીને વેચી દેવો નેતાઓ ને ફાવી ગયું છે પણ પ્રજાને ના પોસાય.
હે નેતાઓ… હવે દેશના સાચા સૌનિકોને આગળ આવવા દો. બહુ થયું… મારો દેશ માત્ર તમારા ભરોષે તો નહી જ ચાલે…
–
દર્શિત
LikeLike
dinesh3164
July 31, 2011 at 12:37 PM
dada
ak vaat kav tamaro lekh ane coment vachya pachi ek vat nakki thai che, KUCH MAR KE JITE HE AUR KUCH MARVA KE, vahe apne naki karva nu che ke apne chukaria chia?
LikeLike
Nayan Tarasaria
August 3, 2011 at 5:06 PM
Nice Blog , keep it up.. JV
LikeLike
Rajan
August 6, 2011 at 12:54 PM
Jyare 3-4 varsh pa6i pan Terrorists Aapni jail maa hoy…Ane Haju pan teno ‘NYAY’ naa thato hoy…To my dear government….Tamne nathi lagtu ke aa apni nyay karvani ABILITY par Shanka jay evi vaat 6e??
LikeLike
Sanjay Thummar
August 13, 2011 at 6:39 PM
vanan jaybhai. jevi praja teva raja. Bharat nu krim atma(o) nu kalyan karvama vyast chhe.aavi swarthi prajana netao-netio pasethi sari apeksha rakhavani na hoy.
LikeLike
Alpesh Gohel
November 22, 2011 at 6:37 PM
Ekdum Sachi vat chhe..
Darek aatankvadi Humla vakhte ek nu ek natak bhajvay chhe. Change jevu to kai dekhatu j nathi. Afsos ni vaat chhe k ek pan Neta ma aatankvad same ladvani pratibaddhata dekhati nathi. Netaone fakt Vote ane Note ma Interest chhe.
Ek rite joiye to Bhul aapni pan chhe. apne j aa netaone hazaro vote aapta rahine sabit kariye chhiye ke amane ava neta joiye chhiye.
chutni prachar ma kyarey aatankvad mukhya muddo nathi hoto karan jya jaati ane dharm na name bhagla padine aasani thi vote mali jata hoy tya aatankvad pachhad mahenat kon kare. Ahi to jena name Anek pending court case chalta e neta pan hazaro vote medvine jeete chhe.
Ava neta ne loksabha ma besine 125 crore Bharatvasi nu pratinidhitva karta joine kyarek to sharam thi aankho zuki jaay chhe hoy chhe…
Lets Hope Ke kyarek Loksabha ma eva loko betha hoy ke jene joine garv thi kahi saku ke me aa vyakti Ne vote aapyo hato
LikeLike
Diya Shah
August 13, 2012 at 12:36 AM
આ લેખ ગીતા જેવો છે ,,,,,,,, ભારત વાસી ના જાગે ત્યાં સુધી વંચાવવો પડે અને વાંચવો ગમે ,,, આજે ફરી મેં આને મારી વોલ પર શેર કર્યો છે ,, કદાચ કોઈ જાગે ,,,,,,,,, થેન્ક્સ
LikeLike
dhruv1986
August 13, 2012 at 8:20 AM
ખૂબ ચોટદાર લેખ છે.
અંહી કોઈ હિન્દુના મત લેવા બેઠુ છે,તો કોઈ મુસ્લિમ,તો કોઈ ખ્રિસ્તિ,શીખ,ઇસાઈ વગેરેના…
જ્યાં સુધી વોટબેંકની રાજનિતી ખલ્લાસ નહિ થાય ત્યાં સુધી જયભાઇ આપ કે ખૂદ ક્રૃષ્ણ આવે તો પણ મને આનો ઉકેલ દેખાતો નથી.
આઝાદી વખતથી જ આપણે કોમી એકતાની વાતો સાંભળવી છીએ, જે ખરેખય એકદમ દંભી છે.આપણને નાનપણથી જ ભેદભાવ પ્રત્યે “બ્રેઈનવોશ” કરવામાં આવે છે.(અપવાદરુપ અમુક કિસ્સા બાદ કરતા)
LikeLike
Siddharth
February 21, 2013 at 10:25 PM
After so much attacks, nothing happens… it’s the same…
Every time, even this time, getting all the reactions for coming only in the candle march, nothing else!! WHY??? 😥
LikeLike
Siddharth
February 21, 2013 at 10:32 PM
Reblogged this on Sid's Blog.
LikeLike
Darshan Munjpara
October 25, 2019 at 7:06 PM
એક સુધારો બીજા વિશ્વયુદ્ધ મા ૧ નહિ, ૫ કરોડ કરતાં વધારે સૈનિકો અને માણસોનો મૃત્યુ થયો હતો!!
LikeLike
pandaoystervarda8364
October 26, 2019 at 4:38 AM
એક નાનો સુધારો બી વિશ્વયુદ્ધ મા ૧ કરોડ નઈ પણ ૫ કરોડ માણસો મૃત્યુ પામ્યા હતા…
LikeLike
Sanjiv Zampadiya
September 10, 2020 at 1:46 PM
પણ ઉંદરડી જેવો જ અવાજ જેમના સ્વભાવની ચાડી ફૂંકે છે એવા વડાપ્રધાન મનમોહન ચૂંચૂંચૂં (એમના નામ પાછળ સિંહ લખવા અમારી માયૂસ કલમ ઉપડતી નથી !) એ તરડાઈ ગયેલી ઘિસિપિટી રેકોર્ડ વગાડશે : અમે સખત પગલા લઈશું! ———— સાહેબ માટે પણ કંઈક લખો અત્યાર ની પરિસ્થિતિ પાકીસ્થાન છોડી ચાઇના વિશે
LikeLike