RSS

મેરિટોક્રસી, વર્ણાશ્રમ અને અનામત : આજની અનામત, આવતીકાલ કેટલી સલામત ?

12 Aug


કદાચ ગુજરાતી બ્લોગના ઇતિહાસમાં આ સૌથી લાંબી બ્લોગપોસ્ટ તમે (જો ધીરજ, હિંમત અને રસ હોય તો!) તમે વાંચવા જઈ રહ્યા છો. અનામત આખા દેશનો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. મેં કુલ ૫ લેખો અત્યાર સુધી વિવિધ તબક્કે જે-તે ઘટનાને અનુલક્ષીને તેના પર લખ્યા છે. આપણા દેશમાં કોઈને પણ કંઈ બે સાચી વાત કહો, તો ‘જાવ પહેલા આને કહો’ , એવો બાલિશ પ્રતિભાવ મળતો હોય છે. મારા જેવો તો દરેક ને સમય સમય પર જે સાચું લાગે એ કહેતો હોય છે. અને કોઈ મને કંઈ કહે તો ય એ ડીલીટ કરતો નથી હોતો. સંમત ના હોઈએ તો ય ઊંડો વિચાર તો કરવો જોઈએ. ‘આરક્ષણ’ ફિલ્મનો વિરોધ અને જોયા વિના જ પ્રતિબંધ મુકવાની માનસિકતા આટલી સંકુચિત ઉઘાડેછોગ હોવા છતાં, શુભ હેતુથી તેના પર ધ્યાન ખેંચીએ ત્યારે ‘ભદ્ર’ માનસિકતાનું આળ લલાટે લગાડી દેવા ક્યારેક મિત્રો તત્પર હોય છે. અનામતની ખોટી નીતિ અને એનો એથી યે ખોટા અમલનો વિરોધ કરીએ , એટલે કેટલાક મિત્રો દલિતવિરોધી ગણી લે, ત્યારે દુઃખ થાય છે. અંગત રીતે જ્ઞાતિવાદનો હું સખત વિરોધી રહ્યો છું, ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમની ભૂલ અંગે પૂર્વજો વતી હું જાહેર મંચ પરથી માફી માંગી ચુક્યો છું. રોટી-બેટી કોઈ પણ પ્રકારના ભેદભાવનો હું હાડોહાડ વિરોધી છું, પણ મેરિટ યાની લાયકાતનો હાડોહાડ તરફદાર છું. વિશ્વભરનો ન્યાય પણ એ જ કહે છે. આ સાડા ચાર હજાર શબ્દોમાં ચીવટ પૂર્વક અગાઉના પાંચેય લેખોનું સંકલન કર્યું છે. (એમાં હકીકતદોષ હોય તો સુધારવાની તૈયારી છે) એ એકસાથે વંચાય , એ ઈરાદાથી જ એની સીરીઝ નથી કરી. એમાં મૂળ હાર્દ તો એજ રહે છે, છતાં ય ફિલ્મ આરક્ષણ જોઈને હજુ કેટલાક અહીં ન સમાવાયેલી દલીલો અને હકીકતોને આવરી લેતો એક નવો લેખ પણ લખવાની ઈચ્છા ખરી, જે કોલમમાં આવશે. ફેસબુક પર સ્વસ્થ ચર્ચા ચાલી છે એની લિંક પર પણ ફુરસદે નજર નાખી શકો છો. મેં આદતવશ શક્ય તેટલી સરળ અને રસાળ રજૂઆત કરવા પ્રયત્ન કર્યો છે, પણ અહીં વાર્તા કે રોમાન્સ નથી. નક્કર હકીકતો છે. થોડી શુષ્ક કે કંટાળાજનક લાગી શકે. પણ આવી બાબતોના મુદ્દાસર ઊંડાણમાં ઉતરવાની આપણી આળસને લીધે જ ભારતની આવી અવદશા છે. માટે શાંત ચિત્તે, ભલે ટુકડે ટુકડે, ચા ગટગટાવી, આળસ મરડી, થાક ઉતારવા બ્રેક લઈને પણ આ વાંચી જઈ પછી એને ચાવી ચાવીને પચાવશો, તો દેશની તબિયત સુધરશે. અભ્યાસ પણ કરવો જોઈએ ક્યારેક ફાયદા-ગેરફાયદાના વિચાર વિના. જે એ કરે છે, એ ઉજળિયાત, ને જે એમાં કંટાળે એ પછાત –કદાચ ૨૧મી સદીના અંતે ય આ વર્ગભેદ રહેશે. 😛

**દુનિયામાં બે વર્ગના લોકો હોય છે : એક જે માને છે કે દુનિયામાં બે વર્ગના લોકો છે, બીજા જે નથી માનતા! (રોબર્ટ બેન્શલે)**

પશ્ચિમની એક ખૂબ જાણીતી બાળ બોધકથા છે. એના પરથી એનિમેશન ફિલ્મો પણ બની છે ધ ઍન્ટ એન્ડ ગ્રાસહોપર. કીડી અને તીડ (હિન્દી મેં બોલે તો તીતીઘોડા !)

કાતિલ હિમવર્ષના શિયાળાની તૈયારી માટે કીડી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને મહેનત કરતી હતી. કીડીએ ઘર બનાવ્યું એમાં ધીરે- ધીરે કણ- કણ એકઠા કરીને ખાધાખોરાકીનો પુરવઠો એકઠો કર્યો. કીડીનો પાડોશી તીડ કીડીની આ મજૂરી જોઈ એની મુર્ખાઈ પર ઠેકડી ઉડાવતો હતો. એ ગાતો રહ્યો, નાચતો રહ્યો બેફિકર થઈ મોજ કરતો રહ્યો. કીડી એકલપંડે ઢસરડો કરતી ગઈ.

હાડ થિજવી નાંખે એવો શિયાળો આવ્યો. મહિનાઓ સુધી બહાર નીકળી શકાય તેમ નહોતું. કીડીએ તો આગોતરી તૈયારી કરી હતી એ સુરક્ષિત ઘરમાં સલામત રીતે દિવસોની મજદૂરીથી એકઠા કરેલા ખોરાકનો ઉપયોગ કરતી રહી. સખત કામ પછી એણે લીલાલહેરવાળો આરામ જીત્યો હતો.

પણ તીડ પાસે નહોતું એવું કોઈ ઘર, નહોતો કોઈ ખોરાક. એ ઠંડીમાં ઠૂઠવાતો ગયો. મોજમસ્તીની હવા નીકળી ગઈ. તીડ મરણતોલ દશામાં તરફડિયા મારવા લાગ્યો.

વેલ, આ સુપ્રસિદ્ધ કહાનીને બ્રેક મારીએ. ડિજીટલ યુગમાં આ પાશ્ચાત્ય કહાણીનું પણ રાજેશ રોશન અને પ્રીતમની શૈલીમાં ભારતીયકરણ કરી નાખીએ. બોધકથાનું ઇન્ડિયા સ્પેશ્યલ ઇ-વર્ઝન વાંચ્યું છે ? નહીં ? લિજીયે, પેશ-એ-ખિદમત હૈ….

* * *

તો સાહિબાન, કદરદાન વાર્તાની તમને તો ખબર છે. મહેનતકશ કીડી ઉનાળાની ગરમીમાં ડગુમગુ કામ કરીને ઘર બનાવતી હતી. મુસીબતમાં કામ આવે એ માટે સપ્લાય સ્ટોકની બચત કરતી હતી. તીડ એને બેવકૂફ માની હસતો હતો. ગાતો- નાચતો અને આરામ કરતો હતો.

અને ઠંડોગાર શિયાળો આવ્યો.

તો ? ભારતીય તીડ ઠરીને ઠીકરું થઈ ગયું ? શું વાત કરો છો ?

તીડે કેટલાક પોતાના જેવા જ ઉનાળામાં આળસ કરી ગયેલા પઠ્ઠાઓ એકઠા કર્યા. પછી એણે એક પ્રેસ-કોન્ફરન્સ બોલાવી. વાઉચરના કવર પકડાવીને એણે સવાલ ઉઠાવ્યો : શા માટે માત્ર કીડીઓને જ ઠંડીમાં ગરમ ઘરમાં પૂરતી ખાધાખોરાકી સાથે રહેવાનો લાભ મળે છે ? જ્યારે સેંકડો તીડ ભૂખ્યા પેટે મરી રહ્યા છે, ત્યારે તત્કાળ ધોરણે કીડીઓના આવાસમાં એમને જગ્યા મળવી જોઈએ. એના ખોરાકમાંથી ગરીબ બાપડા જીંદગી બચાવવાનો સંઘર્ષ કરતાં તીડોને મફત ભોજન મળવું જોઈએ. આ તો હડહડતો અન્યાય છે. કીડી આટલી સુખી અને અમે આટલા દુઃખી ?

એનડીટીવી, આજતક, બીબીસી, ઇન્ડિયા ટીવી, સહારા, ઝી, સ્ટાર… તમામ ન્યુઝ ચેનલોને જબ્બર બ્રેકિંગ ન્યુઝ મળ્યા. ધડાધડ સ્પેશ્યલ બુલેટિન પ્રસારિત થયા. એક વિઝ્‌યુઅલમાં ઠંડીમાં ખુલ્લામાં ઘુ્રજતું તીડ દયામણું મોં કરીને રડતું હતું. તરત જ બાજુમાં બીજું વિઝ્‌યુઅલ આવ્યું જેમાં કીડી આરામદાયક ઘરમાં હૂંફળી આગ પેટાવીને ખાણીપીણીથી સજાવેલ ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી !

દુનિયા આવો વિરોધાભાસ જોઈને સ્તબ્ધ બની ગઈ. અરર… બિચારા ગરીબ તીડને આટલી પીડા ? ને કીડી જલસા કરે ?

અરૂંધતી રોયે કીડીના ઘર સામે હાથમાં પાટિયું પકડીને વિરોધ પ્રદર્શન શરુ કર્યું. મેધા પાટકરે નિર્વાસિત તીડોનો પ્રશ્ન ઉઠાવી પ્રતીક ઉપવાસ કરી રહેલા કેટલાક તીડો સાથે આમરણાંત ઉપવાસની ઘોષણા કરી. ઘરબાર વિના ભટકતા તીડનું હૂંફાળી જગ્યામાં પુનર્વસન ન થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી.

ફાઇવ સ્ટાર હોટલના એરકન્ડીશન્ડ રેસ્ટોરાંમાં બેસીને ડ્રિન્ક લેતી કેટલીક સેલિબ્રિટીઝને ઘુબાકા મારવા માટે નવો સ્વીમિંગ પુલ મળ્યો. નિસબત, કન્સર્ન, સોશ્યલ રિસ્પોન્સિબિલીટી જેવા શબ્દો ગોખતી ગોખતી એ સેલિબ્રિટીઝ અરમાનીના ‘પીસ એન્ડ ઇક્વાલિટી’ વ્હાઇટ કલેક્શનના ડિઝાઇનર શ્વેત વસ્ત્રો ઠઠાડીને આંસુ છુપાવવા ‘કાર્ટિયર’ના ‘બાયોગોગલ્સ’ ચડાવીને ટેકો આપવા પહોંચી ગઈ.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને યુનોના મહામંત્રી બાન કી મૂને ભારતીય તંત્રની ઝાટકણી કાઢી. સમાજના છેવાડે ઊભેલા બાપડા ભૂખ્યાદુઃખ્યા તીડોને એમના મૂળભૂત માનવ અધિકારોથી વંચિત કેમ રાખવામાં આવે છે ? એ સવાલ પૂછીને એના પર સૂટેડબૂટેડ એક્સપર્ટસે ઇન્ટરનેશનલ કન્વેન્શન્સમાં ડિબેટ શરૂ કરી.

ઇન્ટરનેટ પર ‘તીડ બચાવો’ના સ્લાઇડ શૉ અને ઇ-મેઇલ ફરવા લાગ્યા. કેટલાકમાં તીડને મદદ કરવાથી કેવું સ્વર્ગ અને શાશ્વત શાંતિ મળશે, અને ન કરવાથી કેવો પ્રભુનો કોપ ઉતરતશે – એવા ધાર્મિક ઉપદેશો એ આપનારાના કરમુક્ત ટ્રસ્ટના સરનામાઓ પણ હતા. નવજાત ટીનેજરોએ ઓરકુટ/ફેસબુક  પર ‘ગ્રાસ હોપર્સ હોપ’ની કોમ્યુનિટીઝના ઢગલા કરી નાંખ્યા. કેટલાક કોર્પોરેશનની ટિકિટ ગુમાવી ચૂકવાથી નવરા પડેલા વકીલોએ તીડની સુખસુવિધા માટે જાહેર હિતની અરજી કરી !

વિપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યો. લાલકૃષ્ણ અડવાણીએ સોનિયા ગાંધીની માફીની માંગ કરી. ક્વોટામાં એડમિટ થયેલા ડોક્ટર્સને બદલે વિદેશી તબીબો પાસે સારવાર કરાવી સોનિયા ગાંધીએ ‘તીડ કે લિયે હમ સ્પેશ્યલ પેકેજ દેના ચાહતે હૈ’ વાળી સ્પીચ રાતોરાત ગોખવાની શરૂઆત કરી.

ડાબેરીઓએ દેશવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપ્યું. જેની અસર અલબત્ત પશ્ચિમ બંગાળ, કેરલ અને ત્રિપુરામાં જ થોડીઘણી થઈ. સીપીઆઇ (એમ) અને સીપીએમે સાથી પક્ષો સાથે સંતલસ કરીને એક ઠરાવ પસાર કર્યો કે, સમાજમાં સમાનતા લઈ આવવા માટે – ઉનાળામાં કીડીએ સખત મહેનત કરી ખોરાકનો સંગ્રહ ન કરવો જોઈએ. – આવી વૃત્તિ- પ્રવૃત્તિથી અમીર- ગરીબ વચ્ચેની ખાઈ પહોળી થાય છે. માટે કીડીની કામગીરી પર સીલીંગ લઈ આવી, એના પર વઘુ ટેક્સ અને મહત્તમ અંકુશ લઈ આવતો કાયદો ઘડવો જોઈએ.

લાલુપ્રસાદ યાદવે તત્કાળ તીડો મફત મુસાફરી કરી શકે એ માટે ‘તીડરથ એક્સપ્રેસ’ ટ્રેનની જાહેરાત માટે માંગ કરી – લધુમતીઓ અને પીડિતશોષિત વંચિત વર્ગોના આગેવાનોએ તીડ સાથે હમદર્દી બતાવી, એનજીઓને વર્લ્ડ બેન્કમાંથી ‘તીડનગર’ ઊભું કરવાની લોન ઉઘરાવવાની અપીલ કરી. ગ્રામ્યજીવનના ખોળે ઉછરેલા ગુજરાતી સાહિત્યકારોએ ‘તીડ ૩૦૩’ નામના કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું.

૩૪૭ લવાજમો પર ચાલતા વૈચારિક સામયિકોમાં તીડની વ્યથાની થીમ પર ૨૯ વાર્તાઓ છપાઈ ગઈ. હિન્દી ‘ખડપીઠ એવોર્ડ’ ‘તીડ કી તીખી તકલીફે ઔર બાજારવાદ કા રાક્ષસ’  નિબંધ સંગ્રહને મળ્યો. હિન્દુ સંગઠનોએ ‘ભારતીય સંસ્કૃતિના પ્રાચીન વારસામાં તીડના યોગદાન’ ઉપર તત્કાળ ‘સર્ચ’ કરાવીને પાળીતા ઇતિહાસકારો પાસેથી એની પુસ્તિકા લખાવીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું.

અંતે, જ્યુડિશ્યલ કમિટીએ ‘પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ અગેઇન્સ્ટ ગ્રાસહોપર્સ એક્ટ’ (POTAGA) નામના સૂચિત બંધારણીય કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો. ‘પોટાગા’નો અમલ શિયાળાની શરૂઆતથી કરવાનો નિર્ણય લેવાયો. દિગ્વિજયસિંહ દ્વારા તીડોને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં ‘સ્પેશ્યલ રિઝર્વેશન’ આપવા તત્કાળ બંધારણીય સુધારાની માંગનો અમલ થયા બાદ, કીડીને ‘પોટાગા’ના ભંગ બદલ આકરો દંડ ફટકારાયો !

એટલી રકમ કીડી પાસે ન હોઈ એનું ઘર સરકારે જપ્ત કરી લીઘું અને વડાપ્રધાને એક ભવ્ય સમારંભ કરીને તીડને એ ઘર ભેટમાં આપ્યું. જેનું કવરેજ તમામ ચેનલોએ લાઇવ કર્યું. ક્રિકેટ લીગમાં કમાયેલા ક્રિકેટર્સે પોતાના એક લોગોની કમાણી તીડને આપી, આ થીમ પર પણ બોલીવૂડ ફિલ્મમેકર્સે ‘જીવન કા સંઘર્ષ’, ‘મજબૂર કા ખૂન’, ‘હમ હોંગે કામિયાબ’ જેવી ફિલ્મોના ટાઇટલ રજીસ્ટર કરાવ્યા. સ્કૂલોમાં ટીચર્સે ચિલ્ડ્રનને ન્યુઝપેપરમાંથી કટિંગ કરીને તીડઘર બનાવવાનો ‘સોશ્યલ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી’ પ્રોજેક્ટ આપ્યો.

અરૂંધતી રોયે એને ‘ન્યાયનો વિજય’ કહી હવે ફાંસીની સજા રદ કરાવવી જોઈએ-વાળો નવો મોરચો ખોલ્યો. લાલુપ્રસાદે ‘પિછડે વર્ગો કા ઉત્થાન’ પર પ્રવચન આપ્યું. માયાવતીએ ‘તીડ અબ નહીં સહેંગે લાચારી, દિલ્લી પર રાજ કરેગી સરકાર હમારી’નું નવું સૂત્ર બનાવ્યું. પ્રકાશ કારતે ‘રિવોલ્યુશન ઇન રિસર્જન્સ ઓફ ડાઉનટ્રોડન’ પર ઇન્ટરનેશનલ કોન્ક્લેવનું આયોજન કર્યું.

બાન કી મૂને તીડને યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આપ્યું. અમેરિકાએ તીડને માનદ નાગરિકત્વ આપી માનવ અધિકાર અંગે વિશ્વભરમાં ક્યાંય પણ દખલ થાય, એ અંગે પ્રમુખની ઊંડી ચિંતા વ્યક્ત કરી.

ને ઘણાં વર્ષો વીતી ગયા….

કીડી એનઆરઆઇ થઈ ગઈ છે અને અલગ- અલગ દેશોમાં એની કંપનીઓ છે.

સેંકડો તીડ હજુય આ શિયાળામાં ભારત ખાતે ભૂખમરાથી મરી રહ્યા છે. જો કે, સરકારે એમને હવે ખોરાક અને આવાસ માટે ૬૪% અનામત આપેલી છે.

અને ભારત ?

અનેક મહેનતુ અને પ્રતિભાશાળી કીડીઓ દેશ છોડીને ચાલ્યા જવાથી અનેક અઢળક કામચોર તીડોનું ભરણપોષણ કરવાથી ભારત ઇ.સ. ૨૦૩૮માં ય હજુ એક ‘વિકાસશીલ’ દેશ છે. જે રોજ સવારે યોગથી હવે વૃદ્ધને બદલે બાળક જેવા લાગતા બાબા રામદેવજીની શિબિરોમાં ભારત મહાસત્તા બનીને દુનિયા પર કેવી રીતે રાજ કરશે એના સપનાઓ સાંભળ્યા રાખે છે.

* * *

નાના પાટેકરની ‘દીક્ષા’ નામની એક અદભુત ઓફબીટ ફિલ્મ વર્ષો પહેલા આવી હતી. નાના એમાં એક અછૂતની ભૂમિકામાં હતો. બ્રાહ્મણ માલિક મનોહરસિંહની વિધવા પુત્રી સગર્ભા બની જાય છે એવા કથાનકવાળી આ ફિલ્મમાં ભેદભાવ અને અસ્પૃશ્યતાથી અકળાઈ ઉઠેલો નાના પોકારી ઉઠે છે :

‘મુઝે હવા છૂ સકતા, પાની છૂ સકતા, સૂરજ છૂ સકતા, પેડ છૂ સકતા… લેકિન બ્રાહ્મણ નહીં છૂ સકતા!’

* * *

વર્ણાશ્રમવ્યવસ્થાની તરફેણ કરીને, ઉછળી ઉછળીને એના હવાલા આપનારા અને એની પ્રાચીન અનિવાર્યતા સિઘ્ધ કરનારાઓને માટે એક હોમવર્ક છે. રોજ પ્રાતઃકાળે મળત્યાગ કર્યા પછી એ મહાનુભવોએ શૌચાલયમાં પાણી નાખવાનું કે ફલશ કરવાનું બંધ કરી, નિજ ઉત્સર્ગદ્રવ્યોને સ્વયમેવ ઉંચકીને ગામની ગટર સુધી પહોંચાડવા. એ પછી જ એમના દિવ્ય અભિપ્રાયો આપવા!

ભગવદગીતામાં ભગવાને ‘ચાતુર્વણ્ય મયા સ્રષ્ટા’ કહ્યું કે ખલ્લાસ, તમામ હિન્દુઓએ આ શ્રત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્રના વર્ણાશ્રમને સર્ટિફાઈડ શ્રેષ્ઠતા માની લેવાનો આ આધાર બનાવવાની પેરવી ઘણા ધર્મગુરૂઓ કરતા રહ્યા છે. ધર્મગ્રંથ હોય કે સાહિત્ય, કોઈ પણ પ્રાચીન પુસ્તકને યથાતથ (ઈટ મીન્સ, જેમનું તેમ) વર્તમાનમાં સ્વીકારી કે ઉતારી શકાય નહીં. જમાનો એક સતત બદલાતી જણસ છે. મનુસ્મૃતિમાં વર્ણાશ્રમની આચારસંહિતા બનાવવાવાળા મનુ મહારાજને કયાં શોધવા જઈશું? પણ એનો ચાલાક એકાઉન્ટન્ટ ૩૧મી માર્ચની રાતે કરે, એવો તોડીમરોડી ટાંગામેળ કરીને વર્ણાશ્રમ વ્યવસ્થાને યોગ્ય સાબિત કરનારાઓને શોધવાનું શકય છે.

શ્રમવિભાજનને સમાજવ્યવસ્થાની જરૂરિયાત માનો તો પણ એ ગુણ આધારિત હોવું જોઈએ, જન્મ આધારિત નહીં. વેપારમાં રૂચિ તે વૈશ્ય અને અભ્યાસમાં રસ એ બ્રાહ્મણ – એવા વિશેષણો હજુ પણ ચલાવી શકાય, પણ માત્ર જૈવિક અકસ્માતરૂપે કોઈ મા-બાપની કૂખેથી જન્મ લેવાને કારણે જ એક ચોક્કસ વ્યવસાય અને જીવનસાથી સ્વીકારવા પડે, એ કયાંનો ન્યાય? એમાં ય બ્રાહ્મણ એટલે ઉંચા અને શુદ્ર એટલે નીચા એવા પગથિયાં શા માટે?

જે વઘુ જાણકાર, વઘુ હોશિયાર, વઘુ બહાદૂર, વઘુ નીતિવાન એ ઉંચો, અને જે અજ્ઞાની, અબૂધ, ડરપોક અને દુરાચારી એ નીચો આ બે જ વર્ગનું ‘પ્રાકૃતિક વિભાજન’ છે. પણ શંબૂક શૂદ્ર બની તપસ્યા કરે તો મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ તેનો વધ કરે, એ રામાયણ સાથે જોડાયું છે. (વિદ્વાનોનું એવું માનવું છે કે વાલ્મીકિ રામાયણમાં આ આધારભૂત નથી, કારણ કે એવું હોય તો ખુદ વાલ્મીકી જ શૂદ્ર હતા!) એકલવ્યને દ્રોણાચાર્યના ‘રોયલ ટયુશન કલાસ’માં ફી દેવાની તૈયારી પછી પણ એડમિશન તો ન જ મળે, ઉલટું બીજે ભણવાનો અધિકાર (બાણાવળીનો અંગૂઠો) છીનવી લેવાય. કર્ણકથા પ્રત્યેક ભારતપ્રેમીને કંઠસ્થ છે.

કયાં જન્મવું એ કંઈ માણસની પસંદગી નથી, પણ જન્મ લીધા પછી શું કરવું, શું બનવું… એ જરૂર માણસની ‘ચોઈસ’ છે. એમાં આડે આવનાર રાક્ષસ છે.

નવાઈની વાત તો એ છે કે, જે પ્રાચીન ભારતીય ભવ્યતાનો ગાઈવગાડીને હવાલો આપવામાં આવે છે – એમાં જ વર્ણાશ્રમ વ્યવસ્થાનું ખોખલાપણું પુરવાર થઈ ચૂકયું છે. ટેઈક સમ સેમ્પલ એકઝામ્પલ્સઃ ધર્મ, નીતિશાસ્ત્ર, ચિન્તન, દર્શન, પૂજા આ બઘું બ્રાહ્મણકૂળનો જ અબાધિત અધિકાર? રાઈટ? તો પછી ભારતમાં મોટા ભાગના ધર્મ, તત્વદર્શન, નીતિના ‘અલ્ટીમેટ આઈડોલ્સ’ તો બ્રાહ્મણ તરીકે જન્મેલા છે જ નહિ! ભારતીય આસ્થાની બે ડાબી – જમણી આંખ જેવા ચરિત્રો કૃષ્ણ અને રામ, જૈન અને બૌઘ્ધ જેવી બે આગવી વિચારધારાઓના જનક મહાવીર અને ગૌતમ બુઘ્ધ, ગાયત્રી મંત્રના સંભવિત રચયિતા ગણાતા ૠષિ વિશ્વામિત્ર – આ તમામ તો ક્ષત્રિય હતા! આ નામો વિનાના ભારતીય ધર્મની કલ્પના થઈ શકે છે?

એવી જ રીતે રાજયપ્રશાસન એ ક્ષત્રિયોનો જન્મસિઘ્ધ હક ગણો તો પછી ચાણકય, ગાંધી કે સરદાર જેવા હિસ્ટોરિકલ પોલિટિકસ એડમિનિસ્ટ્રેટર્સ જન્મે ક્ષત્રિય હતા જ નહિ!

જસ્ટ થિંક, ક્ષત્રિય હોવાને લીધે કૃષ્ણને ગીતાનો ઉપદેશ કરવાની ના પાડવામાં આવે કે બ્રાહ્મણ હોવાને લીધે ચાણકયને મગધના રાજયતંત્રમાં માત્ર શિક્ષક જ બનાવી રાખવામાં આવે… આવું વિચારી શકો છો? તો પછી એ જ ફલેકિસબિલિટી શૂદ્રો માટે કેમ નહિ?

મુદો ફરી ફરીને એ જ રહે છે : માણસમાં જે કોઈ ચોક્કસ કામ કરવાની નેચરલ ટેલન્ટ હોય, અને અંગત રૂચિથી કોઈ ક્ષેત્રમાં સફળ થવાની ક્ષમતા હોય… તો એના બેકગ્રાઉન્ડ, જ્ઞાતિ, ધર્મ કે જન્મને ઘ્યાનમાં લીધા વિના એને વિકસવાની, પોતાનું શ્રેષ્ઠત્વ સાબિત કરવાની સમાન તક અને હક આપે એ જ શિક્ષિત, સભ્ય અને સુસંસ્કૃત સમાજ! બાકી તો એને જંગલી પણ ન કહેવાય… કારણ કે, જંગલમાં છૂત – અછૂત જેવા ભેદભાવ હોતા નથી!

જો આ વાત સાથે સંમત થતા હો, તો આ આખા ય વિચારનું નામ છે : મેરિટોક્રસી. જેમનામાં મેરિટ યાને (જે – તે કામને અંજામ આપવાની) ગુણવત્તા છે, એને જ ઘ્યાનમાં રાખવાનું એના જન્મ, રંગ, સામાજીક – કૌટુંબિક – આર્થિક સ્થિતિ, ભાષા કે સ્ત્રી – પુરૂષ, શહેરી – ગ્રામ્ય, હિન્દુ – મુસ્લીમ જેવા ‘લેબલ્સ’ને નહિ. જેટલા ‘ટાઈટલ’ ઓછા, એટલો સમાજ સુખી.

* * *

મેરિટોક્રસી એક એવો કોન્સેપ્ટ છે, જે ભારતનો વર્તમાન સમાજ પચાવી શકતો નથી. અને એની મોટા ભાગની સમસ્યાઓના મૂળ અહીં છે. લગ્ન માટે સ્ત્રી – પુરૂષનો પરસ્પરનો પ્રેમ, સંમતિ, એમના ગમા- અણગમા, એમને એકબીજાને અનુકૂળ આવે એવી આદતો કે શોખ જુઓ – એ ‘મેરિટ’ છે. પણ એમાં પૈસા, ખાનદાન, જ્ઞાતિ, ધર્મ જ આપણો સમાજ જોયા કરે છે.

ભારત એક જ એવો દેશ હશે કે જીવનનો સૌથી મહત્વનો આ નિર્ણય મેરિટોક્રસી તો શું ડેમોક્રસી (લોકશાહી) મુજબ પણ લેવાતો નથી. એ લેવાય છે વડીલોની ઓટોક્રસી (સરમુખત્યાર શાહી) મુજબ! એવું જ વેપારના ક્ષેત્રમાં છે.

અહીં વેપારી પેઢીઓની સંસ્કૃતિ છે: એલિટોક્રસી! કોર્પોરેટ સીસ્ટમનું માત્ર માળખું છે. બાકી અંદરનું કંકાલ વારસાગત વંશપરંપરાનું જ રહ્યું છે. ગમે તેટલું મેરિટ હોય, ધંધાકીય સુકાન તો નબળા વારસદારોને જ મળે! સેઈમ વિથ એન્ટરટેઈનમેન્ટ એન્ડ એજયુકેશન!

લગભગ ૩ વર્ષ પહેલા અક્ષયકુમારે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે ‘‘બોલીવૂડમાં છેલ્લા બે દસકામાં જેનું કોઈ જ ફિલ્મી કનેકશન કે ફેમીલી બેકગ્રાઉન્ડ ફિલ્મી ન હોય એવા બે જ પુરૂષો એ ગ્રેડના સ્ટાર બની શકયા છે : હું (અક્ષય) અને શાહરૂખખાન!’’ (જેકી કે સુનીલ શેટ્ટી કદી એ ગ્રેડમાં ન પહોંચ્યા અને આમીર, સલમાન, સંજય દત્ત, અનિલ કપૂર, હૃતિક, વિવેક, ગોવિંદા, અક્ષય ખન્ના, ઇમરાન હાશ્મી… બધાના ‘છેડા’ કયાંક અડતાં હોય ને જહોન અબ્રાહમ જેવા બિપાશાના ટેકે આવ્યા હોય!)

શિક્ષણ ક્ષેત્રે પણ જે ઉદ્યોગપતિઓ પૈસા રોકી શકે છે, અને જે રાજકારણીઓ કાનૂની ગુંચ ઉકેલી શકે છે- એ ‘કેળવણીકાર’ છે જેમની પાસે શિક્ષણની દ્રષ્ટિ કે લાયકાત છે, એ ફકત નોકરિયાત છે!

આમ કેમ? કદાચ આપણાં ધાર્મિક આદર્શોના આદેશોએ આપણને મર્યાદા સામે શીશ ઝુકાવતાં શીખવ્યું છે. મેરિટ સામે નહીં! ભગવાન સિવાય આપણે કોઇને મહાન ગણતાં નથી અને પૂજન આ ભૂમિમાં આસ્થાથી થાય છે, આવડત પર નહીં! વળી મેરિટોક્રસી માટે જે પ્રિય મિત્ર ગણાય એ બાબત ભારતમાં દુષ્ટ દુશ્મન બની ગઇ છેઃ! ડેમોક્રસી યાને લોકશાહી!

ભારતીય રાજકારણીઓ માટે લોકશાહી એટલે એક ટૂચકો છે, તેમ ‘તુમ મુઝે આઝાદી દો, મૈં તુમ્હારા (પબ્લિક કા) ખૂન તો જરૂર લે લૂંગા!’ લોકોના ભલા માટે નહીં, નેતાઓના ભલા માટે સરકાર ચલાવવામાં આવે છે. લોકભાગીદારીની વાત છોડો, લોકોના અભિપ્રાયોની પણ કોઇ નોંધ લેતું નથી. આદમીઓ ખુરશીએ બેઠા છે કે એમને સત્તા પૂરતો જ સિદ્ધાંતમાં રસ છે. જૂજ અપવાદોમાં જ સિદ્ધાંત ખાતર સત્તામાં રસ પડે છે માટે એક ‘ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ – આપણી સંસદ અને વિધાન સભાઓના નોનસ્ટોપ ચાલ્યા કરે છે. એ જોયા પછી પહેલાં હસવું, પછી રડવું આવે છે.

‘બહુજન હિતાય’ના નારા સાથે અનેક દલિત- પછાત નેતાઓ અને પક્ષો આવી ચડયા છે. એ બધા શું ખરેખર સમાજના શોષિતો, વંચિતો અને પીડિતોના પ્રતિનિધિ કે પ્રેમી છે? જી ના, એ બધા પોતપોતાના સ્વાર્થના પ્રતિનિધિ છે. માયાવતી કે લાલુપ્રસાદ રોડપતિમાંથી કરોડપતિ બની જશે… જેલમાંથી મહેલમાં પહોંચી જશે. પણ એમના આ દોઢ-બે દસકાની ‘વિકાસ યાત્રા’ દરમિયાન તમે કોઇ ફૂટપાથ પર જોડા સાંધતા ચર્મકાર, રેંકડી ચલાવતાં મજૂર, શેરીઓ વાળતાં સફાઇ કામદારનો ‘ગ્રોથ રેટ’  નોંઘ્યો? એ બાપડા બધા ઠેરના ઠેર જ રહેશે! એમના સંતાનો પણ એ જ વારસાગત વેઠ કરતાં રહેશે!

પરંતુ, આ વાત બી.સી., ઓ.બી.સી., એસ.સી. અને એસ.ટી.ના ઘણા લોકો સમજી શકતાં નથી. આ માટે કંઇ પંડિતાઇની નહિ, સામાન્ય બુદ્ધિની જ જરૂર છે. માત્ર પોતાની જ્ઞાતિ- ધર્મનો આગેવાન જ પોતાનો ઉદ્ધારક થઇ શકે- આ માન્યતા વારંવાર ઇતિહાસે ખોટી ઠેરવી છે. મહાત્મા ફુલે કે ડો. આંબેડકરના ઉમદા પ્રદાન છતાં પણ ભારતમાં અસ્પૃશ્યતાનિવારણની નિસ્બત સૌથી વઘુ ફેલાવનાર અને અપનાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિક હતાં. વિધવા અને સતી જેવી સ્ત્રીઓની સમસ્યાની ખેવના કોઇ સ્ત્રીથી વઘુ રાજા રામમોહનરાય કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા પુરૂષોએ કરી હતી! યુવાનોને મુક્તિ આપવાની વકીલાત કોઇ ટીનેજરને નહિ, પણ રજનીશ કે મહેશ ભટ્ટ જેવા પ્રૌઢોને પહેલાં સૂઝે છે! એ જ ન્યાયે હિન્દુઓ કે મુસ્લીમોના હિતચિંતકો કંઇ વિશ્વ હિન્દુ પરિષદ કે જમાતે ઇસ્લામી જ હોય એ જરૂરી નથી, અને વંચિતોના વાણોતર કંઇ ધનવાન કે ઉજળિયાત ન જ હોય, એવું ફરજીયાત નથી!

પરંતુ, સ્વ. અર્જુનસિંહ જેવા બગભગતો અને ઠગભગતો જયારે લશ્કરની ભરતી કે આઇઆઇટી અને આઇઆઇએમ જેવી શિક્ષણ સંસ્થાઓમાં અનામતનું ઉંબાડિયું કરે, ત્યારે એ એમની શોષણવિરોધની નિસ્બત બતાવતાં નથી. બલ્કે, વોટબેન્કના પોલિટિકસમાં કિસ્મત ચમકાવતા હોય છે. આ લોકો અનામતના નામે દલિત હોવાની સભાનતા વધારે છે, અને સરવાળે બેઉ પક્ષે માનસિક ખાઇ વઘુ પહોળી કરે છે.

મેરિટોક્રસી ઇઝ મેરિટોક્રસી. જેમ કોઇ એકલવ્યના મેરિટનો ઇન્કાર ન હોય, એમ કોઇ અર્જુનના મેરિટનો પણ ન થઇ શકે! અનામત પ્રથાના ચુસ્ત સમર્થકો અજાણતાં જ વર્ણાશ્રમ વ્યવસ્થાનું પણ સમર્થન કરે જ છે! બરાબર સમજી લઇએ. વર્ણાશ્રમ કહે છે કે કર્મ નહિ, જન્મ- જ્ઞાતિ- કુળ વઘુ મહત્વના! પરિણામની સફળતા નહિ, પણ પરિવારની પશ્ચાદભૂમિને પહેલી પ્રાથમિકતા આપવી! અનામતપ્રથા પણ જરા ઝીણવટથી જુઓ તો આ જ વાત પર રેડ અન્ડરલાઇન દોરે છે. મતલબ, જૂની ભૂલો દોહરાવાઇ રહી છે. સાઇડ ચેન્જીસ. પાત્રો ફરી ગયા છે પણ નાટક એનું એ જ!

અનામતનો એકડો સાવ કાઢી નાખવા જેવો નથી. ધારો કે એક ગ્રુપ એવરેસ્ટ આરોહણ કરવા નીકળ્યું છે. એક સભ્યના પગ દુઃખે છે, એ પાછળ રહી જાય છે. બાકીના ઉપર ચડતાં જાય છે. પેલા પાછળ રહેલાં સભ્યને જૂથની હારોહાર કરવા માટે એક હેલિકોપ્ટરમાં બેસાડી ઉપર બીજાઓ સાથે જોડી દેવાય છે.

આ હેલિકોપ્ટર એ અનામત. જરૂરિયાત મુજબ એનો કટોકટીમાં ઉપયોગ હોય. પણ જો પેલો વ્યકિતને હેલિકોપ્ટરમાં જ બાકીનાથી આગળ એવરેસ્ટ પર બેસાડી દેવામાં આવે તો? તો રિઝર્વેશનનું ફેવરિટિઝમ થઇ જાય! એને બાકીના ગ્રુપની સાથે જોડાવા પૂરતો જ વધારાનો ટેકો આપવાનો હતો. પછી તો અણીદાર પથ્થરો કે કાળજું કંપાવતી ઠંડી કે ભયાનક ઝંઝાવાતનો મુકાબલો જેમ બીજાઓ કરે, એટલો એ પણ કરે. સંઘર્ષની સમાનતા ધેન સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ!

ભણવામાં અનામત આપો તો નોકરીમાં બંધ, અને નોકરીમાં આપો તો ભણવામાં બંધ!

અને ઉત્ક્રાંતિના સનાતન સંઘર્ષમાં જે શ્રેષ્ઠ નીવડે, એને જ ટોચ પર પહોંચવાનો હક છે. રોટી, કપડા ઔર મકાનની પાયાની જરૂરિયાતોમાં સમાનતા હોય, પણ પડકારો ઝીલવામાં શ્રેષ્ઠતા ચાલે, સમાનતા નહિ! રાષ્ટ્રની પ્રગતિ ઉચ્ચ કક્ષાના પ્રતિભાશાળી દિમાગોથી થાય… એમાં આગળ નીકળવા માટે કવોટા નહિ, કવોલિટી જોઇએ… અને બુદ્ધિ કદી સાધનો અને પરિસ્થિતિની મોહતાજ નથી રહેતી. ભીંતો ફાડીને પીપળાઓ ઉગે જ છે. અમીરજાદાઓ કંઇ સાહ્યબીને લીધે હોંશિયાર જ બને છે? અને મુફલિસો બધા ઠોઠ જ હોય છે? રિસ્પેકટ મેરિટ. ટ્રસ્ટ મેરિટ. ઓર પેરિશ! નહિ, તો સર્વનાશની રાહ જૂઓ!

***

દ્રશ્ય ૧ : એક બહુ જાણીતો એસએમએસ છે. નેતાઓ સામાજીક ન્યાય અને સમરસતાના નામે તમામ ક્ષેત્રમાં જે રીતે અનામત ઝીંકી રહ્યા છે, એમ ક્રિકેટમાં પણ ફટકારે તો…

… એસસી/ એટી/ ઓબીસી ઇત્યાદિ ખેલાડીઓ માટે બાઉન્ડ્રી લાઇન ૧૫ યાર્ડ ટૂંકી રાખવી પડે… આ ‘ક્વોટા’વાળા ફિલ્ડર્સ એક ટપ્પે કેચ પકડે તો પણ માન્ય ! જે ‘અનામત’ વાળો ખેલાડી પ્રેકટિસમાં ૨૦ રન કરે, એ નેશનલ ટીમ માટે પણ માન્ય ! એ ૬૦ રન કરે તો સેન્ચુરી ગણી લેવી. એ ૫ બોલ ફેંકે તો ઓવર ! દરેક ક્રિકેટ ટીમમાં ૪૦% ખેલાડી તો ક્વોટામાંથી જ હોવા જોઈએ !

દ્રશ્ય ૨ : ચિત્રગુપ્ત ચોપડો ચશ્મા ચડાવીને વાંચી રહ્યા છે.. આજીવન પુણ્ય કમાઇને સ્વર્ગમાં પ્રવેશવા માટે થનથન થતાં જીવાત્માઓને ઉદ્દેશીને કહે છે : ‘તમે જીંદગી, બહુ સારી જીવ્યા, પણ સોરી અહીં પણ ૪૯% સીટ પર એડમિશન રિઝર્વ્ડ છે !’… સ્વર્ગના દરવાજે રંભા, ઉર્વશી, મેનકા, તિલોત્તમા ઇત્યાદિ અપ્સરાઓ બેહોશ થઇને પડી છે, કારણ કે ‘અપ્સરા ભરતી અને તાલીમ નિગમ’નું પાટિયું છે. ૩૩% ભરતી આરક્ષિત છે !

દ્રશ્ય ૩ : અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર ભાટિયા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, પરેશ રાવલ વગેરે કલાકારોને લઇને વિક્રમ ભટ્ટ જેવા કોઇ દિગ્દર્શક ફિલ્મ બનાવી રહ્યા છે. ત્યાં એક અનામત તરફી આંદોલનકારીઓનું ટોળું ધસી જાય છે. સામાજીક ન્યાય માટે ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂમાં રિઝર્વેશન માંગવામાં આવે છે !

દ્રશ્ય ૪ : અખબારો અને ટીવી ચેનલ્સને કહી દેવામાં આવે છે કે લેખકો, પત્રકારો, ન્યૂઝ રીડરો… તમામની ભરતીમાં ક્વોલિટી નહિ, ક્વોટા ફરજીયાત છે. પછી આ લેખનો ૨૭% હિસ્સો લખવાની તક ‘રિઝર્વ્ડ કેટેગરી’ના નવોદિતને મળશે.

દ્રશ્ય ૫ : તમે રવિવારની સાંજે મલ્ટી પ્લેક્સમાં જાવ છો… ત્યાં ટિકિટોની ફાળવણી ૬૦:૪૦ના ધોરણે થઇ રહી છે. તમે ભાગીને બગીચામાં પહોંચો છો, ત્યાં જાતિના પ્રમાણપત્ર પછી જ બાળકોને લપસણીમાં કે હીંચકામાં બેસવા દેવામાં આવશે…. તમારે ગામ છોડીને જતાં રહેવું છે, સોરી બસમાં ૭૦% સીટ જનરલ કેટેગરીમાં નથી… તમારે મરી જવું છે, પણ તમે ઝેર પીને મરી શકતા નથી. કારણ કે એ બનાવતી કંપનીમાં નિષ્ણાતોની ભરતી કેમિકલની જાણકારી મુજબ નહિ, ક્વોટા પર થઇ છે !

તમને આવા દ્રશ્યોની કલ્પના કરી હસવું આવે છે ? ગુસ્સો આવે છે ? … તો બંને પ્રક્રિયા બંધ કરી, થોડું વિચારો. પહેલી નજરે ‘ઓવરરિએકશન’ કે ફારસ જેવી લાગે એવી એ વાત ભાવિ વાસ્તવિકતા બનવાની છે. આવા તો હજુ ૧૦ સેમ્પલ્સ આપી શકાય, પણ પછી ઉદાહરણ પર ચર્ચા થશે ને મૂળ વાત ભૂલાઇ જશે. આમ પણ મૂઠ્ઠીભર હિંમતવાનો સિવાય દેશને તો લકવો જ થઇ ગયો છે ને !

રીડરબિરાદર, તમે ગમે તે જ્ઞાતિ, જાતિ, ધર્મ, બૅકગ્રાઉન્ડના હો. જરાક નિર્મળ મનથી, તટસ્થભાવે આ એક સવાલનો જવાબ આપો. તમારો ગંભીર અકસ્માત થયો છે. તમને ખૂબ વહાલ કરતા મમ્મી-પપ્પા તમને હોસ્પિટલે લઇ જાય છે. તમારા મમ્મી તમારી જીંદગી માટે કલેજું કાઢીને આપી દેવા તૈયાર છે. તમારી જીંદગી બચાવવા તમારી હાર્ટ સર્જરી કરવી પડે એમ છે. તમારા મમ્મી હાથમાં સ્કાલપેલ (ઓપરેશન માટેની છરી) અને ક્લોરોફોર્મ લઇને કહે છે કે મારા દીકરાની સર્જરી હું જ કરીશ. બાજુમાં જ અનુભવી ડોકટર ઉભા છે. બોલો, તમે શું કરો ? મમ્મી પર વ્હાલ છે, વિશ્વાસ છે. પણ તમને ખબર છે કે હૃદયની ચીરફાડ કરવાનો ઇરાદો હોય તો પણ આવડત કે અનુભવ એની પાસે નથી. મા પ્રત્યે ગમે તેટલું માન હોય તો પણ તમારે ક્ષમતા ધરાવતા ડોકટરના હાથમાં જ જીવ સોંપવો પડશે ને ? મા ટ્રેઇનિંગ લેવા તૈયાર હોય તો પણ એને બદલે કુશળ તબીબને જ બોલાવવા પડશે ને ? (અહીં ક્વોટામાં આવેલા ડોક્ટર બોગસ હોય એવો અર્થ અભિપ્રેત નથી. મુદ્દો એ છે, ઈમોશન અને એક્સલન્સ બે જુદી બાબત છે. નિષ્ણાત તબીબ આ કિસ્સામાં દલિત હોઈ શકે અને મમ્મી સવર્ણ હોઈ શકે!)

ધેટસ ઇટ ! જગતમાં કામની વહેંચણી બે ભાગમાં થઇ શકે. એક એવા કામો કે જે કારકૂની છે. જેમાં મઘ્યમ સ્તરની શારીરિક / માનસિક તાકાત અને પ્રેકટિસની જરૂર છે. મોટા ભાગના બીબાઢાળ હિસાબી કે શ્રમજીવી કામો આવા હોય છે. બીજાં એવા કામો કે જેમાં ડિગ્રી નહિ, પણ ટેલન્ટની જરૂર પડે છે. એમાં રિઝર્વેશન માત્ર મેરિટનું જ ચાલે ! ત્રીજો એક મુદ્દો સ્વતંત્ર પસંદગીનો પણ છે.

સરકારી તંત્ર પબ્લિકના પૈસે ચાલે છે એમાં અનામત જાહેર કરવાનો જશ નેતાઓ ખાટી શકે છે. પણ ખાનગી ક્ષેત્ર વ્યકિતગત સાહસ છે. એમાં જાહેર સુખાકારીના નીતિનિયમથી વઘુ જો સરકારી દખલગીરી હોય તો પછી આઝાદી અને ગુલામીમાં ફરક શો રહ્યો ? અને એક વાત ગણીને ગાંઠે બાંધી રાખવા જેવી છે. મેરિટની વાતને ઉજળિયાત વિરૂઘ્ધ પછાત વર્ગભેદમાં વહેંચવાની જરૂર નથી.

વાત પ્રતિભાની છે, જે ઇશ્વરદત્ત છે. વાત આવડતની છે, જે સખત મહેનત કરનાર કોઇ પણ માનવી કેળવી શકે છે. આ જે કોઇ પાસે હોય એ આગળ, એ ન હોય તે પાછળ ! એમાં ઉંચ-નીચના પગથિયાં ગોઠવવાની જરૂર નથી. રાહુલ દ્રવિડ સરસ ક્રિકેટ રમે, રાહુલ બજાજ સારી રીતે ઉદ્યોગ ચલાવે, રાહુલ ગાંધી સારી જનસેવા કરે અને રાહુલ બોઝ સારો અભિનય કરે… તો એમાં કોઇ એક-બીજાથી ઉંચુ-નીચું નથી થતું ! સારી ચા બનાવવાવાળો અને ચાના બગીચાનો માલિક બંનેમાં સંપત્તિની દ્રષ્ટિએ ફરક હશે, પણ પોતાનું કામ કરવામાં બંને સરખા માસ્ટર છે !

પરંતુ, જીવનના અનકે એવા કામ છે – જેમાં સફળતા નિષ્ફળતાનો ટોપલો તમે નસીબ ઉપર બહુ બહુ તો છોડી શકો… પણ નેતાઓની ચાલબાજી પર નહિ જ ! ‘સામાજીક ન્યાય’ના નામે કાલ ઉઠીને આપણે સ્વ.વી. પી.સિંહ કે સ્વ.અર્જુનસિંહના અમુક તમુક ટકા કુટુંબીજનોને ફરજીયાતપણે ઠાકુરશાહી મુકીને ઓબીસી/ એસસી/ એસટી કુટુંબોમાં પરણવાનું કહીએ તો કેવું હાસ્યાસ્પદ લાગશે ? જુઓ, પરણવા માટે સ્ત્રી, પુરુષ અને પ્રેમ આ ત્રણ જ બાબતની જરૂર છે. એમાં નાતજાત એટસેટરા કારણોની આડશ ચાલે નહિ.

આગેવાનોને ખરેખર સામાજીક સમરસતામાં રસ હોય તો એમણે નાત, કોમ, ધર્મની વાડાબંધી વિનાના પ્રેમલગ્નોને ઉત્તેજન આપવા માટે સરકારી તંત્રને કામે લગાડવું જોઈએ. પણ એ તો ભારતના બંધારણ અને સર્વોચ્ચ ન્યાયાલય સામે ખુલ્લેઆમ શીંગડા ભરાવે છે !

પ્રીમિયમ કે ક્રીમી એજ્યુકેશન ઇન્સ્ટિટયુટસમાં ભણવાનો ઠેકો કંઇ ઉચ્ચભૂ્ર પરિવારોના શહેરી શ્રીમંત નબીરાઓએ જ નથી લીધો. એમાં ગરીબ ગ્રામીણજનને પણ ભણવાનો હક છે.

પણ સારી સંસ્થાઓ કે – અભ્યાસક્રમો કે ઉદ્યોગોમાં પ્રવેશ લાયકાતના ધોરણે હોવા જોઇએ. એ માટે જરૂરી તેજસ્વીતા ધરાવનાર દરેકને એમાં પ્રવેશ મળે…. અને જેમને એ ખર્ચ પોસાય નહિ એમને સ્કોલરશિપ મળે. જેમને ભાષા કે વિશેષ તાલીમ જોઈએ, એમને એનું સ્પેશ્યલ કોચિંગ મળે. પણ એ જન્મની જ્ઞાતિના આધારે નહિ, આર્થિક હાલત અને બુઘ્ધિક્ષમતાના આધારે ! જે જ્ઞાતિ જ વિભાજનની ઓળખ બની, એને ધૂંટ્યા કરવાથી કદી કોઇ મુખ્ય પ્રવાહમાં આવવાનું નથી ! તમારા પરફોર્મન્સથી કોઇ પણ ચૂપ થઇ શકે છે. પડદા પર નાચતી સુંદરી કે મેદાન પર રમતા ખેલાડીને નિહાળતી વખતે કદી એની જ્ઞાતિ યાદ આવે છે ?

અનામત તદ્‌ન બિનજરૂરી નથી. પણ એનો પાયો માત્ર જન્મના પ્રમાણપત્રના આધારે શા માટે ? જો વાત પાછળ પડી ગયેલા ગરીબોની જ મદદની હોય તો રાતોરાત એનો માપદંડ આર્થિક પછાતપણુ કેમ નથી કરવામાં આવતો ? અને ગરીબ હોવું એ પણ કંઇ વિશિષ્ટ લાયકાત હોવાની સાબિતી નથી. ગરીબી સાથે ગુણ અને જ્ઞાનપિપાસા હોય, પ્રતિભા અને પરિશ્રમ હોય – તો એ ઉત્તમ કે મહાન બનવાની ગુરૂચાવી છે. ક્ષમતા વગરના ગરીબોની પાંજરા પોળ ઉભી કરવાથી રાષ્ટ્રનો વિકાસ નહિ, વિનાશ થવાનો છે !

વળી, આખી જીંદગી દવા પર હોસ્પિટલમાં કાઢવી પડે એ આરોગ્યનું નહિ, બીમારીનું લક્ષણ છે. દલિત – પછાત સમુદાય જેમનો હવાલો ટાંકતા થાકતા નથી, એ ડૉ. આંબેડકરે જ અનામતને ‘કામચલાઉ વ્યવસ્થા’ ગણાવી, એ પણ ઉચ્ચ સ્તરે ૧૦% જ રાખવાની ભલામણ કરી હતી ! સતત અનામત રાખો, એ પણ વધારો તો પછી જ્ઞાતિવાદ ઘટવાને બદલે વકરતો જશે !

ઘણા મિત્રો અકળાઇને કહે છે, ૫૦૦૦ વર્ષના જુલ્મઓસિતમનો હવે બદલો લેવાનો છે.

કબૂલ કે, વર્ણાશ્રમ એક વાહિયાત તૂત છે, અને એના નામે ભરપૂર શોષણ ચાલ્યું છે, અને ચાલે છે. પણ એ પાપની સજા એ ન કરનારી નવી પેઢીને શા માટે ? એ પાપના ખરા ભાગીદાર જેવા નેતાઓ, જમીનદારો, લાલાજીઓ, ધર્મગુરૂઓ, શોષણખોર વેપારી અને અન્યાયી અધિકારીઓ, રાજા-મહારાજાઓ વગેરેની સામે જઇને મોરચા માંડો ને ! અને દરેક વાતમાં ભૂતકાળના સંદર્ભોની ફૂટપટ્ટી લઇને બેસો તો તો પૃથ્વી પરનો દરેક દેશ કોઇ બીજા દેશનો ગુનેગાર ઠરે. દરેક માણસ ખાનદાની અપરાધી જ ઠરે… તો ભવિષ્યનો નકશો જ ન બને, ત્યાં ઇમારતનું પૂછવું જ શું ? ક્યાંક તો જાગ્યા ત્યારથી સવાર માનીને પુરાતન ઘસરકાથી મુકત નવું કેનવાસ લેવું પડે કે નહિ ?

પહેલી નજરે ગળચટ્ટી લાગતી આવી જ બીજી દલીલને પણ ઉંડાણથી સમજો. ઇમોશનલ થઇને ઘણા ગાંધીજન મહાત્માઓ એવું કહે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણ અને સાધનોનું એટલું અંતર છે કે એમાં સમાન હરિફાઇ શક્ય જ નથી.

અમીર કુટુંબના સાહ્યબીમાં ઉછરેલા સંતાનોની ભાષા, બુઘ્ધિ, આવડતને મુકાબલો મહેનતકશ મજુર પરિવારના નબળા અબૂધ ફરજંદ કઇ રીતે કરી શકે ? વેલ, આ તો તર્ક જ ભૂલભરેલો છે. પીપળાઓ હંમેશા ભીંત ફાડીને ઉગ્યા જ છે. જો આવું  હોત તો જગતના તમામ હોંશિયાર વિદ્યાર્થીઓ સંપન્ન કુટુંબોમાંથી આવત અને તમામ ઠોઠિયાઓ ગરીબીમાંથી આવત ! સવાલ દરેક વિદ્યાર્થીને બાળપણથી સમાન તક અને સમાન સુવિધા મળે એવું શૈક્ષણિક અને સામાજીક વાતાવરણ સર્જવાનો છે. માટી સરખી કરો, ખાતર-પાણી બરાબર નાખીને માવજત કરો, નીંદામણ દૂર કરો… પછી જેવું બી એવી ફસલ ! એનું શ્રેષ્ઠ ઉદાહરણ સંપન્ન એવા ઉજળિયાત સુરેશ મહેતા / છબીલદાસ મહેતા કરતા અનેકગણી લોકચાહના પ્રાપ્ત કરનારા ઓબીસી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

બિયું સફરજનનું હશે તો સ્વાદિષ્ટ સફરજન મળશે અને આમલીનું હશે તો ખાટી આમલી ! માટી (અહીં સરકાર/સમાજ) દરેક બીજને નિષ્પક્ષતાથી પોષણ આપી વિકસવા દે, એને સમાનતા કહેવાય…. દરેક બિયાંમાંથી એકસરખા છોડ બને એ તો વિકૃતિ કહેવાય ! બાકી, ઇતિહાસ સાક્ષી છે કે જે ઉચ્ચ કામ માટે સર્જાયા છે, એમણે કોઇ અનામતની ટેકણલાકડી વિના વિપરીત સંજોગોને હંફાવી બતાવ્યા છે અને જે નથી સર્જાયા એમને લાખોની કેપિટેશન ફી પણ મહાન બનાવી શકી નથી.

છેલ્લી વારંવાર કહેવાયેલી વાત. અનામતની જરૂર જો અભ્યાસમાં લાગે, તો પછી નોકરીમાં રાખો – એ જ આગળની અનામતની મજાક છે.

ફ્રેકચર સાજું થઇ ગયું હોય તો પાટો શા માટે બાંધી રાખવો પડે ? જો ટેકો આપીને ભણવામાં સમાન કરી દેવાયા હોય, તો પછી નોકરીમાં અસમાનતા નવેસરથી ઉભી શા માટે કરવી ? અને જો એ કરવી જ હોય તો ભણવામાં એ કસરત શા માટે કરવી ? વળી આપણી રાજકીય સ્વાર્થવાળી અનામતોમાં ૫૦% સીટસ જનરલ કેટેગરીમાં રહેતી હોય તો એમાં ય રિઝર્વ્ડ કેટેગરીની વ્યકિત ઓપન મેરિટમાં આવી શકે ! અનામતના તરફદારો દલીલ કરે છે કે જૂના મૈસૂર સ્ટેટમાં ૧૯૨૧ અને કોલ્હાપુર સ્ટેટમાં ૧૯૦૨ થી અનામત હતી કે તામિલનાડુમાં ૬૯% અનામત છે, વગેરે વગેરે.

આ બાલિશ તર્ક છે. જો આમ હતું, તો આટલા વર્ષોમાં બધાનું સામાજીક ઉત્થાન થઇ ગયું હોય ને ? હવે એ કાઢી નાખો ! જો આ જવાબ ‘ના’ માં આપવો હોય તો કબૂલ કરો કે કેવળ અનામતથી કંઇ સામાજીક ન્યાય અને સમરસતા આવતી નથી – માટે એ કાઢી નાખો ! બે ય રીતે અનામતનો કેસ ટકતો જ નથી!

ફરીવાર, દરેક બાબતમાં ટકાવારીની ભાગલાવાદી માનસિકતા ન ચાલે. જો  આર. ડી. બર્મનને કહેવામાં આવ્યું હોત કે ઓપન કેટેગરીમાં એમણે આટલા જ ગીત બનાવવા તો કેવું લાગે ? ઘણા કાર્યો ક્ષમતા મુજબ સિઘ્ધ થાય, ક્ષેત્રીય વિભાજન મુજબ નહિ ! ડ્રાઇવિંગથી લઇને બાર ડાન્સિંગ સુધીના કાર્યો લો કે જેનેટિક રિસર્ચથી લઇને રાઇફલ શૂટિંગના કાર્યો લો : એક જ વાત ટકી શકે : મેરિટ ! બાકી બઘું એ ઉધ્ધારકોના દિમાગને અર્પણ જ્યાં આંતરડામાં જમા થયેલા પદાર્થો પહોંચી ગયા છે ! પણ આવું ભાજપ જેવા વિપક્ષો પણ નહિ કહે… મત તો એમને ય ઝાઝા જોઈએ છે !

પણ આ મેરિટ વિના હાલત કેવી થાય, એનો એક હમણાં સુધી સળગતો રહેલો ને આરક્ષણ જેવી ફિલ્મનો પ્લોટ બને તેવો આપણો જ કેસ સ્ટડી જાણો છો?

***

કેસ સ્ટડી : ગુજરાતમાં ‘ઓપન’ કેટેગરી માટે ‘ક્લોઝ’ થતા મેડિકલના દરવાજા ?!

બારમા સાયન્સનું પરિણામ આવી ગયા પછી ગુજરાતી પેરન્ટસ (સ્ટુડન્ટસના ખ્વાબ અહીં સેકન્ડરી છે, શું સમજ્યા?)નું સપનું નંબર વન હોય છે પોતાના ચિરંજીવ સુપુત્ર/સુપુત્રીને ડોક્ટર કે એન્જીનીયર બનાવવાનું ! એમાંય મેડિકલ એ ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રીમ રહે છે. ઠીક છે, આમ પણ વસતિના પ્રમાણમાં આપણે ત્યાં નિષ્ણાત તબીબોની તંગી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટર બને, એ તેમના જ નહિ, સમાજના હિતમાં પણ છે. મેડીકલ કોલેજો અને બેઠકો વધ્યા પાછી ય પરિસ્થિતિમાં ફરક નથી.

પણ સવા કરોડનો સવાલ એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ ગુજરાતમાં તકલીફ વિના એમબીબીએસ કે એમડી થઇને ડોક્ટર બની શકે છે ખરા ? વેલ, જો વિદ્યાર્થી ફક્ત હોશિયાર હોય એ કોઈ જ્ઞાતિના કે બાપુજીના બેંક બેલેન્સના તુંબડે તરી જવાનો ન હોય તો આ સવાલનો જવાબ આપતી વખતે ચોથા સ્ટેજના કેન્સરનો રિપોર્ટ આપતા પેથોલોજીસ્ટ જેવી હાલતમાં મુકાવું પડે તેમ છે.

જી હા, જેમને ક્વોટાની કોઈ જ ટેકણ લાકડી નથી, તેવા જનરલ, ઓપન કેટેગરીમાં આવતા મધ્યમવર્ગીય / દરિદ્ર ગુજરાતી સ્ટુડન્ટની હાલત સાયન્સ સ્ટ્રીમ પછી મેડિકલમાં એડમિશન લેવું હોય તો ‘ક્રિટિકલ’ છે. અને અહીં દરદ પણ એક નથી, કોમ્પ્લિકેશન મલ્ટીપલ છે. જેના તરફ સામાન્ય રીતે મુઠ્ઠીભર એડમિશનવાંછુ માતા-પિતા સંતાનો સિવાય સરકાર કે સમાજનું ધ્યાન ખેંચાતુ નથી ! આપણે બધા દરિદ્રનારાયણના પ્રશ્નો ઉકેલવાનો ‘દેખાવ કરવા’માં એટલા મશગુલ છીએ, કે બીજા લાંબે ગાળે સમાજને અસર કરતા સવાલો તરફ આપણુ ધ્યાનજ જતું નથી !

ઓકે, ડોક્ટરો ભલે પેશન્ટને મુદ્દાસર સમજૂતી આપ્યા વિના પ્રિસ્ક્રિપ્શન ફાડે, આપણે પહેલા પ્રોબ્લેમનું પુરેપુરું ‘ચેકઅપ’ કરી જોઇએ. દર વર્ષે આ વર્ષની માફક ઉચું પરિણામ વિજ્ઞાનપ્રવાહમાં આવે છે. હવે તો ગ્રુપ પડી ગયા હોઈ, ડોક્ટર બનવાના ડ્રીમર્સ બાયોલોજી સબ્જેક્ટ પહેલેથી જ રાખે છે. બોર્ડ અને ગુજકેટની પરીક્ષામાં ૬૦/૪૦ના રેશિયો મુજબ માર્ક્સ ગણીને સામાન્ય રીતે એડમિશન મળે છે. પણ ટ્રેજેડી એ છે કે જો તમે સવર્ણ જ્ઞાતિમા હો, મતલબ ઓપન, જનરલ કેટેગરીમાં હો, તો તમે ગમે તેટલા ઉંચા ટકાનો સ્કોર કરો, પેલા ક્રિકેટના ભેદી ડકવર્થ લુઇસ નિયમની માફક તમારા ડોક્ટર બનવાના ચાન્સીઝ ઘટતા ચાલે છે !

એ તો જગજાહેર છે કે હવે મેડિકલની ટોટલ સીટ્સમાંથી સીધેસીધી ૪૯% યાને અડધોઅડધ સીટસ અનામતમાં જતી રહે છે. ૨૭% ઓબીસી, ૧૫% એસ.ટી., અને ૭% એસ.સી. એના સમપ્રમાણમાં કંઇ ઓપન કેટેગરીની સીટસ વધતી નથી, અને સીધી સાદી વાસ્તવિક્તા જોઇએ તો ઘટતી જાય છે ! કેસ સ્ટડી તરીકે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ સાથે સંકળાયેલી, ગુજરાતની નંબર વન અને ભારતની ત્રીજા નંબરવાળી બી.જે.મેડિકલ કોલેજનો કિસ્સો કાફી છે.

આજથી ૩૨ વર્ષ પહેલા ત્યાં ૨૧૦ સીટ્સ હતી, જેમાં ૧૬૦ ઓપન કેટેગરીના સ્ટુડન્ટસને એડમિશન મળતું. ૩૦ વર્ષ બાદ હમણા સુધી સીટ્સ ૨૫૦ થઇ હતી. (પરિણામો અને વસતિમાં થતા સતત વધારા સામે સીટ્સનો વધારો નગણ્ય છે !) પણ તેમાંથી જનરલ કેટેગરીના મેરિટમાં ઘટીને ૯૯ રહી છે અને તેમાંય ફક્ત ગુજરાત બોર્ડના ફક્ત ૬૮ જ સ્ટુડન્ટસ એડમિશન લઇ શક્યા હતા (આ માહિતી જૂની છે, પણ સમજવા પૂરતી છે !) ટૂંકમાં, જે વિદ્યાર્થી અનામતના લાભ ન મળે, તેવી જ્ઞાતિનો હોય અને ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી હોય તો એના ઇફેક્ટિવ એડમિશન ચાન્સીસ છે ફક્ત ૨૫% !

આવું કેમ ? કહ્યું ને, અહીં એક સાથે અનેક રોગ વળગ્યા છે ! આપણા ૨૦૦૮ના વર્ષના કેસ સ્ટડીને વિગતે સમજીએ. ત્યારે બી.જે.મેડિકલની કુલ સીટ્સ ૨૫૦. તેમાંથી અનામત અનુસાર ઓબીસી-બક્ષીપંચ એટસેટરોમાં ગઇ ૫૩ સીટ્સ. શેડયુઅલ ટ્રાઈબ્સમાં ૨૯ સીટસ, શેડયુલ્ડ કાસ્ટમાં ૧૪ સીટ્સ, હેન્ડિકેપ્ડ (વિકલાંગ) માટેની અનામતમાં ૨ સીટ, સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓનો હિસ્સો ૧૬ સીટ, પીએમટી યાને પ્રિમેડિકલ ટેસ્ટ પસાર કરીને આવેલા સ્ટુડન્ટસને ૩૭ સીટ. કરો સરવાળો અને હિસાબ તો ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી બારમાની પરીક્ષા આપવાવાળા બિનઅનામત વિદ્યાર્થીઓ માટે વધશે ફક્ત ૯૯ સીટ્સ ! તેમાં ય ૨૧ સીટ્સ તો રિઝર્વેશનમાં આવતા સ્ટુડન્ટસના ફાળે ગણો, તો વધી ૬૮ સીટ્સ !

જી હા. જેમને રિઝર્વેશનમાં ક્વોટા મુજબ સીટ્સ ફાળવી દેવાઇ છે, એવા વિદ્યાર્થીઓને પણ ઓપન મેરિટમાં અરજી કરવાનો અબાધિત અધિકાર છે ! ઇનફ્કેટ, કોમ્પ્યુટરાઇઝડ સીટ્સ જ આપોઆપ એમની ટકાવારી ઉંચી હોય, તો તેમને ઓપન કેટેગરીમાં લઇ લે છે. ફાઈન. એ લોકો ડિઝર્વિંગ છે, કોંગ્રેટ્સ ટુ ધેમ. પણ એમને મળતા ડબલ ચાન્સને લીધે એટલા જ ડિઝર્વિંગ, લાયક જનરલ કેટેગરીના સ્ટુડન્ટનો સિંગલ ચાન્સ પણ છીનવાઈ જાય છે, તેનું શું ?

જનરલ કેટેગરીમાં મેડિકલ એડમિશન માટે સરકારી ધોરણ લઘુત્તમ ૭૦% પ્રાપ્ત કરવાનું છે. એનાથી નીચેની ટકાવારીવાળા સવર્ણ વિદ્યાર્થીને સીટ ખાલી હોય તો ય મેડિકલમાં સીધુ એડમિશન ન મળે. પણ આવી લક્ષ્મણરેખા અનામત માટે દોરવામાં આવી નથી ! માટે તેમાં બૌધ્ધિક સ્તરની માન્ય કસોટી ગણાતી બોર્ડ પરીક્ષામાં ઓછા માર્કસ છતાં ય એડમિશન મળી શકે છે ! (અનામતમાં ય અમુક કેટેગરીમાં અઢળક જ્ઞાતિઓ આવતી હોઇને અંદરોઅંદર સ્પર્ધા હોય છે, અને કેવળ માર્ક્સથી જ ક્ષમતા નક્કી કરવાની પરીક્ષાપ્રથા ખુદ ભૂલભરેલી હોય છે, એમાં ય કેપિટેશન ફી પર નિયંત્રણોની જરૂર છે  – એ અલગ મુદ્દા થયા)

વળી વાત ફક્ત અનામતની જ નથી. બદલીપાત્ર એવા ઉચ્ચ અધિકારીઓના સંતાનોને પણ પ્રાથમિકતા મળે છે. સેન્ટ્રલ બોર્ડ જેવી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરનારા ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો પણ પ્રમોશેનેટ (પ્રમાણસર)નો હિસ્સો છે. તો ૧૫% જેટલું રિઝર્વેશન ‘પીએમટી’ અને ‘પ્રિ-મેડિકલ ટેસ્ટ’ની રાષ્ટ્રવ્યાપી કસોટી પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હોય છે ! જેમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી સફળ થાય છે. માટે જનરલ  કેટેગરીના ગુજરાત બોર્ડના વિદ્યાર્થી માટે જ્ઞાતિમૂલક અનામત એન પીએમટીની ગણો તો ૬૫% જેટલી સીટ્સ તો એડમિશન ફોર્મ ભર્યા પહેલા જ ગુમાવી દેવાની છે ! ને બાકીની રહે છે, તેમાં ય સેન્ટ્રલ બોર્ડ અને મેરિટમાં આવતા રિઝર્વ્ડ વિદ્યાર્થી ‘મા મને છમ્મવડું’ કહીને પહેલા પહોંચી જાય છે !

બાય ધ વે, આ પીએમટીની પરીક્ષામાં કંઇ બધા રાજ્યોએ જોડાવું ફરજીયાત નહોતું. પણ ઘણા વર્ષો પહેલા હોંશે હોંશે ગુજરાત સરકાર સામે ચાલીને જોડાઈ ગઈ, અને બહારના વિદ્યાર્થીઓ માટે ગુલાબની પાંદડીઓની ચાદર બિછાવી દેવામાં આવી !

રાબેતા મુજબ, હૈસો હૈસો કરીને સંઘમાં જોડાયા પછી સજ્જતા પ્રાપ્ત કરવામાં આળસુ એવી ગુજરાતી લાક્ષણિક્તાને લીધે પીએમટીની પરીક્ષાની તૈયારી કરવામાં આપણે કાચા પડયા. એના જાણકારોએ તારવેલા બીજા બે-ત્રણ પરિબળો એ પણ છે કે અન્ય રાજ્યોમાં૭ વર્ષે એડમિશન આપી વિદ્યાર્થીને સ્કૂલમાં બેસાડાય, તેવું પણ બને છે.

વળી અંગ્રેજી હિન્દી માધ્યમ અને સેન્ટ્રલ બોર્ડનો સિલેબસ જ સ્થાનિક સ્તરે અમલમાં હોઈને તૈયારી આસાન બને છે ગુજરાતી સ્ટુડન્ટનું ઇંગ્લિશ-હિન્દી કાચું હોઈને આ પરીક્ષા તેના માટે આસાન નથી, (આપણી વર્ણનાત્મક પરીક્ષા સામે એ મલ્ટીપલ ચોઇસ છે !) અને ઘણી વખત પોતાનાથી મોટી વયના વિદ્યાર્થી સાથે તેને ટકરાવાનું આવે છે ! માટે પ્રિ મેડિકલ ટેસ્ટમાં સફળતા અપવાદરૃપ છે, પણ એને લીધે છીનવાઈ જતી બેઠકો કાયમી નિયમ છે !

એમ તો એ ય સાબિત ન થઇ શકે તેવી હકીકત છે કે બિહાર યુ.પી. જેવા રાજ્યોમાં ઘણી વખત આવી મહત્ત્વની પરીક્ષામાં ‘જુગાડ’ યાને સેટિંગ ચાલે છે (નિતિશકુમારે બિહાર માટે માંગેલું પેકેજ શું છે ? આખા બિહારને જ ‘સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન’ બનાવી દેવાનું ઉઘાડું બ્લેકમેઇલિંગ છે !) સરકારની રહેમનજર નીચે ત્યાં યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓને આગળ ધપાવવા કૌભાંડો કરવા નામચીન છે !

ખેર, મુદ્દો એ છે કે ગુજરાતમાં ચાલતી, ગુજરાતીઓના પૈસે ઉભી થયેલી સરકારી કોલેજોમાં મફતના ભાવે બહારના અને અનામત, ક્વોટાના વિદ્યાર્થીઓ લહેરથી ભણે છે એ ‘ઘરના છોકરા ઘંટી ચાટે, (અહીં ઉપાધ્યાયને આટો એવું તો કેમ લખાય ?) ના ન્યાયે, (ઉફ્ફ, અન્યાયે) કાં તો જનરલ કેટેગરીના સ્ટુડન્ટે ડોક્ટર બનવાનું સપનું જ છોડવું, રાધર, તોડવું પડે છે. કાં તો સેલ્ફ ફાઈનાન્સ્ડ કોલેજો તરફ દોડવું પડે છે !

એક તો મેડિકલમાં ઓવરઓલ જ એન્જીનીઅરિંગની સાપેક્ષે સીટ્સ ઓછી, તેમાં વળી સરકારી કોલેજોમાં જેટલું શીખવા મળે, તેટલું સેલ્ફ ફાઈનાન્સ્ડમાં મળે નહિ (સરકારી હોસ્પિટલોમાં નવોદિતોને અનુભવ મળે, એટલો ખાનગીમાં કદી મળે ? જુનિયર ડૉક્ટરને હાથ કોણ લગાવવા દે ?) અને એમાં ય પાછી ડોક્ટર બન્યા પહેલા જ હાર્ટ પેશન્ટ બનાવી દે એવી સેલ્ફ ફાઈનાન્સ્ડ કોલેજીઝની ચામડાફાડ ફીઝ ! વર્ષે લાખ્ખો લેખે સાડા પાંચ-છ વર્ષનો ગુણાકાર કરી લેવાનો !’

અને એટલે જ ઓપન કેટેગરીના સ્ટુડન્ટે લાચાર બની, ખૂબ ઉંચી ટકાવારી છતાં સ્વનિર્ભર કોલેજોની મેનેજમેન્ટ ક્વોટા કે એમઆરઆઈ ક્વોટાની બેઠકો માટે હરરાજીમાં ‘જોતરાવું’ પડે છે ! અને પછી કહેવાય છે કે એક-એક સીટ માટે અધધ એવા ૪૦-૫૦ લાખ ચૂકવીને પણ ડોક્ટરની ડિગ્રી (ટકાવારી હોવા છતાં) વેંચાતી પણ લેવી પડે છે !

માઈન્ડવેલ, બોર્ડ એકઝામ કરતાં ય વધુ કઠણ એવી આ વાસ્તવની પરીક્ષાઓ આટલેથી અટકતી નથી. ફક્ત એમબીબીએસ થયે કંઇ આજે પ્રેક્ટિસ ધમધોકાર ચાલે નહિ. સ્પેશ્યલાઇઝેશન કરવું જ પડે. એમ.ડી.ની પી.જી. (પોસ્ટ ગ્રેજ્યુએટ) કહેવાતી ડિગ્રી મેળવવી પડે. આ પી.જી. લેવલ પર તો હાલત ઓર ખરાબ છે ! સીટ્સ ઓછી હોય છે. વળી એક વખત એમ.બી.બી.એસ.મા અનામતનો લાભ મળ્યા પછી અહીં પણ રિઝર્વેશનનો રાક્ષસ મોં ફાડીને ઉભો રહે છે.

જો અનામતનો હેતુ સમાન તક, સમાન હક આપી સ્પર્ધામાં પગભર બનાવવાનો હોય તો એ પૂરો થઇ ચૂક્યો છે. હવે વ્યક્તિને નાત-જાતના લેબલ વિના મુખ્યપ્રવાહમાં સાહજીક રીતે ભેળવી દેવાનો હોય, પણ ના. પબ્લિક હેલ્થ સેન્ટરમાં છઠ્ઠા પગારપંચ મુજબ ૩૦ હજાર જેટલો પગાર મેળવનાર રિઝર્વ્ડ ક્વોટાનો જુનિયર ડોક્ટર પણ હજુ છેવાડાનો શોષિત, વંચિત, પીડિત જ ગણાય છે (આવું ગણાવા માટે કેટલાય પ્રગતિ કરી ચૂકેલા પછાત પરિવારો પોતાની સાચી આવક પણ બતાવતા નથી. ક્રીમી લેયરની સાડા ચાર લાખની આવકની અંદર જ રહે છે, અને ક્વોટામાં એડમિશનના ફાયદા સાથે સરકારને આવકવેરામાં નુકસાન કરે છે, એ નફામાં ઉપ્સ ખોટમાં !) અને બેવડી (બોર્ડ પરીક્ષા કે હાઈસ્કૂલ એડમિશન ગણો તો ત્રેવડી !) અનામતનો લાભ ઉમેરે છે !

આખી દુનિયામાં મેડિકલ જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચમાં આવું સરકસ ફક્ત સ્વાર્થી રાજકારણીઓ, જ્ઞાતિવાદી આગેવાનો, નીંભર પ્રજા અને લુચ્ચા અધિકારીઓના પ્રતાપે (કે પાપે ?) આપણે ત્યાં જ ચાલે છે ! ઘનચક્કર અનામત વિદેશમાં કયાંય નથી ! બહારના આવેલા વિદ્યાર્થીઓ પી.જી.લેવલ પર તો ગુજરાતના જ ડૉક્ટર કહેવાતા હોઈને મૂળ ગુજરાતી એવો તેજસ્વી ગરીબ સવર્ણ વિદ્યાર્થી તો સ્પેશ્યાલિસ્ટ બનવાના એડમિશન વખતે સાવ હાંસિયામાં ધકેલાઇ જાય છે !

અહીં વળી ૫૦%સીટ્સ પર નવેસરથી પીએમટીનો ક્વોટા હોઈ, તેને લીધે નવા આઉટસાઇડર્સ જગ્યા બથાવી પાડતા હોઈ, એને તો ધક્કામુક્કીમાં પીસાવાનું જ છે ! માટે પી.જી.એડમિશનની સીટનો ભાવ ૬૦-૭૦ લાખથી એક કરોડ સુધી ખાનગી કોલેજોમાં બોલાય છે ! (અને લાખ્ખોની ફી અલગ !) એનાથી આગળની એમસીએચ (સુપર સ્પેશ્યાલિસ્ટ, માસ્ટર ઓફ ચ્યુરિજ) જેવી એમ.ડી.ડી.એમ. ટાઈમ ડિગ્રીમાં તો ભાગ્યે જ ગુજરાતનો ગજ વાગે તેમ છે ! તેમાં તો પીએમટીનો દબદબો ૧૦૦% થઇ જાય છે. બારમા પછી ૧૫%,પી.જી. લેવલ પર ૫૦% અને ટોચના તબીબ બનવા માટે ૧૦૦% પ્રિમેડિકલ ટેસ્ટની જ આણ પ્રવર્તે છે !

આ આખું વિષચક્ર એવું ચાલે છે કે ઓછી ગુણવત્તા અને ઝાઝી અનામતને લીધે ડોક્ટર થયેલાઓ પ્રેક્ટિસમાં કંઇ ખાસ ઉકાળી શક્તા નથી, અને ગોરખધંધા કરીને દર્દીના ભોગે ઘર ભરે છે. કંપનીઓ સાથે જોડતોડ કરે છે કે પોસ્ટમોર્ટમ માટે ય લાંચ માંગે છે. ખાસ નોંધવું કે આમાં ઊંચું ડોનેશન આપી ઘુસી જતા બાપકમાઈના બચુભાઈઓ અને બચીબહેનોનો બિલકુલ બચાવ નથી. મેરિટની વાત આવે ત્યાં એમણે ય કાન પકડવા પડે. એટલે જ જન્મગત જ્ઞાતિ એડમિશનના બદલે પરદેશમાં આર્થિક સ્કોલરશીપ રૂપે લાભ મળે છે. ડોનેશનવાળા વિદ્યાર્થીઓના વાલીઓ પૈસા કમાયા એટલું જ મેરીટ સંતાનોની કારકિર્દી માટે પૂરતું નથી. પણ એ ય ખરું કે, એ પ્રજાના ટેક્સના પૈસે ભણતા નથી. વધુ ટેક્સ ફી ભરી સરકારને આપે છે.

બાકી લાયકાત છતાં છેવાડે પહોંચી ગયેલા સવર્ણ વિદ્યાર્થીઓ તોતિંગ રકમ ખર્ચીને ડોક્ટર થયા હોઈ પહેલા એ વસૂલી લેવાનું કામ દાંત કચકચાવીને કરે છે, અને દર્દીને ચીરી નાખે છે. બે ય પક્ષે સુખદ અપવાદો છે, પણ એ આઈપીએલમાં કોલકાટ્ટા નાઈટ રાઇડર્સે જીતેલી મેચો જેટલા ! બાકી, આ બે ઘંટીના પડ વચ્ચે આરોગ્ય સેવાઓ પીસાઈને ચકનાચૂર થતી જાય છે. (સ્વચ્છતાની દુહાઈ દેતા ડોક્ટરોની કોલેજોની હોસ્ટેલો જોઇ છે ? મોટે ભાગે સાવ ગંદીગોબરી અને રેગિંગ, બળૂકા વિદ્યાર્થીઓની જૂથબંધીથી ખદબદતી હોય છે !) ટૂંકી વાત એટલી, અનામત જન્મજાતને બદલે આર્થિક સ્તરે હોય તો આ વિવાદી સરખામણીનો પ્રશ્ન જ ના રહે.

વળી, ઓછી સુવિધાઓને લીધે ગામડામાં ડોક્ટર્સની તંગી છે, ત્યારે ગુજરાતના ખર્ચે અને જોખમે ગુજરાતમાં ભણી સેંકડો તબીબો પોતાના વતનના રાજ્યમાં પરત જતા રહે છે. અને અહીં એડમિશન ન મેળવી શક્તા જનરલ કેટેગરીના સ્ટુડન્ડસ બીજા રાજ્યોમાં જઈ, ગુજરાતમાં કમાયેલા પૈસા ત્યાં ખર્ચીને તેને સમૃધ્ધ બનાવીને ભણે છે ! પ્રિમેડિકલ ટેસ્ટમાં આગળ નીકળવાની જાગૃતિ જ ટયુશનઘેલા વેપારીવૃત્તિના ગુજરાતીઓમાં નથી, ત્યાં સજ્જતા કેવી રીતે આવી શકે? એ માટે વળી અંગ્રેજી અને શિક્ષણ પધ્ધતિના ઢાંચામાં ફેરફાર કરવા પડે (એક ટિપ : વધુ ઉંમર મુજબ માર્કસ ઘટાડી શકાય !)

અનામત નાત-જાતના ભેદ દૂર કરવાને બદલે એ કાયમી કરે છે, એટલું સાદુંસત્ય આટલા વર્ષે આંધળા અનામતપ્રેમીઆર્ને સમજાતું નથી. ભૂતકાળમાં ક્યારેક ફક્ત જન્મના વાંકે અનામત મેળવનારાએ વેઠવાનું આવ્યું, એ ભવિષ્યમાં એ જ રીતે માત્ર જન્મના જ વાંકે સવર્ણોએ વેઠવાનું આવશે એ નવો વર્ગવિગ્રહ પેદા કરશે ! ટુ રોંગ વિલ નેવર મેઇક વન રાઇટ !ત્યાં સુધી ચાલ્યા કરશે, હેલ્થ સેકન્ડ, વેલ્થ ફર્સ્ટ. એ તરકીબ વિના કંઇ સહેલાઇથી તબીબ થોડું બની શકાય છે ? કોની રાહ જોશો ?  તૂ ઇન્કિલાબ કી અમદ કા ઇન્તિજાર ન દેખ / જો હો સકે તો અભી ઇન્કિલાબ પૈદા કર ! (અઝીઝ)

***

ઓ કે, આ બધા નવા વિવાદોના મૂળ ઓબીસીની એ..બી..સી..ડી ખબર છે?

‘બૈસલા કા ફૈસલા’ જેવી એક રિયાલિટી ટીવી સિરિયલ થોડા સમય માટે દરેક ન્યૂઝ ચેનલ પર છવાઈ ગઈ હતી.રાજસ્થાનમાં ગુર્જરોએ (એક મત મુજબ જેમાં અપભ્રંશથી ગુજરાત શબ્દ આવ્યો છે!) ૨૭% અનામત માટે હાઈકોર્ટના ચુકાદાને ધરાર અવગણીને ઈમોશનલ બ્લેકમેઈલીંગ જેવું આંદોલન કર્યું. નવા નિશાળિયાઓને નવાઈ લાગે એવી વાત તો એ છે કે આ આંદોલન મૂળભૂત રીતે ઘણા કિસ્સાઓમાં બને છે, તેમ ‘પછાત વિરૂઘ્ધ સવર્ણ’નું નહિ, પણ ‘પછાત વિરૂઘ્ધ પછાત’ (ગુર્જર વિરૂઘ્ધ મીણા) કોમનું હતું.

મીણાને ઓબીસીમાં સમાવાયા તો ગુર્જરોને કેમ નહિ? -જેથી આ આંદોલનના વર્ષો પહેલા શ્રીગણેશ થયા હતા, જે આજે ‘બેકવર્ડ’ ગણાવામાં ‘ફોરવર્ડ’ નીકળવાની હરિફાઈથી ૨૭%ની બંધારણના ૧૦૪મા સુધારાથી ભૂતપૂર્વ મંત્રી સ્વ.અર્જુનસિંહ (‘મિર્ચ’ના હીરો અરૂણોદયસિંહના દાદા, યુ નો!)એ પ્રગટાવેલી હોળીની ઝાળ બનીને રહી ગયું છે.

આપણા વારસામાં જેમ મીઠી મઘુરી બાબતો છે, તેમ કડવી ઝેર જેવી બાબતો પણ છે. જેમાંથી એક પાયાની ગરબડનું નામ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. તર્કની તલવારો અને ગળચટ્ટી ફિલસૂફીથી ગમે તેટલો ઢાંકપિછેડો કરવામાં આવે… વાસ્તવિકતા એ છે કે આ વર્ણાશ્રમના વર્ગભેદ એ ભારતની મસમોટી ભૂલ છે. નબળાઈ છે.

ભારતની ભૂલોના દસ્તાવેજ જેવી મનુસ્મૃતિમાં અનેક ફાલતુ બાબતો વર્ણવાઈ છે, જેને ‘કલામ-એ-પાક’ની માફક આજના જમાનામાં પરાણે વળગી રહેવાની કોઈ જ જરૂર નથી. ભારતમાં અન્યાય બોધનું વિષવૃક્ષ જે મૂળિયામાંથી પ્રગટ્યું, એ ચાતુવર્ણ્યવ્યવસ્થા એમાંની એક છે. અને મૂળિયાને લીધે જ્ઞાતિભેદની જામેલી ડાળો શિક્ષણની ધારદાર કૂહાડીથી પણ તૂટતી નથી!

ભારતમાં અંગ્રેજી રાજવટ વખતે જ સામાજીક અસમાનતાની અઢળક સમસ્યાઓ ઉદભવી હતી. ધાર્મિક વિખવાદ તો જગતભરમાં હોય છે. અહીં તો આંતરિક ઉંચ-નીચ અને અસ્પૃશ્યતાનો લૂણો ઘરની દીવાલો જર્જરિત બનાવતો હતો. ઘણા મહાપુરૂષો પોતપોતાની રીતે એ દૂર કરવાના પ્રયાસો કરતા હતા. ‘અધર બેકવર્ડ ક્લાસ’ ઉર્ફે ઓબીસી શબ્દ પણ એ જ મંથનમાંથી નીપજેલો છે.

ટેકનિકલી ભારતીય બંધારણમાં ગુર્જરો જેના માટે રાજસ્થાનમાં રમખાણ મચાવી રહ્યા છે, એ ઓબીસી માટેની અનામતનો ઉલ્લેખ જ નથી! ૧૯૩૫માં બ્રિટિશ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૫માં પછાત જ્ઞાતિઓનો સમાવેશ થયો, જે શેડ્યુલ્ડ કાસ્ટ (એસ.સી.) કહેવાયા. એ વખતે ભારતીય નેતાઓનો અભિગમ પણ બ્રિટિશ શાસનની માફક અસ્પૃશ્યતા અને વર્ગભેદ નિવારણનો હતો.

૧૯૩૭માં પેલા એક્ટના વાસ્તવિક અમલ સમયે રાજ્યપાલ/રાષ્ટ્રપતિને શેડ્યુલ્ડ કાસ્ટની યાદી જે બની હોય, તેમાં સુધારાવધારા કરવાની બંધારણીય સત્તા મળી. એસ.સી.ની માફક એસ.ટી. યાને શેડ્યુલ્ડ ટ્રાઈબ્સનો પણ સમાવેશ થયો. ગાંધીજી એસ.સી. માટે ‘હરિજન’ અને શેડ્યુલ્ડ ટ્રાઈબ્સ માટે ‘ગિરિજન’ શબ્દનો ઉપયોગ કરતા. કારણ કે, શેડલ્યુડ ટ્રાઈબ્સ મોટે ભાગે જંગલો, વગડા અને પહાડોમાં રહેતી-ભટકતી પ્રજા હતી. બંધારણમાં આ અંગેના આર્ટિકલ્સ ૩૪૧-૩૪૨ છે.

એસ.સી.ને આજે સહજ રીતે સમજવા માટે ‘દલિત’ અને એસ.ટી.ને માટે ‘આદિવાસી’ શબ્દનો ઉપયોગ થાય છે. અલબત્ત, આ લોકબોલીની વ્યાખ્યાઓ છે. બંધારણીય રીતે આ વર્ગોની યાદી તૈયાર કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યની આ માટે આગવી યાદી હોય છે. પ્રાપ્ત થતા આંકડાઓ મુજબ કેન્દ્રિય યાદીમાં ૩૧૧ ક્રમ શેડ્યુલ્ડ કાસ્ટસના છે, જેમાં બીજી ઘણી પેટાજાતિઓ છે. ગુજરાતમાં આ ક્રમાંક ૯૭ અને મહારાષ્ટ્રમાં ૨૧૫ છે. શેડ્યુલ્ડ ટ્રાઈબ્સની ક્રમાંકિત સંખ્યા એનાથી ઓછી છે. આ બઘું બંધારણના પાંચમા શેડ્યુલમાં છે. ઓબીસીમાં કોણ આવી શકે એ અંગે મતભેદ છે. પણ એક અંદાજ મુજબ બધી પેટાજાતિ સહિત એ આંકડો ૫૦૦૦થી વઘુ થઈ શકે છે!

ભારતે જાતિ-ધર્મ-જન્મ આધારિત સમાજવ્યવસ્થાથી પર લોકશાહી સ્વીકારી હોઈને ૧૯૩૧ પછીની વસતિ ગણત્રી જાતિ આધારિત થઈ નથી. (છેક હવે ૨૦૧૧મા હજુ એ માંડ માંડ શરુ થઇ છે!) એથી ઓબીસીનો જાતિ આધારિત ડેટાબેઝ ઉપલબ્ધ નથી. ૨૦૦૧ની વસતિ ગણત્રી મુજબ એસસી ૧૬% અને એસ.ટી. ૮.૩% છે.

ઓબીસી એટલે અન્ય પછાત જાતિઓનો મુદ્દો વિવાદાસ્પદ એટલે રહ્યો છે, કે એમાં કેટલા ‘ક્રીમી લેયર’ યાને સાધનસંપન્ન છે અને કેટલા ખરેખર જરૂરિયાતમંદ છે, એનો સંવૈધાનિક રીતે કોઈ ડેટાબેઝ હાલ તુરત નથી! ૨૯ માર્ચ, ૨૦૦૭ના રોજ સુપ્રિમ કોર્ટે આ મુદા પર જ ‘સ્ટે’ આપીને આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ઓબીસી માટેની ૨૭% અનામતનો અમલ મોકૂફ રખાયો હતો.

રસપ્રદ વાત તો એ પણ છે કે પછાત જાતિ નહિ, પણ પછાત ‘વર્ગ’ (બેકવર્ડ ‘કાસ્ટ’ને બદલે બેકવર્ડ ‘કલાસ’) શબ્દ બંધારણીય છે. એ માટે પહેલું કમિશન કાકાસાહેબ કાલેલકરના વડપણ નીચે ૨૯ જાન્યુઆરી ૧૯૫૩ના રોજ રચાયું હતું. ૧૯૫૫માં સુપ્રત થયેલા એના અહેવાલમાં ૨,૩૯૯ બેકવર્ડ કલાસનું લિસ્ટ હતું. જેમાં ૮૩૭નો ‘મોસ્ટ બેકવર્ડ કલાસ’માં સમાવેશ થતો હતો. આ રિપોર્ટ તટસ્થતા પૂર્વક તૈયાર થયો હોવા છતાં રિજેકટ થયેલો. અહીં પછાતપણાનો માપદંડ સામાજીકને બદલે આર્થિક થતો હોઈ એનો સ્વીકાર થયો નહોતા!

૧૯૭૯ના રોજ બી.પી. મંડલના વડપણ નીચે આજ દિન સુધી ચર્ચાસ્પદ રહેલા મંડલ કમિશનની આ માટે રચના કરવામાં આવી. એણે ડિસેમ્બર ૧૯૮૦માં રિપોર્ટ મૂકયો. જેનો અમલ કરવા જતા નેવુંના દાયકાના આરંભે વી.પી. સિંહની સરકારનું પતન થયું હતું. મંડલ પંચે ૫૨% વસતિને ઓબીસી ગણાવી હતી. જો કે, એબીસીની વ્યાખ્યા કરતા એના ૧૧ માપદંડ વિવાદાસ્પદ રહ્યા છે.

કેટલાક સંજોગોમાં સુખી પરિવારની સ્ત્રી કામ ન કરે, તો પણ ઓબીસીમાં ગણાઈ જાય! આ અંગેની ગણત્રી રાજયવાર સરેરાશ આધારિત છે, અને ગૂંચવાડાભરી છે. પણ પાછળથી અધિકૃત ગણાતા નેશનલ સેમ્પલ સર્વેમાં ઓબીસીની સંખ્યા ૩૬% ગણાવાઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સ્ટેસ્ટિકસમાં નોન મુસ્લિમ ઓબીસી ૨૯.૮% ગણાવાયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ બધા ફકત સર્વેક્ષણો છે. સુપ્રિમ કોર્ટે એટલે આધાર માનવાની ના પાડીને, સત્તાવાર રીતે ગણત્રી કરી એનાં આર્થિક માપદંડો સહિતનો ડેટાબેઝ તૈયાર કરવાનો આદેશ સરકારને આપ્યો હતો.

ઈન શોર્ટ, ભારતમાં ખરેખર કેટલા ઓબીસી છે, અને એમનું જીવનધોરણ કેવું છે એની સમગ્ર દેશની આધારભૂત અને સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ જ નથી! છૂટાછવાયા સેમ્પલના સર્વેક્ષણો, અનુમાનો કે સ્થાનિક ડેટાના આધારે આંકડાકીય રમત ચાલે છે. મંડલ પંચે હિંદુ – બિનહિંદુ અન્ય પછાત વર્ગોની સંખ્યા ૩,૭૪૩ જ્ઞાતિ ગણાવી હતી.

શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણમાં એસસી/ એસટીની ૨૨.૫% અનામત ઉપરાંત ઓબીસીની ૨૭% અનામત વધારવા માટે કેન્દ્ર સરકારે વીરપ્પા મોઈલી સમિતિ બનાવી હતી. એના રિપોર્ટ મુજબ આ ફેરફાર માટે ૧૬,૫૬૩.૩૪કરોડનો નવો ખર્ચ થશે. વારંવાર મતબેન્ક માટે વચનો આપતા નેતાઓ આ ખર્ચ કયાંથી મેળવવો એ અંગે મગનું નામ મરી પાડતા નથી.

અનામત વધારવા માટે જનરલ કવોટાની બેઠકો વધારવાનું વચન આપતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જ અંદાજ મુજબ એ માટે ૬,૦૦૦થી ૯,૦૦૦ કરોડનો ‘ઈન્ફ્રાસ્ટ્રકચરલ એકસપેન્સ’ થઈ શકે તેમ છે! આમ પણ ભારતમાં કુલ જી.ડી.પી. (કાચી રાષ્ટ્રીય પેદાશ)ના ફકત ૦.૩૭% જ ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચાય છે. અને એ માટેના એજ ગ્રુપમાંથી માત્ર  ૮% જ એ લાભ મેળવે છે!

વઘુ એક ‘ઈન્ટરેસ્ટિંગ બટ સ્ટ્રેન્જ’ સત્ય! અનામતના રાજકારણને લીધે શીખ, દલિત, મુસ્લીમ દલિત, ક્રિશ્ચયન દલિત જેવા શબ્દો આવી ગયા છે. આ ત્રણે ધર્મોમાં જન્મ કે જાતિની અસામાનતાની વાત જ નથી, પણ ભારતમાં એના અનુયાયીઓમાં ઉંચ – નીચના ભેદભાવ જોવા મળે છે. (સાંસ્કૃતિક અસર!) શીખ ધર્મમાં ગુરૂ ગોવિંદસિંહના ‘પંજ પ્યારે’ પછાત મૂળિયામાંથી આવતા હોવા છતાં પૂજય ગણાય છે.

પણ વાસ્તવિકતા એ છે કે શીખ દલિત તરીકેના અન્યાયબોધથી કંટાળીને જ સ્વ. કાંશીરામે બૌઘ્ધ ધર્મ ધારણ કર્યો હતો, અને માયાવતીથી આજે પ્રસિઘ્ધ બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી. મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં પણ કેટલાક જૂથો એમનો ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી કરે છે. સ્થાનિક સ્તરે ઓબીસીમાં સમાવેશના કેટલાક નિર્ણયો રાજય સરકારને આધીન હોઈને કયાંક એમને આવું સ્થાન મળે પણ છે. સચ્ચર સમિતિએ એ માટેની સર્વગ્રાહી ભલામણ કરી છે. માટે એ મામલો જ્ઞાતિથી ધર્મ સુધી વકર્યો છે.

ડેટાબેઝમાં એક બીજી ફેકટ પણ નોંધી લો રાજસ્થાનમાં જેમ ઓબીસી વિરૂઘ્ધ અન્ય પછાત વર્ગનો રાજકીય વિવાદ ચાલે છે, એવા જ વિવાદમાં બિહારમાંથી ઝારખંડ રાજય બન્યું છે. ત્યાં અત્યંત પછાત મુંડા, સાંથાલ, ઓરાં અને હોસ જાતિઓએ ઓબીસી અને સર્વણ હિંદુઓ પર પોતાના શોષણનો આરોપ મૂકયો હતો. એક રાજયમાં જે વર્ગ પછાત હોય એ બીજામાં પછાત ન પણ ગણાય. જો કે, કેન્દ્ર સરકારની નોકરીઓમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ ઘટીને ૪.૫૧% જ રહ્યું છે, એવી દલીલ પણ ચાલી રહી છે.

સૌથી વઘુ સરપ્રાઈઝિંગ વાત તો એ જ છે કે ઓબીસી માટે આટલા બધા નેતાઓ ચિંતીત હોવા છતાં ભારતની સંસદમાં જ ઓબીસીનો કોઈ કવોટા નથી! આ માટે બંધારણના આર્ટિકલ ૩૩૪માં સુધારો કરવો પડે જેમાં ઓબીસીનો કોઈ ઉલ્લેખ જ નથી! એસ.સી. / એસ.ટી. અને એંગ્લો ઈન્ડિયન માટે અનામત બેઠકોનો જ ઉલ્લેખ છે!

નવાઈની વાત એ છે કે, શિક્ષણસંસ્થાઓથી નોકરીઓ સુધી રાષ્ટ્રીય કે સામાજીક હિતને બદલે પોતાની જાતિ કે વર્ગના હિત માટે થતા આંદોલનોમાંથી કોઈને વિધાનસભાઓ – સંસદમાં ઓબીસી માટેના કવોટા અંગે ચળવળ કરવાનું સૂઝતું નથી! અને અનામતની લ્હાણી કરતા આગેવાનો પણ મૌન છે! આ એક જ સબૂત રાજકારણીઓની અનામતના મામલે ખોરા ટોપરા જેવી દાનત માટે કાફી નથી?

બસ, આ જ આખી કથાનો સાર છે. મૂળભૂત રીતે શું દલિત, શું સવર્ણ- તમામને અહીં શીરા સાટુ શ્રાવક થવું છે. કોઇને દેશની તો શું સત્ય અને ન્યાયની પણ કશી પડી નથી. બસ, હું સુખી- સલામત થઇ જાઊં, એ માટે મને લાભ કરાવે, એ મારો નેતા… એ મારો સમાજ… એ મારૂં સંગઠન, કડવા સત્યની ટાંકણીઓ ન ભોંકવી, એ મહોરાંને આપણે વળી ‘સભ્યતાનું શિક્ષણ’ એવું નામ આપ્યું છે.

વાણીવર્તનની પૂરા સંતુલન સાથે, અનામતની જરાક ચર્ચા પણ છેડીએ તો કેટલાક સંકુચિત મિત્રો તરત જ કપાળે ‘દલિતશત્રુ’નું લેબલ લગાવી, તમામ અનામત આલોચકોને જ્ઞાતિવાદી ઠેરવી દેવાનો ગોકીરો કરી મૂકે છે. પહેલા સત્ય અને ન્યાયનો અવાજ દબાવવા ઉચ્ચ વર્ગ આવો જ હોહાદેકારો કરી પછાત વર્ગને અન્યાય કરતો, આજે સત્ય અને ન્યાય સામે પછાતવર્ગ એટલો જ શોરબકોર કરે છે. આને કહીશું ખૂન કા બદલા ખૂન?

‘જુગાડ’, ‘સેટિંગ’, ‘છેડા’ જેની કેચલાઇન છે, એવા ભારતવર્ષમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના ૯૩મા બંધારણીય સુધારાને બહાલી આપી છે જે અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી માટે ૨૭% અનામત રહેશે. વિદ્વાનો કહે છે; વઘુ કમાતા ‘ક્રીમી લેયર્સ’ને બાકાત રાખવાની સૂચના છે, ૫ વર્ષે સમીક્ષાનું સૂચન છે, અને દરેક સંસ્થાએ સીટ વધારવાની હોઈને જનરલ કેટેગરીને નુકસાન નથી. માટે આનંદો. ચૂકાદાને આવકારો. સામાજીક સમરસતા સ્વીકારો.

ઓકે. અને કાશ્મીર છોડીને તંબૂમાં ભટકતા કાશ્મીરી પંડિતોના સંતાનો વતનથી બેદખલ નિર્વાસિત છે. એમના અન્યાયબોધનું શું ? (જસ્ટ ફોર ઇન્ફોર્મેશન દિલ્હીના ૫૦ જેટલા સુલભ શૌચાલયોના સફાઈ કામદારો બ્રાહ્મણ છે !)જે સવર્ણ અટક ધરાવે છે, પણ ચીંથરેહાલ છે. મજૂરી કરે છે, ભાડાની રિક્ષા ચલાવે છે, એનુ શું ? એમના સંતાનો તેજસ્વી હોય એ ગુનો ? એમણે તો કંઈ વર્ણવ્યવસ્થાની વાયડાઈ કરતી મનુસ્મૃતિ લખી નથી !

અનામતનો સૈદ્ધાંતિક વાંધો કે વિરોધ હોઈ ન શકે. પાછળ રહેલાઓને મુખ્ય પ્રવાહમાં ભેળવવા એ તો ડેમોક્રેટિક સિવિલાઇઝ્‌ડ સોસાયટીના બંધારણમાં ન લખી હોય તો પણ ફરજ છે. પણ નદી સાગરમાં ક્યારે એકરસ થાય ? યસ, જ્યારે એ પોતાની સ્વતંત્ર ઓળખ ઓગાળે ત્યારે ! પણ અનામતના નામે તો જે જન્મ અને જાતિની ઓળખ ભૂંસવાની છે, એ વઘુ મજબૂત બને છે. અને એકનો અન્યાય દૂર કરવા જતાં બીજાને અન્યાય થાય છે, જે અન્યાયબોધ દૂર કરવા શું નવી અનામતો લઈ આવશું ? માટે અનામત એ તંદુરસ્તીની નહિ, દાયકાઓનો મનભેદ અખંડ રહ્યાની ગવાહી આપે છે !

ભારતનો પ્રોબ્લેમ એ છે કે અહીં રિઝર્વેશન અને ક્વોટા બેવડાય છે. બોક્સિંગ રીંગમાં કોઈ સૂકલકડી હોય તો એને સીધો જ ચેમ્પિયન ઘોષિત કરાય ? એને તાજોમાજો કરાય, સાચી ટ્રેઇનિંગ અને ન્યુટ્રિશ્યસ ફૂડ અપાય. પણ મુકાબલો તો સમાન તક માટે જ લડવો પડે. હાયર એજ્યુકેશનમાં અનામત આપવી હોય, તો પછી નોકરીઓની અનામત કાઢી નાંખવી પડે !

ભારતમાં જો તમે ગરીબ, મઘ્યવર્ગીય હો… ભોળા અને સરળ હો… ઊંચી ઓળખાણો ન ધરાવતા હો… ટૂંકમાં લુચ્ચા અથવા વી.આઇ.પી. ન હો અને મુફલિસ હો તો તમને વાર-તહેવારે અન્યાય થયા જ કરશે. ભલે ગમે તે જ્ઞાતિના હો !

અનામત આજે શેરબજારના બ્લુ ચિપ આઇપીઓ જેવી છે. દરેકને એલોટમેન્ટમાં પોતાનો કવોટા જોઇએ છે ને એનો પાયાનો આધાર શું છે? જો વાત આર્થિક સમૃદ્ધિ અનામત થકી મળે, અને એ મળે તો જ સમાજમાં સ્વીકૃતિ મળે એટલી જ હોય, તો પછી કાલેલકર સમિતિનું આર્થિક આધારવાળું વર્ગીકરણ શું ખોટું હતું? પણ ત્યારે સામાજીક ન્યાયની વાત આડે આવી. વાત જો સામાજીક ન્યાયની જ હોય, તો પછી આર્થિક લાભાલાભની નોકરી, કારકિર્દીની જ અનામત પૂરતી જીદ શા માટે?

અને ખાટલે મોટી ખોડ જ માણસને ફકત જન્મના લેબલથી માપી, એના ગુણ-કર્મને અવગણવાથી શરૂ થઇ છે. અનામત માટે વળી એ જ જન્મજાત જ્ઞાતિનો સ્ટેમ્પ કપાળે ચીટકાડવો ફરજીયાત બને છે. જે ઓળખ ભૂંસવાની છે, એને ઘાટી બનાવવી પડે છે. એટલે સામાજીક સમરસતા પર લાગેલું તાળું ફકત અનામતની એકલી ચાવીથી ખૂલી જશે, એ ભ્રમ તો આંખ-કાન ખુલ્લા રાખનારાઓ માટે કયારનો ય ભાંગી ગયો છે. ઉલ્ટું નવી પેઢીમાં રિઝર્વેશન વર્સીસ મેરિટનો છૂપો ભેદભાવ, પરસ્પરની નફરત ઘટવાને બદલે પાછી વધી છે!

અન્યાયની દાસ્તાનો પૃથ્વી પરના દરેક દેશમાં છે. પણ કેવળ રાજકારણનું રમકડું બનતી અનામત (અ)નીતિ આપણા જેવી કયાંય અમલમાં નથી. આપણને દરેક તંત્રમાં લાયકાત કરતાં બીજા ધારાધોરણોને જ પ્રાથમિકતા આપવાની બૂરી આદત છે. મુદ્દો અનામત હોવી જ ન જોઇએ, એવો નથી. એના ખામીભર્યા અને લુચ્ચાઇભર્યા અમલનો છે. હવે દલિત રાજકારણ એક ‘સ્થાપિત હિત’ છે. દલિતો જ દલિતોનું શોષણ કરે છે. પછાત ગણાતા વર્ગોમાં ય અંદરોઅંદર પાછા ઊંચ-નીચના જ્ઞાતિભેદ છે.

કેટલા ચોકઠાં પાડવાને છે વધારે? અને આગેવાનોએ શું માત્ર અનામત માટે જ આંદોલનો કરવાના છે? જ્ઞાન મેળવવા, કળા શીખવા સ્વચ્છતા કે મૂલ્યો જાળવવાની ક્રાંતિ નથી કરવાની? વિચરતી- વિમુક્ત ગણાતી ઘણી જાતિઓને આજે ય અપમાન સહન કરવું પડે છે. ખરા જરૂરિયાતમંદોનો કાનુની આટાપાટામાં વારો જ નથી આવતો, ને રાજકીય કાર્યકરો નીચેથી ઉપર ઉઠતા જાય છે.

ઘણાં પછાત વર્ગોમાં કુરિવાજો, સ્ત્રીઓ પ્રત્યેના ગુલામીભર્યા વર્તન, નવી પેઢીને જકડી રાખતી પરંપરાઓ, મારામારી, ગંદકી, કુટુંબ નિયોજન, લુખ્ખાગીરી, અંધશ્રઘ્ધા અને ચોરી કે લૂંટફાટના પણ પ્રશ્નો છે. આગેવાનો એમાં નક્કર કામગીરી માટે કેમ કદી રમકડાંની રેલ્વે પણ રોકવાના આંદોલનો નથી કરતા? માણસ એના કર્તવ્યોથી ઉચ્ચ કે નીચ ગણાય છે. જેમણે ઉમદા કર્તવ્યો કર્યા છે, એમના પગમાં ફરજીયાત એની જાતિ-ધર્મ જોયા વિના પ્રજાએ પડવું પડશે.

ખરો મુદ્દો અનામત પણ નથી. ૨૦૦૮થી સુપ્રિમ કોર્ટે પણ ઠરાવ્યું છે, એમ ‘ક્રીમી લેયર’ છે. એ માટેની સાચી માહિતી આગળ જણાવ્યું તેમ હજુ છે જ નહિં, અને આવે તો કેટલાયના ગરાસ લૂંટાઇ જાય એટલે મેળવવાની કોઇની દાનત નથી. એનો અમલ થાય તો રાજકારણીઓ- ઉદ્યોગપતિઓ- અધિકારીઓના સંતાનોને અનામતનો લાભ મળતો જ બંધ થઇ જાય. ‘ક્રીમી લેયર’આપ્યા વિના, બધાને અનામતનું પાસિંગ સર્ટિફિકેટ જોઇએ છે! કહ્યું ને, નર્યા સ્વાર્થની રેસ છે.

આપણા શાસનને કોઇ બાબતનો કાયમી ઉકેલ મળતો નથી. એને દબાવીને એના પોલિટિકલ ફાયદાઓની જ ગણત્રી ચાલે છે. જે અનામતના આટલા ઢોલનગારા પીટાય છે, એના લાભાર્થીઓના સાચા સત્તાવાર આંકડા જ ન હોય, અને દાયકાઓથી છતાં એ ચાલ્યું જાય- આથી વઘુ કરૂણરમુજી કાંડ શું હોઇ શકે? અને શિક્ષણ તથા નોકરી બંનેમાં ફક્ત જન્મના જોરે અમીર હોવા છતાં એક જ વ્યક્તિ બે વખત અનામતનો લાભ લઇ , કોઈ લાયક ગરીબ સવર્ણનો મૂળભૂત હક બાપદાદાના અન્યાયના બદલારૂપે વગરવાંકે લઇ જાય એ કેવો અન્યાય છે! આ દેશ ક્યારેય એક, અખંડ થાય ખરો?

અનામત એક આવશ્યક દવા હતી. દવા આડેધડ આપવાની ન હોય અને દર્દીને દવાની જ ટેવ પડી જાય, એ સારા નહિં, નબળા આરોગ્યની નિશાની છે. દવા કાયમ ખાવી પડે એ જ રોગ છે.

** ‘ઇતિહાસ સાક્ષી છે કે એથિકસ (મૂલ્યો) અને ઇકોનોમિકસ (નાણાં) જયારે સંઘર્ષમાં ઉતરે છે, ત્યારે વિજય હંમેશા ઇકોનોમિકસનો થાય છે!’ (ડો. આંબેડકર)**

 
118 Comments

Posted by on August 12, 2011 in education, gujarat, history, india, religion, youth

 

118 responses to “મેરિટોક્રસી, વર્ણાશ્રમ અને અનામત : આજની અનામત, આવતીકાલ કેટલી સલામત ?

  1. YOGESH JIVRANI

    August 12, 2011 at 7:37 PM

    જે વી બીલકુલ સાચી ને ફેક્ટ માહિતિ તમે આપી અને આપણી લાચારી ને મૂર્ખામી બતાવી. હાલ પરિસ્થિતી એવી છે કે ઓપન કેટેગરી સૌથી પછાત છે. રાતો ના ઉજાગરા કરે , બાપ પાસે પૈસા ના હોય મા ના દાગીના વેચી ટ્યુશન કરે સારામાં સારા માર્ક્સ લઈ આવે . પછી જોઈતી બ્રાન્ચમાં એડમીશન માટે એપ્લાય કરે ને છેલ્લે એને ખબર પડે કે થોડા માર્ક્સ માટે રહી જવાણુ. આઘાત લાગે ને એનાથી પણ મોટો આઘાત ત્યારે લાગે જ્યારે એક રિઝર્વેશન વાળો કહે કે મને એડમિશન મળી ગયુ,જ્યારે એના માર્કસ એના કરતા ભલે ને અડધા હોય.

    Like

     
  2. umang

    August 12, 2011 at 8:06 PM

    Thank you very much Sir………..

    આટલી સરસ રીતે (અને સરળ રીતે ) આ મુદ્દા પર તમારી સિવાય કોઈ લખી ના જ શકે

    એક એક લાઈન ખુબ જ ચોટદાર અને માહિતીસભર રહી……..

    તમે ઉપાડેલો મુદ્દો ખરેખર ખુબ જ સેન્સેટીવ છે…….થેન્ક્સ ટુ આરક્ષણ(ફિલ્મ)
    કે જેના લીધે આ ટોપિક પર તમે અમને આટલી વિશેષ માહિતી આપી………………..

    કાલ રાત્રે જયારે તમે કોમેન્ટ માં લખ્યું કે હું આ વિષે બ્લોગ પર લખવાનો છું ત્યાર થી જ હું તમારી આ પોસ્ટ ની રાહ જોતો હતો

    હા બ્લોગ જરૂર લાંબો હતો પણ તમારી કલમ દ્વારા લખાયેલ સબ્દો અને માહિતી બંનેના પ્રતાપે એકજ બેઠકે વાંચી ગયો

    again sir very very thanks…………and yes as u want……… we also want to change this system of reservation…………………………..

    Jay Hind

    -Umang Desai

    Like

     
  3. Kartik

    August 12, 2011 at 8:21 PM

    ૩૪૭ લવાજમો પર ચાલતા વૈચારિક સામયિકોમાં તીડની વ્યથાની થીમ પર ૨૯ વાર્તાઓ છપાઈ ગઈ. — ha ha 🙂 True.

    Like

     
    • jay vasavada JV

      August 14, 2011 at 4:02 AM

      LOLZ GLAD U NOTICED IT 😉

      Like

       
      • DR SUDHIR DESAI

        August 20, 2011 at 4:33 AM

        hello sir…. i m reserved category student so i may be somewat pro reservation. pan hu purto prayatna karish k a mansikta thi hati kaik anshe tatasth vicharo kahi shaku………(badhu lakhya pa6i mane lagtu nathi)

        pratham samprant samay ni bhartiya vyavasthama j khamio 6 tena karane ubhi thayeli samajik ane vadhu mahatvapurna arthik asamanta ne dur karva matena bandharan ni maryada ma rahine koi upayo hoy to tena par apna view janva gamshe……

        sir, samajik ane arthik sthitio kai rite ekbija sathe sankalayel 6 khas kari bhartiya samaj ma? shu emna vache koi sambandh 6 k snansutak noy sabandh nathii…. pls clarify….

        sir tatkalin shikshan vyavastha e qauntity k qaulity banne rite bharat ni jaruriyat santoshi shake tem nathi. vali vyavsayikaran ni sathe tena suthi samanya(arthik jeni sathe gani vakhat samjik sandarbh pan levay 6) vyaktini pahonch sthapit nathi thai shakti.

        sir…. apni merit ni vat sathe hu 100% sammat 6u. pan sir apne pu6vanu k shu gramin ane shaheri vistar ni vache shiksha na star ma koi antar hotu nathi? vali shaher ma pan municipal /sarkari shala tatha convent/international school ni gunvatta vache koi antar hotu nath.and sir pls also consider the fee structure of this instiutes which abolish to access larger section of not only lower class but also lower middle class. hu purto prayatna karu 6u k shabdavali ma caste na badle class shabd ave.. pan sir jo sacho survey thay to khyal ave k a sarkari shalana class ma besel class koi vishisht caste sathe to sankalayel nath ne?

        sir merit na prashna mate tamne mare kahevu 6 k sir 88% ane 84% banne mathi kon meritorious e ganvu mane mushkel lage 6? karan k hsc 90% sathe science lenara hsc ma fail pan thay 6… 90% sathe medical ma janara pan fail thay 6.. sir satat parikshan karta rahiye ane ane adhar maniye evi koi vyavastha kari shakay? mane sir ama kai khabar padti nathi…..tamne koi saro upay hoy to suchavsho..

        vali sir apne atyre je self finance college ma capitation na adhare admission lenara 6 teo sir higher class with lower merit 6… ap a vyavashta damva mate upay suchavsho to mane exam/interview ma khap lagshe..

        sir women empoowerment mate amare spipa ma class hamna j ek ias mam dvara levayo.. sir emne women empwrmnt matena 2 approach vishe vat kari..1) jema purush varg stri ne bapdi bachari kahi ene daya bhave madad kare 6 jethi temni sthiti suthre..2) aa approach ma samajik samanta ane arthik adhikaro temna hakrup 6… sir ap a banne mathi kaya pramane stri sashaktikaran suchavsho..( can we correlate this with the approach of rastrapita mahatma gandhi and dr ambedkar for social economical equlibrium.. sir gandhiji na trushtisheep na sidhant ane marks na class strugle vishe kyarek tamari pasethi vadhu janish..)

        sir sarkar education pa6al resources nathi input karishakti… to sathe sathe psu ane anya gov javabdario thi pan 6atakti jati hoy evu lage 6. sir shu private sector taddan merit par nokri par rakhe 6? shu tya bollywood ni mafaq uttaradhikario, saga-vahala ate koi reservation nathi. ( hu navo navo gamde thi amdavad avyo tyare 2 shala ma 8 thi 12 abhyas karyo..banne school na acharyya nano ummarna.. pu6ta khabar padi k saheb trustee shri na dikra 6…)

        sir anya desho ma kaya prakare a resrvation na dushan ne badle samajk arthik samta mate prayatna karvama ave 6 ena mate apni sarkar kai abhyas karti hashe?

        sir ape lakhel pratham lekh ma kidi ane tid koi caste na suchak nathi ne.. jo kidi lower class k caste sathe pan salagn kariye to keva samikaran rachay 6?( samprat samy ne itihas ma mukiye ane peda karel adhishesh utpadan ne kidi jeva utpadankarta varg pasethi 6invi leva koi varg(brahmin-sorry dont want to hurt anyone’s feeling) e vakhat ni sarkar/raja/kshatriya(again sorry) sathe mali utpadan na upbhag pahela j 6invi leva prayatno karel hoy tyare shu nyay tolvo…

        sir, apde merit mate reservation no bane etlo jaldi vikalp shodhvo joyie.. apdi a vikalp sodhvani prakriya ketlo samay mangshe?(lokshahi ratorat ekmat thase e shakya nathi etle loko ne sachi vat samjavta samay lagshe…loko ma pan kyak navo vikalp WTO jevo chhal karnar nikle evo bhay pan hashe etle samay to lagshe evu mane lage6. navi policy implement pahelana transition phase darmiyan ketlak vargo(samajik arthik) j samaj ma pa6al emna mate kaya prakar ni vyavastha thavi joyie?

        saheb vidhyarthi 6u etle prashno vadhu pu6ya 6.. asha 6 javab apsho… kyank vicharo muddathi hati jata k avla pate jata hoy tya apne lage evo sacho marg dorvjo… vistar mate kshamaprarthi 6u…(6ata gani vato rahi gayi .. vishay j evo 6 k fifa khande rakhie)

        have a goodday sir….

        dr sudhir desai

        Like

         
        • jay vasavada JV

          August 20, 2011 at 4:47 AM

          saheb, mane ek vaat janavo..aap ke anamat ni tarfen ma vat karta har koi juna bhutkaal ane me lakheli varta vigere ni khub charcha kare chhe. aabhar. pan creamy layer vali me lakheli vaat ane hakikatono koi kem ullekh sudhdha nathi kartu?

          Like

           
  4. Manas

    August 12, 2011 at 8:27 PM

    I m a BJites sir,This is Exactly right…Agreed with ur views

    Like

     
  5. Envy

    August 12, 2011 at 8:28 PM

    The postmortem is absolutely brilliant. You have hit on dot- merit is the only criteria to be followed.
    Congrats for the hard work to write this piece.

    Like

     
  6. Manas

    August 12, 2011 at 8:30 PM

    I m a Bjites…..Whatever you hv Mentioned is The Reality…Agreed with ur Views

    Like

     
  7. siddarth

    August 12, 2011 at 9:14 PM

    પહેલા એક સામાન્ય વાત કે દલિતો કોઈ તીડ નથી કે જે મહેનત અથવા મેરીટ થી ડરે છે.અને એવું પણ નથી કે હું તમારો હેતુ સમજ્યો નથી.મારી ૨૨ વર્ષ ની]
    ઉમર માં છેલ્લા ૭ વર્ષ થી તમને વાચું છું.તમારા બધા જ લેખો મેં સાચવી રાખ્યા છે .પણ અનામત નો મુદ્દો એટલો જટિલ છે કે કોઈ એક દવા થી આ રોગ નાથી શકાય તેમ નથી.૨૮ વર્ષ કેબીનેટ મંત્રી તરીકે રહેનાર બાબુ જગજીવન રામ એ એક વખત કહું હતું કે ”કોઈ ચમાર કા લડકા ઇસ દેશ મેં કભી વડાપ્રધાન નહિ બન સકતા ”
    વાત રાજકારણ ના આટાપાટા ની નથી વાત છે કે આવું કયું પરિબળ છે જે રાજકારણ ના જુના જોગી ગણાતા જગજીવન રામ ને આ વિધાન કરવા મજબુર કાર્ય હશે?
    બીજી એક વાત કે હું ગાંધીજી નો વિરોધ કરતો નથી પણ બાબાસાહેબ આંબેડકર આગળ ગાંધીજી દલિત ચળવળ વિષે બહુ પાછળ હતા .તેમના મોટા ભાગના દલિત ઉત્કર્ષ ના પ્રયત્નો બાબાસાહેબ ને કટ ટુ સાઈઝ કરવાના હતા .બાબાસાહેબ ને દલિત ચળવળ વિષે જે કઈ સહન કરવું પડ્યું તે પ્રમાણ માં ગાંધીજી ને કઈ ખાસ સહન કરવાનું આવ્યુ ન હતું .
    બીજી એક વાત સુધરેલ ગણાતા લોકો ની દલિતો વિષે ની માનસિકતા ની દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચાર માં દર રવીવારે છેલ્લા પાને હાસ્ય લેખ લખતા લેખકો ની કે જેઓના નામ નથી આપવા પણ તેઓ દર બીજા લેખે પોતાની જ્ઞાતિ ના ગુણગાન ગાતા હોય છે અને પાછા લખે છે કે અમારે કોઈ ની ભીખ ની જરૂર નથી.આ છે ભણેલી ગણેલી માનસિકતા.ફક્ત આરક્ષણ દુર કરવું એ આ સમસ્યા નો હલ નથી .આરક્ષણ દુર કરતા શું કોઈ પોતાની જ્ઞાતિ નું અભિમાન છોડવાની સાબિતી આપે છે? અને એક વાત નો જવાબ તમે જ આપો કે તમે કોઈ વખત દલિત તરીકે ની પીડા અનુભવી છે?તમે બધી જ રીતે આગળ હોવા છતાં ફક્ત કોઈ એક અટક ના કારણે તમને વારંવાર તમારી જ્ઞાતિ યાદ કરાવવા માં આવે એ શું યોગ્ય છે? ફક્ત મેરીટ માં આવતા હોવાથી કે આર્થિક રીતે સદ્ધર હોવા થી કોઈના પર લાગેલું દલિત તરીકે નું બિરુદ ભુસતું નથી એનો તો હું પોતે સાક્ષી રહી ચુક્યો છું.બીજી એક વાત સમજાતી નથી કે આરક્ષણ નો લાભ દેશ ના ૭૦ ટકા લોકો ને મળતો હોવા છતા ફક્ત દલિતો જ તેનો લાભ લેતા હોય આવું વાતાવરણ શા માટે ઉભું કરવા માં આવે છે? આ દેશ માં ફક્ત તમે હોશીયાર હો તે પુરતું નથી આ દેશ માં ઇઝ્ઝત થી જીવવા માટે તમે દલિત ના હો તે એટલુંજ જરૂરી છે.વાત રહી બાબાસાહેબ ની તો તેઓ ફક્ત દલિત હિત માટે જ લડ્યા ન હતા તેઓ તમામ પછાત જ્ઞાતિઓ અને મહિલા હકો માટે પણ એટલુજ લડ્યા હતા .આમારે આરક્ષણ ની કોઈ જરૂર નથી ફક્ત એક જ કામ કરો કે બધા ભારતીયો પોતાની અટક ભારતીય કરાવી નાખે અને ભારત માં જે કઈ જમીન વગેરે છે એ વ્યક્તિ પ્રમાણે નવીન વહેચણી કરી નાખે પછી કોઈ દલિત નથી કોઈ ઉચું નહિ. હું આરક્ષણ કે કોઈ જ્ઞાતિ નો વિરોધી નથી ફક્ત એટલું જ કહેવું છે કે કોઈ બાબત નું સમર્થન કે વિરોધ કરતા પહેલા તમામ પાસા નું નિરિક્ષન્ કરો .મહેરબાની કરી પ્રસાર માધ્યમો નો પૂર્વગ્રહ વારી વાતો નો ફેલાવો ન કરશો .અને આપના જે કઈ પ્રશ્ન હોય તેના જવાબ આપવા હું જય ભાઈ ના બ્લોગ પર જ હું મલીશ.જય ભારત .જય ગરવી ગુજરાત.સત્યમેવ જયતે

    Liked by 2 people

     
    • Hardik

      August 13, 2011 at 12:05 PM

      yes i agree that in many places and in many situation they have suffer from situation of like “ACHOOT” but its not fault of open students who suffer of awaken nights,hard work and still not get through…what is fault of that student??? students which preparing for IIT IIM and UPSC what is fault of that students??? i tell u that bcos i feel that condition…i m mbbs student and my best friend just miss admission in mbbs and its finacial situation is not good…tears come into my eyes now also in thinking of that situation…tell me what is his fault??? he has no problem with GANDHIJI or AMBEDKAR…then y he would be suffered???

      Like

       
      • સાભંડનાર(નોટ ઓલ્વાય્સ સંભળાવનાર)

        August 13, 2011 at 2:24 PM

        hu pan tamre bane sathe agree chu….ane tid nae kidi vadi varta to bakwas che ,,jaybhai
        jara jaybhai farivichar kari jojo..kem k kidi kadach lower cast ma ave ane tid upar cast ma
        ave .pachi tid samjve k bhai…amare dharme aa kam na thay..ane pachi .etc etc..(soory
        mane bou lambu lakhata nathi favtu)..
        pan hu hardik sathe agree chu ..open na mara gana freinds ne aa taklif thay che,,,teo je
        karm kare che …te pramne temne fad nathi madtu ,,,pan kadach aa karma interaction sadi
        o sathe jodylo che..kadach atlo jaldi feslo nahi ave..pan ..anway freinds ..apdi navi
        janration 100% amthi nikdi jiasu..kadach aa jaldi nahi bane ..pan banse to khara j..
        ja

        Like

         
    • shah hardik

      August 13, 2011 at 11:24 PM

      vat to sachi j 6 pan education ma anamat na chale khali merit base j system joie. jena ma avdat hoy e agal ave. hu hamna mrg ma maharashtra gayo to tya na jain loko 10th pa6i obc ma conversion le 6 sa mate? govt. job ane admission mate. hu pote pan jain 6u mara bro. ne pan admission mate taklif padi ena sara % hova 6ta ene jya admission joi tu tu tya na malyu ne ena ti o6a % valo reserve category na student ne admission mali gayu. ema mara bro. no k ena jeva unreserved loko no koi fault nato. fault khali e j hato k e loko open category ma ave. Atleast if you want your youth well educated and powerfull avoid it in the field of education. Otherwise everybody will go as people go in maharashtra.

      Like

       
    • jay vasavada JV

      August 14, 2011 at 4:01 AM

      મિત્ર આ અને તમારી અન્ય તમામ કોમેન્ટ્સ વાંચી ગયો છું. તમારી જે વ્યથાની વાત છે એ તો ઉપર ન લખાણમાં મેં પણ પૂરતી લખી જ છે. મેં વળી ક્યા એવું કહ્યું કે દેશમાં બધું ઠીકઠાક થયું છે. કે બ્રાહ્મણિયા માનસિકતા ભણેલા પ્રતિષ્ઠિત લોકોમાં છે જ નહિ. પણ એનો ઉકેલ વર્તમાન અનામત જે રીતે છે, એનાથી આવવાનો હોત તો ૬૦ વર્ષમાં આવી ગયો હોત. ઉલટું, એણે લીધે જુનો વર્ગભેદ જાય એ પહેલા નવા વર્ગભેદની ખાઈ ઉભી થતી જાય છે. એ મુખ્ય મુદ્દો છે.

      બધા જ પછાત વર્ગ કચડાયેલા ને બધા જ ઉજળીયાત શોષણખોર એ જનરલાઇઝેશન છે. આ લેખમાં રહેલા ક્રીમી લેયર અને આર્થિક પછાત વર્ગની અનામત જેવા અનેક મુદ્દા પુરા સંશોધન પાછી મુક્યા છે. અનામતના સમર્થક મિત્રો આ મામલે કેમ ખામોશ છે? આ સવાલ હું નહિ સુપ્રીમ કોર્ટ પણ પૂછે છે. જેના ચીફ જસ્ટીસપદે પછાત વર્ગની વ્યક્તિ બેસી ચુકી છે.

      બાબુ જગજીવનરામ એટલે વડાપ્રધાનપદે નહોતા બેસી શક્યા , કે એમની પાસે રાજકીય કે વ્યક્તિગત લાયકાત નહોતી. આ વાસ્તવિકતા છે. માયાવતી જો વડાપ્રધાન પદ માટે નું મોડેલ હોય, તો એમની ટીકા લાયકાત ન ધોરણે થાય ત્યાં સુધરવાનું કેમ નેતાઓને સુઝતું નથી? મેં લખ્યું છે તેમ એક ઘાંચીનો દીકરો ગુજરાતનો સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રી બની શકે છે. -અને એ ય પોતાના મેરિટ પર ને આજે એ વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર ગણનાય છે. હવે આવું કહીએ તો એમ કહેવાય કે એ ઓબીસી છે- દલિત નહિ. તો એ જ મેં લખ્યું છે-પહેલા અંદરોઅંદરના ભેદ તો નાબુદ કરો! ભીંદરણવાલે પંજાબનું અલગ રાષ્ટ્ર માંગતા હતા કારણ કે એમને આવું દર્દ હતું, શીખ વડાપ્રધાન ન થાય. દરબારાસિંહ જેવા હોય તો ના થાય, પણ મનમોહનસિંઘ જેવા આજે થયા. આ લાયકાત એટલે જ કોમ નહિ – મેરિટ. જગજીવનરામના પુત્રી લોકસભાના સ્પીકર છે. ને એમ તો હજુ ભારતના વડાપ્રધાનપદે કોઈ જૈન વાણીયો ય નથી બેઠો! એક માત્ર ક્ષત્રિય વી.પી.સિંહ બેઠા તો એમણે ઉજલીયાતને બદલે પછાત વર્ગના હિતમાં કામ કર્યું. એ જ તો વાત છે કે જન્મે દલિત ન હોય, એ ય દલિત હિતની વાત દલિત કરતા વધુ વિચારી શકે છે. કોઈ તમિલ કે બંગાળી પણ નથી બેઠો. એટલે? શું આ બધા અન્યાય અન્યાય નું બુમરાણ મચાવે તો વાજબી ગણાય?

      વારેઘડીએ સહન કરવાનું શું અને કોણે કેટલું આવ્યું એની સરખામણી કરવાથી પીડા થવાની દોસ્ત, પ્રગતિ નહિ થાય. આ દેશની સિસ્ટમને લીધે અહીં બધાને અન્યાય કે અપમાન કોઈ ને કોઈ તબક્કે સહન કરવા જ પદે છે. સરકારી કચેરીમાં ઘરડા બ્રહ્માન પેન્શનરને રીતસર ગાળો આપી ધક્કા ખવડાવતા દલિત ક્લાર્ક પણ છે અને દલિત મજુરને અધ્ધરથી છા પતા બ્રહ્માન સરપંચ પણ છે. પણ ગરીબ ઉજળિયાત ને થતો અન્યાય અન્યાય ગણાતો નથી. કેમ? ફરી જન્મ નો જ્ઞાતિવાદ. આ માનસિકતા તોડવી હોય તો અનામતથી એ વધુ મજબૂત બને છે- તૂટતી નથી. એ મેં અનેક નક્કર ઉદાહરણોથી અહીં બતાવ્યું છે.

      Like

       
      • siddarth

        August 14, 2011 at 12:18 PM

        જયભાઈ મેં પહેલાજ કહ્યું કે મારો વિરોધ અનામત હટાવા સામે નથી જ.પરંતુ મને ફક્ત એટલુંજ જણાવો કે આજે ૨૦૧૧ માં ૧૫મી ઓગસ્ત થી અનામત હટાવી દીધી.૧ મહિના પછી કોઈ સામાન્ય ઉજ્જલિયાત્ તો શું કોઈ ઓં.બી.સી દા.ત ભરવાડ ને ત્યાં કોઈ ધાર્મિક વિધિ કરાવવાની છે.તેની પાસે ૨ ઓપશન છે .૧.૧૦ ચોપડી ભણેલો બ્રામ્હણ અને સંસ્કૃત સાથે એમ.એ થયેલો વાલ્મીકી યુવક.તમે શું માનો છો તે કોને પસંદ કરશે? તેજ નહિ બીજા બધા પણ કોને ચોઈસ કરશે? અને આપે જગજીવન રામ વિષે જે કહું તે કદાચ સત્ય છે પરંતુ ભારત ના મોટાભાગના પક્ષો માટે દલિતો એક અનિવાર્ય અનિષ્ટ છે.અને જે પણ દલિત નેતાઓં તમે રાજકારણ ના મંચ પર જુઓ છો તે તો ફક્ત કઠપૂતળીઓ છે .આ બાબત તો એક નેતા એ ૬૦ વર્ષ પહેલાજ કહી હતી તે આપ જાણોજ છો.જે જન્મે દલિત નથી તેઓ દલિત હિત ની વાત વિચાર શકે તો તેવા માણસોતો બહુજ જુજ છે.બીજા બધા તો કોઈ ગુપ્ત એજન્ડા થી દલિત હિત ની વાતો કરે છે.અને મુઠ્ઠીભર દલિતો ને બાદ કરતા તો આ સમાજ એટલો અબુધ કે આમ કહી સકો તો મૂર્ખ છે કે પોતાનું હિત શામાં છે એ બાબતે તો તેઓ કોઈનું કોઈ સ્ટેન્ડ જ નથી .હું રાષ્ટ્રહિત કરતા દલિતહિત ને આગળ નથી કરતો પરંતુ પ્રશ્ન એ છે કે જો અનામત ન હોત તો કોઈપણ પક્ષ કોઈ સક્ષમ દલિત ને સામાન્ય સીટ પર ટીકીટ આપશે?તેઓ પણ જે દલિતો ને ટીકીટ આપે છે તેમાં હોશિયારી કરતા જીહજૂરી નું પ્રમાણ જેમાં વધારે હોય તેનેજ કાબેલ માને છે.હું જાણું છુ કે તમે કોઈ પક્ષના સમર્થક નથી પરંતુ આ બાબત તો તમે પણ જાણોછો.ફક્ત શિક્ષણનો જ જો પ્રશ્ન હોય તો વાત કદાચ અલગ હતી.બિહારમાં પણ સુપર-૩૦ જેવી સંસ્થા ચાલે જે પછાત વિધાર્થીઓં ને તૈયાર કરી કોમ્પીટીટીવ એકઝામ માટે તૈયાર કરે છે.પરંતુ પાયા નો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો ની શુભ નિષ્ઠા પર વિશ્વાસ મૂકી શકાય એવું વાતાવરણ અત્યારે છે ખરું?રાજકીય પક્ષો ની શુભ નિષ્ઠા ની તો હું વાત જ નથી કરતો.હું પૂર્વગ્રહ થી નથી કહેતો પણ જે લોકો સત્તા માં ઉચ્ચ સ્થાને બેસતા નથી પરંતુ રાજકીય પક્ષો તો તેમના ભંડોર થી જ ચાલે છે.અને જે પણ લોકો ત્યાં બેસી દલિત ઉદ્ધારની વાત કરે છે તેઓ ઉદ્ધાર તો પોતાના ઘર નો જ કરે છે પછી તે કોઈ પણ હોય.અને તમે ખરેખર માનો છો કે ૧૪ટકા દલિત અનામતથી આ પ્રશ્ન નું નિરાકરણ આવે તેમ હતું?જ્યાં સુધી ખરા દિલ થી તે માટે પ્રયત્ન કરવામાં નહિ આવે ત્યાં સુધી તો હેરાન તો ભારતીયો જ થવાના છે. જ્ઞાતિવાદી માનસિકતા દુર કરવામાટે ના પ્રયત્નો માં દલિતો તો ખરેખર કશું કરી શકે તેમજ નથી કેમકે તેમાટે તેમને અન્યો ની શુભનિષ્ઠા પર આધાર રાખવો પડે છે.

        Like

         
        • jay vasavada JV

          August 14, 2011 at 1:17 PM

          પ્રિય સિદ્ધાર્થ, આમ ચર્ચા ન થાય..તમે માત્ર તમારા મતને જ વળગી રહો છો. હું તો તમને જડબેસલાક હકીકતો જણાવું છું. લેખમાં અને જવાબમાં પણ . ક્યાંક કબુલ કરવું જોઈએ કે એ ય સાચી છે. ફક્ત તમારો જ દ્રષ્ટિકોણ કે અભિપ્રાય સત્ય ન હોઈ શકે, એ મુકવાનો હક જરૂર છે. પણ તમે અમુક મુદ્દા સ્પર્શી બાકીની વાતનો જવાબ નથી દેતા. ક્રીમી લેયરથી લઇ અનામતથી વધુ મજબૂત થતી જન્મની ઓળખ સુધી. હવે જગજીવનરામની જેમ તમને એમ લાગે કે તમેં અમુકતમુક જ્ઞાતિના છો, માટે હું આવું કહું છું- તો આજ કેસ સ્ટડી છે. હું એટલે કહું છું કે ચર્ચાના તમારા મુદ્દા આડે પાટે ચડી જાય છે. તમે ખુદ જ તમારી બધી પોસ્ટ્સ, મારા લેખમાં હાઈલાઈટકરેલી બાબતો અને મારો જવાબ ફરીથી વાંચી જાવ. તમને ખુદમાં રહેલું કન્ફ્યુઝન દેખાશે, એવી મને શ્રદ્ધા છે. ન

          Like

           
          • muftikaunpather

            August 14, 2011 at 8:30 PM

            જય ભાઈ .આમ તો હું તમને ભાઈ ન કહી શકું કારણકે તમેં ઉંમર માં મારા થી ઘણા મોટા છો પરંતુ હું તો તમને ભાઈ થી ઓળખવું પસંદ કરીશ.હું તમારી જણાવેલ દરેક બાબત સમજુ છુ આજે પણ અને ૭ વર્ષ પહેલા પણ.અને તેથીજ હું તમને મારા રોલ મોડેલ માનું છુ.તમારા આજ સુધી ના ૭ વરસથી લેખોમે સંગ્રહી રાખ્યા છે અને એક કરતા વધુ વખત વાંચ્યા પણ છે.તમારી દલિતો માટે ની લાગણી માં મને કોઈ શંકા હતી પણ નહિ અને છે પણ નહિ પણ તમે જયારે દલિતો ની સરખામણી તીડ સાથે કરી તે સમયે મને ઘણું દુખ થયુ હતું.અને સાચું કહું તો જયારે પણ દલિતો વિષે થોડું પણ નેગેટીવ વાચવામાં આવે છે ત્યારે મારાથી દલીલો થઇ જ જાય છે.કારણકે ઘણી વાર મારે પણ તે સહન કરવું પડ્યું છે એટલેજ .હું જાણુંજ છુ કે મારા ઘણા મુદ્દા ખોટા હોઈ સકે છે પરંતુ જો તેમાનો કોઈ એક મુદ્દો પણ તમને સાચો લાગ્યો હશે તો તમારો સમયમેં બરબાદ કર્યો તેનું મને દુખ નહિ રહે.અને કદાચ મારી પોસ્ટ્સ વાંચવાથી તમને અનામત વિષે એક સામાન્ય દલિત વિધાર્થી શું વિચારે છે તેનો અંદાઝ આવ્યો હશે.અને મારો કોઈ હેતુ તમને ખોટા પડવાનો ન હતો.કારણકે શિષ્ય ગમેતેવો હોય ગુરુ કરતા મહાન તો નથીજ હોતો.મે અહી દલિતો કે અનામત નું જેટલું સમર્થન કર્યું છે તેના કરતા અનેક ગણો હું તમારો સમર્થક હતો અને છુ.જો તમને મે કઈ દુખ પહોચાડ્યું હોય તે માટે ક્ષમાં માગું છુ.કીપ ઈટ અપ.ગોડ બ્લેસ યુ.

            Like

             
            • jay vasavada JV

              August 15, 2011 at 12:49 AM

              અરે દોસ્ત એવું કશું જ ન હોય. ચર્ચાની અહીં પૂરી મોકલાશ છે. હું તો માત્ર મારા મુદ્દા પરની વાત અંગે કહેતો હતો. આંનદ કરો અને આગળ વધો એવી હાર્દિક શુભેચ્છા. હું જે પ્રકારના મુદ્દા ઉઠાવું છું એમાં કડવાશ, ગેરસમજ, પાયા વગરની પંચાત, અપપ્રચાર ઘણું ય હું ય સહન કરું જ છું, પણ તમારા જેવા વાચકોના પ્રેમ અને ભરોસાથી એ બધા વચ્ચે લહેરથી સફર કરું છું. તમારો આક્રોશ ને પીએડા સમજી શકું છું પણ એક છેલ્લી ચોખવટ કરી દઉં, આમાં તીડ સાથેની સરખામણી એવી કોઈ વાત નથી. એવું હોય તો કોઈકને મેં કીડી સાથે પણ સરખાવ્યા છે 😛 આ મીડિયા, બનાવટી એક્ટીવીસ્ટસ, રાજકારણ તમામ પરનો સામુહિક કટાક્ષ છે. આવી હળવી બાબતોમાં ય લાગણી દુભાઈ જાય , એ ભારતીય પ્રજાનો સ્વભાવ છે ને એવા લક્ષણો પ્રગતિમાં કેવા બાધક છે, એના પર તો હું અવારનવાર લખું છું. લાગણીશીલ હોવું અને આળી લાગણીના હોવું એ બે સરખી લાગે તેવી અલગ બાબતો છે. એકમાં સર્જક થઇ શક્ય છે, બીજામાં કજીયાખોર બનીને રહી જવાય છે. આ તમને નહિ, જનરલ સેન્સમાં કહું છું. સ્વાતંત્ર્યદિનેને તમે ઉજ્જવળ કારકિર્દી ઘડી સુખો ભોગવો એવી હાર્દિક શુભેચ્છા.

              Like

               
          • Jitendra Chavda

            July 9, 2014 at 11:24 PM

            પ્રિય જયભાઇ હુ માનુ છુ કે જે સિસ્ટમ્સ ને તમે અત્યારે Accept નથી કરી શકતા એ આ જ સમાજની (માત્ર સુવર્ણ વર્ગ- કેમ કે પેહલા પછાતનો સમાજમા સમાવેશ નતો ) હજારો વર્ષોથી ચાલી રહેલી (અ) નીતિ નુ જ કદાચ પરિણામ છે (Exclusively in India). અને છેલ્લા થોડા દાયકાઓથી (માત્ર થોડા )આ અનામત પ્રથાએ જે અદભુત્ પરીવર્તન લાવ્યુ છે એ કોઇ સિદ્ધી થી કમ નથી. બાકી જો ૧૦૦ વર્ષ પેહલાના કોઇ પછાતને આ સમયમા લાવવામા આવે તો એને પછાતોની આટ્લી સુધરેલી હાલત જોઇને જરુર આશ્ચર્ય જ થાય. અને જો સમસ્યા જ આટલા વર્ષની હોય તો એનો ઉકેલ પણ વધુ સમય માંગે સાહેબજી. હુ કાયમી અનામતનો પક્ષધર નથી પણ મારા મતે હજી આ પ્રથાની જરુરિયાતને હાલ અવગણી ના શકાય. થોડા ઘણા આગળ આવેલા પછાતોના (એ લોકો સવર્ણના middle class ની તોલે પણ ના આવે) examples આપી હજુ પણ બાકી રહી ગયેલાઓને આ પ્રથા માટે non elligible ના ગણી શકાય. હુ Sidhdharthbhai ની ઘણી વાતોથી સેહમત છુ

            Like

             
            • Jignesh

              August 8, 2015 at 5:50 PM

              ઓ મારા મિત્ર , જય વસાવડા સાહેબ , આપે અનામત પ્રથાનો વિરોધ કરી આપની અનામત વિરોધી વિચાર રજુ કર્યા. પરંતુ ક્યારેય ગામોમાં રહેતા દલિત બન્ધુઓ માટે વિચાર કર્યો નથી લાગતો.
              શુ આપને ખબર છે કે ગામો માં ભણતા ગણતા દલિત પરિવાર નાં બાળકોને કેવુ શિક્ષણ મળે છે?
              ઉજળીયાત વર્ગ તો પહેલેથી જ પોતાના બાળકોને સારી શાળા માં મુકી દે છે, જ્યારે દલિત વર્ગ ને આથિક પરિસ્થિતિ નબળી હોવાથી આવી સવલતો મળતી નથી. જેને કારણે તેઓનુ મેરીટ ઓછુ આવે છે. જો આવા વિધ્યાર્થીઓ ને અનામત ને લીધે સારી બ્રાન્ચ માં એડ મિશન મળે , જેને લીધે તે પોતાનાં કુટુંબ ને આગળ લાવે છે.
              આપ જે દલિત સમાજમાં થોડા આગળ આવેલા, શિક્ષિત યુવકો જોવા મળે છે, જેમાં અનામત રાખેલ સીટ ને લઈ ને આગળ આવ્યાં છે. જો અનામત ન હોત તો તેઓ તથા તેઓનાં કુટુંબ હજી જૈસે થે પરિસ્થિતિ માં જોવા મળત.

              आने कहेवाय राजरमत???

              – गुजरात मा सोथी वधारे जमीन धारक ???
              – गुजरात ना सौथी वधारे NRI ???
              – गुजरात ना सौथी वधारे टुव्हीलर ने फोर व्हील धारक???
              – गुजरात नी सौथी मोटी बिल्डर लोबी ???
              – गुजरात नी सौथी मोटी डायमंड लोबी ???
              – गुजरात ना सौथी मोटा उद्धोग पती (करशन भाइ पटेल- निरमा) ???
              – गुजरात ना मुख्यमंत्री ???
              – गुजरात ना कसौथी वधारे सांसद सभ्यो ???
              – गुजरात ना सौथी वधारे धारासभयो ???
              – गुजरात ना सौथी वधारे राजकीय आगेवानो ???

              * जवाबः पाटीदार, पाटीदार, पाटीदार
              – हवे अनामत माटे सौथी मोटा आंदोलन करशे.
              – गुजरात मा पाटीदार भाइओ शहेरो मां पोतानी सोसायटीमां दरबार, भरवाड, आहीर, रबारी, कोली, मोची, सुथार, लूहार, कुंखार, हरिजन, मोदी, धांची ने मकान नथी वेचता ते भाइ ओ अनामत करी ने बीजी ग्याती साथे कइ रीते अनामत क्वोटा मा रहेशे

              – भाइ भाइ आने कहेवाय
              ॥ राजरमत ।।
              *** पाटीदार भाइ ओ,
              आ समाज मा भागला पडावानु शडयंत्र नथी ने ?????????????????????

              Like

               
        • Hiral

          August 14, 2011 at 2:02 PM

          ભાઈ સિદ્ધાર્થ,

          સૌથી પહેલા તો તમને ધન્યવાદ. તમે રાષ્ટ્રપ્રેમી છો અને આરક્ષણનો ગેરફાયદો નથી લેતા તેના માટે.
          જેમ બધા જ દલિતો આરક્ષણનો ગેરફાયદો નથી ઉઠાવતા તેમ બધા જ ઓપન કેટેગરીવાળાની માનસિકતા દલિતો માટે સમાન હકની નથી એવું નથી જ.

          ‘કોઈ અનુભવોના આધારે, જે તે વર્ગ માટે પૂર્વગ્રહ કેટલો યોગ્ય છે?’

          તે જ રીતે, ભાઈ હાર્દિકનું દર્દ પણ એની જગ્યાએ એકદમ યોગ્ય જ છે. બધા જ ઓપન કેટેગરી વાળાઓની આર્થિક સ્થિતિ સારી નથી જ હોતી.

          but still ‘કોઈ અનુભવોના આધારે, જે તે વર્ગ માટે પૂર્વગ્રહ કેટલો યોગ્ય છે? ‘

          અહી ચર્ચા જેટલી જ મહેનત, બધાએ એ વિચારવામાં કરવી જોઈએ, કે હવે, ઈન્ટરનેટ યુગમાં આપણે ‘નવી પેઢી’ શિક્ષણ ક્ષેત્રે શું સારા બદલાવો લાવી શકીએ છીએ?

          જયભાઈ, માત્ર નરેન્દ્ર મોદીનું ઉદાહરણ પુરતું નહોતું.

          રીસ્પેક્ટેડ ડો. સેમ પિત્રોડાને કેમ ભૂલી જવાય?

          એમનું યોગદાન કોઈપણ ભારતીય માટે ગર્વની બાબત છે. એમના વિષે ક્યારેય કોઈ એવું નથી વિચારતું કે તેઓ …..જે કે તે જ્ઞાતિના છે…..કષ્ટો વેઠીને મોટા થયા અને ભણ્યા.
          કીડીની જેમ એમને પણ વિદેશમાં ફરીથી સ્થાયી થવું પડ્યું. પણ એમના કાર્યો અને એમના વિચારો જ એમની ઓળખ છે. એમની જ્ઞાતિ નહિ જ.

          દોસ્ત, સિદ્ધાર્થ, અને બીજા બધા દોસ્તો,

          ઘણાં ભણેલા લોકો, જેઓ જ્ઞાતિવાદમાં નથી માનતા, એમનો આપે આભાર માનવો જ રહ્યો.

          One request… please…

          ગામડામાં જો ખરાબ પરિસ્થિતિ છે તો હવે, આપણે બધા વિચારીએ કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા, આપણે શું નવું કરી શકીએ અને એમના સુધી કેવી રીતે પહોંચી શકીએ, કે જે તે સંકુચિત માનસિકતામાંથી લોકો બહાર આવી શકે અને બધા સાચા અર્થમાં ભારતીય બની શકીએ.
          દરેક પાઠ્યપુસ્તકમાં અને દરેક ધોરણમાં ભણવામાં આવતી પ્રતિજ્ઞા તો બધાને યાદ હશે જ.
          – જયહિન્દ

          Like

           
    • ashvin2908hvin

      August 28, 2011 at 3:49 PM

      I am agreed with you Mr. Siddharth.
      My name is Ashvin Solanki. I have so many problems being a dalit. I am well settled person with a small family. I wanted to buy a house in the areas I like to live. But unfortunately, I am not getting one as they do not sell houses to dalits.

      Like

       
    • Paresh S. Salve

      March 13, 2012 at 3:56 PM

      સિદ્ધાર્થભાઈ, હું તમારી વાત થી સહમત છું. અપનો આભાર.

      બાબા સાહેબ પોતે સુબેદાર રામજી સકપાળ જી ના પુત્ર હતા… અને શાહુજી મહારાજની વાત ક્યાં અજાણી છે! તમારી જેમ હું પણ આર્થીક રીતે સંપન્ન કુટુંબ – પરિવાર નો હોવા છતાં “એય મહાર” નો સણસણતો અનુભવ કર્યો છે. હજી બાબા સાહેબના સુત્ર ને સાકાર કરવું ઘટતું લાગે છે. ધર્મનું “મૂળ” ‘અર્થ’ બદલી શકતું નથી…! જો એવું હોત તો ગોરાઓ સોનાની ખાણમાં રહેનારાઓ પ્રત્યે ભેદ ન રાખત.

      Like

       
    • Jayantibhai Mananai

      March 19, 2012 at 9:32 AM

      जबतक जातिवादी स्थापित हितों का शासन, प्रशासन, न्यायतंत्र और मिडिया मे एकाधिकार समाप्त नहीं होगा और ओबीसी, एसटी और एससी का पर्याप्त सामाजिक प्रतिनिधित्व स्थापित नहीं होगा तबतक समानता और सता मे सामाजिक हिस्सेदारी देता आरक्षण समाप्त कैसे होगा ?
      जबतक जाति आधारित भेदभाव, जाति आधारित पौराणिक ब्राह्मण धर्म, जाति आधारित कर्मकांड का धंधा और जाति आधारित शंकराचार्य की नियुक्ति के विरोध मे तथाकथित प्रगतिशील ब्राह्मण बुद्धिजीवीयो मोरचा खोलकर उसे समाप्त नहीं करेंगे और सामाजिक समानता के लिए प्रतिबध्धता नहीं दर्शाएंगे तबतक समानता और सता मे सामाजिक हिस्सेदारी देता आरक्षण समाप्त कैसे होगा ?

      Like

       
    • kishanpandya

      January 27, 2016 at 7:18 PM

      Bhai sidharth,vtame j kidhu che k aarthik lidhe sadhar hovathi dalit tarike nu birud hatatu nathi to pachi tame j
      to pachi jamin ni equal vahechni jevu aarthik
      Paglu n samnanu, ane aam pn jamin equal
      aevu jaruri nathi k darek ne jamin varsha ma mali hoy, dhana loko ae potani mahenat thi pn melvi hoy, tamar
      Suchan to jay bhai ae jem tid ni story kidhi aevu thayu,
      Ane jo tamne kharekhar koi ae fakat dalit hovane lidhe bhedbhav kryo hoy to tame teni par case kari sako cho.
      ane jo tame kharekhar bhedbhav mitava magta ho to ae to tame pn samji sako cho k reservations ne lidhe aaj na jamana to ulata bhedbhav thay che,surnamr ange aapno upay saro che, baki reservation cast base nai economical base hovu joyye ae pn amuk anshe j. Jem aapne dalit loko sathe anayay karvano koi hak nathi tem j garib pn open cast na loko sathe nai. Ane tame gujarat samachar ane divya bhaskar na aek be lekhak mitro ni vat kari tem j mayavati ji,mulayam ji ane lalu prashad ji ane nitishkumar ji, jitanram manji ji, pasvan ji, aa leaders vare vare up bihar ma sata par aave che ane temni party ma pn dhana open cast na leader che, to pn ae loko aakhi open cast par aaropo lagade che ae su sachu che?
      jay bharat.

      Like

       
  8. PBS

    August 12, 2011 at 10:15 PM

    Such blog posts make me admire twitter more and more. If you know what I’m talking about 😉

    Like

     
  9. Ashok

    August 12, 2011 at 11:48 PM

    બહુ સરસ

    Like

     
  10. Hemang Patel

    August 13, 2011 at 2:25 AM

    શરુઆતમાં પશ્ચિમની વાર્તાના ભારતીયકરણમાં મુળ મુદ્દાનો આખો સાર આવી ગયો. થેંકસ ફોર ઓલ ઇન્ફોરમેશન.


    બીજી ઘણી ભવિષ્યની સંભાવનાઓ જણાવી છે જે કદાચ શ્રી અનામત-દેવની કૃપા કાયમી રહી તો સાકાર પણ થઇ શકે છે !!!!
    દા.ત.-
    તમે રવિવારની સાંજે મલ્ટી પ્લેક્સમાં જાવ છો… ત્યાં ટિકિટોની ફાળવણી ૬૦:૪૦ના ધોરણે થઇ રહી છે. તમે ભાગીને બગીચામાં પહોંચો છો, ત્યાં જાતિના પ્રમાણપત્ર પછી જ બાળકોને લપસણીમાં કે હીંચકામાં બેસવા દેવામાં આવશે…. તમારે ગામ છોડીને જતાં રહેવું છે, સોરી બસમાં ૭૦% સીટ જનરલ કેટેગરીમાં નથી… તમારે મરી જવું છે, પણ તમે ઝેર પીને મરી શકતા નથી. કારણ કે એ બનાવતી કંપનીમાં નિષ્ણાતોની ભરતી કેમિકલની જાણકારી મુજબ નહિ, ક્વોટા પર થઇ છે !


    નક્કામો વિચાર – “હે ભગવાન ભવિષ્યમાં મારું શું થશે.. મારુ તો છોડો, મારી આવનારી સવર્ણ પેઢીનું શું થશે.??” — આ લેખ વાંચતા-વાંચતા નફ્ફટ નેતાના દિમાગમાં આવે તેવો એક જોરદાર તુક્કો સુજ્યો છે.. ‘અનામતથી સવર્ણોને ઘોર અન્યાય થઇ રહ્યો છે !!!’ કહીને એકાદ રાજકીય પક્ષ ખોલી નાખું… સમદુખીયા ટોળા તો મળી જ જશે. થોડા બુમ-બરાડા કરીને પબ્લીસીટી મેળવી લેવાશે અને પછી.. સવર્ણો કે અનામતનું કંઇ થાય કે ન થાય, પણ આ આઇડીયાથી ભવિષ્યમાં હું હિટ થઇ જઇશ તેની ખાતરી તો તમેય આપી શકો…ખરુ ને !!!


    હવે મારી વાત – દરેકને સમાન પ્રયાસનો મોકો મળે ત્યાં સુધી અનામત સમજ્યા, પણ મુળ સ્પર્ધા તો મેરીટ અનુસાર બનશે તો જ આવનારા સમાજને કંઇક આપી શકીશું નહીતો આવનારી પેઢી પણ અંદરોઅંદર લડી-લડીને થાકતી જશે ત્યાં દુનિયા સાથે લડવાની તો વાત જ નહી આવે.. બાકી તો તમે કહ્યુ તેમ.. “આપણા શાસનને કોઇ બાબતનો કાયમી ઉકેલ મળતો નથી. એને દબાવીને એના પોલિટિકલ ફાયદાઓની જ ગણત્રી ચાલે છે.”

    જય હો…

    (લાંબા લેખ પર લાંબી કોમેન્ટ, અને એ પણ અનામત વગર…….. 🙂 )

    Like

     
    • siddarth

      August 13, 2011 at 1:01 PM

      જમીન,યુ,એસ.એ કે કેનેડાના વિઝા,વેવાલાઈ અને અનામત ? યે બાત કુછ હજમ નહિ હુઈ ઠાકુર.

      Like

       
  11. Sohin

    August 13, 2011 at 3:38 AM

    Jaybhai, when do you sleep ? Ahiya US ma hu raatre online thaav ke savaare, tamari post almost achuk jova made 🙂 Btw, i just finished reading your looong article on Aarakshan. Liked it. Understood your point of view and also found few different ones. Inspiring and very detailed. But you did not offer any solutions. I am thinking what can be possible solutions? -Remove the whole reservation system. -Install the default 10% only reservation system originated by Dr. Ambedkar.-Reservation based on economic status (But this has a major flaw. Our weak accounting system and people’s mindset of going around the tax policy and other factors will make almost every person to try and show that they are poor.) Regarding medical seats in Gujarat, how can we make Gujarat Government to change/alter the reservation quota which does injustice to students of the stat itself?? In US, any out-of-state student have to pay higher fees (almost three times higher than in-state fees). I think this can be one solution but it won’t work unless the formation policy of reservation quota is revisited. Can you offer any solutions too? How can i help?

    Like

     
    • milan bhatt

      August 13, 2011 at 10:46 PM

      hi…jaybhai has already offered solution..that is reservation should be done on economic basis not on birth basis..

      Like

       
    • jay vasavada JV

      August 14, 2011 at 4:09 AM

      i hav indicated sm solution n more thrust on creating a path of building such solutions , for that current troublesm system has to be replaced wth fair n scientific one. creating road has many roadblocks so discussing this things first.

      Like

       
  12. shailesh

    August 13, 2011 at 9:45 AM

    manu maharaj divided humanity long ago….& all his work n motto was for higher cast but yet today the result is that every cast have sucked up….proved that division is not good for nation’ health.

    generally i enjoy yor article but that one made me sad….”what can i do ?” arising that question have made me on frustrated stage…

    starting parable of ant n grasshopper was enough to elaborate the very root of
    whole matter (like work of art)
    good work jay bhai, indeed…….thnx

    Like

     
  13. siddarth

    August 13, 2011 at 11:03 AM

    અમિતાભ બચ્ચને એક સારી કોમેંન્ટ કરી છે.”હું બોલીવુડ નો એક ભાગ છું તેનો મને ગર્વ છે.મને આનંદ છે કે અમારે ત્યાં કોઈ જાત નું આરક્ષણ નથી ” what a big joke!
    કદાચ અમિત સરે અક્ષય કુમારે ૨ વર્ષ પહેલા કરેલી કોમેન્ટ ભૂલી ગયા છે કે ”આજે ફિલ્મ ઉધોગ માં કોઈપણ જાતના કનેક્શન અથવા લાગવગ વગર A ગ્રેડ માં આવનાર ફક્ત ૨ જણજ છે.એક શાહરુખ ખાન અને બીજો હું”. તો પછી અભિષેક બચ્ચન ?

    Like

     
    • vipul

      August 21, 2011 at 11:56 PM

      i think tamari samaj thodi ochi che, amitabhe kahyu che ka bolywood ma koi aarakhan nathi to kya che ?///////// bolywood ma cast k dalit obc per koi ne kam maltu nathi k chinvi pan nathi letu

      Like

       
      • Siddarth

        August 28, 2011 at 8:06 PM

        પ્રશ્ન જ ત્યાં છે.અભિષેક બચ્ચન જો અમીતાભ નો પુત્ર ના હોત તો તે શું કરતો હોત?અમીતાભ પાસે જો હરિવંશરાય બચ્ચન ની ઓળખ ન હોત તો શું કરતો હોત.અમિતાભ માટે ઇન્દીરા ગાંધી એ ભલામણ પત્ર લખી આપ્યો હતો એ તમે જાણો છો? ફક્ત બોલીવુડ ની વાત કરું તો કેટલા કલાકારો કોઈ પણ જાત ના કનેક્શન વગર આવેલા છે અને તેઓ અત્યારે કયા ગ્રેડ માં છે એ વિચાર જો.જો અનામત અનિષ્ટ છે તો બધાજ પ્રકાર ની ઓળખાણ,લાગવગ,કનેકશનો શું અનામત નથી?ભારત માં જે દેખાય છે તેટલીજ અનામત નથી.બીજી ઘણા પ્રકાર ની અદ્રશ્ય અનામતો પણ છે જેની ચર્ચા ભાગ્યેજ કોઈ કરે છે. વિતંડા વાદ મને અનુકુળ નથી આવતો.હું દરેક જગ્યાએ ખોટો છુ એવું હું નથી માનતો.જે પ્રશ્ન મુકવા મને યોગ્ય લાગ્યા તે જ મેં મુક્યા છે. જય ભારત

        Liked by 1 person

         
  14. Hardik Patel

    August 13, 2011 at 12:18 PM

    @ Siddharthbhai

    yes i agree that in many places and in many situation they have suffer from situation of like “ACHOOT” but its not fault of open students who suffer of awaken nights,hard work and still not get through…what is fault of that student??? students which preparing for IIT IIM and UPSC what is fault of that students??? i tell u that bcos i feel that condition…i m mbbs student and my best friend just miss admission in mbbs and its finacial situation is not good…tears come into my eyes now also in thinking of that situation…tell me what is his fault??? he has no problem with GANDHIJI or AMBEDKAR…then y he have to be suffered????

    Like

     
    • siddarth

      August 13, 2011 at 3:25 PM

      ડીઅર હાર્દિક ,તમે જે પરિસ્થિતિ સહન કરો છો તેનાથી હું સહેજ પણ અજાણ નથી.ખરેખર તો મારા ઘણા મિત્રો જ તે પરિસ્થિતિ નો ભોગ બન્યા છે અને બને પણ છે .અને તેનું મને દુખ પણ છે .પરંતુ તમારી મેડીકલ ની ભાષા માં કહું તો ભારતીય આગેવાનો તે સમયે કેન્સર નો ઇલાજ પેરાસીટામોલ થી કરવા ગયા હતા.જેનાથી દર્દી નું આરોગ્ય સુધારવાને બદલે રોગ જ વિકૃત થઈ ગયો.અને આ પરીસ્થિતિ માટે ન તો સામાન્ય વર્ગ ના વિધાર્થીઓં નો દોષ છે ન તો દલિત વિધાર્થીઓંનો.અને મિત્ર પૂર્વગ્રહ વગર કહું તો આ પેટ ચોળીને ઉભું કરેલું શૂળ છે.કેમકે હકીકતમાં તો મૂળ પ્રશ્ન જ માનવીય સંવેદનાનો હતો જેમાં ભારત દેશ પહેલા પણ નિષ્ફળ ગયો હતો અને આજે પણ નિષ્ફળ જશે .અને એક સત્ય ભારતીય હોવાને નાતે કહું છું કે આરક્ષણ અર્થાત અનામત નો વિરોધ એ આ પ્રશ્ન નો હલ નથી કેમકે આ રીતનો દેખીતો વિરોધ અંતેતો આંતરિક યુદ્ધ જ પેદા કરશે .જે સમસ્યા ઉભી થઈ છે તેમાં સહન તો અંતેતો યુથ ને જ કરવાનું છે.જે બાબત તમારો મિત્ર સહન કરે છે તેવુંજ સહન દલિત વિધાર્થી પણ કરેજ છે .ખરેખર તો તે જેમ મહાભારત માં કર્ણ જે માનસિક ભાર સહન કરતો હતો તેવોજ ભાર ઘણા લોકો સહન કરે છે.માનવીય સંવેદના તો બધાજ માટે સરખી હોય છે પછી તે ભુખ હોય આનંદ હોય દુખ હોય કે અપમાન હોય.જે કઈ બદલાવ કરવો પડશે તે બધા ભારતીયો એ સાથે મળીને જ કરવો પડશે કોઈ એક વર્ગ થી તે શક્ય નહીજ બને .

      Like

       
      • zeena rey

        August 13, 2011 at 9:02 PM

        very acutely well said Siddarth….

        Like

         
      • Hardik Patel

        August 13, 2011 at 10:01 PM

        je dalit vidhyarthi sahan kare 6 ae amuk loko ni mansikata nu parinam 6..jeno hal bahu jatil 6 ane anu karan amuk old generation ni vyakatiyo 6 pan open na scholar vidhyarthio je sahan kare 6 teno practicaliy upay 6…kya sudhi reservation na name bhagla padi desh ne chalva karse.. tame resevation ne support nathi karta parntu politicians ni meli ramato ne support karo 6o..ane have new generation ‘achoot’ ke bija rivajo ma nathi manti aa vastu have navi pedhi sathe bandh thai rahi 6
        pan tamara jeva ene support kari ae vastu haji bandh karva magta nathi…tame reservation ne support nathi karta desh na bhagala ne support karo 6…
        jo aa vastu hal bandh nahi thay to future ma pan aaj bhagla vali niti thi politician desh ne khata rahese

        Like

         
        • siddarth

          August 13, 2011 at 10:40 PM

          હું પોતે કોઈ પક્ષનો સમર્થક નથી પરંતુ યુ.પી.એસ.સી ની તૈયારી કરતો એક અતિસામાન્ય કુટુંબ નો સભ્ય છુ.પરંતુ મને જે સાચું લાગે છે તે હું કહ્યા વગર નથી શકતો.તમે જે વાત નવી પેઢી ની માનસિકતા ની કરો છો તે કદાચ કોઈ મહાનગર ની હશે.કોઈ વાર ગામડા અને તાલુકા ની મુલાકાત લો.તટસ્થ નિરિક્ષન કરો પછી નવી પેઢી ની માનસિકતા ની દુહાઈ આપજો .વર્તમાન પત્રો માં આવતા લેખ વાચજો તમને જ્ઞાતિવાદ ની બુ આવસેજ પરંતુ તે માટે તમારા આંખ અને કાન પૂર્વગ્રહરહીત રાખજો.અને વાત જો દેશ ના ભાગલા ની હોય તો ગમે તેવી કપરી પરીસ્થિતિ નો સામનો કરતો હોવા છતાં કોઈ દલિત નક્સલવાદી કે ત્રાસવાદી પ્રવુતી માં જોડાયો હોય તેવું મારી જાણમાં નથી આવ્યું.હું કોઈ ધમકી નથી આપતો પરંતુ ફક્ત ચેતવણી આપું છુ.જો મારી અંગત વાત કરું તો મે હજુ સુધી ક્યારેય અનામત નો લાભ લીધો નથી અને લેવાનો પણ નથી તેની તો હું ભારતમાતાને સાક્ષી રાખી વચન આપું છુ.પરંતુ તમેં ધરાવો છો તેવી વિચારધારા જરૂર દલિતો ને સમાજ ના મૂળ પ્રવાહ થી અલગ કરશે .જે ફક્ત પોતાને પડતી તકલીફોની જ ચિંતા કરે છે.હું હજુ પણ કહું છુ કે આ પ્રશ્ન કોઈ હજાર કે લાખ લોકોનો નથી.તે બહુ વિસ્તૃત સમસ્યા છે અને તેની અસરો કે આડ અસરો પણ ઘણી વધારે અને ભયંકર હશે તેની તો હું તમને અત્યાર થી જ ખાતરી આપું છુ .આ કોઈ હાથ પગ ની સર્જરી નથી આ તો ભારત માતાના હૃદય ની સર્જરી છે જેમાં મહત્તમ કાળજી રાખવી પડશે.

          Like

           
          • vipul

            August 22, 2011 at 12:07 AM

            sidharth bhai tame loko tamari jat thi sharam sha mate rakho cho eni mane khabar nathi padti, jo patel jain ke brhman pota ni cast mate gaeva anubhavta hoy ane tamne kharekhar evu lagtu hoy ke tamare sharmavu na joiye to pachi garva se kaho aap daliy ya so n so ho pan anamat etle bija na hak ni sit pachavi padva nu ek kavatru jo kharekhar mayavati jeva tamara neta o tamara mate kai karva magta hoy to simapl tamara balko mate moti moti school colege university badhe jya dalito ane obc ne free education male baki vepar k business karva ni to tamne loko ne koi na nathi padtu tame pan dukano k comapny banavi shako cho anamat mangi ne bija na adhikaro sha mate chinvo cho,, jo tame loko kahrekhar capebal hov to prove karo, aa jay vasavda ni j vat kariye to vasavda savarna che k dali eni kya koi ne khabar che pan aakhu gujrat emna lekho vache che any ani asar pan oade che,, tamara j pan dalit neta babasaheb hata emne bandharan sabha ma jagya emna qualification na karne mali hati teo dalit hata mate nahi atyare anna hazare ne hindustan suport kare che e kai dalit k savarna hova na karne nahi pan teo sacha che mate suport kare che mate anamat na khel khalva nu raheva do educate thao ane tame j tamne bija thi nicha manva nu band karo

            Like

             
            • Siddarth

              August 28, 2011 at 7:43 PM

              અરે દોસ્ત .દુકાનો અને ફ્લેટો માટે તો ઘણો પ્રયત્ન કર્યો પણ પૈસા આપવા છતાં આજુ બાજુના દુકાનદારો ના વિરોધ ના કારણે કોઈ દુકાન આપતું નથી.ઉપરથી કહે છે કે તમે ધંધો કરશો તો અમે શું કરશું?જયારે મકાન લેવા જઈએ છે ત્યારે કહે છે કે તમારા લોકો વચ્ચે જ સારા છો. આ વાત માં કોઈ અતીશયોક્તિ નથી.જે જોયું સાંભળ્યું છે તે જ લખ્યું છે.

              Like

               
          • maheshdesai

            August 27, 2011 at 2:14 PM

            જો મારી અંગત વાત કરું તો મે હજુ સુધી ક્યારેય અનામત નો લાભ લીધો નથી અને લેવાનો પણ નથી તેની તો હું ભારતમાતાને સાક્ષી રાખી વચન આપું છુ…

            yes fully agree with you

            આવુ તમારા જેવું, OBC,ST,SC,મા આવતા લોકો (કે જે લોકો non-crimilayer મા આવે છે તે) વિચારે તો આ પ્રોબ્લમ નુ ઘણે ખરે અંશે સોલ્યુસન આવી જાય …મારી પાસે મારી મેડીકલ કોલેજ મા આવા અઢળક દાખલાઓ છે કે જે ના પપ્પા મારી જ કોલેજ મા હેડ ઓફ ડીપાર્ટમેન્ટ હોય અને એનો દીકરો ઓબીસી ના ક્વોટા હેઠળ ઓર્થોપેડીકસ મા એડમિસન લે છે હવે તમે જ જણાવો કે જે વ્યક્તિ હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (ક્લાસ ૧ ઓફિસર ઓફ ગવર્નરમેન્ટ ઓફ ગુજરાત ) હોય એ crimilayer મા આવે કે નોન-crimilayer મા આવે ???આવા તો અઢળક દાખલા છે….રીઝર્વેસન માટે જે લોકો ડિઝર્વ હોય( ખરેખર crimilayer મા આવતા લોકો)તેને મળવું જ જોયીયે અને આ માટે હું આરક્ષણ ણે સપોર્ટ કરું છું પણ ઉપર જણાવ્યું તેવા લોકો માટે ના રીઝર્વેસન ને સખત વખોડું છું અને વિરોધ કરું છું..,,જય હિન્દ…

            Like

             
            • maheshdesai

              August 27, 2011 at 2:24 PM

              તમારા જેવું મીન્સ કે .રીઝર્વેસન નો લાભ ના લેવો જોયીયે if you r non crimilayer coming under reservation catogary…બાકી if you are crimilayer then you must(and you should) be benefited by reservation,that is the good for country.society…મારા કરને દિલ દુભાયું હોય તો ક્ષમા ચાહું છું ….જય હિન્દ અસ્તુ

              Like

               
            • Tarun

              July 20, 2016 at 3:27 PM

              You can report about wrong use of quota.Govt.is very strict and Mamlatdar can be punushed for issuing wrong certi.

              Like

               
          • maheshdesai

            August 27, 2011 at 2:26 PM

            જો મારી અંગત વાત કરું તો મે હજુ સુધી ક્યારેય અનામત નો લાભ લીધો નથી અને લેવાનો પણ નથી તેની તો હું ભારતમાતાને સાક્ષી રાખી વચન આપું છુ…

            yes fully agree with you

            આવુ તમારા જેવું, OBC,ST,SC,મા આવતા લોકો (કે જે લોકો non-crimilayer મા આવે છે તે) વિચારે તો આ પ્રોબ્લમ નુ ઘણે ખરે અંશે સોલ્યુસન આવી જાય …મારી પાસે મારી મેડીકલ કોલેજ મા આવા અઢળક દાખલાઓ છે કે જે ના પપ્પા મારી જ કોલેજ મા હેડ ઓફ ડીપાર્ટમેન્ટ હોય અને એનો દીકરો ઓબીસી ના ક્વોટા હેઠળ ઓર્થોપેડીકસ મા એડમિસન લે છે હવે તમે જ જણાવો કે જે વ્યક્તિ હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (ક્લાસ ૧ ઓફિસર ઓફ ગવર્નરમેન્ટ ઓફ ગુજરાત ) હોય એ crimilayer મા આવે કે નોન-crimilayer મા આવે ???આવા તો અઢળક દાખલા છે….રીઝર્વેસન માટે જે લોકો ડિઝર્વ હોય( ખરેખર crimilayer મા આવતા લોકો)તેને મળવું જ જોયીયે અને આ માટે હું આરક્ષણ ણે સપોર્ટ કરું છું પણ ઉપર જણાવ્યું તેવા લોકો માટે ના રીઝર્વેસન ને સખત વખોડું છું અને વિરોધ કરું છું..,,જય હિન્દ…

            તમારા જેવું મીન્સ કે .રીઝર્વેસન નો લાભ ના લેવો જોયીયે if you r non crimilayer coming under reservation catogary…બાકી if you are crimilayer then you must(and you should) be benefited by reservation,that is the good for country.society…મારા કરને દિલ દુભાયું હોય તો ક્ષમા ચાહું છું ….જય હિન્દ અસ્તુ

            Like

             
  15. vpj100

    August 13, 2011 at 3:42 PM

    અમારા મનમાં અમુક જે પણ પ્રશ્નો હતા એના જવાબો આમાંથી મળી ગયા…
    થેન્ક્સ ..જયભાઈ…
    તમે જે રીતે તમારા વિચારો ને ગોઠવો છો એ પણ એક અદ્ભુત કળા છે…
    વાંચતા વાંચતા ક્યાંક કોઈ પ્રશ્ન ઉઠે તો લેખ પૂરો થાય ત્યાં તો બધા જવાબ આપોઆપ નજર સામે આવી જાય….!!!
    “જય” હિન્દ.
    🙂

    Like

     
  16. Preeti

    August 13, 2011 at 6:52 PM

    Outstanding article. I agree 100%.

    Like

     
  17. Hardik Patel

    August 13, 2011 at 7:58 PM

    @siddharthbhai

    First of all please dont compare of mahabharat and karna and all other things with current situation..
    secondly, jo tame em vichar karta hoy ke “quota” thi tame DALIT samaj nu uddhar karta hoy to mari collage ni ek visit lo 95% student of ‘quota’ students ni sari finacial situation 6. many of that students son of DOCTORS… ..INDIA 1947 ma azad thayu tyar thi reservation no kaydo 6 to pa6i haji INDIA ni 30% population kem garibi rekha niche jive 6…

    our constitution say that everyone has common rights then y this reservation…..dalit samaj bija samaj jode madad ni asha rakhe 6 jyare admission ni vat ave 6 tyare reserve quota na sari financial situation vala students sa mate svayambhu potane general person gali with out “cast certificate” admission form nathi bharta..

    Like

     
    • siddarth

      August 13, 2011 at 10:13 PM

      હું આપને જે વાત સમજાવવા માગું છુ તે એ છે કે જો કોઈ દલિત વિધાર્થી સામાન્ય પ્રવાહ ના વિધાર્થી જેટલાજ માર્ક્સ મેળવી જો ડોકટર બનશે તો પણ તેની ગણતરી તો અન્ય કરતા નબળા ડોક્ટર તરીકે જ થશે .મારો વિરોધ જ આ માનસિકતા સાથે છે.એવું નથી કે અનામત ના કારણે આ માનસિકતા છે.આ માનસિકતા સાથે છે.બીજી વાત મહાભારત અને અન્ય હિંદુ ધર્મગ્રંથોની તો તેમાં કોઈ વારતા ઓ નથી પણ લોકો ની માનસિકતા સમજવાનું એક સારું માધ્યમ છે .અને હું જે વાત કહેતો હતો તે પણ
      સાયકોલોજીકલ દ્રષ્ટિએ જ હતી.દલિતો માં જે લઘુતાગ્રંથી,અપમાનબોધ અને સામાજિક અસુરક્ષિતા ની ભાવના છે ત્યાં સુધી અનામત ની કોઈ દવા થઇ શકે તેમજ નથી. અને વાત જો ડોનેશન સીટની હોય તો તેનો ઉપયોગ કેટલા દલિતો કરે છે અને કેટલા અન્ય કરે છે તેતો કોઈ ને કહેવાની જરૂરજ નથી .જે અસુર્ક્ષિતા ની ભાવના થી તમે પીડાઓ છો તેનાથી ઘણી તીવ્રતા થી બીજો વર્ગ પણ પીડાય છે.ફક્ત ૬૦ વર્ષ ની અનામત થી આ પ્રશ્ન હાલ થાય તેમ ન હતું અને અનામત આ પ્રશ્ન નો ઉકેલ ન હતો .પરંતુ જે તે સમયે જે તે તડજોડ કરવી પડી તેવું એક કામચલાઉ સમાધાન જ હતું.વાત ફક્ત મેડીકલ, આઈ.આઈ.એમ, કે યુ.પી.એસ.સી ની નથી.વાત એ બાબત ની છે કે જેનાથી દરેક ૪ થો ભારતીય પીડાય છે.૩૦ કરોડ લોકો માં થી ૨૫ કરોડ લોકો તો હજુ પ્રાથમિક પરીસ્થિતિ માં જ જીવે છે.જો તમારે તકો ની સમાનતા લાવવી છે તો પછી આ બાબત નું નિરાકારણ પણ તમાંરે જ લાવવું પડશે .શું એ માટેની તાકાત,નિષ્ઠા,પ્રમાણિકતા અને તેનો તટસ્થ ઉકેલ તમારી પાસે છે?

      Like

       
      • Paresh

        August 14, 2011 at 2:39 AM

        >હું આપને જે વાત સમજાવવા માગું છુ તે એ છે કે જો કોઈ દલિત વિધાર્થી સામાન્ય પ્રવાહ ના વિધાર્થી >જેટલાજ માર્ક્સ મેળવી જો ડોકટર બનશે તો પણ તેની ગણતરી તો અન્ય કરતા નબળા ડોક્ટર તરીકે જ >થશે .

        Really? I don’t think so. I have many friends who are ‘dalits’ in your language. And they are in Wipro and other good private companies. Nobody thinks that their level is not comparable to those ‘savarnas’ working in the same companies at the same positions. Because those companies haven’t employed them due to any reserved categories. They are there only and only because of their talent. However this is not the case with the doctors or IAS/GAS officers. Because many of the ‘dalit’ professionals in these professions are there due to the reservations. People (including common dalits/savarnas) obviously don’t want to go to a dalit doctor because the selection criteria at the time of the admission was not matched with the other doctors. Do you get the point here?
        On the contrary, the reservation system is making the people continuously conscious about the caste of the doctors! So it is worsening the divide!
        The world follows the rule of ‘survival of the fittest’. This is how the best comes up and the nations progress. If you protect the less eligible student on the basis of his/her caste and because of the ‘social/historical reasons’, and also that the better students are not given chance to go ahead, then the aforementioned Nature’s law is violated and we as a nation can’t progress – haven’t progressed!
        Do you need yet another example? Mr Narendra Modi! Although due to his RSS sanskaars he never does and never will speak out, but he comes from an OBC! Does the people of Gujarat care about it? A big NO! Because he deserves to be the CM and even the PM. He has NEVER EVER complained about any of the ‘sufferings’ for being a dalit etc. NEVER EVER !

        If you have many complaints about the sufferings due to being a dalit then the savarnas would also have many complaints against the dalits too since they can’t go ahead even if they may be more deserving merit wise. So I don’t think that continuously complaining about the sufferings, or my-suffering-is-more-than-yours kind of arguments make any sense these days. The sufferers are in the both sides.

        Again, just follow the scientific methodology: you define your problem, understand it from all the possible sides of it, make an educated guess or called a theory to explain the phenomenon. Your theory should explain the currently observed phenomenon and should be able to predict the advanced steps. Then you do an experiment to verify your theory against. If the results are not what you had predicted, then your theory/solution was wrong and needs to be changed. Then you understand the problem better make another more educated guess, and again try to explain the experimental results. Try to iterate the procedure until you converge to THE theory for your phenomenon.
        Now, let’s take the example of the reservation system, in a simplified language. Our leaders during India’s independence had made their observation that the dalits were being suppressed and that they should be brought to the main-stream education and professions quickly. This was the definition of the problem. Their educated guess, or their theory, was that the dalits were not given equal chance to progress and hence there should be a quota for them. They put this into practice. Their prediction was that after a few years the dalits would come to the mainstream and no longer will require the quota. However, even after 64+ years, the dalits require even more reservation than ever. Because the result has come against the prediction, the theory is a failure. Now it is a high time to throw away this theory, i.e., the reservation quota and make a new and much better theory.
        The new solution, based on India’s own experience and that of many other developed nations including the USA and China, is 1. compulsory and free education to each and every child in India, and 2. no reservation based on anything. If a student doesn’t have the money but is on the merit list then he could be given the fees and financial support, which is not a reservation.

        Like

         
        • siddarth

          August 14, 2011 at 12:49 PM

          આ સમસ્યાનું નિરાકરણ સાયન્ટીફિક કરતા સામજિક અને માનસીક વધારે છે કારણકે આવો પ્રશ્ન વિશ્વના બીજા કોઈ દેશ સામે હતો પણ નહિ અને છે પણ નહિ.એટલે આનો જે ઉકેલ હશે તે પણ અત્યાર સુધી નો સૌથી યુનીક અને જટિલ હશે.અને આઝાદીના ૬૪ વર્ષ પછી પણ શા માટે કોઈ દલિત સમાજ પર વિશ્વાસ કરતા ગભરાય છે.અને ૬૪ વર્ષ પહેલાપણ અનામત દલિતો પર કરવામાં આવેલ કોઈ ઉપકાર ન હતો તે તો ભારત માં થી એક બીજું ભારત બનતું અટકાવવાનો એક અધ કચરો પ્રયાસ હતો.બાબા સાહેબે એવી આશા રાખી હતી કે કદાચ આઝાદીના એક દશકામાં દલિતો સમાજના મૂળ પ્રવાહ માં જોડાઈ જશે પરંતુ તે બન્યું નથી તે માટે દલિતો કરતા વધુ દોષ સમાજ નો હતો .તમેજે દલિતો ને એડમીશન લેતા જુઓ છો એતો હિમશીલા ની ફક્ત ટોચ જ છે .દલિતોને પણ અનામત કરતા વધુ જરૂર સમાજમાં બરોબરીના સ્થાન ની છે.આજે પણ ફક્ત ગુજરાતમાં જ કેટલા દલિતો ખેતમજુર છે તેનો તમને અંદાજો છે?તેમના સંતાનોના ભાવી માટે શું કોઈ ખાતરી આપી શકે છે?જે લોકોની જમીન માં તે ખેતમજુરી કરે છે તે લોકોતો અમદાવાદ,મુંબઈ કે યુ.એસ.એ માં બેઠા છે.એક જ દેશ માં રહેતા હોવા છતા શા માટે દલિતોને જ અનામત ની જરૂર પડી તે અંગે કોઈ વિચાર કર્યો છે?જો નહિ તો તમે આ પ્રશ્ન ને સમજી શક્યા જ નથી.હું એવું નથી કહેતો કે સવર્ણોમાં કોઈ આર્થિક રીતે નબળું નથી પણ તે લેવલના દલિતો ને જે તકલીફ પડે છે તે દેખીતી રીતે જ વધાર હોય છે.

          Like

           
          • jay vasavada JV

            August 14, 2011 at 2:36 PM

            pan eno ukel anamatthi nahi aave dost. ena par j aa lekh chhe. tame mitra badhe ek ni ek vat karo chho , pan bija spasht rupe uthavayela muddao no koi javab nathi aapta. pahela to baba sahebe j anamat aapi chhe , e manyta j bhoolbhareli chhe. ane samaaj no dosh chhe j , e mara jevo manas pahele thi kahe chhe. . pan ekla samaj no j dosh nathi. dalito na paxe y je ketlik babto aave chhe eno ullekh pan nahi? aarthik anamat apaay to khetmajuro ne y malshe j ne.

            Like

             
            • Paresh

              August 14, 2011 at 9:28 PM

              Yes, Siddharth is repeating himself too many times without any new point nor does he address the points made in the main article or in the comments he is replying. So I am not going to reply to him from now on if he doesn’t address all the arguments already put forward.

              Like

               
        • ashvin2908

          September 1, 2011 at 11:10 AM

          Dear Paresh,

          Congrates!
          You have got excellent writing and analytical skills.

          But dear Caste System in India is not a matter of experimenting. I am an MBA, I had got admission due to my talents, not reservation. My wife had got govt. job not due to reservation but her talent.
          I want to to buy a house in good locality. But due to caste ism I had to buy in interior area of the city I live in.
          I am working in a city of North Gujarat where is is said by all poeple including brahmins or chaudharis or muslims that here only one Caste dominates and it is Patel. P for P. I work with a private company here. Whenever I go to make a deal, 60% of the time I find people ask about caste and when they come to knw that I am a dalit, their recations change.
          There is many more things to write but I don not have time to write it as it will fill up more than 1000 pages.

          Like

           
          • Siddarth

            September 1, 2011 at 10:30 PM

            દરેક સમાજે પોતાની સર્વોપરિતા જાળવી રાખી સમાનતાની વાતો કરવી છે.હકીકતમાં ”એકતા” અને ”ભારતીય સમાજ” એક બીજાના વિરોધી શબ્દો છે.દરેકને પોતાને થતો સોઈ ની અણી જેટલો અન્યાય દેખાય છે પરંતુ બીજા ને થતો અન્યાય દેખાતો નથી.એક સંતે કહું છે તેમ ”જિસને પાપ કિયા ના કોઈ વો પહેલા પથ્થર ફેકે”

            Like

             
    • ashvin2908hvin

      September 2, 2011 at 7:09 PM

      હાર્દીકભાઈ,

      આપની સાથે હુ ૧૦૦ ટકા સંમત છું.

      પણ મારી એક વાતનો જવાબ આપો. આજે સમગ્ર ભારત માં નાનાથી માંડી મોટા ઉદયોગો કોના હસ્તક છે? અરે સામાન્ય કરીયાણાની દુકાનો પણ બીનદલીતો ની છે, દલીત વીસ્તારોમાં પણ. દલીતો માટે એકમાત્ર રોજગારનું સાધન છે તો નોકરી જ છે. આમાં અપવાદો હોવાના. આપ મારી સાથે સમંત થાવ છો?

      આનું કારણ એ છે કે વર્ષોથી દલીતો વંચીત જ રહયા છે.

      ગુજરાતની વાત કરીએ તો ૯૦ ટકા ઉદયોગો પટેલો અને અન્ય કોમો પાસે છે. કેમકે ગણોત ધારાને કારણે જમીનો મળી ગઈ અને તેઓ પૈસે ટકે સુખી થઈ ગયા.

      જો આ તેમેની પાસેથી અનામત લઈ લેશો તો તે સમાજ માટે ખૂબજ સારી વાત ત્યારે જ કહેવાશે જયારે આ તેઓને સમાન તકો આપશો (ટેલેન્ટ હોવા છતાં). કારણકે અહીં આગળ સીદધાર્થભાઈએ જણાવ્યા મુજબ મેરીટ બાજુએ રહી સગાવાદ તરફ ઝોક રહેવાનો.

      શું ટેલેન્ટેડ દલીતને કોઈ તેની કંપનીમાં ભાગીદાર બનાવશે?

      Like

       
  18. milan bhatt

    August 13, 2011 at 10:57 PM

    ઘણા દિવસો પછી આટલો સરસ લેખ વાંચવા મડયો..100% સાચી વાત છે..આરક્ષણ નો ઉપાય જલદી થી તો આવવાનો છે નહીં.. તો મારો બધા ભાઈઑ ને વિનંતી છે કે જેમને આરક્ષણ નો ફાયદો મડે છે તે તેનો ઉપયોગ કરે અને જનરલ કેટગરી ધરાવતા વિધ્યાર્થીઓ માટે સીટ બાકી રાખે..આભાર…

    Like

     
  19. Jagesh Patel

    August 14, 2011 at 9:17 AM

    બહુ જ સરસ લેખ છે. અને ૧૦૦% સાચી વાત છે આ ‘આરક્ષણ’ ની…

    Like

     
  20. Patel

    August 14, 2011 at 10:59 AM

    …aa koyda no ek ukel chhe…je rahi gaya chhe e pan anamat mange ane chelle badha sarkha…badha jo potane pachhat kehvdave to pachhi modesty ni ek navi vyakhya no janam thay…baki tagore yaad ave chhe….je online mali gai to muku chhu…..

    The night is black and the forest has no end;
    a million people thread it in a million ways.
    We have trysts to keep in the darkness, but where
    or with whom – of that we are unaware.
    But we have this faith – that a lifetime’s bliss
    will appear any minute, with a smile upon its lips.

    Like

     
  21. Ashok Patel

    August 14, 2011 at 11:50 AM

    Khoob saras riteh situation analysis karel chey…..Hav e toh jag zadi chamdi..

    Like

     
  22. Ashok Patel

    August 14, 2011 at 11:51 AM

    Excellent analysis…..Hav e toh jag zaddi chamdi..

    Like

     
  23. agravat gautan

    August 15, 2011 at 8:18 PM

    sir very nice article i think it has only one solution right education and right understanding

    Like

     
  24. Raghuvir H Khuman

    August 17, 2011 at 5:14 PM

    Jaybhai aa badha dicussion thi ek alag suggestion :

    Tame evu setting karo ke tamara blog par tame je link aapi hoy te bija new tab man open thay…it wil be useful…because user right click kari ne open in new tab karavani habit nathi rakhato hoto….
    ane reference mate link par click karava jata main reading rahi jay evu thay…its just a thought…

    it can be done…but how it can be done in wordpress i dnt knw right nw…I m also starting to search for solution..ane jo tamane aa idea dhyan man leva jevo lage to tame pan solution find karajo….

    Like

     
  25. રૂપેન પટેલ

    August 23, 2011 at 6:42 PM

    ગુજરાતી બ્લોગના ઇતિહાસમાં આ સૌથી લાંબી બ્લોગપોસ્ટ વાંચી ઘણું જાણવા મળ્યું .જયભાઈ વધુ ને વધુ ધારદાર , અસરદાર ,મજેદાર પોસ્ટ આપતાં રહેજો .

    Like

     
  26. Ram Brahmbhatt

    August 27, 2011 at 12:17 AM

    i will come back with my view….i want to say to Mr. jv..

    Like

     
  27. Nimisha Thacker

    August 31, 2011 at 8:18 PM

    I too strongly feel that merit should be the sole criterion for admission,job,etc. Then and only then we will be able to produce quality people and only then will our country progress.

    If reservation would have been the solution, after 64+ years there shouldn’t have been the need of reservation.

    The intention with which concept of reservation was brought(support) was true. But today this ‘facility’ is being misused to some extent (since people are eager to have their caste included in the list of SC,ST,etc,; just to take advantage of these facilities;even if are capable to support themselves). So, the purpose for which this scheme was implemented is not being served. In fact this scheme is doing injustice with those who deserve the admission,job.. Its time to make a change…to have quality population….

    And regarding changing the mentality of people towards you,…its only in your hand…If you are good enough…people will heartily accept you,forgetting about your caste.. Best e.g. is our chief minister, Narendra Modi ji…. 🙂

    Like

     
  28. dashrath

    September 1, 2011 at 10:42 PM

    please don’t give any example of any politician.we may well judge them after 10 or 15 years like today we judge gandhi,nehru or jinnah.

    Like

     
  29. Gaurang Patadia

    September 2, 2011 at 10:51 PM

    Boss JV,

    What an article. I have never read such an intense article on this problem before on internet. Its completely amazing. And what I like most is your point of “CREAMY LAYERS” AND THAT IS ABSOLUTELY TRUE”

    Your big fan

    Gaurang

    Like

     
  30. ANANDBABU

    September 11, 2011 at 1:04 AM

    namskar jaybhai…..tamane 6 varas thi vanchu chu….su sc category ma chu,,,,,tamara analysis ane gyan par koi shanka nathi,,,,,puri vat samajo to pida banne taraf ni che…ekal dokal udarano ne dalilo dwara game ek paksh ma boli sakay tem che…pan tatasta rehvu bahu agaru che….,aa mude khub vanchu chu,,, pan etlu jarur kahis aana 2 solution che…….(1) bane pakshe manasikata sudhre.. “””TO”””” ….(2) jarur vala ni anamat sathe…….merit ni gunavata sachvasy “””TO”””…………..kaik aa prashan no hal nikale…………..jya sudhi uper na be vakya ma “””TO””” rahese tya sudhi aam j chalse………hope for a new change…..good for everyone…….

    Like

     
  31. ashvin2908

    October 2, 2011 at 11:01 AM

    અનામત પર ૧૯૩૨માં કાનપુરની સ્થાનીય ચૂંટણી બાપુના દર્શનનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાં તમામ સવર્ણ ઉમેદવાર જીત્યા હતા. એકેય દલિત ઉમેદવાર જીત્યો નહોતો ત્યારે ગાંધીજીએ સ્વામી શ્રદ્ધાનંદને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓને હવે ડૉ. આંબેડકરની વાતમાં વજન સમજાઈ રહ્યું છે. સવર્ણ તો દલિતોને હક આપવા જ નથી માંગતા. એટલા માટે અનામત જરૂરી છે, પણ તે કાયમી ઉકેલ નથી.

    Like

     
    • siddarth

      October 2, 2011 at 7:14 PM

      અશ્વિનભાઈ!એક વાત નોટીસ કરી.જય સરનો આખો લેખ ”ક્રીમીલેયર” અને ”વર્ણાશ્રમ પ્રથા ” પર છે.પરંતુ પાયાનો એક પ્રશ્ન કે જેની સૌથી વધુ ચર્ચા થવી જોઈએ તેની તો ચર્ચા જ થઈ નથી. એંક સૌથી નજીક નું ઉદાહરણ આપું છું જેનો સામનો કોઈ નહિ કરી શકે.તાજેતરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત ક્લાર્ક અને પંચાયત મંત્રી ની પરીક્ષા લેવાઈ.તેનું જે પરિણામ આવ્યું તેમાં જનરલ કેટેગરી નું પરિણામ ૬૮ માર્ક્સ અને એસ.સી કેટેગરી નું પરિણામ ૭૨ માર્ક્સ છે.છતાં પણ જનરલ અને ઓં.બી.સી ના લોકો તો એવું જ કહેશે કે અનામતના કારણે તેમને નોકરી મળી છે. અને હકીકતમાં એસ.સી અને ઓં.બી.સી અનામતની સરખામણી કરવી એ જ વાહિયાત છે.કેમકે ઓં.બી.સી વાળા લોકો તો મોટે ભાગે તેમને પછાત ગણતા જ નથી અને તેમને દલિતો જેમ ગામ બહાર રહેવું કે આભડછેટ નો પ્રશ્ન પણ નડતો નથી.અને ખરેખર તો ઓં.બી.સી જ્ઞાતિઓં(જેમ કે ભરવાડ,કો.પટેલ,કુંભાર, દરબાર ની ઘણી જ્ઞાતિઓં) ઉજળીયાત વર્ગ કરતા પણ વધુ ભેદભાવ રાખે છે છતાં પણ તેઓ અનામતનો લાભ મેળવે છે(આવક ના ખોટા પ્રમાણપત્ર પર).અને જયારે અનામત નો વિરોધ કરનારાઓં નો વિરોધ કરવામાં આવે છે ત્યારે તેઓં એ ચુપ રહેવું હોય છે(લાભ લેતા હોવા છતાં) અને આપણી જેવા લોકો(જેઓ ખરેખર અનામતનો લાભ પોતે તો નથી લેતા) એ દલીલો માં ઉતરવુ પડે છે.અને પછી આખો પ્રશ્ન કેવળ અનામત ના વિરોધ પર ઉતરી જાય છે અને આવા બધા પાસા ધ્યાનમાં લેવાતા નથી.

      Like

       
      • gujaratnusatya

        October 6, 2011 at 3:01 PM

        સીધ્ધાર્થભાઈ,

        સૌ પ્રથમ તો આને આટલુ સુંદર અને ચોટદાર લખાણ લખવા માટે અને દલીતો ના પ્રશ્નોને વાચા આવા બદલ અભિનંદન.

        આપે આપેલ પંચાયત સેવાની સ્ર્ધાત્મક પરીક્ષા ઉપરાંત એક વધારાની માહીતી આપતાં ગર્વ થાય છે. મને સાલ બરાબર યાદ નથી પણ ૧૯૯૧ કે તે પહેલાં ની સાલ માં ગુજરાત રાજયમાં થી આઈ. એ. એસ. થનારા માત્ર ચાર જ ઉમેદવારો હતા. અને તે ચારેય એસ. સી. હતા. ઉપરાંત દર વર્ષે જી. પી. એસ. સી. અને યુ. પી. એસ. સી. માં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોમાં એસ. સી. હોય છે.

        Like

         
      • Jitendra Chavda

        August 15, 2015 at 3:13 PM

        Siddarthbhai, I agree with you….!!! Haju pan So called Savarn Varg ne badhi field ma mnopoly joie chhe….!!! I would like to be in your touch….my maild id is jkchavda2222@gmail.com

        Like

         
  32. Nilay

    November 22, 2011 at 11:01 AM

    Dear Sir,

    I would like to draw your attention to one technical mistake in the article. You have mentioned a word ‘માસ્ટર ઑફ ચ્યુરિજિ’ actually it is ‘Master of Surgery’ in English. (Latin : Magister Chirurgiae).

    Love,
    Nilay

    Like

     
  33. lash

    January 25, 2012 at 7:04 PM

    પહેલીવાત તો અનામત એ આર્થિક આધાર પર આપવામાં આવેલ નથી. સવર્ણોનાં ( ખાસ કરીને બ્રાહ્મણો) ના પૂર્વજોની હજારો વર્ષોથી કરાયેલ ભેદભાવ અને અત્‍યાચારી આચરણ પર કરેલ પ્રશ્ચાતાપરૂપે સ્‍વીકારેલ છે….બીજું કે ગાંધીજીના જીવન ને બચાવવાં બાબાસાહેબે (જો કે ગાંધીજી એ બળજબરી પૂર્વક મૃત્‍યુ સુધી ઉપવાસ કરવાની ધમકી આપેલ ભલે એ ઉપવાસ ત્રણ જ દિવસ ચાલ્‍યાં હોય ) પૂનાપેક્ટ કરેલ એની અવેજ માં આપેલ છે.કોઇ ખૈરાત નથી.ત્રીજી વાત અનામત તો આજેય કોઇનેય નથી જોઇતી….માત્ર ભારતમાં સરકારી ગેઝેટ અને વ્‍યવહારમાં જાતિઓ કાઢી ને માત્ર ભારતીય શબ્‍દ તમામને ફરજીયાત લાગુ કરાવો…રહેઠાણો જુદાં જુદાં છે તે તમામને એક બીજામાં ભેળવી બતાવો. પછાતો શું હજારો વર્ષોથી જમીન વિહોણાં જ હતાં ?? ભૂતકાળમાં શાહૂકારીથી,ધમકીથી,અત્‍યાચારોથી જેમની જમીનો છીનવી લેવાઇ છે તે પાછી આપી બતાવો….
    ચાલો અનામત કોઇનેય નથી જોઇતી…જે વર્ષોથી રાજકારણીયા ભલેને તે દલિત હોય…એઓ જ આનો મહત્તમ લાભ લઇ ને ગરીબોને પાછળ રાખી રહ્યાં છે. અતમ કરી દ્યો…
    ત્રીજી વાત …વાલ્‍મિકી એ પુષ્‍યમિત્ર સૃંગ ના રાજમાં બેસતો રાજકવિ હતાં…અને એ જન્‍મે બ્રાહ્મણ છે…જરા સાચો ઇતિહાસ ચકાસી જુઓ….જો તે પછાત જ હોત તો એનાં નામ પરથી તમો જેને વાલ્‍મિકી સમાજ કહો છો તે તમારી સૌની હરોળમાં કેમ નથી ???

    Like

     
    • jay vasavada JV

      January 26, 2012 at 4:40 AM

      bandhu, aa juni purani vaato na javab lekh maa j chhe. valmiki vishe sachot aadhar purava raju karsho ji.

      Like

       
  34. Jayantibhai Mananai

    March 19, 2012 at 11:58 AM

    वर्तमान शासन और प्रशासन मे पर्याप्त सामाजिक हिस्सेदारी देते ओबीसी, एसटी और एससी के सवैधानिक आरक्षण के समर्थकों को वर्णाश्रम व्यवस्था के समर्थकों कहेना जातिवादी बुध्धिजिवियो की बौधिक बदमाशी नहीं है क्या ?
    -(1)- क्योकि वर्तमान संवैधानिक आरक्षण 54 % ओबीसी समुदाय को 27 %, 16 % एससी समुदाय को 15 % और 8% एसटी समुदाय को 7.5 % आरक्षण केन्द्रीय नौकरियों मे और शिक्षण संस्थाओ मे दिया जाता है, टोटल 78.5 % आरक्षित समुदाय को आरक्षण 49.5 % और 22.5 ओपन केटेगरी के लिए 50.5 % पद और प्रवेश यानी देश के सभी सामाजिक समुदायों के लिए सता मे सामाजिक हिस्सेदारी की व्यवस्था को और पौराणिक ब्राह्मण धर्म की वर्णव्यवस्था को समान ठहेराने का कुतर्क को जातिवादी बुध्धिजिवियो की बौध्धिक बदमाशी कहेना क्या गलत होगा ?
    -(2)- देश की 90 % आबादी को शुद्र(आज के ओबीसी और विक्सित शुद्र-कुणबी, जाट, मराठा इत्यादि), अवर्ण(आज के एस-एसटी) और स्त्रियो(ब्राह्मण-वैश्य इत्यादि) को जन्मजात नीच ठहेरा कर शिक्षा, शस्त्र और सम्पति से वंचित करती पौराणिक ब्राह्मण धर्म की वर्णव्यवस्था और सदियों से धर्म के नाम पर मानव अधिकार से वंचित रखे गए समुदायों को ओबीसी, एससी और एसटी के रूप मे सता और शिक्षा मे सामाजिक हिस्सेदारी देते संवैधानिक आरक्षण को समान ठहेराने के कुतर्क को जातिवादी बुध्ध्जियो की बौध्धिक बदमाशी कहेना क्या गलत होगा ?

    Like

     
  35. Jayantibhai Mananai

    March 19, 2012 at 4:51 PM

    – – वर्तमान शासन और प्रशासन मे पर्याप्त सामाजिक हिस्सेदारी देते ओबीसी, एसटी और एससी के सवैधानिक आरक्षण के समर्थकों को वर्णाश्रम व्यवस्था के समर्थकों कहेना जातिवादी बुध्धिजिवियो की बौधिक बदमाशी नहीं है क्या ?
    -(1)- क्योकि वर्तमान संवैधानिक आरक्षण 54 % ओबीसी समुदाय को 27 %, 16 % एससी समुदाय को 15 % और 8% एसटी समुदाय को 7.5 % आरक्षण केन्द्रीय नौकरियों मे और शिक्षण संस्थाओ मे दिया जाता है, टोटल 78.5 % आरक्षित समुदाय को आरक्षण 49.5 % और 22.5 ओपन केटेगरी के लिए 50.5 % पद और प्रवेश यानी देश के सभी सामाजिक समुदायों के लिए सता मे सामाजिक हिस्सेदारी की व्यवस्था को और पौराणिक ब्राह्मण धर्म की वर्णव्यवस्था को समान ठहेराने का कुतर्क को जातिवादी बुध्धिजिवियो की बौध्धिक बदमाशी कहेना क्या गलत होगा ?
    -(2)- देश की 90 % आबादी को शुद्र(आज के ओबीसी और विक्सित शुद्र-कुणबी, जाट, मराठा इत्यादि), अवर्ण(आज के एस-एसटी) और स्त्रियो(ब्राह्मण-वैश्य इत्यादि) को जन्मजात नीच ठहेरा कर शिक्षा, शस्त्र और सम्पति से वंचित करती पौराणिक ब्राह्मण धर्म की वर्णव्यवस्था और सदियों से धर्म के नाम पर मानव अधिकार से वंचित रखे गए समुदायों को ओबीसी, एससी और एसटी के रूप मे सता और शिक्षा मे सामाजिक हिस्सेदारी देते संवैधानिक आरक्षण को समान ठहेराने के कुतर्क को जातिवादी बुध्धिजिवियो की बौध्धिक बदमाशी कहेना क्या गलत होगा ?

    Like

     
  36. arunchaudhari

    March 19, 2012 at 9:14 PM

    જય ભાઈ, નમસ્કાર, આપનું વિદ્દતાપુર્ણ લેખનનો અભ્યાસ કર્યો, “અનામત” શા માટે ? એ કહેતા પહેલા “જય વસાવડા ” એ કાઠીયાવાડ જઈને પોતે ચમાર કે ભંગી છે અને પાણી પીવું છે કે ઘર ભાડે જોઈએ છે એવું કહેવું અને જાતે આ અનુભવ લીધા પછી આવી ડાહી ડાહી વાતો લખવી,એવી મારી વણમાંગી સલાહ છે, આઝાદી સમયે જે જ્ઞાતિઓનો સામાજીક,આર્થિક અને શૈક્ષણિક વિકાસ નહોતો થયો તેમને અન્ય વિકસીત સમાજની હરોળમાં લાવવા 10 વર્ષ માટે જ અનામત આપવી, તેવું વિચારેલ ,શું આ બંધારણિય જોગવાઈનો પ્રામાણિક પણે શોષિતોનાં વિકાસ માટે ઉપયોગ થયો છે ? જો “હા” તો આજે જ અનામત હટાવી લો, અનામત આર્થિક પાસાને લક્ષમાં લઈને નહિ પણ સામાજિક રીતે સમાનતા લાવવા આપવામાં આવી હતી , શું આ સમાનતા આપણી વર્તુણુકમાં દેખાય છે, અને એ જોવા માટે જ જયભાઈ તમે કાઠિયાવાડ જરૂર જજો અને પછી જ જાત અનુભવ લઈને આ બાબતે લખજો, હવે મેધા પાટકર અને અરૂધતી રોયની વાત કરીશ, તમે સાધન સંપ્પન ના હોય તે અવસ્થામાં વિસ્થાપિત થયા છો ? દેશનાં વિકાસ માટે પાણીની / સિંચાઈની જરૂરિયાત માટે જંગલનાં માણસોની જમીન જે કાયદા હેઠળ સરકારશ્રી એ ખાલસા કરી તે જ કાયદા હેઠળ શા માટે એ પાણીનો ઉપયોગ કરનારોની જમીન ખાલસા કરીને વિસ્થાપિતોને આપવામાં ના આવી, જયભાઈ, તમને આવો વિચાર કદી આવ્યો છે ? જો મિડિયા-ચોથી જાગીર આ માટે જાગ્રુત હોત તો મેધા પાટકરની કે અરૂધતી રોયની ક્યાં જરૂર હતી ? બંધારણે તમને 50% ની અનામત આપી છે છતાં પણ તમને થોડાક અનામતનો લાભ લઈને અનામતધારકો ડોકટર બન્યા/ઉચ્ચ પદે પહોંચીને તમારા બોસ બન્યા અને તમારી સમકક્ષ બેસીને ચર્ચા કરી શકે તે ખુંચે છે, બાકી તો 35% વાળો લાખો ખર્ચીને ડોકટર બને છે એની સામે કોઈએ આંદોલન કર્યા હોય એ બતાવશો ? મારા તમારા ટેક્ષનાં નાંણા માંથી ચાલતી મેડિકલ કોલેજમાં ભણીને દેશની સેવા કરવાને બદલે અમેરિકા જતો રહેતો ડોકટરની વિરૂધ્ધ કોઈ આંદોલન કર્યાનું સાંભળ્યુ છે ? માનસિકતા બદલાશે તો સમાજ બદલાશે એવું માનો છો ? જયભાઈ, બીજાની વાત જવા દઈએ, તમે આ શુભ કામની શરૂઆત કરો એક દલિતની દીકરીને તમારી વહુ બનાવીને, શરૂઆત કરો પછી વાત કરીશું .ઓ.કે.

    Like

     
    • jay vasavada JV

      March 20, 2012 at 2:01 AM

      મુંદ્દાની વાત કરો દોસ્ત. માત્ર લેખમાં ઘણા મુદ્દા છે. નર્યા બળાપા અને જાણકારી વિનાના વ્યક્તિગત પડકારા એના જવાબ નથી. તમે ઉઠાવેલા પ્રશ્નો માનસિક છે ને એ અનામતથી ઘટતા નથી. નહિ તો ગાયબ જ હોત. ફરીને વાંચો.

      Like

       
  37. arunchaudhari

    March 20, 2012 at 11:06 AM

    તમારી સરસ મઝાની વાતો ફક્ત વાતોનાં વડા છે, એ આપ ખુબ સારી રીતે જાણો છો, આનો ઉકેલ પણ સવર્ણ સમાજનાં લોકોની શોષિત વર્ગનાં લોકો પ્રત્યેની સુગ દુર થવાથી જ આવે તે પણ આપ જાણો છો, તો પછી આ સુગંધિત રેપરમાં વિંટાળેલી વાસી ચીજો જેવી સુફિયાણા મુદ્દાઓ થી અનામત દુર થશે ? જાત અનુભવ લઈને આવી સુફિયાણી સલાહો આપજો, જયભાઈ.

    Like

     
    • arunchaudhari

      March 28, 2012 at 2:37 PM

      જયભાઈ, સીધા પ્રશ્નો ટાળો નહિ, તમારી વિદ્વતા ભરી વાણીનો બધાને રસ પીવડાવો, તમે ઘણા બધા મુધ્ધાઓ કહ્યા, પરંતુ પત્રકાર મિત્રો/ કોલમિષ્ટોએ ફક્ત જાત અનુભવ વગર વાણી વિલાસ જ કરવાનો ? આ તમારો હક્ક છે , ખરૂને ? લોકોને પણ કડવી પણ સત્ય વાતો ક્યાં ગમે છે ? તમતમારે મધ ઝરતી વાતો કર્યે રાખો અને વાહ વાહ મેળવતા રહો. આ તો વર્ષો પુરાણો અનુભવ છે આપનો .

      Like

       
  38. Harpal

    March 23, 2012 at 10:01 AM

    The article is good for our society.

    Like

     
  39. hiral dhaduk

    March 23, 2012 at 2:34 PM

    jay,tamaro aa blog hu ek nazare j vachi gai,nazar hatavvani ichha j n thai,mara manma aa babat mate j vicharo hata te tame kevi saras rite ahi mukya,thankxxxx,aavu article matra tame ane tamej lakhi shako chho,my salute to u for this….dear.

    Like

     
  40. arunchaudhari

    March 28, 2012 at 2:29 PM

    જય વસાવડાજી, તમે જાત અનુભવ લીધા વગર મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરી….. એ વાંચીને એક પ્રશ્ન ઉદભવ્યો છે, મને વિશ્વાસ છે કે તમે એનો ઉત્તર આપશો જ , પ્રશ્ન :- આ બંધારણિય જોગવાઈઓને કારણે અનામત આપી છે/ આપવી પડી છે , જેની અમલવારી કરનારાઓએ એનો પ્રમાણિકપણે અમલ કર્યો નથી અને એટલે જ આટલા વર્ષો પછી પણ અનામતધારી વર્ગ પ્રત્યેની સવર્ણોની સુગ ઘટી નથી અને અનામતધારી લોકોની સામાજીક સમરસતા પણ થઈ નથી અને તેમ છતાં એ તીડો કઈ રીતે કીડી જેવા બને તેની રસસભર વાતો તમે કહી, આનંદો…….., એક અંગત પ્રશ્ન પુછુ? તમે ખરેખર બંધારણને વફાદાર છો ? એનાં નિયમો પાળો છો ? બધી જ વસ્તુ ના ખરીદ બીલો લો છો ? ઈનકમ ટેક્ષ સાચો જ ભરો છો ? ભગવાનને માથે રાખીને સાચુ કહેજો, જો તમે બંધારણની જોગવાઈઓનો અમલ કરતા ના હોય તો મહેરબાની કરીને બંધારણ મુજબ અપાતી અનામત બાબતે વાણી વિલાસ ના કરશો, તીડની ચિંતા કરવાને બદલે તીડની જીંદગી કેવી છે એ જાણવાની કોશિષ કરો, સત્યથી દુર ભાગવાની કોશિષ ના કરો, તીડ બન્યા વગર, તીડની મનોવેદનાનો અનુભવ કર્યા વગર બોલવું વ્યર્થ છે. એક પ્રયોગ કરવા ખાતર કાઠિયાવાડ જઈ પોતે એસ,સી,છે અને પાણી પીવું છે એવુ કોઈ સવર્ણનાં ઘરે કહીને પાણી પીવાનો જાત અનુભવ મેળવો, તરસ્યાને / પાણી માંગનારને પાણી આપતા પહેલા પુછાય છે કે ,જાતે કેવા છો ? અને પછી તેને પાણી નસીબ થાય છે જો તે સવર્ણ હોય તો , જય વસાવડા સાહે…..બ, એ ભુમિ તો ભગવાનોનાં જન્મોની ભુમિ છે ,ખરૂને ?

    Like

     
    • jay vasavada JV

      March 28, 2012 at 3:11 PM

      koi seedha prashno taltu nathi. pahela article ma me uthavela seedha prashno na yto javab aapo? darek vakjhte peeda game etli vajbi hoy to y e je mudda ne lagu na padye tya pan radya karvi e samy ane samj beuni barbvadi chhe. me lakhyu j chhe bharat na darek nagrik ne em j lage chhe ke mane anyay thay chhe etle kai bhoolono gunakar thay. chavi chavi ne vachta sheekho, tame uthavya e mudda na javabo advance ma j lakhya chhe. tamare selected reading tamari vat kaheva purtu j karvu chhe.

      Like

       
      • arunchaudhari

        March 28, 2012 at 3:28 PM

        હું તો તમારા દરેક વાક્યો અને પ્રશ્નોનાં જવાબ આપીશ, તમે બંન્ને બાજુની વાતો લખી છે, પણ જાત અનુભવ વગરની વાતોમાં દમ હોતો નથી, એટલે તમારી દલીલોમાં વજુદ ભળે એ માટે મેં તમને જાત અનુભવ લેવા જણાવેલ પરંતુ તમે 10 મીનીટ માટે પણ દલિત હોવાનો અનુભવ લેવા કે અનુભવ લઈને તે અનુભવ લખીશ એવુ કહેવા તૈયાર નથી, એનો અફસોસ છે, મને તો એવું લાગતુ હતુ કે તમે લખો છો એ માટે તમને તમારી પાસે પર્યાપ્ત અનુભવ છે, પરંતુ આ તો ખાલી શબ્દોની માયાજાળનાં જાદુગર ને હું અત્યાર સુધી હોંસે હોંસે વાંચતો હતો.

        Like

         
        • jay vasavada JV

          March 28, 2012 at 4:22 PM

          TAME MANE OLKHO CHHO? KOI MARA ANGAT JIVAN THI PARICHIT CHHO? TAME EVU KEVI RITE JUDGEMENT AAPYU K MANE KASHI KHABAR NATHI? MUL MUDDA PAR VAT KARO SAHEB, SAM-SAMVEDAN JEVI KOI BABT HOY CHHE. TAME TO KALE MRUTYU NO ANUBHAV LAI NE LAKHVANI VAAT KARO. BHAI MARA, MARA LEKHO MA JAVAB CHHE J NE CHARCHA NISHPAX J CHHE PAN TAMARRE SATAT VYAKTIGAT ANE E Y VAHIYAT VAAT J KARVI HOY TO SORRY.

          Like

           
      • kunalkm

        March 28, 2012 at 5:01 PM

        હમ્મ્મ્મ….
        નવું જાણવા મળ્યું.
        હવે થી જેણે ફિલ્મ બનાવી હશે એજ ફિલ્મ વિષે લખી શકશે, જેણે સંગીત શીખ્યું હશે એજ સંગીત વિષે ટીપ્પણી કરી શકશે. આર્મી વિષે લખતા પહેલા સરહદ પર જઈને લડાઈ કરવી પડશે, ભ્રષ્ટાચાર વિષે લખતા પહેલા ભ્રષ્ટાચાર કરવાનો અને મૃત્યુ વિષે લખતા પહેલા મૃત્યુ નો જાત અનુભવ લેવો પડશે 😀

        Like

         
      • kunalkm

        March 28, 2012 at 5:05 PM

        હમ્મ્મ્મ….
        નવું જાણવા મળ્યું.
        હવે થી જેણે ફિલ્મ બનાવી હશે એજ ફિલ્મ વિષે લખી શકશે, જેણે સંગીત શીખ્યું હશે એજ સંગીત વિષે ટીપ્પણી કરી શકશે.
        આર્મી વિષે લખતા પહેલા સરહદ પર જઈને લડાઈ કરવી પડશે, ભ્રષ્ટાચાર વિષે લખતા પહેલા ભ્રષ્ટાચાર કરવાનો અને મૃત્યુ વિષે લખતા પહેલા મૃત્યુ નો જાત અનુભવ લેવો પડશે 😀

        Like

         
  41. ronak

    April 25, 2012 at 9:22 PM

    me blog ane badhana reply vachya mane em thay che ke have aano ukel su??????? aagal vadhva mate to future nu j jovu padse ne. for example if we want to beat america what steps should we take???

    Like

     
  42. Jayanti

    May 10, 2012 at 5:13 PM

    અનામત થી માનસિકતા ના બદલાય એ વાત એકદમ સત્ય છે, પણ માનસિકતા એજ અનામત ના બીજ રોપ્યાછે, બાબા સાહેબ ને અને ગાંધીજી એ જાણતા હતા એટલેજ એમણે અનામત નો અમલ કર્યો છે, આપણે ભુતકાળ મા જઈએ તો, કોઈ સવર્ણની માનસિકતા એ હતીજ નહી કે તે દલીતને નોકરી આપે અને નોકરી આપવાના બધાજ હકો તેમની પાસે હતા, અરે આ તો અંગ્રેજો આવ્યા નહી તો કદાચ દલીતવર્ગ આજે પણ શીક્ષણ વિહોણા હોત, આજના જ જમાનાની વાત કરો સાહેબ, કોઈ સવર્ણની પેઢીમા દલીત ઉચા સ્થાન પર જોવા નહી મળે….સારા વિસ્તારમા ઘર લેવામાટે સરનેમ બદલવી પડે તોય પાછા ચકાસણીના પ્રષ્નો તો ખરા, કયા ગામના વગેરે વગેરે…દલીતોને કોઈ જમીન નહી, એ લોકો પાક્કા મકાનમા શેના રહે અરે આજેપણ ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓમા દલિતને સંડાસ બાથરુમ નથી બનાવવા દેવાતા…
    પણ હા એ જગતનુ સત્ય છે કે જો તમેજ તમારી જાતને નિચી ગણશો તો બિજાતો ગણવાનાજ છે, અને જયભાઈની એ વાત સાથે સહમત છુ કે દલિતોમા પણ પોતાનાથી નિચા ગણાતા દલિતનુ અપમાન દલિતો દ્વારા કરવામા આવેછે…બાકિ કાઠિયાવાડમા ભગવાનને ભુલો પડવાનુ આમંત્રણ છે દલિતને નહી…

    Like

     
  43. mahendrabhasa

    June 3, 2012 at 3:10 PM

    tamam prashno nu mul hindu dharm se jati e hindu dharm na mul ma se teno matra ek j upay se bharat ne boudhmay karvo ane hindu dharm ne nabood karvo

    Like

     
  44. suhanilife

    June 10, 2012 at 5:32 PM

    ek dam true.. have to aa reserved quota ne lidhe. brahmin,vaniya,lohana jevi caste ni ek jamana ma j dalit ni hti evi kri nakhi che..

    Like

     
  45. Dr.Kamini B.Dashora

    December 9, 2013 at 12:27 PM

    Nice article…………

    Like

     
  46. Dr.Kamini B.Dashora

    December 9, 2013 at 12:45 PM

    All reader please dont take all things only personally or socially, but i must say that in present time directly or indirectly increse gap between open and reserve category .So we try to think on this issue.

    Like

     
  47. Jay gusai

    April 14, 2015 at 4:01 PM

    Ok… NothIng new….we all know bhukhya ne rotlo madi rahe eva nyay karva jata laadva vahechai gaya chhe…. But solution suggest karo saheb….

    Like

     
  48. sanjay upadhyay

    April 14, 2015 at 11:28 PM

    લેખમાં દર્શાવેલ મુદ્દાઓને વળગીને જ ચર્ચા કરવાને બદલે વાચકો પોતાના વિચારો પ્રગટ કરવાના ઉત્સાહમાં મૂળ સમસ્યાને વફાદાર રહી શકતા નથી એ દુખદ છે. અનામત જરૂરી કે બિનજરૂરી એ નિર્ણય કરતા પહેલા અનામત આપણી શરમ છે એ સત્ય સ્વીકારવું રહ્યું. અનામત દાખલ કરતા સમયે જ તેને ક્રમશઃ ઘટાડતા જવાનું પ્રાવધાન બંધારણ ઘડનારાઓએ કરેલું જેને રાજકારણીઓએ અને ખાસ કરીને સવર્ણ રાજકારણીઓએ પોતાના સ્વાર્થવશ ઉડાવી દીધું અને ઘટાડવાને બદલે વધારવાનું વલણ અપનાવી વોટ બેંક મજબૂત કરવાનું શસ્ત્ર બનાવી દીધું. અનામતને લીધે દલિત કે પછાત વર્ગ કદાચ આગળ વધ્યો હશે પણ એને લીધે બે વર્ગો વચ્ચેની જે ખાઈ હતી તે કેટલી પૂરાઈ એ તપાસવા જેવું છે. જેમ ઉપર કહેવાયું છે એમ આર્થીક માપદંડને અનામતનો આધાર બનાવાય અને આર્થીક મદદથી અસમાનતાની પૂર્તિ થાય એ વધુ તાર્કિક ને યોગ્ય ઉપાય છે. જ્ઞાતિ આધારિત અનામત કદાચ એક સમયે જરૂરી હશે પણ તેને ઘટાડવાને સ્થાને કાયમી બનાવી વધારતા જવાથી તો વર્ગવિગ્રહ વધે એ દીવા જેવું સત્ય સ્વાર્થી રાજકારણીઓ તો નહિ જ સ્વીકારે. આ પરિસ્થિતિને સુધારવા ફરી આંબેડકર જેવો કોઈ દીર્ઘદ્રષ્ટા જન્મ લે તેની રાહ જોવી પડશે?

    Like

     
  49. bhagirathsinh rana

    April 14, 2015 at 11:41 PM

    reservatopn to atyare education ke naukari mate nahi pan reservation to matra ane matra politics mate j chhe.
    aaje koi pan gnati jeni vasti vadhare chhe e reservaton mange rail roke sadak jam kare be char var mla mp ne harave etle emne reservation madvanu pakku
    varsho thi je loko pachhat chhe emne thodak labh male ema kai khotu nathi parantu ek ne ek labh ek j loko ne made e pan khotu chhe ane ias ips doctor class 1 2 jevi line mato reservation hovu j na joiye karan ke pachhat varg ne thodi madad ni jarur chhe baki kabileyit ubhi karo evu to na hoi sake ne ke cricket ma opener ma resevation lagu kari deva ma ave to
    su vaignaniko ma reservation lagu kari deva ma ave to
    ek saro budhi sali vyakti kyarey evu nathi manto ke reservation category vala hosiyar nathi hota hoy j chhe bas darek reservvation vada em j mane chhe ke aa amaro janma sidh adhikar chhe ane rahi wat savrano ni ek divas jor sor thi virodh karse je politics vote bank mate reservation api ne satta ma chhe ene praja j dhakka marine kadhi mukse ane desh ma sache j jeni jaruriyat chhe e loko ne labh madse evi rajniti ni saruat thase without reservatoin

    Like

     
  50. Milan...

    April 14, 2015 at 11:44 PM

    I think this story is good enough to explain so many things.
    ———————————————————.
    Ant and Grasshopper – Indian Version of story – too good and fact

    Original Story:

    The Ant works hard in the withering heat all summer building its house and
    laying up supplies for the winter. The Grasshopper thinks the Ant is a fool
    and laughs dances plays the summer away. Come winter, the Ant is warm and well fed. The Grasshopper has no food or shelter so he dies out in the cold.
    ……………………..

    Indian Version:

    The Ant works hard in the withering heat all summer building its house and
    laying up supplies for the winter. The Grasshopper thinks the Ant’s a fool and laughs dances plays the summer away.

    Come winter, the shivering Grasshopper calls a press conference and demands
    to know why the Ant should be allowed to be warm and well fed while others are cold and starving.

    NDTV, BBC, CNN , Asianet show up to provide pictures of the shivering Grasshopper
    next to a video of the Ant in his comfortable home with a table filled with food.

    The World is stunned by the sharp contrast.

    How can this be that this poor Grasshopper is allowed to suffer so?

    Arundhati Roy stages a demonstration in front of the Ant’s house.

    Medha Patkar goes on a fast along with other Grasshoppers demanding that Grasshoppers be relocated to warmer climates during winter .

    Mayawati states this as ‘injustice’ done on Minorities.

    The Internet is flooded with online petitions seeking support to the Grasshopper

    CPM in Kerala immediately passes a law preventing Ants from working hard in the heat so as to bring about equality of poverty among Ants and
    Grasshoppers.

    Railway minister allocates one free coach to Grasshoppers on all Indian Railway Trains, aptly named as the ‘Grasshopper Rath’.

    Finally, the Judicial Committee drafts the ‘Prevention of Terrorism Against Grasshoppers Act'[POTAGA] , with effect from the beginning of the winter..

    Education minister makes ‘Special Reservation’ for Grasshoppers in Educational
    Institutions in Government Services.

    The Ant is fined for failing to comply with POTAGA and having nothing left to pay his retroactive taxes, it’s home is confiscated by Government
    and handed over to the Grasshopper in a ceremony covered by NDTV, BBC, CNN.

    Arundhati Roy calls it ‘A Triumph of Justice’.

    Railway minister calls it ‘Socialistic Justice’.

    CPM calls it ‘Revolutionary Resurgence of Downtrodden’

    .
    .
    .
    .

    Many years later…

    The Ant has since migrated to the US and set up a multi-billion dollar company in Silicon Valley ,

    100s of Grasshoppers still die of starvation despite reservation somewhere in India ,

    ….AND

    As a result of losing lot of hard working Ants and feeding the grasshoppers, India is still a developing country…!!

    Like

     
  51. rakesh

    April 15, 2015 at 12:35 AM

    baudh dharm apnavo….jativaad ny rahe…aarshan ni pan jarur ny rahe …

    Like

     
  52. Rohan Vamja

    April 16, 2015 at 3:42 PM

    Plz Ye jarur padhiye
    2 min hi lagegi
    स्कूल से एक 6th क्लास का बच्चा अपने घर आ कर अपनी माँ से पूछता है –

    “माँ ये sc और st क्या हैं ?”

    माँ: बेटा ये तुम्हे क्यों जानना है ?
    बच्चा: माँ आज सर हमसे पूछ रहे थे की कौन कौन sc st का हैं !!!!!

    माँ: बेटा उन्होंने ऐसा क्यों पूछा उन्होंने नहीं बताया क्या ?

    बच्चा: बताया पर सिर्फ इतना की जो जो sc st के हैं उन्हें पैसे मिलेगे और हो सकता है की obc वालो को भी दे दे पर माँ ये क्या होता हैं कास्ट?

    माँ: बेटा हमारे सविधान में 4 कास्ट बनायीं है sc st obc और जनरल तो सरकार उन्हें गरीब और पिछड़े हुए लोगो को मदद करने के लिए सुविधा दी हैं।

    बच्चा: पर माँ सिर्फ उन्हें ही क्यों मिलती हैं और मेरा दोस्त तो गरीब भी नहीं हैं फिर
    भी उससे मिलेगे पैसे ..ये सुविधा गरीब के लिए हैं तो हम भी गरीब है न तो हमको क्यों नहीं मिलेंगे पैसे?

    माँ: बेटा ये सविधान में लिखा है ।

    बेटा: पर माँ सविधान के बारे में कहा था की सब को एक जैसा हक़ है तो फिर ये क्यों ?

    माँ: बेटा ये सब राजनीति का गन्दा खेल हैं उनकी वजह से आज धर्म और जाति के नाम पर लोग एक सामान नही हैं
    बेटा: पर माँ हम क्या हैं जिस से हम को पैसे नहीं मिलेगे ।

    माँ: बदनसीब।
    हम लोग बदनसीब है बेटा ।
    पूरे विश्व में कही पर इस तरह का नियम नहीं है बस हमारे भारत में है ये सुविधा । …सविधान निर्माता ने इसको सिर्फ 10 वर्ष के लिए रखा था पर ये देश के दलालो ने इसको पूर्ण रूप से लागू कर
    दिया ।
    ….अगर इन्हें लागू करना ही है तो राजनीति में भी लागू करना चाहिए मुख्यमंत्री और प्रधानमंत्री भी sc और st का होना चाहिए तब पता चलेगा उन्हें भी ।

    बेटा: माँ क्या आगे भी मुझे मुझे इसी तरह की दिक्कत होगी ???

    माँ: हाँ बेटा ।
    आगे तुझे पढ़ाई में,नोकरी में ,प्रमोशन में, हर जगह दिक्कत आएगी …
    जातिवाद का जहर तुझे मजबूर कर देगा और तू कितना भी सहन कर ले एक दिन तू जरूर बोलेगा की ये कोटा बंद करो ।

    बेटा: माँ तो क्या हमारी मदद कोई नहीं करेगा काश में भार

    Like

     
  53. jit

    April 16, 2015 at 5:16 PM

    WELL DISCUSSED
    GREAT SOCIOLOGIST I.P.DESAI WRITE ARTICLE IN EPW ON “SHOULD CAST IS BASE FOR RESERVATION?” PLEASE READ IT ALSO.

    Like

     
  54. Shyambhai

    April 17, 2015 at 12:30 PM

    આપણે બધા તો અનામત થી અલગ મેરીટ પ્રમાણે ચાલવા નું સ્ટાર્ટ કરી દઈએ at least..

    મારી વાત કરું તો હું ભાગવત કથાકાર છું .. હું બ્રાહ્મણ છું .. મારી સાથે કથા માં વાયોલીન વગાડે છે એ દરબાર છે ..તબલા વગાડે છે એ પટેલ છે ..sound વાળા ભાઈ ધોબી છે ..અને અમે સાથે જ બેસી ને જમીએ છીએ.

    આવા બીજા ઉદાહરણો આપ બધા પણ મુકશો તો આપડા બધા ને થોડી ઠંડક મળશે અને કેવળ ચર્ચા જ નહિ પણ થોડી ચર્યા પણ કરી ગણાશે.. શુભકામના !!

    Like

     
  55. Deep Patel

    April 18, 2015 at 6:46 PM

    jay sir, bj medical no tame j muddo uttavyo e badhane nade 6 pan koi kashu kartu j nathi…maro balapo tame khub saras rite shabdo ma vyakt karyo 6 & helicopter nu udaharan chotdar 6…

    Like

     
  56. kjj

    April 21, 2015 at 5:57 PM

    Dear sir..reservation na rules 50 vars thi hase pan genuin impliment have thayu chee…atyare je pan st sc ni seats aave che e baklog ni hoy che..wats baklog e tame jojo…and gujrat ni ghani leading colleges ma and exam ma qualified persons na call letter emne pohchadaya j nthi and pachi e seats kadi reservation ma nathi bharai…tyar bad jyare awareness avi etle hve baklog ma e bdhi seats bharay che nahi to e badhi seats pan convert j thati hti…….etle hve apan ne m lage che k aa khotu che pan aa pachal ambedkar ji no view evo hto k arthik samajik samyat sthapay..jo imandari thi impliment thyu hot to parinam malya j hot pn nathi htyu so hju e similarity aavta time lagse tya sudhi aa niyam yogya che sir…je bhai nablo hoy ene ma bap n bhai badha sath api ne ubho kare e view chhe aama….vasudhaiva kutumbakam nu broad thinking karo to kadach aa vichar samjay…

    Like

     
  57. Kamal

    May 3, 2015 at 9:07 PM

    Hello Jay,
    Bauj lamba samay thi tamne sambhdu 6u and vanchu 6u…
    Pehla to tamari Kidi and Tid vadi vaat ek pan angle thi Open VS SC/ST ma bandh besti j nathi, tamaru tya basic j khotu 6…Biju koi e koi vyavstha svikareli nathi, badhi vastu thopayeli 6…Koi dalit ne em kehva ma Ave jao kal thi tame open ma Avo to e reservation ne laat marine fenki de…Tame je vastu ke vyatha anubhaveli j nathi eno tame ehsas nahi j kari sako, manyu open category ne vethvu pade, pan je loko e hajaro varsho thi bhogvyu enu su???Sikka ni be baju 6…Aankho Kholi ne juo kyarey….. Geeta par aatli Saras vaato bolva vada Jara Jago, vicharo pa6i bolo. And Gandhi to pote varna vyavstha na aagrahi hata e su dalit ne madad karvana.

    Like

     
    • Jitendra Chavda

      August 15, 2015 at 3:06 PM

      I agree Kamalbhai……Ketli smartness thi loko ne divert karvani vaat chhe aa lekh ma…….BHai Story Undhi chhe…. Tid Sakhat Mehnat Karta ta ne Kidio Kai pan karya Vagar Diksha ne Bhiksha lai Raj Karti ti……Ane Have e Kidio mana Amuk Itihaas Lakhva mange chhe ke Kidi Mehnat Karine Jalsa Karti ti en tid Adsu hata…….Very Unfortunate and Unexpected from such a writer….

      Like

       
  58. Arvind Rathod

    May 28, 2015 at 1:45 PM

    आरक्षण को सभी जगह से ख़त्म कर देना चाहिए।इसी आरक्षण ने समाज को नुकसान पहुचाया है लोग एकदूसरे को फूटी आँख नही सुहा रहे है।
    नौकरी में आरक्षण ,रेलवे में आरक्षण,
    बस, ट्रेन और प्लेन में आरक्षण
    इन सभी को ख़त्म कर देना चाहिए
    मंदिरो में जन्म जात पुजारियो का आरक्षण
    वहां अन्य लोगो को घुसने भी नही दिया जाता है पुरोहित केवल ब्राम्हण ही है उस आरक्षण को भी ख़त्म करे
    संकराचार्य की कुर्सी सदियो से ब्रामहण वर्ग के लिए आरक्षित राखी है उस आरक्षण को भी ख़त्म करे।
    ब्राम्हणो के घर पैदा लेने वाला ब्राम्हण
    क्षत्रियो के घर पैदा लेने वाला क्षत्रिय
    वैश्यो के घर जन्म लेने वाला वैश्य
    शुद्रों के घर पैदा लेने वाला शुद्र
    जन्म के साथ जो जातिवादी आरक्षण का टैग लगा है उसे भी बन्द करे।
    इन्ही आरक्षित वर्ग में शादी को भी बैन करना चाहिए और जाति विच्छेद द्वारा
    ब्राम्हण सूद्र से,
    क्षत्रिय बैश्य से,
    वैश्य ब्रम्हणसे,
    शुद्र क्षत्रिय से,
    अर्रेंगे करके
    शादी करना चाहिए
    ये भी जन्म जात आरक्षण है इसे भी बन्द होना चाहिए।
    शिक्षा को सामान बनाओ
    कोई कान्वेंट नही,
    कोई सरस्वती शिशु मंदिर नही,
    कोई डीपीएस नही,
    कोई नेशनल नही,
    कोई इंटेरनाशनल नही,
    कोई स्टेट स्कूल नही
    सभी के पाठ्यक्रम कॉमन हो
    सामान हो।
    तो मैं इस विरोध के समर्थन में हु।

    Like

     
  59. ajj

    August 23, 2015 at 11:06 AM

    Aakha vishv ma fakt bharat na j sc, St ane obc ne anayay thay 6e ? Mitro vishva na most off desh ma tyana ek varn ke ek samuday ne anayay thayo 6e. Ex. Tarike aafrica ma rangbhed Ni niti, America ma pan kala gora no bhedbhav. Prantu tyani govt. Temno vikas anamat aapi ne nathi karyo.jo America e kala loko ne special anamat aapyu hot ne to haju te loko pa6at j hot. Aaje e kala loko America ma gora loko jetla j pragti ma. 6e.American rastrapati barak Obama temaj Hollywood ma pan kala. Lokono dabdabo 6e e kai anamat melvi ne ka aagad nathi aavya. Privarn ye samay no niyam 6e. Je samay sathe nahi chale te fenkay jase.Badha Badha loko juni vastu pakdine besse to kem chalse

    Like

     
  60. ajj

    August 23, 2015 at 11:41 AM

    Vartman ma jivo. Sci. Ane technology ne deshe aapnayu j na hot to. Juni system thi desh ne chalavyo hot to. To aapno desh aatli pragti Kari sakyo j na hot. Ane koi manas pase karodo ni sapti hoy to pan te teno vyavsthit upayog na kare ane bhogvilas kare to eni karodo Ni sampati fakt 1 thi 2 varsh ma khatam thay jay. Ane have sampurn samay badlay gyo 6e. Have kai evu rahyu j nathi. Kathiyawad na gamda ma pan have sc ane open Vada sathe nasto kare 6e. Aapna hath Ni panch aangdi sarkhi nathi hoti. Samaj amuk loko ne karne badha ne bhogvvu pade te kyano nayay ?? Tame em kaho 6o ke sari sociaty ma amne koi makan bhade ke venchatu nathi aptu to evu to amari sathe pan bane 6e. Aaje pan bharavad, ahir ane darbar ne Pan sari sociaty ma koi makan nathi aptu. To amare su amari gnati vank kathvo. Tame loko kai pan problem thay to fakt gnati no j vank katho 6o je yogy na kevyay.Saru Sarkar amne anamat nathi aapti. Karan ke anamat ape to ame mehnat karvanu bandh Kari dayiye ane sarkar pase bhikh mangva mandiye. Ane amre sarkar Ni bhikh Nathi joyti..

    Like

     
  61. asonchaudhari

    September 4, 2015 at 12:27 AM

    snmaniy shaheb,
    pela to aa udbodhan jetil lagni mne tamara lekho mate hoy 6e.kanke ae vachya p6ini anubhuti kaik ahladk hoy 6e.pan sir hu pan aa kidi ane tidni varta sathe kyak snmat nthi.aanamt leva valaao kai tidni jem pela aarm kyone pa6i jruriyat ubhi thata anamat magi?good sir good good…krekhar to tmare je loko anamnatno labh mle 6e ne aeva amuk loko par abhyas krvani jrur 6e.aemno bhutkal janvani jrur 6e ane aatyare kevi sthitima jivi rhya 6e ae pan juo.ha hu tmri non krimiliyar vali vatthi chokas shamt 6u. saheb tme ko 6o ne ke bija desoma kya anamt 6e. hmanini ravi purtima

    Like

     
  62. asonchaudhari

    September 4, 2015 at 12:36 AM

    snmaniy shaheb,
    pela to aa udbodhan jetil lagni mne tamara lekho mate hoy 6e.kanke ae vachya p6ini anubhuti kaik ahladk hoy 6e.pan sir hu pan aa kidi ane tidni varta sathe kyak snmat nthi.aanamt leva valaao kai tidni jem pela aarm kyone pa6i jruriyat ubhi thata anamat magi?good sir good good…krekhar to tmare je loko anamnatno labh mle 6e ne aeva amuk loko par abhyas krvani jrur 6e.aemno bhutkal janvani jrur 6e ane aatyare kevi sthitima jivi rhya 6e ae pan juo.ha hu tmri non krimiliyar vali vatthi chokas shamt 6u. saheb tme ko 6o ne ke bija desoma kya anamt 6e. to seheb bija desoma to aapda jetla bhikhariyo pan nthi ane ke pa6i aapna jetlo brtachar pan nthi.aa brtachar rupi bdini sme aa anamt 6e to j aaje st.sc.obc thoda gna aagal aavi skya 6e.sir me tmara hmna na ravi pruti na ” ma mne 6mvdu” vlo je pateloni trfdari krto je lekh aavyo to aena vise tamara blogma thodok maro vichar moklelo 6e je hal witingma 6e plz aene vachjo ane p6i kejo

    Like

     
    • A C CHAUDHARI

      February 6, 2017 at 5:07 PM

      અહિ જાતિવાર વસ્તીને ભૂલી ગયા……ઓબીસી 52 %+ દલિત 17 %+ આદિવાસી 8% = 77 % વસ્તીને 49 % અનામત છે અને અનામત વગરના 23 % વસ્તી માટે 51 % કવોટા વધે છે….આમા સમાનતા નથી…દરેક જ્ઞાતિને એની વસ્તીના પ્રમાણે અનામત આપી દો….દરેકને ન્યાય મળી જશે…..બીજામા ભાગ પડાવવાની વૃતિને કારણે વિવાદ છે….અનામતથી રક્ષાયેલી સીટ પૈસાથી ખરીદી નહી શકવાનો રંજ તો નથી ને ?

      Like

       
  63. ભલાભાઇ સોલંકી

    November 13, 2017 at 7:55 AM

    આપનું લંબાણપૂર્વક પરંતું એકદમ સરળ અને સચોટ લેખ બદલ ખુબ ખુબ ધન્યવાદ.

    Like

     
  64. Raj Gajera

    December 6, 2017 at 10:16 PM

    આજે ઓપન કેટેગરીમાં આવતી જ્ઞાતીઓના દાદાઓ કે એમના પુર્વજોએ અમુક સમાજના લોકોને અન્યાય કર્યો હતો, સદીઓ પહેલા રાજાઓ કે જેમની પાસે રાજ તથા જમીન હતી, બ્રાહ્મણો કે જે ધર્મથી સમાજ પર રાજા જેવું જ સ્થાન ધરાવતા ને અમુક જ્ઞાતીના વેપારીઓ કે જેમની પાસે વેપાર કરવાની સુઝ હતી ને તેઓ પૈસાદાર હતા, આ ત્રણ જ્ઞાતિઓ સિવાય મને તો એવી બીજી એકપણ જ્ઞાતી નથી દેખાતી કે જેની પાસે બીજા સમાજ પર અત્યાચાર કરવા માટેની કોઈપણ શક્તિ હોય. પાટીદારો તો એ સમયે “દાડીયા” હતા, મજુરીકામ કરનારો સમાજ હતો, આ તો સરકારનો નિયમ આવ્યો કે, “જે મજુર જમીન ખેડતો હોય એ જમીન એની” ત્યારે પાટીદાર સમાજ પાસે જમીન થઇ. ચાલો તો પણ માની લીધું કે પાટીદાર કે અન્ય જ્ઞાતીના પુર્વજોએ અમુક સમાજને ખુબ જ હેરાન કરતા.
    આખી દુનીયા જાણે છે કે બ્રિટીશરોએ આપણા પર કેટલા વર્ષો સુધી રાજ કર્યું, અને આપણી સંપત્તિ લુંટીને જતા રહ્યા, હવે આપણે બધા એક કામ કરીએ, ભારત સરકારને કહીએ કે બ્રિટનની રાણીને અરજી કરો કે તમારા પુર્વજો અમને લુંટીને જતા રહ્યા એટલે અમે પછાત રહી ગયા માટે હવે તમારે અમને અનામત આપવું પડશે. અમે અમારા દેશના વિધ્યાર્થીઓને ત્યાં મોકલીશું, તમે તમારા દેશમાં ભારત માટે અનામત રાખો, બ્રિટનની બધી મેડીકલ, એન્જિનીયરીંગ કે અન્ય તમામ કોલેજમાં 30% ભારતીયોને પ્રવેશ આપવો જ પડશે પછી ભલે એના લીધે તમારા બ્રિટનના વિધાર્થીઓને અન્યાય થાય, એમને એ અન્યાય સહન કરવો જ પડશે કેમ કે એના બ્રિટીસર દાદાઓએ અમારા ભારતના વિધ્યાર્થીના દાદાઓને અન્યાય કર્યો હતો.
    મે ભારતીય ઇતિહાસમાં વાંચ્યું છે, કે સદીઓ પહેલા અમુક મુસ્લીમ શાસકો મહંમદ ગઝની કે ઑરંગઝેબ પણ ભારત દેશમાં આવીને ભારતીય ખજાનો લુંટીને જતા રહ્યા, સરકારને કહો કે અત્યારે અંદાજે 50 મુસ્લીમ રાષ્ટ્રો દુનિયામાં છે એ બધાને અરજી કરો કે તમારા દાદાઓ અને પરદાદાઓ અમારા મહાન ભારતને લુંટીને જતા રહ્યા એટલે હવે તમારે અમને મફતમાં ક્રુડ ઓઇલ- પેટ્રોલ કે ડિઝલ આપવું પડશે, તમે અમને બહુ લુંટ્યા હતા એટલે હવે તમારે લુંટાવું જ પડશે.
    અરે અત્યારે કોઇ નિર્દોષ મુસ્લિમ બાળક કે નિર્દોષ બ્રિટીશર બાળક સ્કુલે જતો હોય, સખત મહેનત કરી એ ટકાવારી લાવે ત્યારે એને એમ કહીને ના અટકાવાય કે ભાઇ ભલે તારે ૯૦% હોય પણ મેડીકલની સીટ તને તો નહી જ મળે એ તો તારા કરતા ઓછા ટકા લાવેલા બીજા ભારતીયને મળશે કે જેના પરદાદાએ તારા પરદાદા પર વર્ષો પહેલા અન્યાય કરેલો હતો.
    એટલે, આ તો એવી વાત થઇ કે આપણે યાકુબ મેમણના દિકરાને કે એના પૌત્રને ફાંસીની સજા સંભળાવી દઇએ કેમ કે એના પિતા ગુનેગાર હતા. શાળામાં ભણતા નિર્દોષ ઓપન કેટેગરીમાં કે ઓ.બી.સી.માં આવતા કે અન્ય કોઇપણ જ્ઞાતિમાં આવતા તમામ વિધ્યાર્થીઓને ટકાવારી હોવા છતા તમે એટલે ન અટકાવી શકો કેમ કે એના પુર્વજોએ અમુક સમાજના વિધાર્થીના પૂર્વજો પર અત્યાચાર કર્યા હતા.
    છતાય જો સામાજીક અસમાનતા, આર્થિક અસમાનતા કે શૈક્ષણીક અસમાનતા એટલી નડતી હોય તો એમને આર્થિક મદદ જોઇએ એટલી કરો — જે સરકાર વર્ષોથી કરે જ છે, કરોડો રૂપિયાની સ્કોલરશીપ ને સહાય. સામાજીક મદદ કરો — જે સરકાર વર્ષોથી કરે જ છે, કોઇ જ્ઞાતીનું અપમાન કરે એના પર ફોજદારી ગુનો નોંધાય જ છે. શૈક્ષણીક મદદ કરો — જે સરકાર વર્ષોથી કરે જ છે, સરકારી શાળામાં મફત એડમિશન, પ્રાઈવેટ શાળામાં ભણે તો એની પણ ફી સરકાર આપે છે, મફતમાં પુસ્તકો કે મફતમાં ગણવેષ પણ મળે જ છે. તોય આનો નિવેડો 68 વર્ષોમાં આવ્યો નહી તો હવે તો કોઇ વિકલ્પ તો વિચારવો જ રહ્યો ને !

    Like

     

Leave a comment