RSS

કાશ કૃષ્ણ કળિયુગમાં……

23 Aug

સારું થયું,  કૃષ્ણ વહેલા પેદા થયા ને આપણે જન્માષ્ટમી ઉજવી શક્યા. બદમાશ – બેવકૂફ બૌદ્ધિકોના યુગમાં પેદા થયા હોત તો? દુર્યોધન સમાધાન ના કરવા જીદ પકડે, તો ય મંત્રણા નિષ્ફળ જવા માટે કૃષ્ણ જવાબદાર ઠેરવાઈ જાત ! ભગવદગીતા આખી વાંચ્યા વિના જ યુદ્ધ કરવાની ઉશ્કેરણી ફેલાવવા બદલ એમને જ્યુડીશીયલ કસ્ટડીમાં રખાત ! શિશુપાલે આપેલી ગાળો / રુક્મિણી મેળવવાની તેની લાલસા ભૂલીને એની સામે સુદર્શન ચક્ર ચલાવનાર કૃષ્ણ કેટલા જોખમી આપખુદ કહેવાય એના પર બ્લોગ્સ લખત ને ઓનલાઈન ડીસ્કશન થાત!

શાસક ઇન્દ્રની જોહુકમી સામે ગોવર્ધન પર્વત ઊંચકી સાત દિવસ સુધી ગોવાળિયાઓ ભેગા કરવા માટે એમના પર ૧૪૪મી કલમ લગાડી ‘મિડલ ક્લાસ’ને મુરખ બનવવાના એમના કાવતરાનો પર્દાફાશ થાત ! કંસ, દુર્યોધન, જરાસંધ, નરકાસુર ની ભ્રષ્ટ નાલાયકી સામે ફક્ત ચર્ચાઓ કરવાને બદલે યુક્તિપૂર્વક એમનો વધ કરવવા બદલ કૃષ્ણે રાજકીય ગરિમા અને ઉચ્ચ શકીય વહીવટી પરમ્પરાને બાનમાં લઈને કેવું નુકસાન પહોચાડ્યું છે, એની તપાસ સમિતિઓ નીમવાની ભલામણ થાત અને ત્યાં સુધી એમને શાહી શાસનપધ્ધતિની પ્રતિષ્ઠાના આત્યંતિક અપમાન બદલ અને મહાન રાજાઓ સામે વાપરેલી ધારદાર આકરી ભાષા બદલ ઝનૂની પાગલ ઠેરવી દેવાત !

દ્રૌપદીને પુરાયેલા ચીર વગર સરકારી મંજુરીએ ઉત્પાદિત કરવા બદલ એમને ભ્રષ્ટાચારી ઠેરવી દેવા પાળીતા પત્રકારોની પ્રેસકોન્ફરન્સ થાત, અને વસ્ત્રાહરણનો મહાભ્રષ્ટ આચાર ભૂલાવી દેવામાં આવત! ગોપીઓ મધરાતે સ્વેચ્છાએ રમવા જાય, એનાથી જાહેર શાંતિ જોખમાય તેમ હોઈ ને ગોપીઓ પર લાઠીચાર્જ કરી કૃષ્ણે મંજૂરી વિના વૃંદાવનમાં તમાશો કરવા બદલ તડીપાર કરી દેવાત ! બાળપણમાં અનેક અસુરોને સંહારવા બદલ નિર્દોષ અસુરોને કાયદો હાથમાં લઈને કેમ માર્યા , એ મામલે એમને એમના જન્મસ્થળ યાને જેલમાં એટલો લાંબો સમય રખાયા હોત, કે એજ એમના દેહોત્સર્ગનું પણ સ્થળ બન્યું હોત !

કાલયવનો અને શકુનિઓ એવો પ્રચાર કરત કે ગોવાળિયાઓ ભેગા ફરતા, સુદામા માટે ઉમળકાથી દોડતા, રાધા માટે પળ પળ તડપતા, બાંસુરી વગાડી નાચવા-ગાવા લાગતા, મટકીફોડ અને કાંકરીચાળો કરતા  કૃષ્ણમાં સ્થિરતા, સંતુલન, તટસ્થતા, સૌજન્યનો અભાવ છે! ‘હું જ કાળ છું, હું જ કામદેવ છું, હું જ જ્ઞાની છું, મેં અગાઉ આવું કર્યું છે’ આવા વિવેકહીન આત્યાંતિક વિધાનો કરી પોતાનું એરોગન્ટ અભિમાન બતાવે છે. અશ્વત્થામા કે કાલીય નાગ જેવા કાતિલ-કપટી-કુટિલોને કડક તોછડી ભાષામાં ઝૂડી કૃષ્ણની જબાન તો અસહ્ય જાલિમ છે, માટે એ સુધર્મ સભા સ્થાપતા અને ધર્મરાજની પડખે ઉભવા છતાં લોકહિતના વિરોધી છે.

યાદવાસ્થળી રોકવાના પ્રયત્નો છતાં, ‘લોકોએ આમ કરવું જોઈએ ને તેમ વર્તવું જોઈએ’ એવી શિખામણો આપતા હોઈને, કૃષ્ણ બાણાસુરની દીકરી પુત્રવધુ બનાવીને લઇ આવે છતાં, કાળા અધર્મી અસુરો માટે શ્યામસુંદરને પૂર્વગ્રહ જ કહેવાય. કુબ્જાને ભેટવા છતાં પાછળ રહી ગયેલા દાસ માટે એમને તિરસ્કાર છે, એવું જ મનાય! સગી બહેનને પ્રેમલગ્ન કરવા માટે ભાગવા દેનાર કૃષ્ણ તો પ્રેમના નામે પોતાની ભક્તિ કરવવા માંગે છે! મહાભારતમાં સારથી બનવું એ તો કૃષ્ણનું પબ્લિસિટી ગિમિક કહેવાય! સોનાની દ્વારકા ધરાવતા-સર્જતા હોઇને  કૃષ્ણની શોષિતો,પીડિતો, વંચિતોની ઠેકડી ઉડાવતી ઘાતક મૂડીવાદી માનસિકતા ઉઘાડેછોગ પ્રગટ થાય છે, નહિ? 😉

રાજસૂય યજ્ઞમાં એમની પૂજા થાય અને ભીષ્મ એમના વખાણ કરે, એ તો એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. મોરપીંછ ખોસીને પોતાના યુવાનોને આકર્ષવા ફેશન કરે છે. આઠ પટરાણીઓ અને સેંકડો ગોપીઓ સાથેપબ્લિક  ડેટિંગ કરી જાહેર ચારિત્ર્યને લાંછન લગાવે છે. કેવા કેવા શૃંગારિક શબ્દો અને ચેષ્ટાઓ કરી નવી પેઢીને આકર્ષવા સસ્તા નખરાં કરે છે, સામેથી દોડી આવતી માસુમ ગોપીઓ સાથે રાસલીલા કરે છે. એના માદક વર્ણનો લખવાવાળા નરસિંહો  અને જયદેવોને ને સજા કરવાને બદલે, ગળે વળગાડે છે ! આ ગોપાલ તો ગાંડો છે, ગંદો છે. એનાથી દુર રહો. એના પર તો માખણથી મણી ચોરવાનું આળ હતું, જૂની ફાઈલો તપાસો.  એ નટખટ નાદાન તો ભૂલો કરે છે, પૂછો ગાંધારીને, પૂછો ધ્રુતરાષ્ટ્રને, પૂછો શિશુપાલ-જયદ્રથ-કંસ-જરાસંધ-શામ્બ-શમ્બરના સંબંધીઓને ! યશોદાની વાત ના સાંભળતા, પૂતનાની સાક્ષી લેજો !

એ માધવની મુરલીથી ના ભરમાઈ જાવ..ઊંડો બૌદ્ધિક વિચાર કરો. ભલે એ વિશ્વરૂપ બતાવે, એને ક્યાં કશું આવડે છે? ભલે એ જ્ઞાન-કર્મયોગને આગળ મૂકી ધાર્મિક છેતરપીંડીવાળાઓની બોલતી બંધ કરી દે, આ મોહન તો ભક્તિની વાત કરનારો  છે, થોડો રેશનલ કહેવાય? એ ક્યાં ભૂતકાળની રઘુવંશ-કુરુવંશની વંશાવળીના જુના જુના નકામા દસ્તાવેજો ગોખ્યા કરે છે? એ તો સતત પોતે નવા નવા મૌલિક વિચારો સર્જ્યા કરે છે! નવી શોધખોળ અને માધ્યમોને આલિંગન આપે છે. સાત્વિક અભ્યાસ કરીને તામસીઓ સામે ચુપ બેસવાને બદલે રાજસી અવાજ ઉઠાવે છે. એ તો કામણગારો કળારસિક છે, થોડો આપણા જેવો બોરિંગ બૌદ્ધિક છે? એ તો ગલી-ખેતરમાં ઠેકડા મારે છે, થોડો કઈ ઓફીસના ખર્ચે સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનો કરે છે?  સંસ્થાઓના ખોળે બેસી આદર્શના નામે બીજાને દંશ દેવાનો આદેશ આપે છે? એ તો સિંહાસન છોડીને રમવા-ભણવા જાય છે, થોડો આપણી જેમ નવી તક, નવા એવાર્ડ માટે ફટાફટ નોકરીઓ બદલાવે છે?

હાય રે હાય..આટલી તેજસ્વીતા કેમ સહન થાય ? કૃષ્ણનો વધ ના થાય તો તેજોવધ કરો. કર્ણને કેમ ચોરીછુપીથી મળ્યા એનું સ્ટીંગ ઓપરેશન કરો. શોધો કોઈ પારધી, જેની પાસેથી તીર ચલાવી શકાય અને આવતીકાલના ઉત્તમ ભારતવર્ષના સપના જોવા અને એ માટે બોલવા-દોડવાના અપરાધ બદલ; આ હસતા-મસ્ત રહેતા-પ્રેમરસના પિચ્છધરનો પ્રભાવ, એમના માટે ઘેલી જનતાનો ભાવ ઝટ આડાઅવળા પ્રપંચ અને જૂઠી ભ્રામક ચર્ચાથી ઘટાડી શકાય..શોધો એના પગની ખુલ્લી રહી ગયેલી પાનિ, લગાવો છુપાઈને તીર…

સારું થયું ને , મનલુભાવન મોહન, નાગર નંદજીના લાલ વહેલા જન્મી ગયા ને આપણે જન્માષ્ટમી ઉજવી શક્યા…:P હરે કૃષ્ણ..હરે કૃષ્ણ..

 
25 Comments

Posted by on August 23, 2011 in fun, india, personal

 

25 responses to “કાશ કૃષ્ણ કળિયુગમાં……

  1. Nirav Panchal

    August 23, 2011 at 1:30 PM

    Kick ass! Could not get better than this considering the present scenario!

    Like

     
  2. Devanng Dhotijotawala

    August 23, 2011 at 1:31 PM

    આપણાં મનમોહન પાસે એક પણ મોહન નું મન નથી.

    Like

     
    • Abhishek Raval

      August 23, 2011 at 1:39 PM

      manmohan pase magaj j nthi, pachhi to man ni aasha j shu rakhvi….

      Like

       
  3. jaywantpandya pandya

    August 23, 2011 at 1:39 PM

    કમનસીબે ટોચના નેતાઓના નામો કૃષ્ણ- રામનાં નામો પરથી છે – મનમોહન, લાલકૃષ્ણ, મુરલી મનોહર, મનોહર જોશી, સીતારામ યેચુરી, પણ કર્મે? ધૃતરાષ્ટ્ર જેવા. કપિલ સિબ્બલો, ચિદ્મ્બરમો અને દિગ્વિજયસિંહો દ્વારા લોકશાહીના ચીરહરણ થતાં જોયે રાખે છે.

    Like

     
  4. Jainesh

    August 23, 2011 at 1:43 PM

    ભાઈ મારા વર્તમાન સમય ની પ્રજા તો પીશાચ છે! એક બે લોકો ના સારા હોવા થી કોઈ ફરક નથી પડતો! મેં તમારો આ લેખ પૂરો વાંચ્યો નથી પણ કડવું સત્ય તો સમજુ છુ. જનતા ને લઇ ને બહુ દુખી ના થવું! આ લોકો સુધારવા ના હોત ને તો ક્યારના સુધરી ગયા હોત! કદાચ આજ (કૃષ્ણ ના સમય ના) લોકો ને વર્તમાન સમય ની જનતા આદર્શ માને છે! જય તો સત્ય કહેછે પણ સુધાર થશે એવો વિશ્વાસ છે?

    Like

     
  5. zeena rey

    August 23, 2011 at 2:10 PM

    in the last para, u mention, Krishna went to meet Karna chori- chupe…now when that happens,can you narrate it, i m not knowing it…

    thxs

    Like

     
  6. Chaitanya

    August 23, 2011 at 2:21 PM

    An apt comment on the so called sudo-secularists, religious preachers and cultural torch bearers. They would have done the same with Lord Krishna what they do with every free thinking, rational and modern Indian. Krishna, who loved Radha and Rukmani unconditionally and advocated Love Marriage even 5000 years back would have died again seeing Indian barter system of arranged marriage and honor killing in the name of so called honor by the most honor-less persons….

    Like

     
  7. Kunjal D little angel

    August 23, 2011 at 2:50 PM

    Lekhak Saheb,
    nice Kalpna !!
    Pan hu to etlu j kais
    k Jo Kalyug ma Kaan hot to..
    Eney Breakfast ma Mari jem Amul nu Butter ne Bread bhavat
    ane
    dinner ma.. Govaliya jode dominal’s ma Double Cheez margrita Pizza order karat !!
    Ane ha.. Veg. Cheez bake Dish pan !!

    Like

     
  8. - ranmal

    August 23, 2011 at 3:19 PM

    સોરી, ફેસબુક મેં બે લીટી વાંચીને કોમેન્ટ કરી હતી, પણ બ્લોગ પર વાંચ્યું તો ખબર પડી કે કૃષ્ણ ભક્ત ક્યારેય પીછેહઠ નથી કરતો. -ranmal

    Like

     
  9. Parth

    August 23, 2011 at 3:22 PM

    Bang on target…

    Like

     
  10. pinal

    August 23, 2011 at 3:44 PM

    કળયુગના ક્રુષ્ણએ પણ ઘણું કર્યુ હોત. પ્લેબોયનુ મેગેઝીન એમનું હોત. જેમ્સબોન્ડ્ની મુવીઝ એમની હોત, માઈકલ જેકસનનો ડાન્સ એ કરત અને છોકરીઓને ઘેલીકરત. મેરેલીન મનરો અને પ્રિન્સેસ ડાયના એમની જીફ હોત. ટાગોરની એ વિણા વગાડત. ગાંધીજીનિ લડાઈ એ લડત. ઓબામાંને એ મારત. પાકીસ્તાન જઈને બધા બંકરો એ તોડી આવત. પાકીસ્તાન જોડે છળકપટ કરીને કાશ્મીરને ભારતમાં એ સમાવત. અને કાશ્મીરને આધુનીક વ્રુન્દાવન બનાવત. અને આધુનીક ભારતનુ બંધારણ એ લખી આપત. lol

    Like

     
    • Kaushal

      August 24, 2011 at 12:25 AM

      હા, આ બધું એ જ કરત. અને એના ગયા પછી આપને પાછા એવા ને એવા… ફરી દેશ ની કમાન કોઈ નાલાયકો ના હાથ માં સોંપીને એના બીજી વાર આવી ને બધું સમુંસૂતરું કરી દેવા ની રાહ જોતા હોત…

      Like

       
  11. Envy

    August 23, 2011 at 4:39 PM

    જયભાઈ, રોલો પાડી દીધો.. ૫ માં ધોરણ ના છોકરા જેવી હાસ્ય રચનાઓ!! લખીને પોતાને સર્જક માનતા ૨ કોડી ના નમૂના ને તમારો આ નમૂનો, ખાલી ગોખીને ૧ વખત વગર જોયે, ફરીથી લખી આપે તો – એ બુદ્ધિશાળી જે માંગે તે આપું.
    અદ્ભુત કલ્પના લેખ.
    મેં ઘણી વખત કોમેન્ટ કરી છે કે – સારું છે ગાંધીજી વહેલા જન્મી ને વહેલા મરી ગયા, નહીતો આ લોકો તેમને પણ તેમની ભૂલો બતાવીને, શિખામણ આપી આપીને મારી નાખત..

    Like

     
  12. Rajni Agravat

    August 23, 2011 at 5:24 PM

    કૃષ્ણ દેખાતા નથી ? નો પ્રોબ બૉસ…
    ચાલો આવી આવી વાતો લખનાર ને ભાંડો !
    આ તે કંઇ રીત છે? બૌધ્ધિકો જેવી ખાલી ખોટી ચર્ચા ન કરવી હોય તો ચાલો આ જય વસાવડા ને જ જેલમાં ઘાલો !

    Like

     
  13. Rakesh Patel

    August 23, 2011 at 6:16 PM

    Saru chhe ke ketalak (Jay jeva ) budhdhishalio -Desh thi juda padavano Moh nathi rakhta ! Nahitar ketalakne sidhi vat no virodh kari tene guchavanbhari banavavani bahu maja aavati hoy chhe !

    Like

     
  14. Zalak Pathak

    August 23, 2011 at 6:18 PM

    😛

    Like

     
  15. sangita

    August 23, 2011 at 6:40 PM

    the best example of innovative thoughts and interpretations……………………………………

    krishna na karyo nu samprat samay ma thayelu rasprad arthghatan 6…..superlike

    Like

     
  16. રૂપેન પટેલ

    August 23, 2011 at 8:01 PM

    કૃષ્ણ અત્યારે હોત તો ધાર્મિક આગેવાનો અન્ના હજારેની સાથે કૃષ્ણને પણ ઉપવાસ કરવા જબરદસ્તી બેસાડી દીધા હોત .
    કૃષ્ણ અત્યારે હોત તો તેમના યાદવ મિત્રો પણ અલગ આરક્ષણ માટે કૃષ્ણને નેતા બનાવી ચળવળમાં ઉભા કરી દેત .
    કૃષ્ણ અત્યારે હોત તો દુધનો વ્યવસાય કરતા તેમના ગોવાળિયા મિત્રો ભાવ વધારા માટે આંદોલન કરાવત .
    જયભાઈ જો કૃષ્ણ પણ તમારો બ્લોગ વાંચી શકતો હોત તો કળીયુગમાં જન્મ્યો નથી તેનાથી ઘણો ખુશ થઇ જશે .

    Like

     
  17. pramath

    August 23, 2011 at 9:38 PM

    આ તો તમને જાણીએ છીએ એટલે હસવામાં લીધું.
    બાકી તો એમ લાગે કે અરુંધતી રોયના કોઈ ગંભીર લેખનો અનુવાદ છે! 🙂

    Like

     
  18. pramath

    August 23, 2011 at 9:41 PM

    જયભાઈ,
    તમે એ જોયું? બધાને ભક્ત વહાલા છે. જ્ઞાની લગભગ કોઈને નડતા નથી. પણ કર્મયોગ પકડો કે બૂમાબૂમ થાય છે!
    ગાંધીજી, કૃષ્ણ, માર્ટિન લ્યૂથર કિંગ – આ બધા નરસિંહ મહેતા, શંકરાચાર્ય, એમર્સન કરતાં ક્યાંય ગણા વિવાદાસ્પદ છે.

    Like

     
  19. Paresh

    August 24, 2011 at 4:34 AM

    “દ્રૌપદીને પુરાયેલા ચીર વગર સરકારી મંજુરીએ ઉત્પાદિત કરવા બદલ એમને ભ્રષ્ટાચારી ઠેરવી દેવા પાળીતા પત્રકારોની પ્રેસકોન્ફરન્સ થાત, અને વસ્ત્રાહરણનો મહાભ્રષ્ટ આચાર ભૂલાવી દેવામાં આવત!”

    Perfecto !!!

    I can already see the press-conference of Arjun Modhwadia-Shaktisinh Gohil et al. with their pet journalists such as Devendra Patel, Urvish Kothari, Prakash N Shah, etc.

    The only ray of hope for us is the writers like Jay and Kinnarbhai in the darkness.

    Like

     
  20. Jignesh Adhyaru

    August 25, 2011 at 11:27 AM

    એકદમ યોગ્ય!

    આ બધું ખરેખર થઈ જાત જો કૃષ્ણએ અત્યારના સમયમાં અવતાર ધારણ કર્યો હોત. પણ આપણા રાજકારણીઓના – નેતાઓના બદનસીબ કે તેઓ આવું બધું કરી શક્શે નહિં.

    જન્માષ્ટમીની શુભેચ્છાઓ

    Like

     
  21. sumitbenarji

    August 27, 2011 at 1:18 AM

    Superb…Superb…Superb!!!

    Like

     
  22. Desai Madhukar

    April 24, 2012 at 7:23 PM

    Kalinaag ne nathva badal Koi Menka Gandhi jevi pashupremi sarghash kadhhi ne Krushna no virodh nodhavat ane adalat ma thhoki besadat..

    Like

     
  23. farzana

    May 26, 2012 at 12:40 PM

    ekdam mast……..typical JV punch…..:-D:-D:-P

    Like

     

Leave a reply to jaywantpandya pandya Cancel reply