RSS

JSK – વન બાય ટુ દિવાળી સ્પેશ્યલ

22 Oct

20131022_000945

જેએસકે – જય શ્રી કૃષ્ણ પુસ્તક વિષે આ ગ્રહ પર અહીં અને અહીં વાંચ્યું તમે.

પુસ્તક તો બહાર પડવાની સાથે જ એવી લોકચાહનાને પ્રાપ્ત થયું કે ફક્ત એક મહિનામાં જ હું તો મોટે ભાગે એમાં સિક્કિમ પ્રવાસે હોવા છતાં એની ૩૦૦૦ જેટલી નકલો હોંશે હોંશે ગુજરાતી વાચકોએ વધાવી લીધી અને અત્યારે તો એની બીજી આવૃત્તિ પણ થઇ ગઈ. એના ખુબ સરસ ફીડબેક મળ્યા. ગૃહિણીઓથી ટીનેજર્સ સુધી, એનઆરઆઈથી કંપની/સંસ્થાઓ સુધી. મુખ્ય વિક્રેતા નવભારતનો ય સહયોગ ભરપૂર. એવો જ રાજેશ બૂક સ્ટોર રાજકોટનો.

બધી કરામત કૃષ્ણની, આપણો તો લીમ્બડજશ 😛

એવી જ ચમત્કારિક રીતે આ પુસ્તકમાં અણધારી મૂળ દક્ષિણ ગુજરાતના એવા એક પટેલ મિત્રની મળી. એમનો ખુદનો જ આગ્રહ કે નામ નહિ આપવું, એટલે હાલ લખતો નથી. ક્યારેક આવી પ્રભુકૃપાની સર્જનકથા માંડીશ. એમની ભાવના અને કૃષ્ણપ્રીતિને ન્યાય મળે અને કેવળ લાયબ્રેરીના કબાટોમાં કેદ રહેવાને બદલે ખરેખર જેમને જરૂર છે અને પોસાતું નથી એવા સામાન્ય વાચકો સુધી પહોંચે એ માટે મર્યાદિત સમય પુરતી જ એક અભૂતપૂર્વ યોજના ઘડવામાં આવી. દિવાળી સુધી, ૫૦૦ રૂપિયાનું અણમોલ પુસ્તક ફક્ત ૨૫૦ રૂ. મળે એ માટે. અમુક જરૂરિયતમંદ વાચકોની, વિદ્યાર્થીઓની પોસાતું નથી વાળી ફરિયાદ દુર થાય એ માટે. મારો હેતુ પુસ્તક પ્રકાશનમાં કમાઈ લેવાનો નહિ, પણ કશુંક સાબિત કરવાનો અને વધુ લોકો સુધી વાંચન પહોચાડવાનો સર્જનાત્મક છે. એટલે મેં ય મંજુરી આપી. તો વળી એમાં કેટલીક ફરિયાદો ઉઠી કે વહેલું લેનારનો શું વાંક ? અરે, આવું પેટ્રોલ પુરાવતી બખ્તે ભાવફેર સરકાર અમુક સમય પુરતો કરે ત્યારે કહો છો ? શેર બજારથી બિગબાઝાર જેવા મોલમાં કહો છો ? હું તો એ અર્લી બર્ડ રીડરબિરાદરો પ્રત્યે નતમસ્તક છું , કે એમના પ્રતિસાદને લીધે જ વધુ લોકો સુધી કૃષ્ણ પહોંચાડવાનું આ કૃષ્ણકાર્ય થયું. આ યજ્ઞમાં એમની આહુતિ પહેલા જ ગણાશે.

જેએસકે વિષે “આજકાલ” દૈનિકમાં છપાયેલું :

“પુસ્તકમાં રેગ્યુલર કરતા મોટી સાઈઝના તમામ ૧૬૪ પૃષ્ઠો કલરફુલ છે. આ માત્ર પુસ્તક ના રહેતા એક આગવો અનુભવ છે, જે કૃષ્ણચરિત્રના અલગ અલગ પાસાઓમાંથી પસાર થયા બાદ વાચકનું નવું જ ઘડતર કરે છે.

૧૮ સ્પેશ્યલ લેખોમાં વહેંચાયેલું આ પુસ્તક શ્રીકૃષ્ણ પર અત્યાર સુધીમાં લખાયેલા અઢળક પુસ્તકો કરતા અલાયદું અને વિશિષ્ટ છે. જેમાં કૃષ્ણનાં સહારે આજનો માનવી કોઈ પણ પરિસ્થિતિ કે ઉંમરમાં પોતાની સમસ્યાઓ કેમ ઉકેલી શકે, માર્ગ કઈ રીતે કાઢી શકે અને કૃષ્ણ પાસેથી પ્રેરણા લઇ પોતાનું વર્તમાન જીવન વધુ બહેતર કેવી રીતે કરી શકે એની સુંદર છણાવટ છે. જે બોરિંગ જુનવાણી ઉપદેશને બદલે આજની પેઢીની ભાષા, અભિગમ અને દ્રષ્ટાંતો સાથે કરવામાં આવી છે. ભારત પરદેશી સુપરહીરોઝની પાચલ પાગલ બને છે ત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્વોલિટી સાથે મોડર્ન સ્ટાઈલમાં ઓરીજીનલ સુપરપાવર કૃષ્ણને પ્રજા સુધી સાચી સમાજથી પહોંચાડતું આ આકર્ષક સાહસ છે.

“જેએસકે” જેવું નિત્ય પરિવર્તનશીલ કનૈયાને ગમે એવું આધુનિક નામ ધરાવતા આ પુસ્તકમાં જય વસાવડાએ બાળ કૃષ્ણથી લઇ આકર્ષક પૂર્ણ પુરુષ કૃષ્ણ, લીડરથી લવર અને મેનેજરથી મોટીવેટર કૃષ્ણ, ફ્રેન્ડથી ફિલોસોફર અને યોદ્ધાથી લઇ યોગેશ્વર કૃષ્ણ જેવા કૃષ્ણનાં મેઘધનુષી સ્વરૂપની અદભૂત ઝાંખી કરાવી છે. આત્મવિશ્વાસ આપતું મોડર્ન ગીતાજ્ઞાન છે. ગીતા દ્વારા લાઈફ, કરિઅર અને બિઝનેસનું મેનેજમેન્ટ સમજાવ્યું છે. કૃષ્ણ જ આજના જમાનામાં સર્વશ્રેષ્ઠ ચેતના શા માટે એની રસપ્રદ દલીલો આપી છે. રાધા અને રાસનું રસિક વર્ણન કર્યું છે. વૈષ્ણવજન ભજનથી સારા નાગરિકનાં પાઠ ભણાવ્યા છે. રુક્મિણીનાં પ્રેમપત્ર અને સત્યભામાની ભેટની મનોહર કહાની લખી છે. દ્વારકાનો ઈતિહાસ અને કૃષ્ણની પીડા પણ અહી રજુ થઇ છે. યંગ જનરેશન સાથે કૃષ્ણની આજના યુગમાં નવી જ વાતો કહેતો ક્રાંતિકારી અભૂતપૂર્વ વાર્તાલાપ પણ છે. કૃષ્ણ વિષે અસંખ્ય ઓછી જાણીતી માહિતીનો અનેક પ્રાચીન ગ્રંથોમાંથી એકત્ર કરેલ ખજાનો છે.

કૃષ્ણ પરના મોબાઈલ યુગમાં બહુ જોવા મળતા ચીલાચાલુ ચિત્રોને બદલે તદ્દન નવા વિવિધ શૈલીઓના ફ્યુઝન જેવા નવા જમાનાને અનુરૂપ ચિત્રોનો છપ્પનભોગ જેએસકેમાં છે. નયનરમ્ય ટાઈટલ આંખથી હ્રદયમાં ઉતરે એવું છે. ચૂંટેલી કૃષ્ણકવિતાઓનો મઘમઘતો ગુલદસ્તો પણ છે. કન્ટેન્ટ અને આર્ટ, શબ્દ અને રંગ-રેખાનો એમાં બાંસુરી અને બાંકેબિહારી જેવો અજોડ સમન્વય થયો છે. ચળકતા કાગળમાં ઉત્તમ રીતે છપાયેલું આ પુસ્તક પ્રોડકશન ક્વોલિટીમાં દુનિયાનાં કોઈ પણ વિકસિત દેશના બેસ્ટ પ્રોડક્શનને ટક્કર આપી કિંમતનાં પ્રમાણમાં તો એનાથી આગળ નીકળી શકે તેવું છે.”

 જેએસકે તો શરુ થઇ ત્યારથી ‘બ્લેસ્ડ બૂક’ રહી છે. નરસિંહ મહેતાનાં કિસ્સા સાવ કાલ્પનિક નહિ હોય, એવો ભરોસો થાય એટલા તો અનુભવ અત્યાર સુધીમાં થઈ ગયા છે ! 

જેએસકેનાં પ્રીમિયમ કન્ટેન્ટ અને ક્વોલિટી અંગે તો જેમની પાંચે ય સેન્સિઝ સલામત છે એવો કોઈ શંકા ના કરી શકે એટલી ઉત્તમ એ દેખીતી જ બની છે. પણ એ કરવામાં એનો ભાવ વધુ રાખવો પડે એ લકઝરી કરતા લાચારી વધુ છે. મુકુન્દ પાધરા જેવા દોસ્તોએ ગાંઠનું ગોપીચંદન કરી એ લાગણીથી પહોચાડી એ માટે ય એમને વંદન.

આગળ કહ્યું એક કૃષ્ણપ્રેમી દાતાની સામે ચાલીને મળેલી સહાયથી મારા તરફથી પણ થોડું જોખમ લઇને ખાસ આ વર્ષની દિવાળી અને બુકની સક્સેસના સેલિબ્રેશનને ધ્યાનમાં લઇ કોઈ લલચામણી યોજનાઓને બદલે વાચકોને જ ફ્લેટ ૫૦% વળતર આપીને કૃષ્ણકાર્ય કરવાનો શુભ સંકલ્પ કર્યો છે. એક રોકેટ/ ભમ્ભૂનાં બોક્સ કે એક પેકેટ મીઠાઈ/ડ્રાયફ્રુટનાં ભાવમાં પુસ્તક ગ્રીટિંગ રૂપે લઇ અને આપી શકાય ! પહેલા ખરીદ્યું હોય તો ગિફ્ટમાં આપી શકાય. આજે તાતી જરૂર છે એ કૃષ્ણના આચાર- વિચારોનો આધુનિક જમાનાને જીવતી જીંદગીમાં ઉપયોગી બને એવો સ્પર્શ રંગબેરંગી આનંદ સાથે થાય, એ યજ્ઞમાં સ્વેચ્છાએ કોઈ અપેક્ષા વિના મિત્રો પણ જોડાયા. કાયમી મુખ્ય વિક્રેતા એવા નવભારતે પણ સ્નેહથી આ માટે ઉદારતા રાખી.

દિવાળીનાં દિન સુધી ફક્ત મર્યાદિત દિવસો માટે જ કૃષ્ણપ્રેમી દાતાની સહાયથી, ફક્ત એમના આયોજનથી પસંદગીની જગ્યાઓએ પુરા ૫૦% વળતરથી અડધી કિંમતે ફક્ત ૨૫૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ખાસ ડિસ્કાઉન્ટની આ આકર્ષક ઓફર ફક્ત મર્યાદિત નકલોના સ્ટોક પુરતી અને માત્ર દશેરાથી દિવાળી યાને ૧૪ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી જ કામકાજના સમય પુરતી ખુલ્લી રહેશે. વધુ વિગતો માટે  ૯૫૩૭૫૩૭૩૭૩ નમ્બર પર સંપર્ક થઇ શકે છે. આ  કોઈ ન વેંચાતા પુસ્તકને ખપાવી દેવાનો કીમિયો નથી. ( જેએસકેનાં ઓનલાઈન પ્રતિભાવો જગજાહેર છે – અને મારા પ્રિય પુસ્તક “પ્રીત કિયે સુખ હોય”ની પાંચમી આવૃત્તિ બજારમાં આવી છે, અને એક વર્ષમાં ૮૦૦૦ નકલ વેંચાઈ ચુકેલા “જય હો”ની ચોથી સંવર્ધિત આવૃત્તિ દિવાળી બાદ આવી રહી છે, યુવાહવાની ત્રીજી આવૃત્તિ પણ પૂરી થવામાં છે. જેએસકેની  લોન્ચ સમયથી જ પડાપડી થાય છે.) માટે ફરી આ જ પુસ્તક દિવાળી બાદ મૂળ ૫૦૦ રૂપિયાની કિંમતે જ હમેશા બૂક સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે ( નીચેની પ્રાપ્તિસ્થાનોની યાદી સિવાય અન્ય બૂક સ્ટોરમાં આજે ય એ મૂળ કિંમતે જ મળે છે જ ) અને આ ઓફર કોઈ પણ સંજોગોમાં લંબાશે નહિ. 

સહજભાવે આનાયાસ થયેલા આ આયોજનમાં પણ કમનસીબે અમુક વાચકોએ પહેલા ખરીદી હોવાનો વાંધોવચકો ઉઠાવ્યો. કોઈએ એ વળી બિચારા બૂક સ્ટોરના મિત્રોને આ અલગ પ્રાપ્તિસ્થાનો ફેસબુક પર મુક્યા હોવા છતાં વગર વાંકે ડિસ્કાઉન્ટ માટે પરેશાન કર્યા. બીજા કેટલાક ન ગમે એવા બનાવો ય બન્યા. અગાઉ કહ્યું એમ, આ કોઈ રાસ્તે કે માલ સસ્તે મેંની ઓફર નથી. માર્કેટિંગ સ્કીમ નથી. ફક્ત કૃષ્ણપ્રેમી દાતાઓની લાગણીની ભરતીમાં એવા જ હેતુથી લેખક / પ્રકાશક તરીકે જાતે ઘસાઈને મદદરૂપ થવા ઉજવેલો, વાચકનો તહેવાર સુધારવાનો ઉત્સવ છે. છતાં ય એનાથી કોઈને ઈરાદો ના હોવા છતાં ગેરસમજ કે મનદુઃખ થયું હોય તો ક્ષમસ્વ.

આ પુસ્તક હવે ગણત્રીનાં જ બાકી રહેલા દિવસોમાં આગળ ફોટામાં છે , એવા સ્ટીકર સાથે મળશે. જેથી અન્ય પુસ્તક કરતા આનું વિતરણ ખાસ સહાય અન્વયે જુદું છે, એ ખ્યાલ આવે અને એનો કોઈ વ્યવસાયિક બદઈરાદાથી ઉપયોગ કરી બૂક સેલર મિત્રોને મૂંઝવણમાં મુકે નહિ.

જે.એસ.કે. “વન બાય ટુ” દિવાળી ડિસ્કાઉન્ટ ઓફરના પ્રાપ્તિસ્થાનો ( ખાસ નોંધ આ ઓફરનો લાભ આ સ્થળો સિવાય બીજી કોઈ જગ્યાએ કે બૂક સ્ટોરમાં મળશે નહિ, આ સરનામાંઓમાં હવે કોઈ સ્થળ ઉમેરાશે નહી. પછી આ ડિસ્કાઉન્ટ પાછું જ ખેંચાઈ જશે તરત જ ) :

*રાજકોટ :

૧. ગાથા કોમ્યુનિકેશન, જીગર પાનની બાજુમાં, મોટી ટાંકી ચોક, રાજકોટ. ફોન : ૯૫૩૭૫૩૭૩૭૩

૨. ભારત ફ્રુટ કોર્નર, એસ્ટ્રોન ચોક, રાજકોટ.

*અમદાવાદ :

૧. પરમાર ટ્રેડલિંક, ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ, માનવ મંદિર સામે, ડ્રાઈવ ઇન-ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ ફોન : ૯૮૨૫૧૨૨૩૦૫

*સુરત :

૧. જે. ડી. ગાબાણી લાયબ્રેરી, સરગમ કોમ્પ્લેક્સ અને સારથી ડોક્ટર હાઉસની સામેની ગલી, સારથી કોમ્પ્લેક્સ, હીરાબાગ, સુરત ફોન : ૨૫૫૮૮૧૪

૨. એલ. પી. સવાણી વિદ્યાલય, અડાજણ, પરેશ સવાણી ફોન : ૯૯૦૯૦૧૯૫૪૧

૩. પાર્થ નોલેજ ઇન્સ્ટીટયુટ, ૨૦૧ / ઈ – અંબિકા પાર્ક કોમ્પ્લેક્સ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટથી પુનાગામ રોડ, સુરત ફોન : ૬૯૯૮૦૫૯

૪. સમર્પણ ટેકનો સ્કુલ, વિક્રમનગર -૪, સીતાનગર સર્કલથી કેનાલ રોડ, પુનાગામ, સુરત ફોન : ૭૬૯૮૮૮૧૪૪

*ભૂજ :

૧. ઇન્સ્ટીટયુટ ફોર યુથ ડેવલપમેન્ટ, ૨૩, અંબિકા પાર્ક સોસાયટી, ભુજ, રસનિધિ અંતાણી ફોન : ૯૮૨૫૭૩૦૩૧૫

*જામનગર :

૧. સાંઈનાથ મેડિકલ, વિકાસ રોડ, ગાંધી સોડા શોપ પાસે, જામનગર, રવિ ફોન : ૦૯૪૨૮૪૧૫૦૧૪

*પોરબંદર :

૧. વૈદેહી કલેક્શન, લિબર્ટી રોડ, ઇન્દ્રલોક કોમ્પ્લેક્સ, ફોન : ૯૯૯૮૧૨૧૯૮૯

*વડોદરા :

૧. ચરોતર નમકીન, એસબી-૧૨, ઋતુરાજ કોમ્પ્લેક્સ, એચડીએફસી બેન્ક પાસે, વાસણા રોડ, વડોદરા , બિમલ પટેલ ફોન : ૯૯૨૫૦૮૯૩૪૧

*મુંબઈ :

Vipul Parekh 8655062649

*ભાવનગર :

વિશાલ ચશ્માવાળા, વોરા બજાર, નાગરપોલ ડેલા, ભાવનગર, ફોન : હકીમભાઈ : ૦૯૮૨૪૯૫૭૬૦૯

………..ફરી વાર, કેટલીક અગત્યની વાતોનું રિવિઝન >>>>>>>>

# ઉપરના સ્થળો સિવાય કોઈ પણ બૂક સ્ટોરમાં આ ઓફરનો લાભ મળશે નહિ એની ખાસ નોંધ લેવી.બૂક સ્ટોરમાં અત્યારે પુસ્તક ઓફર વિના ઉપલબ્ધ છે જ. ડિસ્કાઉન્ટ તત્કાલ અસરથી પાછું જ ખેંચાઈ જશે, સ્ટોક અને સેન્ટર્સ ક્લોઝ થઇ જશે. અને અત્યારે બીજે મળે છે એમ જ ફરી પુસ્તક મૂળ કિંમતે જ ખરીદવાનું રહેશે. JSK ઓનલાઈન પણ એમેઝોન.ઇન, બુક્સ ફોર યુ જેવી સાઈટ્સ પર મળે જ છે. પણ આ ઓફરનો લાભ તો ફક્ત પ્રાપ્તિસ્થાનો ઉપર છે ત્યાં જ મળશે. ઓનલાઈન આવી કોઈ સ્કીમ નથી. કોઈ મારફતે આ જગ્યાઓ પરથી મંગાવી લેવા બહારના મિત્રોને વિનંતી છે.

# આ ઉપરોક્ત સ્થળો બૂક સ્ટોર નથી. સહાય કરનાર કૃષ્ણપ્રેમી મિત્રોની મદદથી દાતાઓનો હેતુ પૂરો પાડવા ટૂંકા ગાળા માટે ગોઠવાયેલી વ્યવસ્થા છે. એ માટે પુસ્તકોની દુકાનમાં જઈ પરાણે માંગણી ના કરવા વિનંતી છે.

# ઓફર અંતર્ગત હવે પુસ્તક સ્ટીકર કે “સહાયથી”નાં લખાણ સાથે જ મળશે. એ પુન:વેંચાણ કે અદલાબદલી માટે નથી. કોઈને અંગત હેતુ માટે જથ્થાબંધ જોઈએ તો ૯૫૩૭૫૩૭૩૭૩ નંબર પર સંપર્ક કરવો. કાયમી ધોરણે વેંચાણ કે લાયબ્રેરી ઈત્યાદિમાં મંગાવવું હોય તો નવભારત સાહિત્ય મંદિરનો સંપર્ક કરવો.

# આ વન બાય ટુ ઓફર દિવાળીનાં તહેવારો બાદ પૂરી જ થઇ જશે. પછી કોઈ પણ સંજોગોમાં રિપીટ થશે નહિ. નવા આવનારા કોઈ રિમઝિમ / જય વસાવડાના પુસ્તકોમાં પણ (પ્રવચનોના સ્થળ પરની વ્યવસ્થા સિવાય ) હવે આવી કોઈ ઓફરની અપેક્ષા રાખવી નહિ. આ તો કૃષ્ણકાર્ય ,માટેનો ઉમદા હેતુ છે. વારંવાર આવે એવો કોઈ બિઝનેસ એજેન્ડા નથી. એટલે જ પુસ્તકની કવોલીટીમાં સહેજ પણ સમાધાન વિના કે કોઈ અન્ય શરતો / છેતરામણી સ્કીમો વિના આ યોજના એક અપવાદ તરીકે આ વખતે મૂકી છે, જે કાયમી નિયમ નથી.

# ઉપરના સ્થળો સિવાય પુસ્તક અન્ય જગ્યાએ આ ઓફરમાં ઉપલબ્ધ કરાવવું શક્ય નથી. મિત્રો-સ્નેહીજનો મારફતે આ જગ્યાઓથી મેળવી લેવું, જો આપના નિવાસ્થ / ગામમાં એ ના હોય તો. એક એક નકલ પોસ્ટથી પણ મોકલાવવી શક્ય નથી. વધુ નકલ હોય તો નીચેના ફોન નંબર પર વિનંતીથી વિચાર કરાશે.

# આ માટેની તમામ માહિતી / માર્ગદર્શન / મદદ અને કોઈ સુચન કે વધુ સ્પષ્ટ સમજણ – દરેક બાબત માટે નીચેના નંબર પર સંપર્ક કરવો : ૯૫૩૭૫૩૭૩૭૩

# આ જરૂરી સુચનાઓ શક્ય તેટલી ફેલાવી સહકાર આપવા વિનંતી. આભાર. જય શ્રી કૃષ્ણ. 🙂

 

44 responses to “JSK – વન બાય ટુ દિવાળી સ્પેશ્યલ

  1. Nishidh

    October 22, 2013 at 4:30 PM

    Dear Jay

    JSK is suitable & appealing for students. Such discount scheme should be made available to the Schools & Colleges of Gujarat

    Like

     
    • jay vasavada JV

      October 22, 2013 at 4:39 PM

      હા, પણ વિદ્યાર્થીઓ આ સ્થળેથી મંગાવીને લાભ લઇ જ શકે છે.

      Like

       
  2. farzana

    October 22, 2013 at 4:31 PM

    Jai Shree krishna ho 😉

    Like

     
  3. સચિન દેસાઇ

    October 22, 2013 at 4:35 PM

    Dear Jaybhai…Sachin Desai here..Aaje Deval Shastri Dahod aavela..teo a’e JSK book 50% less means 250 Rs. ma koi scheme antargat mane aapi che…Hath ma aavta vent j 2 chapter vaanchi gayo chhu..Adbhut book bani che…aa kaam, aavu anany varnan Jay vasavda sivay koi na kari shake te chokkas..Abhinandan & Jay ho…

    Like

     
  4. vandana

    October 22, 2013 at 4:54 PM

    Navbharat amdavad no ghano sahyog chhe. personal exp. chhe ,” JSK bahar padi aetle tyathi khridi lidhi ane aemne Jetla ae JSK kharidi chhe ae badha ne phone karyo chhe feedback mate ….

    Like

     
  5. Pratik

    October 22, 2013 at 5:04 PM

    Thank you Very much . . .Jaybhai . .. . .

    Like

     
  6. Mahesh Kanani

    October 22, 2013 at 5:17 PM

    Namaskar Jaybhai….
    Surendranagar ma ” Darshan School ” che je apanu lecture arrange karva mage che… apa time apo to ame apane rubaru mali jaishu…. Annual fuction date : 08-12-2013 che.
    Mahesh Kanani : Mob. 8401242162

    Like

     
  7. Yagnesh

    October 22, 2013 at 5:39 PM

    Arrange something for readers outside the india. We dont expect discounts but just asking for suitable way to get the book.
    Thanks you.

    Like

     
    • amulsshah

      October 23, 2013 at 2:27 PM

      please visit “booksforyou” website for out of india delivery

      Like

       
  8. shivam23

    October 22, 2013 at 5:41 PM

    Reblogged this on shivam23 and commented:
    Jay sir doing a great job love u

    Like

     
  9. Alpesh

    October 22, 2013 at 6:01 PM

    Great

    Like

     
  10. husain.taiyeb@gmail.com

    October 22, 2013 at 7:18 PM

    Dear Jaybhai
    Can u make an android app and keep all your books collection including JSK in Google Books? Ofcourse chargable.. It will save paper and your all Fans and Friends can get it easily.. 🙂

    Like

     
  11. jayteraiya

    October 22, 2013 at 7:22 PM

    “Sone pe Suhaga ”
    ON 20.10.13 Baroda get further discount by Dr. Bhesaniya.
    That show the value of content.

    Like

     
  12. Shital Shah

    October 22, 2013 at 8:16 PM

    great offer

    Like

     
  13. Siddharth

    October 22, 2013 at 8:38 PM

    વાત જો અહિયા વિધાર્થીઓની જ થઇ રહી હોય, તો જય વસાવડા અને હર્ષલ પુષ્કરણા જેવા વ્યક્તિઓનું ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ માર્ગદર્શન અને પ્રતિભાવ લઈને પોતાના પુસ્તકો બનાવે, તો અમૂલ્ય અને સચોટ મદદ કહી શકાય.
    પૈસાની મદદ કે શિષ્યવૃત્તિ કરતા પણ વધારે (at least એના જેટલું તો ખરી જ), ‘વિદ્યાદાન શ્રેષ્ઠ દાન’ એમ જ નથી કહેવાતું!!

    Like

     
  14. prerana mehta

    October 23, 2013 at 1:06 AM

    hi jay bhai hu usa ma chhu ane mare aa pustak mangavu chhe diwali pahela to hu shu karu??ane check kya moklu??

    Liked by 1 person

     
  15. Prashant Bhavsar

    October 23, 2013 at 7:21 AM

    આજે જ તક નો લાભ ઉઠાવું છું.ખાત્રી છે કે શામળિયાએ મારી કોપી રાખી છે!!
    JSK.

    Liked by 1 person

     
  16. Sanjay Dattani, Jamnagar.

    October 23, 2013 at 9:38 AM

    JSK vanchta evu lage che k jane JAY , , SHREE KRUSHNA CHE. kHAREKHAR evu lage k tamara kehva pramane aa pustak shree krushna e j lakhavu hase. JSK. JAY SHREE KRUSHNA.

    Liked by 1 person

     
  17. priyniki

    October 23, 2013 at 9:44 AM

    50% nu sticker … 50% off maa male enaa kartaa to aapne kharideli book vadhu saras ….,emaa Radha-Krishnaa nu painting y chhe 🙂 mast…. think positive 😉

    Liked by 1 person

     
  18. Dakshesh P Parekh.

    October 23, 2013 at 10:51 AM

    Jay Bhai, E Patel Bhai “BHAMASHA” ne pranam …

    Liked by 1 person

     
  19. Mehul jodhpura

    October 23, 2013 at 11:54 AM

    its awesome to be the part of krishna s unknown life thru jay vasavda,,,
    thank u

    Like

     
  20. amulsshah

    October 23, 2013 at 12:32 PM

    THANK YOU
    YESTERDAY ONLY THOUGHT OF ORDERING FROM “booksforyou” ORDER NOT ACCEPTED DUE TO WEBSITE PROBLEM

    WILL GO FOR TWO, ONE COPY WILL BE FOR TINA AMBANI
    (as am working with reliance adag,mumbai)

    Like

     
  21. parth

    October 23, 2013 at 2:03 PM

    i have baught this book online from books on click, its very good book & INR 500 is worth it.

    jaybhai thank you to release such good book.

    Liked by 1 person

     
  22. prashant

    October 23, 2013 at 3:02 PM

    for who are out of gujarat can you please suggest web site?

    Liked by 1 person

     
  23. nitin pansuriya

    October 23, 2013 at 5:38 PM

    pls sell it to vv nagar bcoz 40000 students r here

    Liked by 1 person

     
    • jay vasavada JV

      October 23, 2013 at 6:30 PM

      already gave phone number 9537537373. its not selling chain kind of initiative. someone has to take responsibility, alott time n place n take pain of devotting time n energy for it. do u have any option ?

      Liked by 1 person

       
      • vihar patel

        October 23, 2013 at 10:06 PM

        jay bhai, along with k.m.makwana sir i m ready to take initiative….tame bas hukam karo !!!!

        Liked by 1 person

         
      • amulsshah

        October 24, 2013 at 8:24 PM

        Jaybhai Book purchased from dadar has 14 repeat pages after page no:108 That is chapter 13 and 14 repeated Pls check stock

        Liked by 1 person

         
    • vihar patel

      October 23, 2013 at 10:04 PM

      bhai nitin baroda dur nathi v.v.nagar thi…. contact me on 9558844477 hu baroda thi roj aavu 6u tare joie etli copy lai aavis bas…..

      Liked by 1 person

       
      • agnel

        October 25, 2013 at 7:36 PM

        Hi i am from V.v.nagar…..would i be able to get the copy at discounted price in v.v.nagar?

        Liked by 1 person

         
  24. Nainesh Sudhir Parikh

    October 23, 2013 at 9:31 PM

    I am in Mumbai & I got my book received thru Jayeshbhai of present Kids, When this news was posted on FB , I talked to Rimzim Creation no. , & they gave me contact details of Present Kids , So I went there according to date given but that day parcel was not received from Rajkot, But Jayeshbhai has arranged for direct delivery at my Home from Samkhiyali Kutch & I got my JSK yesterday. Thanks to Jayeshbhai & everyone involved in arranging Direct delivery to my Home..

    And of course special thanks to Jaybhai for arranging such a nice book at almost NO price, Thank you Jaybhai.

    Liked by 1 person

     
  25. RajuJanak IdeaUnique

    October 24, 2013 at 6:54 PM

    JV – how can i get this book in Puducherry?

    Liked by 1 person

     
  26. Chirag

    October 24, 2013 at 8:39 PM

    Jv, is this your number? I would like to discuss with you sometime next week.

    Liked by 1 person

     
  27. NAREN

    October 25, 2013 at 1:20 PM

    I have purchased two JSK without discount, hence those Ppl can take advantage of special discount who are suffering from budget, thu vela lai lidhi ke pachi lidha no savalaj nahi, aane aato book ni kimat che baki Book ni Contents to anmol che

    Liked by 1 person

     
  28. keyur savaliya

    October 25, 2013 at 6:46 PM

    જય ભાઇ,વાંચન વધે એ માટેનો આપનો આ પ્રયાસ ખુબ ખુબ આગળ વધે તેવી શુભકામના..દરેક પ્રકાશકો જો આપની જેમ વિચારે તો ગુજરાત ના દરેક ગામ અને શહેર મા જેટ્લા પાન ના ગલ્લા અને મોબાઇલ ની દુકાન છે…એટ્લી જ લાયબ્રેરી પણ કાશ જોવા મળે…

    Liked by 1 person

     
  29. KETUL DAVE

    October 29, 2013 at 4:57 PM

    Jay Shree Krishna…… Jaybhai….

    thanks of lot for your excellent idea to known about our SUPER HERO KRISHNA (first super hero is Shree Hanumanji) TO our running & new generation…..

    we pray to god give maimume blessing to you for SUPER IDEA innovating forever…

    once again JAY SHREE KRISHNA…

    Liked by 1 person

     
  30. Vipul Parekh

    October 31, 2013 at 7:15 PM

    Hi All,

    I have got fresh stock, so you can please collect it from the address given below.

    Vipul Parekh
    8655062649
    Virtual Splat Software Pvt. Ltd.
    C-4, Shiv Dham, Satya Nagar, Borivali West, Mumbai – 400092.
    Timing: 9:30 AM to 7 PM.

    Sorry to all those people who called but coudn’t get the book. Now you can call again and get it.

    Vipul Parekh

    Liked by 1 person

     
  31. Mayank Yadav

    November 17, 2013 at 4:01 PM

    Paheli najar ma j gami jaai evi book. 🙂

    Liked by 1 person

     
  32. Chirag

    December 3, 2013 at 2:38 AM

    Chapters 3 and 7 are the best. Chapter 15 is the most absurd. Full of thoughts missing the path, grammatical mistakes and abrupt sentences. Please, correct this chapter in next edition.

    Liked by 1 person

     
  33. Mihir Joshi

    May 15, 2014 at 3:57 AM

    Jaybhai

    Request for details if any audiobook or programs as a audio verson of jay vasavda

    Pl also request for artical in g.samachar related to gujarti lok sahitya.gujarati rangbhoomi

    It is very good if you start quotations answer in gujarat samachar not like ashok dave( just time waste) it should be intellectual quotation and answer which generally happen at the time of ending in your lectures.

    Mihir

    Liked by 1 person

     
  34. DealDil.com

    December 19, 2016 at 12:56 PM

    Buy Jay Vasavada’s All Books and Video DvD Collection with Discount Click Link https://goo.gl/5UMkcS or Visit http://www.dealdil.com

    Like

     

Leave a comment