RSS

શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો, વિધાર્થીઓ અને દેશના તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:

04 Sep

1962થી આપણે જેમના જન્મદિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવીએ છીએ એવા ફિલોસોફર પ્રેસિડન્ટ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના એજ્યુકેશન પરના વિચારો વિશે જાણવા ગૂગલ કરતા સ્પાર્ક થયો કે આ મહાનુભવે તો એવા એવા ક્રાંતિકારી વિચારો રજુ કર્યા છે કે આ વિચારો અમલમાં મુકાય તો ભારતદેશ ફરીથી બેશક રામરાજ્ય બની જાય. પણ તકલીફ તો એ છે કે વિદ્વાન રાષ્ટ્રપતિના વિચારોમાંથી શીખ લેવાને બદલે એમના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને આપણે ફક્ત ઉજવણી પૂરતો જ સીમિત રાખ્યો. બાકી જો ધારીએ તો એમના અમુક ચુનંદા કવોટ્સમાંથી જ આખું નાગરિકશાસ્ત્ર શીખી શકાય એમ છે.

  1. પુસ્તકો એ માધ્યમ છે જેના દ્વારા આપણે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે બંધનું નિર્માણ કરી શકીએ છીએ:

બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બન્ને માર્કસના ચક્કરમાં પાઠ્યપુસ્તકો સિવાયના બીજા પુસ્તકોને વર્જ્ય માની બેઠા છે. મહિને એકાદ પુસ્તક કે બે ત્રણ મેગેઝીન વાંચતા હોય એવા શિક્ષકો પણ હવે જૂજ રહ્યા છે. સ્કૂલ હોય કે ટ્યુશન હોય, એજ્યુકેશનનો મતલબ જ ગોખણપટ્ટી કરીને ઢગલામોઢે માર્ક્સ લાવવાનો થઈ ગયો છે. (કોઈ ક્રાંતિકારી શિક્ષક બીજા પુસ્તકો વિશે જ્ઞાન આપવાની કોશિશ કરે તો વાલીઓ જ હોબાળો મચાવે એવી દયનીય પરિસ્થિતિ છે.) પણ કરન્ટ અફેર્સથી માહિતગાર રહેતા હોય એવા નાગરિકો સમજતા હશે કે ડોકટર્સ, એન્જિનિયર કે એમ.બી.એ કરતા હાલના તબક્કે વધારે ક્રેઝ સિવિલ સર્વિસનો છે. યુપી, બિહાર અને રાજસ્થાન સિવાય હવે ગુજરાતમાં પણ સિવિલ સર્વિસનો વાયરો યુવાવર્ગમાં જે રીતે ફેલાઈ રહ્યો છે એ જોતાં ભવિષ્યમાં ફરીથી જનરલ નોલેજ અને સાહિત્યનો જમાનો આવવાનો જ છે. પર્સનલ કરીઅર સિવાય રાષ્ટ્રીય એંગલથી વિચારીએ તો પણ વાંચનના અભાવે સંસ્કૃતિઓ વચ્ચે પુલનિર્માણની વાત તો દૂર રહી, ઊલટું ખીણ વધુ પહોળી ને ઊંડી થતી જાય છે.

  1. શિક્ષકો દેશનું શ્રેષ્ઠ બુદ્ધિધન હોવા જોઈએ:

આ ક્વોટને પહેલા કવોટના અનુસંધાનમાં લઈએ તો વાંચન જ ઘટતું જાય છે અથવા તો યોગ્ય દિશામાં જ્ઞાનપ્રાપ્તિનો મોહ જ પૂરો થઈ રહ્યો છે ત્યાં ‘શ્રેષ્ઠ બુદ્ધિધન’ બનવાની વાતો જ બહુ દુરની છે. બહુ ઓછા શિક્ષકો એવા હશે જે વિદ્યાર્થીકાળથી જ ખાસ શિક્ષક બનવાનું સપનું સેવીને બેઠા હશે. બાકી તો ડોકટર-એન્જિનિયર બનતા રહી ગયા હોય એવા સ્ટુડન્ટસ જ શિક્ષક તરીકેની કારકિર્દી પસંદ કરતાં હોય છે. (આમાં ઉંચા માર્કસને રેફરન્સ તરીકે જોવા કરતા ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ વધારે ધ્યાનમાં લેવું.) અનિચ્છાએ પસંદ કરેલી કારકિર્દીમાં પગાર સિવાયના બહુ ઓછા કલ્યાણકારી ટાર્ગેટ મગજમાં હોય એ સ્વભાવિક છે. એટલે ફરીથી શિક્ષક તરીકે સફળતાની કેસેટ ટકાવારી પર આવીને અટકી જાય છે. વિજ્ઞાન, ટેકનોલોજી કે ઇતિહાસની પરફેક્ટ સમજ પાઠ્યપુસ્તકોની બહાર પણ આપી શકે એવા શિક્ષકો પણ આંગળીને વેઢે ગણાય એટલા જ રહ્યા છે. કારણ કે ‘ શ્રેષ્ઠ બુદ્ધિધન’ તરીકેની ઓળખ માટે માર્કસની બહાર પણ એક દુનિયા હોય એ ડો.રાધાકૃષ્ણનનું સપનું શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ભૂલી ગયા છે.

  1. શિક્ષક એ નથી જે તથ્યોને વિધાર્થીઓના મગજમાં બળજબરીથી ઠૂંસે, પણ સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીઓને આવતીકાલના પડકારો માટે સજ્જ કરે:

આ કવોટની કરુણતા એ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં ‘તથ્યો’થી જ આપણે દૂર થતાં જઈએ છીએ. કદાચ ડો. રાધાકૃષ્ણનના જમાનામાં અતિશય આદર્શવાદી કે ગાંધીને ઓળખ્યા વગર ‘ગાંધીવાદી શિક્ષક’ તરીકે પ્રસિદ્ધ થવાની ફેશન હોવાથી આ ક્વોટ લખાયું હશે. પણ હવે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝના મુશળધાર મારાની સામે પૂરતા વાંચનના અભાવે ‘તથ્યો’થી તો ક્યારેક શિક્ષકો પોતે જ માહિતગાર નથી હોતા. (દરેક સજ્જ શિક્ષકે ભાવિ નાગરિકોને સજ્જ બનાવવા હોય તો સોશિયલ મીડિયામાં ફેલાતા ફેક ન્યુઝથી જાગૃત કરવા, વિજ્ઞાન અને ટેકનોલોજીની વૈશ્વિક લેટેસ્ટ ખબરો વિશે જાણકારી આપવા માટે દરરોજ બે પાંચ મિનિટ ફાળવવી જ જોઈએ.) વિધાર્થીઓ તથ્યોને પચાવતા શીખશે તો જ ભવિષ્યના પડકારો માટે તૈયાર થઈ શકશે. બાકી ધર્મ અને રાજકારણના ગંદા કાદવમાં ઊંડા ને ઊંડા ખૂપતા જશે.

  1. આપણા દેશમાં ભગવાનની પૂજા નથી થતી, પણ ભગવાનના નામે બોલનારાઓની પૂજા થાય છે:

લગભગ પચાસ વર્ષ પહેલાં ડોકટર સાહેબે જે લખ્યું એ આજે એક હજાર ને એક ટકા સાચું કેમ લાગે છે? મોરારીબાપુ કાયમ કહે છે કે આપણે ગીતાને બહુ માનીએ છીએ પણ ગીતાનું નથી માનતા. બહુ કડવું પણ સદીઓથી પેસી ગયેલા (અ)ધાર્મિક ઇન્ફેક્શનનો આ ચોખ્ખો રિપોર્ટ છે. દરેક ધાર્મિક ગ્રંથોમાંથી સીધું જ્ઞાન મહેનત કરીને લેવામાં આપણે સદંતર નિષ્ફળ ગયા. ( કુરાનનો ક્રૂર દુરુપયોગ આખા જગતે અનુભવ્યો છે.) પરિણામે ધર્મને સમજવા માટે આપણે બહુ સરળ પડે એમ ફાલતુ કટ્ટર નેતાઓ અને ધર્મના બની બેઠેલા ઠેકેદારોની મદદ લેવી પડી. પાળેલા પશુઓની જેમ રાજકારણીઓ અને ધર્મધુરંધરો દોરે એ દિશામાં દોરાતા રહ્યા. અંતિમ પરિણામરૂપે ધર્મનું જ્ઞાન અને ડહાપણ એમના ભાગે આવ્યું જ્યારે આપણા જેવા નાગરિકોના ભાગે આવ્યું ફકત અને ફક્ત ધર્મનું ઝનૂન કે ધર્માંધતા!
(એક ફિલ્મમાં જોયેલું કે એક મુસ્લિમ કોલેજીયન યુવતી કુરાનના ખોટા અર્થઘટન કરીને લોકોને ઉશ્કેરતા મૌલવીને જાહેરમાં સાચું અર્થઘટન કરીને સ્તબ્ધ કરી દે છે. એ સિવાય હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં પણ સીધા અભ્યાસને બદલે ધર્મગુરુઓની વાતો આંખો અને મગજ બંધ કરીને સ્વીકારી લેવાથી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને સંઘર્ષોની વણઝાર બહુ ઊંડી ઉતરેલી છે.)

  1. કોઈ પણ આઝાદી ત્યાં સુધી સાચી નથી હોતી જ્યાં સુધી વિચારોની આઝાદી પ્રાપ્ત ના થાય. કોઈ પણ ધાર્મિક વિચાર કે રાજકીય સિદ્ધાંત સત્યની શોધમાં બાધારૂપ ના બનવો જોઈએ:

આ વિચારથી તદ્દન વિપરીત આપણે તો આપણું સત્ય જ ધાર્મિક-રાજકીય માન્યતાઓ મુજબ ઢાળતા ગયા. ધર્મ અને રાજકારણ એક એવો ઝનૂની પડદો છે, જે સત્યની આડે આવી જાય તો ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર પણ ભુલાવી દે છે. ‘સત્ય’ અને ‘તથ્ય’ સાથેનો સંબંધ અળગો થતો ગયો એથી આજે સોશિયલ મીડિયામાં નહેરુ, ગાંધી, સરદાર અને સાવરકર જેવા ક્રાંતિકારીઓ વિશેની આડેધડ વાતો આપણે જોયા કરીએ છીએ. લગભગ સાચી પણ માની લઈએ છીએ. પણ એ પડદો ખસેડવામાં અપૂરતું વાંચન આડે આવે છે. માટે ખુલીને સત્યરૂપી અરીસો બતાવવામાં નિષ્ફળ જઈએ છીએ. ( દરેક શિક્ષક જો ગાંધી, નહેરુ અને સરદાર પ્રત્યેની ધડમાથા વગરની અફવાઓથી પોતાના વિદ્યાર્થીઓને માહિતગાર કરે તો એ પણ ભારતદેશના વર્તમાન અને ભવિષ્ય માટેનું એક પવિત્ર ‘સત્ય’ જ કહેવાશે.)

ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે. માટે દોષનો ટોપલો શિક્ષકો અને વિધાર્થીઓ પર ઢોળી દેવાથી આપણે આપણા નાગરિક ધર્મથી છટકી નથી શકતા. અહીંયા શિક્ષકોને ફક્ત સ્કૂલ-ટ્યુશન પૂરતા સીમિત ગણવાના નથી. વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો લેખક, પત્રકારો અને વક્તાઓ પણ શિક્ષકો જ છે. સોશિયલ મીડિયામાં લખતા તમામ નાગરિકો જે પોતાના વિચારો અન્યો સુધી પહોંચાડે છે એ પણ શિક્ષક જ છે.

ટૂંકમાં, દરેક નાગરિક શિક્ષક અને વિદ્યાર્થીનો રોલ દરરોજ ભજવતો રહે છે. એ દ્રષ્ટિએ ડો. રાધાકૃષ્ણનના અણમોલ વિચારો જીવનમાં એક ટકો પણ ઉતારીએ તો પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવા પાછળની એમની ઉજળી ભાવનાનું તેજસ્વી પ્રતિબિંબ ભવિષ્યમાં ભવ્ય ભારત તરીકે દુનિયાભરમાં ઝળકી ઉઠશે અને આપણે સાચા અર્થમાં ‘વિશ્વગૃરુ’ તરીકે ડંકો વગાડીશું. બાકી તો એમના જ શબ્દોમાં ‘ જે નાનકડા ઈતિહાસને સર્જાતા સદીઓ લાગે છે, એ જ ઈતિહાસ બીજી સદીઓ સુધી ફક્ત પરંપરાઓ બનીને રહી જાય છે.

~ ભગીરથ જોગિયા 

 

3 responses to “શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો, વિધાર્થીઓ અને દેશના તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:

  1. bimalvyas

    September 5, 2020 at 9:26 AM

    Well said doctor 👍

    Like

     
  2. સુજાતા ત્રિવેદી

    September 5, 2020 at 1:40 PM

    thank you 😊 for being my teacher through your articles.happy teacher’s day sir .❤️🙏💐

    Like

     
  3. Abhishek Mehta

    September 5, 2020 at 3:31 PM

    “सभी मित्रों को शिक्षक दिवस की हार्दिक शुभकामनाएं”
    ——————
    लेकिन अफसोस – ये दिन हम ऐसे व्यक्ति के जन्मदिन पर मनाते हैं जो शिक्षक के नाम पर कलंक है,

    जी हाँ सही सुना #सर्वपल्ली राधाकृष्णन शिक्षक के नाम पर कलंक हैं – वैसे ही जैसे नेहरू #बालदिवस के लिए कंलक हैं।

    इनके बहुत सारे कारनामे हैं लेकिन एक झूठ का – जाल बुनकर – गांधी की तरह ही – इनको भी -समाज मे “महान व्यक्ति” स्थापित कर दिया गया है।
    —————–
    इनका सबसे घिनौना काम की इन्होंने अपने ही विद्यार्थी की लिखी पुस्तक अपने नाम से प्रकाशित करवाई थी छात्र #जदुनाथ सिन्हा ने जब अपनी थीसिस जमा की तो चैकिंग के लिए प्रोफेसर राधाकृष्णन के पास आई और इन्होंने उसको अपने पास ही रख लिया,
    तथा 2 साल बाद इंग्लैंड से हूबहू अपने नाम से #इंडियन_फिलॉसफी नाम देकर छपवा दिया जिसके लिए इनको बहुत वाहवाही प्रशंसा और शौहरत मिली और….
    जदुनाथ ने जब कोर्ट में केस किया तो – उस गरीब को डरा धमका के चुप करवा दिया। क्योकि कोंग्रसी – बहुत अच्छी तरह से जानते है लोगन को कैसे दबाया जाता ..
    ——————
    दूसरा घिनौना काम था इनका की जब ये 1952 में रूस में राजदूत थे तो इन्होंने नेताजी बोस से मुलाकात की थी और नेहरू से रिहाई की बात की लेकिन नेहरू ने चुप रहने को कहा और ये चुप हो गए बदले में 1952 में ही भारत बुलाकर उपराष्ट्रपति का पद मिल गया।

    बात यही खत्म न हुई 1954 में इनको #भारतरत्न भी दिया गया – बात यँहा रुकने वाली कहाँ थी क्योंकि नेहरू की मजबूरी बन गयी थी इनको खुश रखना क्योंकि नेहरू जानते थे देश नेताजी से कितना प्यार करता है अगर देश को पता चल गया नेताजी जिंदा हैं रूस की जेल में – तो देश में भूचाल आ जायेगा लोग नेताजी को छुड़ाने के लिए जी जान लगा देंगे।

    बात यहाँ खत्म न हुई इनको 1962 में राष्ट्रपति का पद भी मिला और इस महत्वकाँक्षी धूर्त व्यक्ति ने राष्ट्रपति बनते ही 1962 में अपने नाम से अपने ही जन्मदिन को #शिक्षकदिवस घोषित कर दिया।

    इनकी एक और महानता ये भी रही कि जब 1931 में अंग्रेज हमारे महान क्रान्तिकारी भगत सिंह, सुखदेव, राजगुरु, चंद्रशेखर आज़ाद को फांसी की सजा देकर मार रहे थे ताकि स्वतंत्रता संग्राम की दबा दिया जाए,

    तो दूसरी ओर राधाकृष्णन को “सर” की उपाधि से नवाजा गया था और उसी समय – पता नहीं किस बेशर्मी से इन्होंने अंग्रेजों द्वारा दी “सर” की उपाधि स्वीकार भी की थी।

    “राष्‍ट्रीय आंदोलनों” में तो यह व्यक्ति पूरी तरह से नदारद था ही। क्योकि अंग्रेजों का “ख़ास पिठ्ठू” जो था।
    1892 में वीरभूम जिले में जन्मे “जदुनाथ सिन्हा” का देहांत 1979 में हुआ।
    ————-
    (इसके आगे की जानकारी ख्यातिलब्ध ज्यौतिषज्ञ, इतिहासज्ञ एवं पूर्व आईपीएस प्रशासनिक उच्चाधिकारी श्री अरुण उपाध्याय जी ने दी है)
    —————-
    सर्वपल्ली राधाकृष्णन् ने अपनी -“जन्म तिथि” को “गुरु दिवस” मनाने के लिये अपने द्वारा “व्याख्याकृत” गीता की भूमिका में लिखा कि इसके लेखक का पता नहीं है तथा किसी “काल्पनिक व्यास” के नाम से १५०० वर्षों में लोगों ने ७०० श्लोक जोड़ दिये हैं।

    आज भी किसी भी विश्वविद्यालय में गीता का श्लोक उद्धृत करने पर लोग इसी आधार पर विरोध करते हैं और गालियां देने लगते हैं।

    और भी कई बातें हैं।
    राधाकृष्णन ने राष्ट्रपति बनते ही “तिरुपति संस्कृत विद्यापीठ” से वेदों का “प्रकाशन” बन्द करवा दिया।
    वहां के पं. बेल्लिकोठ रामचन्द्र शर्मा कौथुमी संहिता की व्याख्या प्रकाशित कर रहे थे और हार्वर्ड विश्वविद्यालय को १ करोड़ रुपये देने पर भी नहीं बेचा। कहा कि वेद बिक्री की चीज नहीं है।

    इस अपराध में उनको तुरन्त नौकरी से निकाला गया तथा प्रेस में छप रही पुस्तक को वापस ले कर हार्वर्ड को बेच दिया।
    योग्य सम्पादक के अभाव में अभी तक वहां से ४ खण्डों में केवल २ ही प्रकाशित हो पाये हैं।

    “काशी हिन्दू विश्वविद्यालय” में भी मूल संस्कृत जानने वालों को झूठे बहाने बना कर निकाला तथा “नेपाल संस्कृत ग्रन्थावली” का प्रकाशन तुरन्त बन्द करवाया यद्यपि उसका “खर्च” नेपाल राजा दे रहे थे।
    —————-
    “ज्योतिष विभाग” के अध्यक्ष “श्री रामव्यास पाण्डेय” पर आरोप लगाया कि उन्होंने हजारी प्रसाद द्विवेदी जैसे अयोग्य व्यक्ति को केवल अपना सम्बन्धी होने के कारण उनको प्राध्यापक बनवा दिया। अधिकांश लोग हजारी प्रसाद द्विवेदी को ही जानते हैं।
    “रामव्यास पाण्डेय” की कोई पुस्तक प्रकाशित नहीं होने दी। उनको नौकरी से हटाने के लिये २ अध्यादेश “इलाहाबाद उच्च न्यायालय” ने रद्द किये तो तीसरा अद्यादेश निकला जो विख्यात काला कानून जैसा था।
    उसमें लिखा था कि प्राचीन पद्धति के शिक्षकों (संस्कृत जानने वाले) को जैसे ही वो बीमार हों या भलाई के लिये मर जाय तो नौकरी से निकाल दिया जाय।
    भारत के मुख्य न्यायाधीश “हिदायतुल्ला” ने पूछा था कि :—
    “रामव्यास पाण्डेय” के बीमार होने या मरने से किसका क्या भला होगा और इसे निरस्त करते हुए कहा कि -:– किसी भी शिक्षित व्यक्ति ने ऐसी भाषा का प्रयोग नहीं किया है।
    ————-
    मैं जिस “जदुनाथ सिन्हा” की बात कर रहा हूँ वो कोई गुमनाम लड़का नहीं है।
    वे प्रोफेसर जदुनाथ सिन्हा हैं। जो अनेकों पदों पर रहे और उनका देहांत 1979 में हुआ। इसी लेख में नीच सम्पूर्ण विवरण दिया हुआ है – ये तो कोई – सदियों पुरानी या बहुत पुरानी बात नही है।
    ————
    प्रोफेसर जदुनाथ सिन्हा ने “शंकराचार्य एवं रामानुजाचार्य” के – वेदांत दर्शन, यौगिक मनोविज्ञान, संस्कृति एवं तर्कशास्त्र, एवं शाक्त तथा शैव तंत्रशास्त्र पर चालीस से अधिक पुस्तकें लिखी थीं।
    ————–
    उन्होंने कोर्ट में यह सिद्ध कर दिया था कि राधाकृष्णन् की थ्योरी उनके पूर्वलिखित शोध से चोरी करके लिखी गयी थी और उसके बदले उन्होंने आज से 90 साल पहले क्रमशः दो शोधपत्रों की चोरी के लिए भारतीय दर्शन के बदले बीस हज़ार एवं अद्वैत तथा द्वैत वेदान्त के बदले एक लाख रुपयों का दावा भी किया था।
    —————–
    राधाकृष्णन् जब यह केस हारने की कगार पर थे तो उन्होंने “श्यामाप्रसाद मुखर्जी” के पिता जी, जो उस समय सम्बंधित विश्वविद्यालय के प्रतिकुलपति थे, उनकी पैरवी लगाकर बड़ी मुश्किल से ये मामला दबाया था।
    सिन्हा जी अद्भुत मेधा के धनी थे, इसीलिए कलकत्ता विश्वविद्यालय ने उन्हें उनकी शिक्षा पूर्ण होने से पहले ही “सहायक प्रोफेसर” बना दिया था।
    ———–
    जब ये रुस में भारत का राजदूत बनने के बाद स्टालिन से मिले तो, इन्होंने अपना परिचय अंग्रेजी में दिया था…
    इस पर स्टालिन ने इनको अपने जबाब से लज्जित कर दिया था,
    स्टालिन का कहना था कि :– क्या आप अंग्रेजी e बजाय – अपने देश की भाषा में अपना परिचय दे सकते हैं,
    अगर नहीं तो – आप मेरे ऑफिस से बाहर जा सकते हैं।
    ————-
    दो लिंक मैं दे रहा हूँ। एक ये जब यह नेताजी सुभाषचंद्र जी से मिला था।
    https://bharatabharati.wordpress.com/…/netaji-bose-what…
    जब इसने छात्र की नकल चोरी की थी।
    http://roundtableindia.co.in/index.php?option=com_content
    ——————
    आप और क्या क्या जानना चाहते है – लीजिये – खोलिए – ये सब लिंक खोल कर देख देखिये :—
    1 – https://openlibrary.org/authors/OL10095A.rdf
    2 – रजनीश (ओशो) ने यह बात साहसपूर्वक कही थी “-
    http://www.oshoworld.com/biography/innercontent.asp…
    3 -पूरी कहानी इस वेब-पृष्ठ पर है जिसमें रजनीश ने थीसिस चुराने वाली कथा का भी विस्तार से उल्लेख किया :-
    http://www.oshoworld.com/biography/innercontent.asp…
    थीसिस चोरी की कहानी कई अन्य स्रोतों से भी मिल जायेगी, जैसे कि :-

    Click to access ical-10_180_494_2_RV.pdf

    http://realhindudharm.blogspot.in/…/native-peoples-party-br…
    http://nativeindiancouncil.blogspot.in/2013_09_01_archive.h…
    http://www.dawn.com/news/742051/subcontinental-plagiarism
    http://www.nationaldastak.com/…/when-radhakrishnan-stolen-h…
    4 – (1)1945 और बाद में 1987 में Robert Neil Minor ने चोरी की पूरी कहानी बिना किसी पक्षपात के प्रकाशित कर दी :-
    https://books.google.co.in/books…

    Like

     

Leave a comment